અવકાશમાં અટવાયેલા સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોર માર્ચ મહિનામાં 19મી તારીખે પૃથ્વી પર પરત ફરશે


  • Published By : Admin
  • Published Date : 2025-02-26 20:41:48



એક સપ્તાહ માટે અવકાશમાં ગયેલા સુનિતા વિલિયમ્સ અને તેના સાથી અવકાશયાત્રી બુચ વિલ્મોર ક્યારે પૃથ્વી પર પરત આવશે તેની સૌ કોઈ પ્રતિક્ષા કરી રહ્યું છે એ બધાની વચ્ચે એક સારા સમાચાર સામે આવ્યા છે. સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોર માર્ચ મહિનામાં પૃથ્વી પર પરત ફરે તેના માટે તૈયારીઓ શરુ કરી દેવામાં આવી છે. 


અમેરિકાના અને મૂળ ભારતીય અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ અને તેના સાથી બુચ વિલ્મોર બંને 2025ની 19મી માર્ચે પૃથ્વી પર પરત ફરશે તેવું આયોજન કરવામાં આવ્યું છે. અમેરિકાની ટેલિવિઝન ન્યુઝ ચેનલ CNN સાથે ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાંથી થયેલી વાતચીત પ્રમાણે બુચ વિલ્મોર અને સુનિતા વિલિયમ્સે ખુશી વ્યક્ત કરતા કહ્યું હતું કે, હું અને વિલ્મોર અમારા બંનેની પૃથ્વી પર પરત આવવાની તૈયારીઓ શરુ થઈ ગઈ છે. અમેરિકાના બિઝસનેસ મેન એલન મસ્કની સ્પેસ એક્સનું ડ્રેગન સ્પેસક્રાફ્ટ વર્ષ 2025ની 12મી માર્ચે પૃથ્વી પરથી રવાના થશે અને ત્યારબાદ એક સપ્તાહ એટલે કે 19મી માર્ચ તે એ જ ડ્રેગન સ્પેસક્રાફ્ટ દ્વારા અમે બંને પૃથ્વી પર સહી સલામત પરત ફરીશું. બોઈંગ સ્ટારલાઈનરમાં આવેલી ખામીના કારણે આઠ મહિના કરતા વધુ સમયથી બંને ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં અટવાયેલા છે .


બુચ વિલ્મોરે CNNને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, સ્પેસએક્સનું ક્રૂ-10 મિશન 12 માર્ચે પૃથ્વી પરથી લોન્ચ થશે અને છ મહિનાના મિશન માટે આંતરરાષ્ટ્રીય અવકાશ મથક (ISS) સાથે ડોક કરશે. હાલમાં સુનિતા વિલિયમ્સ અવકાશ પ્રયોગશાળાના કમાન્ડર છે અને તેમનું કામ નવા અવકાશ સ્ટેશન કમાન્ડરને સોંપવામાં આવશે. આ ટ્રાન્સફર એક અઠવાડિયાની અંદર થશે, ત્યારબાદ બંને અવકાશયાત્રીઓ ડ્રેગન અવકાશયાનમાં સવાર થશે જે તેમને પૃથ્વી પર પાછા લાવશે. તે 19 માર્ચે ડ્રેગન અવકાશયાનમાં પૃથ્વી પર પાછા ફરશે.



શું છે ડ્રેગન કેપ્સૂલ?

એલન મસ્કની કંપની SpaceX ની ડ્રેગન ક્રૂ કેપ્સૂલને બનાવ્યા પછી તેને 46 વાર અવકાશમાં લોન્ચ કરવામાં આવી ચુકી છે. ડ્રેગન ક્રૂ કેપ્સૂલ 42 વાર આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ સ્ટેશનની યાત્રા કરી ચુકી છે. તેમાં એક વખતમાં સાત અંતરિક્ષ યાત્રી બેસી શકે છે. દુનિયાનું આ પહેલું ખાનગી અંતરિક્ષ યાન છે, જે સતત અંતરિક્ષ સ્ટેશન પર એસ્ટ્રોનૉટ અને સામાન લઈને અવર-જવર કરે છે. સામાન્ય રીતે તેમાં બે થી ચાર અંતરિક્ષ યાત્રી બેસી શકે છે. ઈમરજન્સીમાં સાત યાત્રી બેસી શકે છે. 




