શ્રીલંકાના બેટ્સમેનની ઓસ્ટ્રેલિયામાં ધરપકડ, દુસ્કર્મનો આરોપ


  • Published By :
  • Published Date : 2022-11-06 09:01:46

ગુણાથિલકા 2018માં આવી જ એક ઘટનામાં ફસાયા હતા. ત્યારબાદ શ્રીલંકન ક્રિકેટ દ્વારા તેને ગેરવર્તણૂક માટે સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો. શ્રીલંકામાં નોર્વેજિયન મહિલા દ્વારા કથિત બળાત્કારના સંબંધમાં પોલીસે ગુનાથિલાકા અને તેના મિત્રની પૂછપરછ કરી હતી.

T20 World Cup - Sri Lanka batter Danushka Gunathilaka charged for alleged  sexual assault, arrested in Sydney

શ્રીલંકાના ટોપ ઓર્ડર બેટ્સમેન દાનુષ્કા ગુનાથિલાકાની ગેરવર્તણૂકના આરોપમાં સિડનીમાં ધરપકડ કરવામાં આવી છે. ગુનાથિલાકાને ટી20 વર્લ્ડ કપની ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો. શ્રીલંકાની ટીમે વિશ્વ કપમાં તેની છેલ્લી મેચ શનિવારે (5 નવેમ્બર) ઈંગ્લેન્ડ સામે રમી હતી. શ્રીલંકન ટીમના સૂત્રોના જણાવ્યા અનુસાર સિડની પોલીસે ગુનાથિલકાની ધરપકડ કરી છે. બાકીના ખેલાડીઓ તેમના વિના શ્રીલંકા જવા રવાના થઈ ગયા છે.


ઓસ્ટ્રેલિયામાં T20 વર્લ્ડ કપ માટે શ્રીલંકન ટીમ સાથે પ્રવાસ કરી રહેલા ગુનાથિલાકા ઈજાના કારણે ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયા હતા. જો કે, અશિન બંદરાના સ્થાને સત્તાવાર રીતે ટીમમાં આવ્યા હોવા છતાં તે ટીમ સાથે જોડાયેલો રહ્યો. ગુણાથિલાકાને હેમસ્ટ્રિંગની સમસ્યાને કારણે ટીમમાંથી બહાર કરવામાં આવ્યો હતો.ડાબોડી બેટ્સમેને શ્રીલંકા માટે 100 થી વધુ આંતરરાષ્ટ્રીય મેચો રમી છે, જેમાં નામીબિયા સામે 2022 T20 વર્લ્ડ કપ મેચનો સમાવેશ થાય છે. આ મેચમાં લંકાની ટીમનો પરાજય થયો હતો.

Granted a lucky break, Gunathilaka proves himself

ગુણાથિલકા 2018માં આવી જ એક ઘટનામાં ફસાયા હતા. ત્યારબાદ શ્રીલંકન ક્રિકેટ દ્વારા તેને ગેરવર્તણૂક માટે સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો. શ્રીલંકામાં નોર્વેજિયન મહિલા દ્વારા કથિત બળાત્કારના સંબંધમાં પોલીસે ગુનાથિલાકા અને તેના મિત્રની પૂછપરછ કરી હતી. જો કે ત્યારબાદ પોલીસે ગુણાથિલાકાની સંડોવણીને ફગાવી દીધી હતી. પોલીસે તેમને જવા દીધા હતા, પરંતુ તેમના મિત્રની ધરપકડ કરવામાં આવી હતી.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.