શેર બજારમાં હાહાકાર, સેન્સેક્સ 927.74 અને નિફ્ટી 272.40 પોઈન્ટ તુટ્યો


  • Published By :
  • Published Date : 2023-02-22 17:03:11

અમેરિકાના ફેડ રિઝર્વે વ્યાજ દરોમાં વધારો કરવાની આશંકાએ ભારતીય શેરબજાર ધરાશાઈ થઈ ગયું છે. બીએસઈ સેન્સેક્સ 927.74 પોઈન્ટ એટલે કે 1.53 ટકા તુટીને 59,744.98 અને એનએસઈનો નિફ્ટી 272.40 પોઈન્ટ પણ 1.53 ટકા તુટીને 17,554.30 પોઈન્ટ પર બંધ રહ્યો છે.


શા માટે શેર બજાર તુટ્યું?


1-વૈશ્વિક શેર બજારમાં ભારે વેચાણ, અમેરિકાના વોલ સ્ટ્રિટમાં મંગળવારે ઘટાડો જોવા મળ્યો હતો. તે જ પ્રકારે Nasdaq 2.5 ટકા અને S&P500 પણ બે ટકા તુટ્યો હતો. તે ઉપરાંત જાપાનના Nikkeiમાં 1.34 ટકાનો ઘટાડો નોંધાયો હતો. આ વૈશ્વિક ઘટાડાની અસર ભારતીય શેર બજાર પર જોવા મળી હતી.   


2-રશિયા અને યુક્રેન વચ્ચે યુધ્ધ હજુ લાબું ચાલશે, બંને દેશો વચ્ચે તંગદીલી વધી રહી છે. જેના કારણે રોકાણકારોના વિશ્વાસને ફટકો પડ્યો છે. 


3-અમેરિકાનું ફેડ રિઝર્વ વ્યાજ દરો હજુ પણ વધારશે તેવી આશંકા છે. તેની અસર ઘણે અંશે દુનિયાભરના બજારો પર જોવા મળી રહી છે.


4-અદાણી ગ્રૂપના શેરોનું ધોવાણ અવિરતપણે ચાલી જ રહ્યું છે. આજે અદાણી એન્ટરપ્રાઈઝનાં શેરો 8 ટકા સુધી તુટ્યા છે. તેનાથી શેર બજારના રોકાણકારોનો મૂડ બગડ્યો હતો.


5-આરબીઆઈની મોનેટરી પોલીસી કમિટીની બેઠકના વિવરણની માર્કેટ રાહ જોઈ રહ્યું છે. તેનાથી કેન્દ્રીય બેંકનો મૂડ જાણી શકાશે.



બનાસકાંઠા લોકસભા બેઠક પર ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર તરીકે ગેનીબેન ઠાકોરને ટિકીટ આપવામાં આવી છે. આક્રામક પ્રચાર કરતા ગેનીબેન દેખાય છે ત્યારે પોલીસને લઈ તેણે ફરી એક વાર નિવેદન આપ્યું છે.

રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની રચના આજે પ્રસ્તુત કરવી છે સાહિત્યના સમીપમાં.. આ રચનામાં મેઘાણી સાહેબે બાળકોની વાત કરી છે જમાવા માટે વલખાં મારવા મજબૂર છે..

ગુજરાતમાં એક તરફ પરષોત્તમ રૂપાલા અને ક્ષત્રિય સમાજ વચ્ચે ચાલતો વિવાદ છે તો બીજી તરફ કિરીટ પટેલ દ્વારા વિવાદાસ્પદ નિવેદન આપવામાં આવ્યું જે આગમાં ઘી હોમવાનું કામ કરી શકે છે..

અમદાવાદ પૂર્વ બેઠક માટે ભાજપે હસમુખ પટેલને ટિકીટ આપી છે જ્યારે ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત હિંમતસિંહ પટેલને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. આગામી પાંચ વર્ષ દરમિયાન તેઓ પોતાના મતવિસ્તારમાં શું કામ કરશે તે સવાલ જમાવટની ટીમ દ્વારા પૂછવામાં આવ્યો હતો.