FPIsનો ભારતથી મોહભંગ, 2022માં શેરબજારોમાંથી રૂ. 1.21 લાખ કરોડ પાછા ખેંચ્યા, જાણો શા માટે?


  • Published By :
  • Published Date : 2023-01-22 17:13:07

સમગ્ર વિશ્વ પર ભયાનક આર્થિક મંદીના વાદળ ઘેરાઈ રહ્યા છે. વર્ષ 2023નું વર્ષ મંદીના માહોલમાંથી પસાર થશે તેવી આશંકાના પગલે વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો (FPIs) હવે ભારતીય શેર બજારમાંથી નાણા પાછા ખેંચી રહ્યા છે. FPIsએ 2022માં ભારતીય શેરબજારોમાંથી રૂ. 1.21 લાખ કરોડ પાછા ખેંચ્યા છે. 


શા માટે રોકાણ પાછું ખેચ્યું?


FPIs ભારત જેવા ઊંચા મૂલ્યાંકન બજારોમાંથી રોકાણ પાછું ખેંચી રહ્યા છે. ડિપોઝિટરી ડેટા અનુસાર, FPIs એ આ મહિને (20 જાન્યુઆરી સુધી) રૂ. 15,236 કરોડનો ચોખ્ખો ઉપાડ કર્યો છે. રોકાણ પાછું ખેંચવાનું મુખ્ય કારણ વૈશ્વિક સ્તરે મધ્યસ્થ બેન્કો દ્વારા વ્યાજદરમાં આક્રમક વધારો, ક્રૂડ ઓઈલના ભાવમાં અસ્થિરતા, રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે કોમોડિટીના ઊંચા ભાવ છે. 


FPIsએ ચીનમાં રોકાણ વધાર્યું


ચીનમાં ઝીરો કોવિડ નીતિને કારણે ચીને કડક લોકડાઉન લાગુ કરવામાં આવ્યું હતું. જેના કારણે ચીનનું માર્કેટ સતત તૂટી રહ્યું હતું અને હાલ તે તેળીયે આવ્યું છે. આ સ્થિતિમાં ત્યાં રોકાણ મૂલ્યની દૃષ્ટિએ વધુ આકર્ષક બન્યું છે. આ જ કારણે FPIs ભારત જેવા ઊંચા મૂલ્યાંકન બજારોમાંથી પાછી ખેંચી રહ્યા છે. શ્રીવાસ્તવે કહ્યું હતું કે, આ ઉપરાંત અમેરિકી અર્થવ્યવસ્થા મંદીમાં જવાની સતત ચિંતા છે. જેને નિરાશાજનક અમેરિકાના ડેટાથી વધુ સમર્થન મળ્યું છે.


આ દેશોમાં રોકાણનું આકર્ષણ


FPIsએ ચીન ઉપરાંત હોંગકોંગ, દક્ષિણ કોરિયા અને થાઈલેન્ડ જેવા સસ્તા બજારોમાં ભારે રોકાણ કરી રહ્યા છે અને તેઓ ભારત જેવા પ્રમાણમાં મોંઘા બજારોમાં વેચાણ કરી રહ્યા છે. સ્ટોક્સ ઉપરાંત વિદેશી પોર્ટફોલિયો રોકાણકારોએ આ મહિને ડેટ અથવા બોન્ડ માર્કેટમાંથી રૂ. 1,286 કરોડ ઉપાડી લીધા છે.



અમદાવાદ સમગ્ર ભારતના ઇતિહાસમાં એક નવું નામ અંકિત કરવા જઈ રહ્યું છે. કેમ કે , ભારતને આજે કોમનવેલ્થ ગેમ્સની વર્ષ ૨૦૩૦ની યજમાની મળી ચુકી છે. જે હવે આપણા અમદાવાદમાં યોજાશે. આ જાહેરાત સ્કોટલેન્ડના ગ્લાસગોમાં કોમનવેલ્થ સ્પોર્ટ્સ એક્ઝિક્યુટિવ બોર્ડની મિટિંગ બાદ કરવામાં આવી છે. આ મિટિંગમાં ભારત તરફથી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વવાળું એક પ્રતિનિધિમંડળ પણ હાજર હતું.

ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.