કર્ણાટકમાં કોંગ્રેસની જીતને લઈ ભાવુક થયા પ્રદેશ પ્રમુખ ડીકે શિવકુમાર, સોનિયા ગાંધીને યાદ કરતા કહ્યું....


  • Published By :
  • Published Date : 2023-05-13 19:17:45

કર્ણાટકમાં કોંગ્રેસની જીત લગભગ નિશ્ચિત છે. કર્ણાટકમાં કોંગ્રેસ સરકાર બનાવશે તેવું રૂઝાનો જોતા લાગી રહ્યું છે. કોંગ્રેસ દ્વારા ઉજવણી પણ શરૂ કરી દેવામાં આવી છે. પરિણામને લઈ કર્ણાટક કોંગ્રેસ પ્રમુખ ડી.કે શિવકુમાર ભાવુક થયા હતા. મીડિયા સાથેની વાતચીતમાં તેમણે કહ્યું કે મેં રાહુલ ગાંધી, સોનિયા ગાંધી અને પ્રિયંકા ગાંધીને જીતનું આશ્વાસન આપ્યું હતું. જીત પાછળનો શ્રેય તેમણે પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓને આપ્યો હતો.

રાહુલ ગાંધી દેશના પીએમ બની શકે છે - કોંગ્રેસ નેતા 

લોકસભાની ચૂંટણી પહેલા તમામ લોકોની નજર કર્ણાટકની ચૂંટણી પર હતી. કોંગ્રેસ દ્વારા કર્ણાટકમાં સારૂ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. કર્ણાટકમાં કોંગ્રેસની જીત બાદ નેતાઓ આ પરિણામને લઈ લોકસભા ચૂંટણી અંગે વાતો કરી રહ્યા છે. કોંગ્રેસના નેતા Siddharamaiahએ કહ્યું કે રાહુલ ગાંધી દેશના વડાપ્રધાન બની શકે છે. તેમણે લોકસભાની ચૂંટણી માટે બીજેપી સિવાયના પક્ષોએ એક સાથે થવાની વાત કરી હતી. તેમણે પીએમ મોદી, અમિત શાહ પર શાબ્દિક પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે કર્ણાટકમાં પ્રચાર કરવા પીએમ મોદી અનેક વખત આવ્યા છે. કોઈ પણ વડાપ્રધાને આટલો બધો પ્રચાર નથી કર્યો. તે સિવાય કર્ણાટકની ચૂંટણીના પરિણામને લઈ કર્ણાટક કોંગ્રેસ અધ્યક્ષ ડી.કે શિવકુમારે દાવો કર્યો હતો કે કોંગ્રેસને 140 સીટો મળવાની છે. 


કર્ણાટક કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ થયા ભાવુક! 

થોડા સમય પહેલા રાહુલ ગાંધીએ કન્યાકુમારીથી લઈ કાશ્મીર સુધીની ભારત જોડો યાત્રા કરી હતી. યાત્રાને સારો જનપ્રતિસાદ મળ્યો હતો. કોંગ્રેસની જીતમાં આ યાત્રાનો મહત્વનો ફાળો નિષ્ણાંતો માની રહ્યા છે. કર્ણાટકમાં કોંગ્રેસની સરકાર બની રહી છે. કર્ણાટકમાં કોંગ્રેસની જીત પર કર્ણાટક કોંગ્રેસના અધ્યક્ષ ભાવુક થઈ ગયા હતા. તે સિવાય કોંગ્રેસ દ્વારા પણ જીતને લઈ ટ્વિટ કરવામાં આવી છે. જેમાં રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રાનો વીડિયો બતાવવામાં આવ્યો છે. તે સિવાય મલ્લિકાર્જુન ખડગેએ પણ પ્રતિક્રિયા આપી હતી.  



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.