અખિલેશ યાદવે દિલ્હી CM કેજરીવાલનું કર્યું સમર્થન, કહ્યું- કેન્દ્રનો વટહુકમ લોકતંત્રની વિરુદ્ધ છે


  • Published By :
  • Published Date : 2023-06-07 19:01:12

કેન્દ્રની ભાજપ સરકાર દ્વારા લાવવામાં આવેલા વટહુકમ સામે સમર્થન મેળવવા લખનૌ પહોંચેલા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવ સાથે મુલાકાત કરી હતી. મુલાકાત બાદ સપા પ્રમુખ અખિલેશ યાદવે કહ્યું કે કેન્દ્ર સરકારનો વટહુકમ લોકશાહીની વિરુદ્ધ છે. શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે કેજરીવાલ સરકારે કરેલા કામો જોઈને ભાજપ સરકાર ડરી ગઈ છે. એટલા માટે આ વટહુકમ લાવવામાં આવ્યો છે. અમે કેજરીવાલ સરકારનું સમર્થન કરીએ છીએ અને રાજ્યસભામાં વટહુકમ વિરુદ્ધ મતદાન કરીશું. અમારા તમામ સભ્યો આમ આદમી પાર્ટી સાથે છે.


કેજરીવાલે અખિલેશ યાદવ પાસે સમર્થન માંગ્યું હતું


આ પહેલા મીડિયાને સંબોધતા કેજરીવાલે કહ્યું હતું કે સુપ્રીમ કોર્ટમાં પાંચ જજોની બેન્ચે અમારા પક્ષમાં ચુકાદો આપ્યો છે. જે અંતર્ગત માત્ર ચૂંટાયેલી સરકાર પાસે જ વહીવટી સત્તા હશે, પરંતુ મોદી સરકારે વટહુકમ લાવીને દિલ્હી સરકારની સત્તા છીનવી લીધી છે. અમે અખિલેશ યાદવ પાસે સમર્થન માંગ્યું છે કે જો રાજ્યસભામાં ભાજપ સરકાર દ્વારા લાદવામાં આવેલ વટહુકમ પડી જશે તો 2024 માટે મજબૂત સંદેશ જશે. અરવિંદ કેજરીવાલ વહીવટી અધિકારીઓના ટ્રાન્સફર અને પોસ્ટિંગના અધિકાર સાથે સંબંધિત કેન્દ્ર સરકારના બિલને  રાજ્યસભામાં નામંજૂર કરાવવાની કવાયતમાં લાગ્યા છે. આ માટે કેજરીવાલ બિન-ભાજપ પક્ષોના નેતાઓને મળી રહ્યા છે અને તેમનું સમર્થન માંગી રહ્યા છે.


અખિલેશ ટ્વીટ કરીને જાહેર કરી ચૂક્યા છે સમર્થન 


સમાજવાદી પાર્ટી વટહુકમના વિરોધમાં છે. આવી સ્થિતિમાં તે આ મુદ્દે ખુલ્લેઆમ આમ આદમી પાર્ટીનું સમર્થન કરશે. કેજરીવાલને મળ્યા બાદ સપા અધ્યક્ષ આ મુદ્દે સમર્થન આપવાની સત્તાવાર જાહેરાત કરી શકે છે. અખિલેશ પહેલા જ આ મામલે વાંધો ઉઠાવી ચૂક્યા છે. તેમણે ટ્વીટ કરીને વટહુકમને ન્યાયતંત્રનું અપમાન ગણાવ્યું હતું. એટલા માટે માનવામાં આવે છે કે સપા પ્રમુખ આ મુદ્દે કેજરીવાલના અભિયાનને સમર્થન આપી શકે છે.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.