અવકાશમાં અટવાયેલા સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોર માર્ચ મહિનામાં 19મી તારીખે પૃથ્વી પર પરત ફરશે


  • Published By : Admin
  • Published Date : 2025-02-26 20:41:48



એક સપ્તાહ માટે અવકાશમાં ગયેલા સુનિતા વિલિયમ્સ અને તેના સાથી અવકાશયાત્રી બુચ વિલ્મોર ક્યારે પૃથ્વી પર પરત આવશે તેની સૌ કોઈ પ્રતિક્ષા કરી રહ્યું છે એ બધાની વચ્ચે એક સારા સમાચાર સામે આવ્યા છે. સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોર માર્ચ મહિનામાં પૃથ્વી પર પરત ફરે તેના માટે તૈયારીઓ શરુ કરી દેવામાં આવી છે. 


અમેરિકાના અને મૂળ ભારતીય અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ અને તેના સાથી બુચ વિલ્મોર બંને 2025ની 19મી માર્ચે પૃથ્વી પર પરત ફરશે તેવું આયોજન કરવામાં આવ્યું છે. અમેરિકાની ટેલિવિઝન ન્યુઝ ચેનલ CNN સાથે ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાંથી થયેલી વાતચીત પ્રમાણે બુચ વિલ્મોર અને સુનિતા વિલિયમ્સે ખુશી વ્યક્ત કરતા કહ્યું હતું કે, હું અને વિલ્મોર અમારા બંનેની પૃથ્વી પર પરત આવવાની તૈયારીઓ શરુ થઈ ગઈ છે. અમેરિકાના બિઝસનેસ મેન એલન મસ્કની સ્પેસ એક્સનું ડ્રેગન સ્પેસક્રાફ્ટ વર્ષ 2025ની 12મી માર્ચે પૃથ્વી પરથી રવાના થશે અને ત્યારબાદ એક સપ્તાહ એટલે કે 19મી માર્ચ તે એ જ ડ્રેગન સ્પેસક્રાફ્ટ દ્વારા અમે બંને પૃથ્વી પર સહી સલામત પરત ફરીશું. બોઈંગ સ્ટારલાઈનરમાં આવેલી ખામીના કારણે આઠ મહિના કરતા વધુ સમયથી બંને ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં અટવાયેલા છે .


બુચ વિલ્મોરે CNNને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, સ્પેસએક્સનું ક્રૂ-10 મિશન 12 માર્ચે પૃથ્વી પરથી લોન્ચ થશે અને છ મહિનાના મિશન માટે આંતરરાષ્ટ્રીય અવકાશ મથક (ISS) સાથે ડોક કરશે. હાલમાં સુનિતા વિલિયમ્સ અવકાશ પ્રયોગશાળાના કમાન્ડર છે અને તેમનું કામ નવા અવકાશ સ્ટેશન કમાન્ડરને સોંપવામાં આવશે. આ ટ્રાન્સફર એક અઠવાડિયાની અંદર થશે, ત્યારબાદ બંને અવકાશયાત્રીઓ ડ્રેગન અવકાશયાનમાં સવાર થશે જે તેમને પૃથ્વી પર પાછા લાવશે. તે 19 માર્ચે ડ્રેગન અવકાશયાનમાં પૃથ્વી પર પાછા ફરશે.



શું છે ડ્રેગન કેપ્સૂલ?

એલન મસ્કની કંપની SpaceX ની ડ્રેગન ક્રૂ કેપ્સૂલને બનાવ્યા પછી તેને 46 વાર અવકાશમાં લોન્ચ કરવામાં આવી ચુકી છે. ડ્રેગન ક્રૂ કેપ્સૂલ 42 વાર આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ સ્ટેશનની યાત્રા કરી ચુકી છે. તેમાં એક વખતમાં સાત અંતરિક્ષ યાત્રી બેસી શકે છે. દુનિયાનું આ પહેલું ખાનગી અંતરિક્ષ યાન છે, જે સતત અંતરિક્ષ સ્ટેશન પર એસ્ટ્રોનૉટ અને સામાન લઈને અવર-જવર કરે છે. સામાન્ય રીતે તેમાં બે થી ચાર અંતરિક્ષ યાત્રી બેસી શકે છે. ઈમરજન્સીમાં સાત યાત્રી બેસી શકે છે. 




સુનિતા વિલિયમ્સ ઘણા સમયથી અવકાશમાં હોવાથી તેમના માટે જમીન પર ઉતરવું એટલું સહેલું નહીં રહે. તેઓ આઠ મહિનાથી અવકાશમાં રહેતા હતા અને તેમના માટે હવે જમીન પર ખૂબ જ ફિઝિકલ ચેલેન્જ જોવા મળશે. સુનિતા વિલિયમ્સ કહે છે, ‘અમારા માટે ગ્રેવિટી સાથે એડજસ્ટ થવું થોડું મુશ્કેલ રહેશે. અમારા માટે એ રોજે-રોજની પ્રક્રિયા રહેશે જ્યાં અમારે આપણા શરીરના દરેક મસલ્સને ફરી કામ કરતાં કરવા પડશે.’



In India, marriage is considered a sacred institution, in which love, trust and dedication are expected. Incidents like the one that have happened recently have changed the very definition of this sacred bond. Cases of brutal murder of husbands by wives have shocked the society. Cases like Pragati, Muskan, Aftab and similar incidents that have happened in the last few years have raised a big question mark and also on the entire system because every person, be it a man or a woman, is in fear of whether to get married or not. Even memes have become like that.

લોકતાંત્રિક દેશના કોઇપણ ખૂણામાં ભાષા અને ભાષાકીય જૂથ સંગઠન પોતાને સર્વસર્વા માની નાગરિકો સાથે મનમાની કરી જાય તો કાયદો અને વ્યવસ્થા શું મુકપ્રક્ષક બનીને રહશે !

રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પએ ભારતમાં બ્રેન્ડન લિન્ચના નેતૃત્વમાં એક પ્રતિનિધિ મંડળ મોકલ્યું છે . આ પ્રતિનિધિ મંડળ ૨જી એપ્રિલથી ભારત પર જે ટેરિફ લગાવવામાં આવશે તેની પર ચર્ચા કરશે . જોઈએ કે આ વાટાઘાટોથી કેટલો ફર્ક પડે છે . જો અમેરિકાએ ૨જી એપ્રિલથી ટેરિફ લગાવ્યા તો ભારતને લગભગ ૫ લાખ કરોડનું નુકશાન થઈ શકે છે .

સુરત સહિત સમગ્ર રાજ્યનો હીરા ઉદ્યોગમાં મંદીમાથી પસાર થઈ રહ્યો છે. ત્યારે સરકારે એક્શન પ્લાન 2 દિવસમાં બનાવવા કહ્યું હતું. પરંતુ 10 દિવસે પણ કોઈ નિરાકરણ લવાયું નથી. ત્યારે 30 માર્ચે સુરત ડાયમંડ વર્કર યુનિયને હડતાળનું એલાન કર્યું છે. છેલ્લા અઢી વર્ષથી ડાયમંડ ઉદ્યોગમાં મંદી વચ્ચે રત્નકલાકારોની આર્થિક સ્થિતિ કથળી છે. યુનિયનના જણાવ્યા પ્રમાણે, એક વર્ષમાં 50થી વધુ રત્નકલાકારે આપઘાત કર્યા છે છતાં હજી સુધી સરકારે કોઈ ઠોસ પગલાં લીધાં નથી.