વંદે ભારત ટ્રેન પર ફરી વખત થયો પથ્થરમારો, હુમલામાં ડબ્બાના કાચને પહોંચ્યુું નુકસાન


  • Published By :
  • Published Date : 2023-01-09 14:35:04

30 ડિસેમ્બરના રોજ વડાપ્રધાન મોદીએ પશ્ચિમ બંગાળમાં  વંદે ભારતને લીલી ઝંડી બતાવી હતી. ટ્રેનની સુવિધા શરૂ થવાના થોડા દિવસો બાદ જ ટ્રેન પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. પહેલી જાન્યુઆરીના રોજ ટ્રેન પથ્થરમારાનો શિકાર બની હતી. ટ્રેન પર કરવામાં આવેલા હુમલામાં કોચના કાચ તૂટી ગયા હતા. 24 કલાકમાં બીજી વખત વંદેભારત ટ્રેન પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. ત્યારે આજે ફરી એક વખત ટ્રેનના સી-14 ડબ્બા પર હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલાને લઈ તપાસ કરવામાં આવી રહી છે.


આજથી ગાંધીનગર-મુંબઇ સેન્ટ્રલ વચ્ચે વંદે ભારત સુપરફાસ્ટ એક્સપ્રેસ ટ્રેનનો  પ્રારંભ | Commencement of Vande Bharat train between Gandhinagar Mumbai  Central from today


ટ્રેન પર ત્રીજી વખત થયો હુમલો 

દેશના અનેક રાજ્યોમાં વંદે ભારત ટ્રેનની સુવિધા શરૂ કરવામાં આવી છે. ગુજરાતમાં પણ આ ટ્રેનની સુવિધા ચાલી રહી છે. ત્યારે થોડા સમય પહેલા પીએમ મોદીએ પશ્ચિમ બંગાળમાં આ સેવાની શરૂઆત કરી હતી. પરંતુ ટ્રેનની શરૂઆત થયાના એક-બે દિવસ બાદ જ ટ્રેન પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો જેને કારણે ટ્રેનને નુકસાન પહોંચ્યું હતું. 24 કલાકની અંદર ટ્રેન પર બીજી વખત પથ્થરમારો કરવામાં આવ્યો હતો જેમાં ટ્રેનના કાચ તૂટી ગયા હતા. આ ઘટનાને કારણે ટ્રેનને બોલપુર સ્ટેશન પર થોડા સમય માટે રોકવી પડી હતી. 

વંદે ભારત ટ્રેન અકસ્માતમાં ભેંસના માલિક સામે થઇ ફરિયાદ | Vande Matram  Express Accident: FIR Lodged Against Buffalo Owner

ગુજરાતમાં ચાલતી વંદે ભારત ટ્રેનને પણ નડ્યો છે અકસ્માત 

પથ્થરમારો થવાને કારણે ટ્રેનને નુકસાન પહોંચતું હોય છે. આજે ફરી એક વખત ટ્રેન પર પથ્થરમારો કરવામાં આવ્યો છે. પહેલી અને બીજી જાન્યુઆરીએ તો હુમલો થયો હતો પરંતુ ફરી એક વખત આજે ટ્રેન પર નિશાન સાધવામાં આવ્યું છે. ગુજરાતમાં પણ જે વંદે ભારત ટ્રેન ચાલી રહી છે તે પણ અનેક વખત અકસ્માતનો શિકાર બની ચૂકી છે. અનેક વખત ટ્રેક પર રખડતા પશુ આવી જતા ટ્રેનને નુકસાન પહોંચ્યું છે.    



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.