અખિલેશ યાદવે દિલ્હી CM કેજરીવાલનું કર્યું સમર્થન, કહ્યું- કેન્દ્રનો વટહુકમ લોકતંત્રની વિરુદ્ધ છે


  • Published By :
  • Published Date : 2023-06-07 19:01:12

કેન્દ્રની ભાજપ સરકાર દ્વારા લાવવામાં આવેલા વટહુકમ સામે સમર્થન મેળવવા લખનૌ પહોંચેલા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવ સાથે મુલાકાત કરી હતી. મુલાકાત બાદ સપા પ્રમુખ અખિલેશ યાદવે કહ્યું કે કેન્દ્ર સરકારનો વટહુકમ લોકશાહીની વિરુદ્ધ છે. શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે કેજરીવાલ સરકારે કરેલા કામો જોઈને ભાજપ સરકાર ડરી ગઈ છે. એટલા માટે આ વટહુકમ લાવવામાં આવ્યો છે. અમે કેજરીવાલ સરકારનું સમર્થન કરીએ છીએ અને રાજ્યસભામાં વટહુકમ વિરુદ્ધ મતદાન કરીશું. અમારા તમામ સભ્યો આમ આદમી પાર્ટી સાથે છે.


કેજરીવાલે અખિલેશ યાદવ પાસે સમર્થન માંગ્યું હતું


આ પહેલા મીડિયાને સંબોધતા કેજરીવાલે કહ્યું હતું કે સુપ્રીમ કોર્ટમાં પાંચ જજોની બેન્ચે અમારા પક્ષમાં ચુકાદો આપ્યો છે. જે અંતર્ગત માત્ર ચૂંટાયેલી સરકાર પાસે જ વહીવટી સત્તા હશે, પરંતુ મોદી સરકારે વટહુકમ લાવીને દિલ્હી સરકારની સત્તા છીનવી લીધી છે. અમે અખિલેશ યાદવ પાસે સમર્થન માંગ્યું છે કે જો રાજ્યસભામાં ભાજપ સરકાર દ્વારા લાદવામાં આવેલ વટહુકમ પડી જશે તો 2024 માટે મજબૂત સંદેશ જશે. અરવિંદ કેજરીવાલ વહીવટી અધિકારીઓના ટ્રાન્સફર અને પોસ્ટિંગના અધિકાર સાથે સંબંધિત કેન્દ્ર સરકારના બિલને  રાજ્યસભામાં નામંજૂર કરાવવાની કવાયતમાં લાગ્યા છે. આ માટે કેજરીવાલ બિન-ભાજપ પક્ષોના નેતાઓને મળી રહ્યા છે અને તેમનું સમર્થન માંગી રહ્યા છે.


અખિલેશ ટ્વીટ કરીને જાહેર કરી ચૂક્યા છે સમર્થન 


સમાજવાદી પાર્ટી વટહુકમના વિરોધમાં છે. આવી સ્થિતિમાં તે આ મુદ્દે ખુલ્લેઆમ આમ આદમી પાર્ટીનું સમર્થન કરશે. કેજરીવાલને મળ્યા બાદ સપા અધ્યક્ષ આ મુદ્દે સમર્થન આપવાની સત્તાવાર જાહેરાત કરી શકે છે. અખિલેશ પહેલા જ આ મામલે વાંધો ઉઠાવી ચૂક્યા છે. તેમણે ટ્વીટ કરીને વટહુકમને ન્યાયતંત્રનું અપમાન ગણાવ્યું હતું. એટલા માટે માનવામાં આવે છે કે સપા પ્રમુખ આ મુદ્દે કેજરીવાલના અભિયાનને સમર્થન આપી શકે છે.



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.