4 દિવસમાં 1961 પોઈન્ટ ઘટ્યો સેન્સેક્સ, 15 લાખ કરોડ ડુબ્યા, સરકારી બેંક શેર 10% ટકા તુટ્યા


  • Published By :
  • Published Date : 2022-12-23 19:40:11

કોરોનાના વધતા કેસ અને વ્યાજ દરોમાં વૃધ્ધીના ભયથી આજે શેરબજારમાં હાહાકાર મચ્યો હતો. છેલ્લા ચાર દિવસમાં સેન્સેક્સ 1961 પોઈન્ટ તુટી ચુક્યો છે. આજે તે લગભગ 1000 પોઈન્ટ તુટી ગયો છે. આ ચાર દિન દિવસોમાં બિએસઈ પર લિસ્ટેડ તમામ કંપનીઓનું માર્કેટ કેપ ઘટીને  14.86 લાખ કરોડ ઘટી ગયું છે. સૌથી વધુ કડાકો સરકારી બેંકિંગ શરોમાં બોલાયો હતો. આજે બિએસઈ સેન્સેક્સ 980.93ના ઘટાડા સાથે 59,845.29 પર બંધ રહ્યો છે. ત્યાજ જ એનએસઈનો નિફ્ટી 320.55ના ઘટાડા સાથે 17,806.80 પર બંધ રહ્યો હતો.


શા માટે તુટ્યું શેરબજાર?


ભારતીય શેરબજારમાં કડાકા પાછળ કોરોનાની નવી લહેર છે. રોકાણકારો ચીનમાં વધી રહેલા સંક્રમણથી ભયભીત બન્યા છે. બ્લુમબર્ગનો રિપોર્ટ છે કે ચીનમાં દરરોજ 10 લાખ કોરોના કેસ અને પાંચ હજાર લોકોનો મોત થઈ શકે છે. માર્કેટમાં કડાકા માટેનું બીજુ મોટું કારણ અમેરિકામાં ફેડ રિઝર્વ દ્વારા વ્યાજ દરોમાં આક્રમક વધારાની ચિંતા છે. અમેરિકા સહિત વિશ્વના અન્ય દેશોના શેર બજારો પણ સતત તુટી રહ્યા છે જેની અસર ભારતીય શેર પર થઈ છે.



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે