શેર બજારમાં હાહાકાર, સેન્સેક્સ 927.74 અને નિફ્ટી 272.40 પોઈન્ટ તુટ્યો


  • Published By :
  • Published Date : 2023-02-22 17:03:11

અમેરિકાના ફેડ રિઝર્વે વ્યાજ દરોમાં વધારો કરવાની આશંકાએ ભારતીય શેરબજાર ધરાશાઈ થઈ ગયું છે. બીએસઈ સેન્સેક્સ 927.74 પોઈન્ટ એટલે કે 1.53 ટકા તુટીને 59,744.98 અને એનએસઈનો નિફ્ટી 272.40 પોઈન્ટ પણ 1.53 ટકા તુટીને 17,554.30 પોઈન્ટ પર બંધ રહ્યો છે.


શા માટે શેર બજાર તુટ્યું?


1-વૈશ્વિક શેર બજારમાં ભારે વેચાણ, અમેરિકાના વોલ સ્ટ્રિટમાં મંગળવારે ઘટાડો જોવા મળ્યો હતો. તે જ પ્રકારે Nasdaq 2.5 ટકા અને S&P500 પણ બે ટકા તુટ્યો હતો. તે ઉપરાંત જાપાનના Nikkeiમાં 1.34 ટકાનો ઘટાડો નોંધાયો હતો. આ વૈશ્વિક ઘટાડાની અસર ભારતીય શેર બજાર પર જોવા મળી હતી.   


2-રશિયા અને યુક્રેન વચ્ચે યુધ્ધ હજુ લાબું ચાલશે, બંને દેશો વચ્ચે તંગદીલી વધી રહી છે. જેના કારણે રોકાણકારોના વિશ્વાસને ફટકો પડ્યો છે. 


3-અમેરિકાનું ફેડ રિઝર્વ વ્યાજ દરો હજુ પણ વધારશે તેવી આશંકા છે. તેની અસર ઘણે અંશે દુનિયાભરના બજારો પર જોવા મળી રહી છે.


4-અદાણી ગ્રૂપના શેરોનું ધોવાણ અવિરતપણે ચાલી જ રહ્યું છે. આજે અદાણી એન્ટરપ્રાઈઝનાં શેરો 8 ટકા સુધી તુટ્યા છે. તેનાથી શેર બજારના રોકાણકારોનો મૂડ બગડ્યો હતો.


5-આરબીઆઈની મોનેટરી પોલીસી કમિટીની બેઠકના વિવરણની માર્કેટ રાહ જોઈ રહ્યું છે. તેનાથી કેન્દ્રીય બેંકનો મૂડ જાણી શકાશે.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.