શેર બજારમાં હાહાકાર, સેન્સેક્સ 927.74 અને નિફ્ટી 272.40 પોઈન્ટ તુટ્યો


  • Published By :
  • Published Date : 2023-02-22 17:03:11

અમેરિકાના ફેડ રિઝર્વે વ્યાજ દરોમાં વધારો કરવાની આશંકાએ ભારતીય શેરબજાર ધરાશાઈ થઈ ગયું છે. બીએસઈ સેન્સેક્સ 927.74 પોઈન્ટ એટલે કે 1.53 ટકા તુટીને 59,744.98 અને એનએસઈનો નિફ્ટી 272.40 પોઈન્ટ પણ 1.53 ટકા તુટીને 17,554.30 પોઈન્ટ પર બંધ રહ્યો છે.


શા માટે શેર બજાર તુટ્યું?


1-વૈશ્વિક શેર બજારમાં ભારે વેચાણ, અમેરિકાના વોલ સ્ટ્રિટમાં મંગળવારે ઘટાડો જોવા મળ્યો હતો. તે જ પ્રકારે Nasdaq 2.5 ટકા અને S&P500 પણ બે ટકા તુટ્યો હતો. તે ઉપરાંત જાપાનના Nikkeiમાં 1.34 ટકાનો ઘટાડો નોંધાયો હતો. આ વૈશ્વિક ઘટાડાની અસર ભારતીય શેર બજાર પર જોવા મળી હતી.   


2-રશિયા અને યુક્રેન વચ્ચે યુધ્ધ હજુ લાબું ચાલશે, બંને દેશો વચ્ચે તંગદીલી વધી રહી છે. જેના કારણે રોકાણકારોના વિશ્વાસને ફટકો પડ્યો છે. 


3-અમેરિકાનું ફેડ રિઝર્વ વ્યાજ દરો હજુ પણ વધારશે તેવી આશંકા છે. તેની અસર ઘણે અંશે દુનિયાભરના બજારો પર જોવા મળી રહી છે.


4-અદાણી ગ્રૂપના શેરોનું ધોવાણ અવિરતપણે ચાલી જ રહ્યું છે. આજે અદાણી એન્ટરપ્રાઈઝનાં શેરો 8 ટકા સુધી તુટ્યા છે. તેનાથી શેર બજારના રોકાણકારોનો મૂડ બગડ્યો હતો.


5-આરબીઆઈની મોનેટરી પોલીસી કમિટીની બેઠકના વિવરણની માર્કેટ રાહ જોઈ રહ્યું છે. તેનાથી કેન્દ્રીય બેંકનો મૂડ જાણી શકાશે.



રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.

અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.