FPIsનો ભારતથી મોહભંગ, 2022માં શેરબજારોમાંથી રૂ. 1.21 લાખ કરોડ પાછા ખેંચ્યા, જાણો શા માટે?


  • Published By :
  • Published Date : 2023-01-22 17:13:07

સમગ્ર વિશ્વ પર ભયાનક આર્થિક મંદીના વાદળ ઘેરાઈ રહ્યા છે. વર્ષ 2023નું વર્ષ મંદીના માહોલમાંથી પસાર થશે તેવી આશંકાના પગલે વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો (FPIs) હવે ભારતીય શેર બજારમાંથી નાણા પાછા ખેંચી રહ્યા છે. FPIsએ 2022માં ભારતીય શેરબજારોમાંથી રૂ. 1.21 લાખ કરોડ પાછા ખેંચ્યા છે. 


શા માટે રોકાણ પાછું ખેચ્યું?


FPIs ભારત જેવા ઊંચા મૂલ્યાંકન બજારોમાંથી રોકાણ પાછું ખેંચી રહ્યા છે. ડિપોઝિટરી ડેટા અનુસાર, FPIs એ આ મહિને (20 જાન્યુઆરી સુધી) રૂ. 15,236 કરોડનો ચોખ્ખો ઉપાડ કર્યો છે. રોકાણ પાછું ખેંચવાનું મુખ્ય કારણ વૈશ્વિક સ્તરે મધ્યસ્થ બેન્કો દ્વારા વ્યાજદરમાં આક્રમક વધારો, ક્રૂડ ઓઈલના ભાવમાં અસ્થિરતા, રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે કોમોડિટીના ઊંચા ભાવ છે. 


FPIsએ ચીનમાં રોકાણ વધાર્યું


ચીનમાં ઝીરો કોવિડ નીતિને કારણે ચીને કડક લોકડાઉન લાગુ કરવામાં આવ્યું હતું. જેના કારણે ચીનનું માર્કેટ સતત તૂટી રહ્યું હતું અને હાલ તે તેળીયે આવ્યું છે. આ સ્થિતિમાં ત્યાં રોકાણ મૂલ્યની દૃષ્ટિએ વધુ આકર્ષક બન્યું છે. આ જ કારણે FPIs ભારત જેવા ઊંચા મૂલ્યાંકન બજારોમાંથી પાછી ખેંચી રહ્યા છે. શ્રીવાસ્તવે કહ્યું હતું કે, આ ઉપરાંત અમેરિકી અર્થવ્યવસ્થા મંદીમાં જવાની સતત ચિંતા છે. જેને નિરાશાજનક અમેરિકાના ડેટાથી વધુ સમર્થન મળ્યું છે.


આ દેશોમાં રોકાણનું આકર્ષણ


FPIsએ ચીન ઉપરાંત હોંગકોંગ, દક્ષિણ કોરિયા અને થાઈલેન્ડ જેવા સસ્તા બજારોમાં ભારે રોકાણ કરી રહ્યા છે અને તેઓ ભારત જેવા પ્રમાણમાં મોંઘા બજારોમાં વેચાણ કરી રહ્યા છે. સ્ટોક્સ ઉપરાંત વિદેશી પોર્ટફોલિયો રોકાણકારોએ આ મહિને ડેટ અથવા બોન્ડ માર્કેટમાંથી રૂ. 1,286 કરોડ ઉપાડી લીધા છે.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.