સ્પાઈડર મેન બન્યા તબલાવાદક! એવા તબલા વગાડ્યા કે વીડિયો થઈ ગયો વાયરલ! સાંભળો તેમનું તબલાવાદન


  • Published By :
  • Published Date : 2023-07-07 09:07:51

તબલા વાદનનો શોખ અનેક લોકોને હોય છે. સંગીતમાં એક એવો જાદુ હોય છે જે તમારા મૂડને અને તમને રિફ્રેશ કરી દે છે. આપણે અનેક તબલા ઉસ્તાદને તબલા વાદન કરતા જોયા હશે પરંતુ જો તમને પૂછવામાં આવે કે તમે સ્પાઈડરમેનને તબલા વાદન કરતા જોયા અને સાંભળ્યા છે તો તમારો જવાબ હશે ના. અમે માત્ર સ્પાઈડરને મૂવીમાં એક્શન કરતા જોયા છે. 

એવું તબલાવાદન કે ઉસ્તાદો સાથે થઈ રહી છે સરખામણી  

ત્યારે સોશિયલ મીડિયા પર એક એવા તબલાવાદકનો વીડિયો વાયરલ થયો છે જેને જોઈ તમે ઝાકિર હુસેન, અલ્લારખા ખાન જેવા તબલા વાદકોની સાથે તેમની તુલના કરશો કે વાહ ઉસ્તાદ ક્યા બાત હેં. અમે ટોમ હોલેન્ડ, એન્ડ્રુ ગારફિલ્ડ અથવા ટોબે મેગુયર વિશે વાત કરી રહ્યાં નથી. કોઈપણ રીતે, તેઓ સ્પાઈડરમેન પર એકાધિકાર ધરાવતા નથી. તે એક પાત્ર છે. જેણે કાળા પટ્ટાઓવાળા લાલ માસ્ક સાથે ઊંડા વાદળી, લાલ કલરનો ડ્રેસ પહેર્યો હતો, તે 'સ્પાઈડર મેન' બની ગયો હતો. 


સ્પાઈડર મેનનો ડ્રેસ પહેરી કર્યું તબલાવાદન

સોશિયલ મીડિયા પર અનેક વીડિયો એવા હોય છે જે આપણું દિલ જીતી લેતા હોય છે. લોકોમાં રહેલા ટાઈલેન્ટને જ્યારે સોશિયલ મીડિયાનો સાથ મળી જાય ત્યારે સોનામાં સુગંધ ભળી જાય તેવી રીતે સોશિયલ મીડિયા તેમના માટે આશીર્વાદરૂપી સાબિત થતું હોય છે. સોશિયલ મીડિયા પર અનેક વખત આપણે લોકોને ડાન્સ કરતા, પેન્ટિંગ કરતા અથવા તો ગાતા જોયા હશે. પરંતુ શું તમે સ્પાઈડરમેનને તબલા વગાડતા જોયા છે?  આપણામાંથી મોટાભાગના એવા લોકો હશે જેણે સ્પાઈડર મેનને માત્ર ફિલ્મમાં જોયા હશે. કોઈ વખત સ્પાઈડર મેનને ભારતીય ધૂન પર ડાન્સ કર્યો હશે, પરંતુ તબલા વગાડતા તો નહીં જોયા હોય. જો નથી જોયા તો સોશિયલ મીડિયા પર જે વીડિયો વાયરલ થઈ રહ્યો છે તે જોઈલો.


સોશિયલ મીડિયા પર લોકોને પસંદ આવ્યો કિરન પાલનો વીડિયો 

કિરન પાલનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં તે તબલા વગાડી રહ્યા છે. આંગળી એટલી સરસ રીતે ફરે  અને જે તબલાનો અવાજ આવે છે તે સાંભળીને  તમે પણ મંત્રમુગ્ધ થઈ જશો. કિરન પાલને સંગીતનો શોખ છે ત્યારે સોશિયલ મીડિયા પર જે વીડિયો વાયરલ થઈ રહ્યો છે તેમાં તે તબલા વાદન કરી રહ્યા છે. તબલા વાદન દરમિયાન કલાકારો મુખ્યત્વે ઝભ્ભો પહેરતા હોય છે પરંતુ કિરન પાલે સ્પાઈડર મેનનો કોસ્યુમ પહેરી તબલા વાદન કરી રહ્યા છે. તેમનું તબલા વાદન સાંભળી તમારો મૂડ પણ ફ્રેશ થઈ જશે. સોશિયલ મીડિયા પર  તેમના વીડિયોને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે. લાખો લોકોએ તેને લાઈક કરી છે અને અનેક લોકોએ તેને શેર પણ કર્યો છે અને કમેન્ટ પણ કરી છે.  



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.