શ્રીલંકાના બેટ્સમેનની ઓસ્ટ્રેલિયામાં ધરપકડ, દુસ્કર્મનો આરોપ


  • Published By :
  • Published Date : 2022-11-06 09:01:46

ગુણાથિલકા 2018માં આવી જ એક ઘટનામાં ફસાયા હતા. ત્યારબાદ શ્રીલંકન ક્રિકેટ દ્વારા તેને ગેરવર્તણૂક માટે સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો. શ્રીલંકામાં નોર્વેજિયન મહિલા દ્વારા કથિત બળાત્કારના સંબંધમાં પોલીસે ગુનાથિલાકા અને તેના મિત્રની પૂછપરછ કરી હતી.

T20 World Cup - Sri Lanka batter Danushka Gunathilaka charged for alleged  sexual assault, arrested in Sydney

શ્રીલંકાના ટોપ ઓર્ડર બેટ્સમેન દાનુષ્કા ગુનાથિલાકાની ગેરવર્તણૂકના આરોપમાં સિડનીમાં ધરપકડ કરવામાં આવી છે. ગુનાથિલાકાને ટી20 વર્લ્ડ કપની ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો. શ્રીલંકાની ટીમે વિશ્વ કપમાં તેની છેલ્લી મેચ શનિવારે (5 નવેમ્બર) ઈંગ્લેન્ડ સામે રમી હતી. શ્રીલંકન ટીમના સૂત્રોના જણાવ્યા અનુસાર સિડની પોલીસે ગુનાથિલકાની ધરપકડ કરી છે. બાકીના ખેલાડીઓ તેમના વિના શ્રીલંકા જવા રવાના થઈ ગયા છે.


ઓસ્ટ્રેલિયામાં T20 વર્લ્ડ કપ માટે શ્રીલંકન ટીમ સાથે પ્રવાસ કરી રહેલા ગુનાથિલાકા ઈજાના કારણે ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયા હતા. જો કે, અશિન બંદરાના સ્થાને સત્તાવાર રીતે ટીમમાં આવ્યા હોવા છતાં તે ટીમ સાથે જોડાયેલો રહ્યો. ગુણાથિલાકાને હેમસ્ટ્રિંગની સમસ્યાને કારણે ટીમમાંથી બહાર કરવામાં આવ્યો હતો.ડાબોડી બેટ્સમેને શ્રીલંકા માટે 100 થી વધુ આંતરરાષ્ટ્રીય મેચો રમી છે, જેમાં નામીબિયા સામે 2022 T20 વર્લ્ડ કપ મેચનો સમાવેશ થાય છે. આ મેચમાં લંકાની ટીમનો પરાજય થયો હતો.

Granted a lucky break, Gunathilaka proves himself

ગુણાથિલકા 2018માં આવી જ એક ઘટનામાં ફસાયા હતા. ત્યારબાદ શ્રીલંકન ક્રિકેટ દ્વારા તેને ગેરવર્તણૂક માટે સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો. શ્રીલંકામાં નોર્વેજિયન મહિલા દ્વારા કથિત બળાત્કારના સંબંધમાં પોલીસે ગુનાથિલાકા અને તેના મિત્રની પૂછપરછ કરી હતી. જો કે ત્યારબાદ પોલીસે ગુણાથિલાકાની સંડોવણીને ફગાવી દીધી હતી. પોલીસે તેમને જવા દીધા હતા, પરંતુ તેમના મિત્રની ધરપકડ કરવામાં આવી હતી.



આવતી કાલે ગુજરાતની 25 બેઠકો માટે મતદાન થવાનું છે. લોકો મતાધિકારનો ઉપયોગ કરશે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ ગઠબંધન કર્યું છે. ત્યારે ગુજરાતની 25 બેઠકોના ઉમેદવારોના નામ જણાવવામાં આવ્યા છે.

ભાજપના ખેડાના ઉમેદવાર ચૌહાણ દેવુંસિંહની તસવીર સાથે ચવાણા પેકેટનો ફોટો વાયરલ થઈ રહ્યો છે... ફોટોની સાથે સાથે એક વિડીયો પણ ખૂબ વાયરલ થઈ રહ્યો છે કે જેમાં ક્ષત્રાણીઓ કહી રહી છે કે અમે આ વખતે 'ચવાણા'માં વેચાવાના નથી.

ક્ષત્રિય સમાજના લોકો ભાજપના નેતાઓનો વિરોધ કરી રહ્યા છે. અનેક નેતાઓને વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે સુરેન્દ્રનગરના વઢવાણના ધારાસભ્ય જગદીશ મકવાણા દેદાદરા ગામ પાસેથી પસાર થઈ રહ્યાં હતા. ત્યારે ક્ષત્રિય સમાજના આક્રોશનો ભોગ બનવુ પડ્યું હતું...

થોડા દિવસ પહેલા જામનગરમાં પીએમ મોદીએ જનસભાને સંબોધી હતી. જનસભાને સંબોધે તે પહેલા જામસાહેબને મળવા માટે પીએમ મોદી ગયા હતા અને તેમણે પીએમ મોદીને પાઘડી આપી હતી. જે બાદ આ મામલે ટીકા પણ થઈ. ત્યારે હવે આ મામલે પ્રતિક્રિયા જામસાહેબ દ્વારા આપવામાં આવી છે.