FPIsનો ભારતથી મોહભંગ, 2022માં શેરબજારોમાંથી રૂ. 1.21 લાખ કરોડ પાછા ખેંચ્યા, જાણો શા માટે?


  • Published By :
  • Published Date : 2023-01-22 17:13:07

સમગ્ર વિશ્વ પર ભયાનક આર્થિક મંદીના વાદળ ઘેરાઈ રહ્યા છે. વર્ષ 2023નું વર્ષ મંદીના માહોલમાંથી પસાર થશે તેવી આશંકાના પગલે વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો (FPIs) હવે ભારતીય શેર બજારમાંથી નાણા પાછા ખેંચી રહ્યા છે. FPIsએ 2022માં ભારતીય શેરબજારોમાંથી રૂ. 1.21 લાખ કરોડ પાછા ખેંચ્યા છે. 


શા માટે રોકાણ પાછું ખેચ્યું?


FPIs ભારત જેવા ઊંચા મૂલ્યાંકન બજારોમાંથી રોકાણ પાછું ખેંચી રહ્યા છે. ડિપોઝિટરી ડેટા અનુસાર, FPIs એ આ મહિને (20 જાન્યુઆરી સુધી) રૂ. 15,236 કરોડનો ચોખ્ખો ઉપાડ કર્યો છે. રોકાણ પાછું ખેંચવાનું મુખ્ય કારણ વૈશ્વિક સ્તરે મધ્યસ્થ બેન્કો દ્વારા વ્યાજદરમાં આક્રમક વધારો, ક્રૂડ ઓઈલના ભાવમાં અસ્થિરતા, રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે કોમોડિટીના ઊંચા ભાવ છે. 


FPIsએ ચીનમાં રોકાણ વધાર્યું


ચીનમાં ઝીરો કોવિડ નીતિને કારણે ચીને કડક લોકડાઉન લાગુ કરવામાં આવ્યું હતું. જેના કારણે ચીનનું માર્કેટ સતત તૂટી રહ્યું હતું અને હાલ તે તેળીયે આવ્યું છે. આ સ્થિતિમાં ત્યાં રોકાણ મૂલ્યની દૃષ્ટિએ વધુ આકર્ષક બન્યું છે. આ જ કારણે FPIs ભારત જેવા ઊંચા મૂલ્યાંકન બજારોમાંથી પાછી ખેંચી રહ્યા છે. શ્રીવાસ્તવે કહ્યું હતું કે, આ ઉપરાંત અમેરિકી અર્થવ્યવસ્થા મંદીમાં જવાની સતત ચિંતા છે. જેને નિરાશાજનક અમેરિકાના ડેટાથી વધુ સમર્થન મળ્યું છે.


આ દેશોમાં રોકાણનું આકર્ષણ


FPIsએ ચીન ઉપરાંત હોંગકોંગ, દક્ષિણ કોરિયા અને થાઈલેન્ડ જેવા સસ્તા બજારોમાં ભારે રોકાણ કરી રહ્યા છે અને તેઓ ભારત જેવા પ્રમાણમાં મોંઘા બજારોમાં વેચાણ કરી રહ્યા છે. સ્ટોક્સ ઉપરાંત વિદેશી પોર્ટફોલિયો રોકાણકારોએ આ મહિને ડેટ અથવા બોન્ડ માર્કેટમાંથી રૂ. 1,286 કરોડ ઉપાડી લીધા છે.



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.