અવકાશમાં અટવાયેલા સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોર માર્ચ મહિનામાં 19મી તારીખે પૃથ્વી પર પરત ફરશે


  • Published By : Admin
  • Published Date : 2025-02-26 20:41:48



એક સપ્તાહ માટે અવકાશમાં ગયેલા સુનિતા વિલિયમ્સ અને તેના સાથી અવકાશયાત્રી બુચ વિલ્મોર ક્યારે પૃથ્વી પર પરત આવશે તેની સૌ કોઈ પ્રતિક્ષા કરી રહ્યું છે એ બધાની વચ્ચે એક સારા સમાચાર સામે આવ્યા છે. સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોર માર્ચ મહિનામાં પૃથ્વી પર પરત ફરે તેના માટે તૈયારીઓ શરુ કરી દેવામાં આવી છે. 


અમેરિકાના અને મૂળ ભારતીય અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ અને તેના સાથી બુચ વિલ્મોર બંને 2025ની 19મી માર્ચે પૃથ્વી પર પરત ફરશે તેવું આયોજન કરવામાં આવ્યું છે. અમેરિકાની ટેલિવિઝન ન્યુઝ ચેનલ CNN સાથે ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાંથી થયેલી વાતચીત પ્રમાણે બુચ વિલ્મોર અને સુનિતા વિલિયમ્સે ખુશી વ્યક્ત કરતા કહ્યું હતું કે, હું અને વિલ્મોર અમારા બંનેની પૃથ્વી પર પરત આવવાની તૈયારીઓ શરુ થઈ ગઈ છે. અમેરિકાના બિઝસનેસ મેન એલન મસ્કની સ્પેસ એક્સનું ડ્રેગન સ્પેસક્રાફ્ટ વર્ષ 2025ની 12મી માર્ચે પૃથ્વી પરથી રવાના થશે અને ત્યારબાદ એક સપ્તાહ એટલે કે 19મી માર્ચ તે એ જ ડ્રેગન સ્પેસક્રાફ્ટ દ્વારા અમે બંને પૃથ્વી પર સહી સલામત પરત ફરીશું. બોઈંગ સ્ટારલાઈનરમાં આવેલી ખામીના કારણે આઠ મહિના કરતા વધુ સમયથી બંને ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં અટવાયેલા છે .


બુચ વિલ્મોરે CNNને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, સ્પેસએક્સનું ક્રૂ-10 મિશન 12 માર્ચે પૃથ્વી પરથી લોન્ચ થશે અને છ મહિનાના મિશન માટે આંતરરાષ્ટ્રીય અવકાશ મથક (ISS) સાથે ડોક કરશે. હાલમાં સુનિતા વિલિયમ્સ અવકાશ પ્રયોગશાળાના કમાન્ડર છે અને તેમનું કામ નવા અવકાશ સ્ટેશન કમાન્ડરને સોંપવામાં આવશે. આ ટ્રાન્સફર એક અઠવાડિયાની અંદર થશે, ત્યારબાદ બંને અવકાશયાત્રીઓ ડ્રેગન અવકાશયાનમાં સવાર થશે જે તેમને પૃથ્વી પર પાછા લાવશે. તે 19 માર્ચે ડ્રેગન અવકાશયાનમાં પૃથ્વી પર પાછા ફરશે.



શું છે ડ્રેગન કેપ્સૂલ?

એલન મસ્કની કંપની SpaceX ની ડ્રેગન ક્રૂ કેપ્સૂલને બનાવ્યા પછી તેને 46 વાર અવકાશમાં લોન્ચ કરવામાં આવી ચુકી છે. ડ્રેગન ક્રૂ કેપ્સૂલ 42 વાર આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ સ્ટેશનની યાત્રા કરી ચુકી છે. તેમાં એક વખતમાં સાત અંતરિક્ષ યાત્રી બેસી શકે છે. દુનિયાનું આ પહેલું ખાનગી અંતરિક્ષ યાન છે, જે સતત અંતરિક્ષ સ્ટેશન પર એસ્ટ્રોનૉટ અને સામાન લઈને અવર-જવર કરે છે. સામાન્ય રીતે તેમાં બે થી ચાર અંતરિક્ષ યાત્રી બેસી શકે છે. ઈમરજન્સીમાં સાત યાત્રી બેસી શકે છે. 




સુનિતા વિલિયમ્સ ઘણા સમયથી અવકાશમાં હોવાથી તેમના માટે જમીન પર ઉતરવું એટલું સહેલું નહીં રહે. તેઓ આઠ મહિનાથી અવકાશમાં રહેતા હતા અને તેમના માટે હવે જમીન પર ખૂબ જ ફિઝિકલ ચેલેન્જ જોવા મળશે. સુનિતા વિલિયમ્સ કહે છે, ‘અમારા માટે ગ્રેવિટી સાથે એડજસ્ટ થવું થોડું મુશ્કેલ રહેશે. અમારા માટે એ રોજે-રોજની પ્રક્રિયા રહેશે જ્યાં અમારે આપણા શરીરના દરેક મસલ્સને ફરી કામ કરતાં કરવા પડશે.’



અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.