શેર બજારમાં હાહાકાર, સેન્સેક્સ 927.74 અને નિફ્ટી 272.40 પોઈન્ટ તુટ્યો


  • Published By :
  • Published Date : 2023-02-22 17:03:11

અમેરિકાના ફેડ રિઝર્વે વ્યાજ દરોમાં વધારો કરવાની આશંકાએ ભારતીય શેરબજાર ધરાશાઈ થઈ ગયું છે. બીએસઈ સેન્સેક્સ 927.74 પોઈન્ટ એટલે કે 1.53 ટકા તુટીને 59,744.98 અને એનએસઈનો નિફ્ટી 272.40 પોઈન્ટ પણ 1.53 ટકા તુટીને 17,554.30 પોઈન્ટ પર બંધ રહ્યો છે.


શા માટે શેર બજાર તુટ્યું?


1-વૈશ્વિક શેર બજારમાં ભારે વેચાણ, અમેરિકાના વોલ સ્ટ્રિટમાં મંગળવારે ઘટાડો જોવા મળ્યો હતો. તે જ પ્રકારે Nasdaq 2.5 ટકા અને S&P500 પણ બે ટકા તુટ્યો હતો. તે ઉપરાંત જાપાનના Nikkeiમાં 1.34 ટકાનો ઘટાડો નોંધાયો હતો. આ વૈશ્વિક ઘટાડાની અસર ભારતીય શેર બજાર પર જોવા મળી હતી.   


2-રશિયા અને યુક્રેન વચ્ચે યુધ્ધ હજુ લાબું ચાલશે, બંને દેશો વચ્ચે તંગદીલી વધી રહી છે. જેના કારણે રોકાણકારોના વિશ્વાસને ફટકો પડ્યો છે. 


3-અમેરિકાનું ફેડ રિઝર્વ વ્યાજ દરો હજુ પણ વધારશે તેવી આશંકા છે. તેની અસર ઘણે અંશે દુનિયાભરના બજારો પર જોવા મળી રહી છે.


4-અદાણી ગ્રૂપના શેરોનું ધોવાણ અવિરતપણે ચાલી જ રહ્યું છે. આજે અદાણી એન્ટરપ્રાઈઝનાં શેરો 8 ટકા સુધી તુટ્યા છે. તેનાથી શેર બજારના રોકાણકારોનો મૂડ બગડ્યો હતો.


5-આરબીઆઈની મોનેટરી પોલીસી કમિટીની બેઠકના વિવરણની માર્કેટ રાહ જોઈ રહ્યું છે. તેનાથી કેન્દ્રીય બેંકનો મૂડ જાણી શકાશે.



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.