ટ્વિટરના નવા CEO બની શકે છે શ્રીરામ કૃષ્ણન, એલન મસ્કે નવી ટીમમાં કર્યા સામેલ


  • Published By :
  • Published Date : 2022-10-31 19:38:42


પરાગ અગ્રવાલ પછી કોણ બનશે ટ્વિટરના નવા CEO? આ એક મોટો પ્રશ્ન બની ગયો છે. દરમિયાન જે સંકેતો મળી રહ્યા છે તેના પરથી એવું લાગી રહ્યું છે કે ભારતીય મૂળની વ્યક્તિ પરાગનું સ્થાન લેશે. ટ્વિટરની માલિકી પ્રાપ્ત કર્યા પછી, મસ્કએ ઉતાવળમાં ઘણા ટોચના અધિકારીઓને દૂર કર્યા. આ પછી તેણે ભારતીય મૂળના શ્રીરામ કૃષ્ણનને હંગામીપણે તેમની સાથે જોડ્યા છે. કૃષ્ણન 16Zમાં જનરલ પાર્ટનર છે. ક્રિષ્નને આ અંગે ટ્વિટ પણ કર્યું છે.


ક્રિષ્નનનો ઉછેર ચેન્નાઈમાં નિમ્ન મધ્યમ વર્ગ પરિવારમાં થયો


શ્રીરામ કૃષ્ણન ભારતના ચેન્નાઈમાં ઉછર્યા અને ભણ્યા છે. અહીં તેમનો જન્મ એક નિમ્ન મધ્યમ વર્ગના પરિવારમાં થયો હતો. કૃષ્ણનના પિતા વીમા કંપનીમાં કામ કરતા હતા અને માતા ગૃહિણી હતી. શ્રી રામની તેમની પત્ની આરતી સાથેની મુલાકાત પણ ખૂબ જ રસપ્રદ છે. 2002માં બંનેની મુલાકાત યાહૂ મેસેન્જર પર થઈ હતી. ત્યારથી, બંને કુલ 20 વર્ષ સુધી સાથે છે. 2005 માં, તેઓ અમેરિકાના સિએટલ ચાલ્યા ગયા હત અને માઇક્રોસોફ્ટમાં નોકરી શરૂ કરી. તે સમયે શ્રીરામ કૃષ્ણનની ઉંમર 20 વર્ષની હતી.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.