4 દિવસમાં 1961 પોઈન્ટ ઘટ્યો સેન્સેક્સ, 15 લાખ કરોડ ડુબ્યા, સરકારી બેંક શેર 10% ટકા તુટ્યા


  • Published By :
  • Published Date : 2022-12-23 19:40:11

કોરોનાના વધતા કેસ અને વ્યાજ દરોમાં વૃધ્ધીના ભયથી આજે શેરબજારમાં હાહાકાર મચ્યો હતો. છેલ્લા ચાર દિવસમાં સેન્સેક્સ 1961 પોઈન્ટ તુટી ચુક્યો છે. આજે તે લગભગ 1000 પોઈન્ટ તુટી ગયો છે. આ ચાર દિન દિવસોમાં બિએસઈ પર લિસ્ટેડ તમામ કંપનીઓનું માર્કેટ કેપ ઘટીને  14.86 લાખ કરોડ ઘટી ગયું છે. સૌથી વધુ કડાકો સરકારી બેંકિંગ શરોમાં બોલાયો હતો. આજે બિએસઈ સેન્સેક્સ 980.93ના ઘટાડા સાથે 59,845.29 પર બંધ રહ્યો છે. ત્યાજ જ એનએસઈનો નિફ્ટી 320.55ના ઘટાડા સાથે 17,806.80 પર બંધ રહ્યો હતો.


શા માટે તુટ્યું શેરબજાર?


ભારતીય શેરબજારમાં કડાકા પાછળ કોરોનાની નવી લહેર છે. રોકાણકારો ચીનમાં વધી રહેલા સંક્રમણથી ભયભીત બન્યા છે. બ્લુમબર્ગનો રિપોર્ટ છે કે ચીનમાં દરરોજ 10 લાખ કોરોના કેસ અને પાંચ હજાર લોકોનો મોત થઈ શકે છે. માર્કેટમાં કડાકા માટેનું બીજુ મોટું કારણ અમેરિકામાં ફેડ રિઝર્વ દ્વારા વ્યાજ દરોમાં આક્રમક વધારાની ચિંતા છે. અમેરિકા સહિત વિશ્વના અન્ય દેશોના શેર બજારો પણ સતત તુટી રહ્યા છે જેની અસર ભારતીય શેર પર થઈ છે.



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.