કર્ણાટકમાં કોંગ્રેસની જીતને લઈ ભાવુક થયા પ્રદેશ પ્રમુખ ડીકે શિવકુમાર, સોનિયા ગાંધીને યાદ કરતા કહ્યું....


  • Published By :
  • Published Date : 2023-05-13 19:17:45

કર્ણાટકમાં કોંગ્રેસની જીત લગભગ નિશ્ચિત છે. કર્ણાટકમાં કોંગ્રેસ સરકાર બનાવશે તેવું રૂઝાનો જોતા લાગી રહ્યું છે. કોંગ્રેસ દ્વારા ઉજવણી પણ શરૂ કરી દેવામાં આવી છે. પરિણામને લઈ કર્ણાટક કોંગ્રેસ પ્રમુખ ડી.કે શિવકુમાર ભાવુક થયા હતા. મીડિયા સાથેની વાતચીતમાં તેમણે કહ્યું કે મેં રાહુલ ગાંધી, સોનિયા ગાંધી અને પ્રિયંકા ગાંધીને જીતનું આશ્વાસન આપ્યું હતું. જીત પાછળનો શ્રેય તેમણે પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓને આપ્યો હતો.

રાહુલ ગાંધી દેશના પીએમ બની શકે છે - કોંગ્રેસ નેતા 

લોકસભાની ચૂંટણી પહેલા તમામ લોકોની નજર કર્ણાટકની ચૂંટણી પર હતી. કોંગ્રેસ દ્વારા કર્ણાટકમાં સારૂ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. કર્ણાટકમાં કોંગ્રેસની જીત બાદ નેતાઓ આ પરિણામને લઈ લોકસભા ચૂંટણી અંગે વાતો કરી રહ્યા છે. કોંગ્રેસના નેતા Siddharamaiahએ કહ્યું કે રાહુલ ગાંધી દેશના વડાપ્રધાન બની શકે છે. તેમણે લોકસભાની ચૂંટણી માટે બીજેપી સિવાયના પક્ષોએ એક સાથે થવાની વાત કરી હતી. તેમણે પીએમ મોદી, અમિત શાહ પર શાબ્દિક પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે કર્ણાટકમાં પ્રચાર કરવા પીએમ મોદી અનેક વખત આવ્યા છે. કોઈ પણ વડાપ્રધાને આટલો બધો પ્રચાર નથી કર્યો. તે સિવાય કર્ણાટકની ચૂંટણીના પરિણામને લઈ કર્ણાટક કોંગ્રેસ અધ્યક્ષ ડી.કે શિવકુમારે દાવો કર્યો હતો કે કોંગ્રેસને 140 સીટો મળવાની છે. 


કર્ણાટક કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ થયા ભાવુક! 

થોડા સમય પહેલા રાહુલ ગાંધીએ કન્યાકુમારીથી લઈ કાશ્મીર સુધીની ભારત જોડો યાત્રા કરી હતી. યાત્રાને સારો જનપ્રતિસાદ મળ્યો હતો. કોંગ્રેસની જીતમાં આ યાત્રાનો મહત્વનો ફાળો નિષ્ણાંતો માની રહ્યા છે. કર્ણાટકમાં કોંગ્રેસની સરકાર બની રહી છે. કર્ણાટકમાં કોંગ્રેસની જીત પર કર્ણાટક કોંગ્રેસના અધ્યક્ષ ભાવુક થઈ ગયા હતા. તે સિવાય કોંગ્રેસ દ્વારા પણ જીતને લઈ ટ્વિટ કરવામાં આવી છે. જેમાં રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રાનો વીડિયો બતાવવામાં આવ્યો છે. તે સિવાય મલ્લિકાર્જુન ખડગેએ પણ પ્રતિક્રિયા આપી હતી.  



આપણા પાડોશી દેશ પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં ખુબ ભયંકર વિસ્ફોટ થયો છે. ઇસ્લામાબાદના તલઈ વિસ્તારના ઇમામબાડામાં આ ભીષણ બૉમ્બ બ્લાસ્ટ થયા છે. આ હુમલામાં ઓછામાં ઓછા ૨૫ લોકોના જીવ ગુમાવ્યાના અને ૧૦૦થી વધારે લોકોના ઘાયલ થયાના સમાચાર સામે આવ્યા છે. આજે જુમ્માની નમાજ દરમ્યાન આ શિયા મસ્જિદ પર ફિદાયીન હુમલો કરવામાં આવ્યો હતો.

મહીસાગર જિલ્લામાં થોડાક સમય પહેલા , આદિવાસી સમાજના એક યુવકને મહિલા PSI દ્વારા કારમાં સીટ બેલ્ટ નહિ પહેરવા જેવી સામાન્ય બાબતે માર મારવાના ગંભીર આક્ષેપો થયા હતા .આ સમગ્ર મામલે, મહીસાગરના ASP વિકાસ યાદવની પ્રતિક્રિયા સામે આવી છે

ચોટીલાના ડેપ્યુટી કલેકટર એચ ટી મકવાણા દ્વારા થોડાક સમય પહેલા , યાત્રાધામ ચોટીલા ખાતે ખુબ મોટી સંખ્યામાં દબાણો દૂર કરવામાં આવ્યા હતા. આ દબાણ હટાવવાની કામગીરી પાછળથી વિવાદોમાં આવી છે. કેમ કે , ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ સમગ્ર કામગીરી દરમ્યાન ઇન્ચાર્જ મામલતદારની ઝાટકણી કાઢવામાં આવી છે. તો બીજી તરફ , મહંત પરિવાર અને સ્થાનિક જનતા દ્વારા તંત્ર પર '' વાલા- દવલાં"ની નીતિ અને પક્ષપાતના આક્ષેપો લગાડવામાં આવ્યા છે.

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા , સમગ્ર રાજ્યમાં PSI અને LRDને લઈને શારીરિક કસોટી ચાલી રહી છે. ત્યારે , ગોંડલથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે જેમાં એક આશાસ્પદ યુવાન , નીતિનસિંહ ચૌહાણએ આ શારીરિક કસોટી દરમ્યાન પોતાનો જીવ ગુમાવ્યો છે. આ અગાઉ , ભરૂચ અને ગોધરામાં આવી દુઃખદ ઘટનાઓ સામે આવી હતી.