કર્ણાટકમાં કોંગ્રેસની જીતને લઈ ભાવુક થયા પ્રદેશ પ્રમુખ ડીકે શિવકુમાર, સોનિયા ગાંધીને યાદ કરતા કહ્યું....


  • Published By :
  • Published Date : 2023-05-13 19:17:45

કર્ણાટકમાં કોંગ્રેસની જીત લગભગ નિશ્ચિત છે. કર્ણાટકમાં કોંગ્રેસ સરકાર બનાવશે તેવું રૂઝાનો જોતા લાગી રહ્યું છે. કોંગ્રેસ દ્વારા ઉજવણી પણ શરૂ કરી દેવામાં આવી છે. પરિણામને લઈ કર્ણાટક કોંગ્રેસ પ્રમુખ ડી.કે શિવકુમાર ભાવુક થયા હતા. મીડિયા સાથેની વાતચીતમાં તેમણે કહ્યું કે મેં રાહુલ ગાંધી, સોનિયા ગાંધી અને પ્રિયંકા ગાંધીને જીતનું આશ્વાસન આપ્યું હતું. જીત પાછળનો શ્રેય તેમણે પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓને આપ્યો હતો.

રાહુલ ગાંધી દેશના પીએમ બની શકે છે - કોંગ્રેસ નેતા 

લોકસભાની ચૂંટણી પહેલા તમામ લોકોની નજર કર્ણાટકની ચૂંટણી પર હતી. કોંગ્રેસ દ્વારા કર્ણાટકમાં સારૂ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. કર્ણાટકમાં કોંગ્રેસની જીત બાદ નેતાઓ આ પરિણામને લઈ લોકસભા ચૂંટણી અંગે વાતો કરી રહ્યા છે. કોંગ્રેસના નેતા Siddharamaiahએ કહ્યું કે રાહુલ ગાંધી દેશના વડાપ્રધાન બની શકે છે. તેમણે લોકસભાની ચૂંટણી માટે બીજેપી સિવાયના પક્ષોએ એક સાથે થવાની વાત કરી હતી. તેમણે પીએમ મોદી, અમિત શાહ પર શાબ્દિક પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે કર્ણાટકમાં પ્રચાર કરવા પીએમ મોદી અનેક વખત આવ્યા છે. કોઈ પણ વડાપ્રધાને આટલો બધો પ્રચાર નથી કર્યો. તે સિવાય કર્ણાટકની ચૂંટણીના પરિણામને લઈ કર્ણાટક કોંગ્રેસ અધ્યક્ષ ડી.કે શિવકુમારે દાવો કર્યો હતો કે કોંગ્રેસને 140 સીટો મળવાની છે. 


કર્ણાટક કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ થયા ભાવુક! 

થોડા સમય પહેલા રાહુલ ગાંધીએ કન્યાકુમારીથી લઈ કાશ્મીર સુધીની ભારત જોડો યાત્રા કરી હતી. યાત્રાને સારો જનપ્રતિસાદ મળ્યો હતો. કોંગ્રેસની જીતમાં આ યાત્રાનો મહત્વનો ફાળો નિષ્ણાંતો માની રહ્યા છે. કર્ણાટકમાં કોંગ્રેસની સરકાર બની રહી છે. કર્ણાટકમાં કોંગ્રેસની જીત પર કર્ણાટક કોંગ્રેસના અધ્યક્ષ ભાવુક થઈ ગયા હતા. તે સિવાય કોંગ્રેસ દ્વારા પણ જીતને લઈ ટ્વિટ કરવામાં આવી છે. જેમાં રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રાનો વીડિયો બતાવવામાં આવ્યો છે. તે સિવાય મલ્લિકાર્જુન ખડગેએ પણ પ્રતિક્રિયા આપી હતી.  



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.