સુનિતા વિલિયમ્સ ઘણા સમયથી અવકાશમાં હોવાથી તેમના માટે જમીન પર ઉતરવું એટલું સહેલું નહીં રહે. તેઓ આઠ મહિનાથી અવકાશમાં રહેતા હતા અને તેમના માટે હવે જમીન પર ખૂબ જ ફિઝિકલ ચેલેન્જ જોવા મળશે. સુનિતા વિલિયમ્સ કહે છે, ‘અમારા માટે ગ્રેવિટી સાથે એડજસ્ટ થવું થોડું મુશ્કેલ રહેશે. અમારા માટે એ રોજે-રોજની પ્રક્રિયા રહેશે જ્યાં અમારે આપણા શરીરના દરેક મસલ્સને ફરી કામ કરતાં કરવા પડશે.’



૧૮મી જૂન આજના દિવસે પાકિસ્તાનના આર્મી ચીફ અસીમ મુનીર રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને મળવાના છે. આ માટે વ્હાઇટહાઉસ દ્વારા ડોનાલ્ડ ટ્રમ્પનો એક કાર્યક્રમ બહાર પાડવામાં આવ્યો છે. પાકિસ્તાની આર્મી ચીફ અસીમ મુનીર હાલમાં અમેરિકાની મુલાકાતે છે. વ્હાઇટ હાઉસે આ માટે ૧૮મી જૂનના દિવસે આખો કાર્ય્રક્રમ જાહેર કર્યો છે .

ઈરાન અને ઇઝરાયેલ વચ્ચે તણાવમાં જોરદાર વધારો જોવા મળી રહ્યો છે. આ તણાવની મધ્યમાં અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ કેનેડામાં G 7 ની બેઠકને વચ્ચે છોડીને , અમેરિકા પરત ફર્યા છે. આ માટે ટ્રુથ સોશ્યિલ નામની સાઈટ પર એક પોસ્ટ સામે આવી છે જેમાં લખવામાં આવ્યું છે કે , તેહરાનને ખાલી કરો . સાથે જ ભારતે પોતાના વિદ્યાર્થીઓને સુરક્ષાના કારણોસર તેહરાનમાંથી ખાલી કરાવડાવ્યા છે.

મધ્ય એશિયામાં પરિસ્થિતિઓ સતત વણસી રહી છે. કેમ કે , ઈરાન અને ઇઝરાયેલના એક બીજા પર જોરદાર હુમલાઓ ચાલુ છે. બેઉ તરફ મૃત્યુનો આંક વધી રહ્યો છે. રવિવારે મોડી રાતથી આજે સવારે , ઈરાન દ્વારા ઇઝરાયેલ પર મિસાઈલ હુમલા સતત ચાલુ છે જે અંતર્ગત હવે ઇસરાએલની રાજધાની તેલઅવીવમાં આવેલી યુએસ એમ્બેસીને નુકશાન થયું છે. યુએસ એમ્બેસેડર માઈક હકાબીએ આ સમાચાર કન્ફર્મ કર્યા છે. તો બીજી તરફ ઇઝરાયેલી ડિફેન્સ ફોર્સીસએ ઇરાનમાં છેક અંદર સુધી સ્ટ્રાઇક કરી છે. યુએસના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પએ ટ્રુથ સોશ્યિલ પર એક પોસ્ટ કરીને ભારત પાકિસ્તાનનો સંદર્ભ આપીને ઈરાન અને ઇઝરાયેલ વચ્ચે સમાધાન કરાવવાની વાત કરી છે.

ઇઝરાયેલએ હવે ફરી એકવાર ઈરાન પર હુમલો કર્યો છે . જેમાં ઈઝરાઈલે ઈરાનની ઓઇલ અને પરમાણુ સાઇટ્સને નિશાન બનાવી છે. બેઉ દેશો વચ્ચે પરિસ્થિતિ જબરદસ્ત રીતે એસ્કેલેટ થઇ રહી છે . અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ અમેરિકાની કોઈ પણ પ્રકારની ભૂમિકા નકારી દીધી છે. સાથે જ ઈરાનને ધમકી આપી છે કે , અમેરિકાની વિરુદ્ધમાં કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો , અમેરિકા નઈ છોડે. સાથે જ એ પણ ચર્ચા કરીશું કે , કેવી રીતે ઈરાન , ઇઝરાયેલ યુદ્ધ ભારત અને વિશ્વના અર્થતંત્રને અસર કરી શકે છે.