વંદે ભારત ટ્રેન પર ફરી વખત થયો પથ્થરમારો, હુમલામાં ડબ્બાના કાચને પહોંચ્યુું નુકસાન


  • Published By :
  • Published Date : 2023-01-09 14:35:04

30 ડિસેમ્બરના રોજ વડાપ્રધાન મોદીએ પશ્ચિમ બંગાળમાં  વંદે ભારતને લીલી ઝંડી બતાવી હતી. ટ્રેનની સુવિધા શરૂ થવાના થોડા દિવસો બાદ જ ટ્રેન પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. પહેલી જાન્યુઆરીના રોજ ટ્રેન પથ્થરમારાનો શિકાર બની હતી. ટ્રેન પર કરવામાં આવેલા હુમલામાં કોચના કાચ તૂટી ગયા હતા. 24 કલાકમાં બીજી વખત વંદેભારત ટ્રેન પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. ત્યારે આજે ફરી એક વખત ટ્રેનના સી-14 ડબ્બા પર હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલાને લઈ તપાસ કરવામાં આવી રહી છે.


આજથી ગાંધીનગર-મુંબઇ સેન્ટ્રલ વચ્ચે વંદે ભારત સુપરફાસ્ટ એક્સપ્રેસ ટ્રેનનો  પ્રારંભ | Commencement of Vande Bharat train between Gandhinagar Mumbai  Central from today


ટ્રેન પર ત્રીજી વખત થયો હુમલો 

દેશના અનેક રાજ્યોમાં વંદે ભારત ટ્રેનની સુવિધા શરૂ કરવામાં આવી છે. ગુજરાતમાં પણ આ ટ્રેનની સુવિધા ચાલી રહી છે. ત્યારે થોડા સમય પહેલા પીએમ મોદીએ પશ્ચિમ બંગાળમાં આ સેવાની શરૂઆત કરી હતી. પરંતુ ટ્રેનની શરૂઆત થયાના એક-બે દિવસ બાદ જ ટ્રેન પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો જેને કારણે ટ્રેનને નુકસાન પહોંચ્યું હતું. 24 કલાકની અંદર ટ્રેન પર બીજી વખત પથ્થરમારો કરવામાં આવ્યો હતો જેમાં ટ્રેનના કાચ તૂટી ગયા હતા. આ ઘટનાને કારણે ટ્રેનને બોલપુર સ્ટેશન પર થોડા સમય માટે રોકવી પડી હતી. 

વંદે ભારત ટ્રેન અકસ્માતમાં ભેંસના માલિક સામે થઇ ફરિયાદ | Vande Matram  Express Accident: FIR Lodged Against Buffalo Owner

ગુજરાતમાં ચાલતી વંદે ભારત ટ્રેનને પણ નડ્યો છે અકસ્માત 

પથ્થરમારો થવાને કારણે ટ્રેનને નુકસાન પહોંચતું હોય છે. આજે ફરી એક વખત ટ્રેન પર પથ્થરમારો કરવામાં આવ્યો છે. પહેલી અને બીજી જાન્યુઆરીએ તો હુમલો થયો હતો પરંતુ ફરી એક વખત આજે ટ્રેન પર નિશાન સાધવામાં આવ્યું છે. ગુજરાતમાં પણ જે વંદે ભારત ટ્રેન ચાલી રહી છે તે પણ અનેક વખત અકસ્માતનો શિકાર બની ચૂકી છે. અનેક વખત ટ્રેક પર રખડતા પશુ આવી જતા ટ્રેનને નુકસાન પહોંચ્યું છે.    



અમદાવાદ સમગ્ર ભારતના ઇતિહાસમાં એક નવું નામ અંકિત કરવા જઈ રહ્યું છે. કેમ કે , ભારતને આજે કોમનવેલ્થ ગેમ્સની વર્ષ ૨૦૩૦ની યજમાની મળી ચુકી છે. જે હવે આપણા અમદાવાદમાં યોજાશે. આ જાહેરાત સ્કોટલેન્ડના ગ્લાસગોમાં કોમનવેલ્થ સ્પોર્ટ્સ એક્ઝિક્યુટિવ બોર્ડની મિટિંગ બાદ કરવામાં આવી છે. આ મિટિંગમાં ભારત તરફથી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વવાળું એક પ્રતિનિધિમંડળ પણ હાજર હતું.

ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.