શ્રીલંકા બન્યુ એશિયા કપનું ચેમ્પિયન


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-12 10:42:08

શ્રીલંકા બન્યુ એશિયા કપનું ચેમ્પિયન:ટીમે ફાઈનલમાં પાકિસ્તાનને 23 રને હરાવ્યું, મદુશને 4 અને હસરંગાએ 3 વિકેટ ઝડપી


UAEમાં રમાયેલા એશિયા કપમાં શ્રીલંકા ચેમ્પિયન બન્યુ છે. શ્રીલંકાની ટીમે પાકિસ્તાનને 23 રને હરાવ્યું હતુ. આ સાથે જ શ્રીલંકા છઠ્ઠીવાર એશિયા કપનો ખિતાબ જીત્યો હતો. શ્રીલંકાની જીતના હીરો ભાનુકા રાજપક્ષા, વાનિન્દુ હસરંગા, પ્રમોદ મદુશન રહ્યા હતા. 171 રનના ટાર્ગેટને ચેઝ કરવા ઉતરેલી પાકિસ્તાનની ટીમ 147 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. પ્રમોદ મદુશને 4 વિકેટ, તો હસરંગાએ 3 વિકેટ લીધી હતી. મોહમ્મદ રિઝવાને 55 રન બનાવ્યા હતા.


એશિયા કપના ફાઈનલ મેચની હાઈલાઈટ્સ

Image

  • શ્રીલંકાએ પાકિસ્તાનને ફાઈનલમાં હરાવીને છઠ્ઠી વખત એશિયા કપનું ચેમ્પિયન બન્યુ હતુ.

  • શ્રીલંકા તરફથી સૌથી સફળ બોલર પ્રમોદ મદુશન રહ્યો હતો. તેણે 4 ઓવરમાં 34 રન દઈને 4 વિકેટ ઝડપી હતી.

  • વાનિન્દુ હસરંગાએ એક જ ઓવરમાં 3 વિકેટ ઝડપીને પાકિસ્તાનને બેકફૂટ પર લાવી દીધુ હતુ.

ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર ગૌતમ ગંભીરે શ્રીલંકાની જીતની ઉજવણી કરવા માટે શ્રીલંકાનો ધ્વજ લહેરાવ્યો હતો
  • મોહમ્મદ રિઝવાને 112.24ની સ્ટ્રાઈક રેટથી 49 બોલમાં 55 રન બનાવ્યા હતા. તે આ એશિયા કપમાં હાઈએસ્ટ રન સ્કોરર બની ગયો છે.

  • પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમ ફરી એકવાર નિષ્ફળ રહ્યો હતો. તે 5 રને આઉટ થયો હતો

  • શ્રીલંકા તરફથી ભાનુકા રાજપક્ષાએ શાનદાર 45 બોલમાં 71 રન ફટકાર્યા હતા. તેણે 6 ચોગ્ગા અને 3 છગ્ગા માર્યા હતા.

    Image

  • હસરંગાએ 21 બોલમાં 36 રન બનાવ્યા હતા.

  • રાજપક્ષા અને હસરંગા વચ્ચે 58 રનની મહત્વની પાર્ટનરશિપ થઈ હતી.

  • પાકિસ્તાન તરફથી સૌથી સફળ બોલર હારિસ રઉફ રહ્યો હતો. તેણે 4 ઓવરમાં 29 રન દઈને 3 વિકેટ લીધી હતી.

  • એશિયા કપ વિજેતા શ્રીલંકાની ટીમે જીતની ઉજવણી કરી 



ગીર સોમનાથ જિલ્લામાં "સોમનાથ અમૃત મહોત્સવની" જબરદસ્ત તૈયારી ચાલી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ અવસરે ગીર સોમનાથ જિલ્લાની મુલાકાતે આવવાના છે. ત્યારે , નગરપાલિકાનો એક કર્મચારી નારિયેળી દૂર કરવા માટે ઝાડ પર ચઢે છે. આ પછી તેઓ પોતાનું બેલેન્સ ગુમાવતા જમીન પર પડે છે અને જીવ ગુમાવે છે. ત્યારબાદ જિલ્લાના કોળી સમાજમાં આક્રોશ ફાટી નીકળ્યો હતો. આ પછી , ગીર સોમનાથના MLA વિમલ ચુડાસમા અને જૂનાગઢના MP રાજેશ ચુડાસમા પીડિત પરિવારને મળવા પહોંચી જાય છે. જેનાથી ગીર સોમનાથ જિલ્લાના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.

તમિલનાડુના રાજકીય માહોલ ગરમાયેલો છે કેમ કે, ૨૩૪ ધારાસભ્યોનું કદ ધરાવતી તમિલનાડુંની વિધાનસભામાં વિજયની પાર્ટી TVK પાસે મેજીક ફિગર નથી. આ ઉપરાંત , જયારે તેમણે ગવર્નર રાજેન્દ્ર આરલેકર સાથે મુલાકાત કરી ત્યારે , વિજય પાસે ૧૧૮નો મેજીક ફિગર નહોતો આ કારણે , ગવર્નર રાજેન્દ્ર આરલેકર દ્વારા ૧૧૮ ધારાસભ્યોના સહી સાથે પ્રસ્તાવ લાવવાની વાત કરવામાં આવી છે. બીજી તરફ , વિજયે પોતાની પાર્ટીના ૧૦૮ ધારાસભ્યોને મામલ્લાપુરમ ખાતે રિસોર્ટમાં મોકલી દીધા છે. તમિલનાડુંમાં રિસોર્ટ પોલિટિક્સ શરૂઆત થઇ ચુકી છે.

એપ્રિલ, ૨૦૧૭માં જયારે ઓરિસ્સાના ભુવનેશ્વરમાં ભારતીય જનતા પાર્ટીની કાર્યકારિણી મળી હતી તેમાં , વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે , ભારતીય જનતા પાર્ટીનો સુવર્ણ યુગ ત્યારે જ હશે કે જયારે ભાજપ ઓરિસ્સા , પશ્ચિમ બંગાળ અને કેરળમાં પોતાની સરકાર બનાવે. પાંચ રાજ્યોમાં જનાદેશ આવી ગયો છે. સૌથી ચોંકાવનારા પરિણામ પશ્ચિમ બંગાળના રહ્યા છે. કેમ કે , ૧૫ વર્ષ પછી પશ્ચિમ બંગાળમાં ભાજપે સત્તાધારી પક્ષ તૃણમૂલ કોંગ્રેસ પાસેથી સત્તા આંચકી લીધી છે. ૧૯૫ બેઠકો સાથે સરકાર બનાવવા જઈ રહ્યો છે.

રાજકોટના ગોંડલમાં નિલેશ રૈયાણીના કેસમાં પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાની મુશ્કેલીઓ વધી શકે છે. કેમ કે, નિલેશ રૈયાણી કેસમાં ફરિયાદી જયેશ સાટોડિયાના નાનાં ભાઈ જગદીશ સાટોડિયાએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પત્ર લખ્યો છે જેમાં તેમના દ્વારા નિલેશ રૈયાણી કેસ જે સુપ્રીમ કોર્ટમાં ચાલી રહ્યો છે તેને ગુજરાત સરકાર તરફથી ઝડપથી ચલાવવા અપીલ કરી કરી છે. આ બાબતે કોઈ કાર્યવાહી ના થવા પર આગામી ૧૫ દિવસમાં જગદીશ સાટોડિયાએ સુપ્રીમ કોર્ટમાં PIL દાખલ કરવાની ચીમકી ઉચ્ચારી છે. તો આવો જાણીએ શું છે સમાચાર?