4 દિવસમાં 1961 પોઈન્ટ ઘટ્યો સેન્સેક્સ, 15 લાખ કરોડ ડુબ્યા, સરકારી બેંક શેર 10% ટકા તુટ્યા


  • Published By :
  • Published Date : 2022-12-23 19:40:11

કોરોનાના વધતા કેસ અને વ્યાજ દરોમાં વૃધ્ધીના ભયથી આજે શેરબજારમાં હાહાકાર મચ્યો હતો. છેલ્લા ચાર દિવસમાં સેન્સેક્સ 1961 પોઈન્ટ તુટી ચુક્યો છે. આજે તે લગભગ 1000 પોઈન્ટ તુટી ગયો છે. આ ચાર દિન દિવસોમાં બિએસઈ પર લિસ્ટેડ તમામ કંપનીઓનું માર્કેટ કેપ ઘટીને  14.86 લાખ કરોડ ઘટી ગયું છે. સૌથી વધુ કડાકો સરકારી બેંકિંગ શરોમાં બોલાયો હતો. આજે બિએસઈ સેન્સેક્સ 980.93ના ઘટાડા સાથે 59,845.29 પર બંધ રહ્યો છે. ત્યાજ જ એનએસઈનો નિફ્ટી 320.55ના ઘટાડા સાથે 17,806.80 પર બંધ રહ્યો હતો.


શા માટે તુટ્યું શેરબજાર?


ભારતીય શેરબજારમાં કડાકા પાછળ કોરોનાની નવી લહેર છે. રોકાણકારો ચીનમાં વધી રહેલા સંક્રમણથી ભયભીત બન્યા છે. બ્લુમબર્ગનો રિપોર્ટ છે કે ચીનમાં દરરોજ 10 લાખ કોરોના કેસ અને પાંચ હજાર લોકોનો મોત થઈ શકે છે. માર્કેટમાં કડાકા માટેનું બીજુ મોટું કારણ અમેરિકામાં ફેડ રિઝર્વ દ્વારા વ્યાજ દરોમાં આક્રમક વધારાની ચિંતા છે. અમેરિકા સહિત વિશ્વના અન્ય દેશોના શેર બજારો પણ સતત તુટી રહ્યા છે જેની અસર ભારતીય શેર પર થઈ છે.



અમદાવાદ સમગ્ર ભારતના ઇતિહાસમાં એક નવું નામ અંકિત કરવા જઈ રહ્યું છે. કેમ કે , ભારતને આજે કોમનવેલ્થ ગેમ્સની વર્ષ ૨૦૩૦ની યજમાની મળી ચુકી છે. જે હવે આપણા અમદાવાદમાં યોજાશે. આ જાહેરાત સ્કોટલેન્ડના ગ્લાસગોમાં કોમનવેલ્થ સ્પોર્ટ્સ એક્ઝિક્યુટિવ બોર્ડની મિટિંગ બાદ કરવામાં આવી છે. આ મિટિંગમાં ભારત તરફથી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વવાળું એક પ્રતિનિધિમંડળ પણ હાજર હતું.

ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.