વંદે ભારત ટ્રેન પર ફરી વખત થયો પથ્થરમારો, હુમલામાં ડબ્બાના કાચને પહોંચ્યુું નુકસાન


  • Published By :
  • Published Date : 2023-01-09 14:35:04

30 ડિસેમ્બરના રોજ વડાપ્રધાન મોદીએ પશ્ચિમ બંગાળમાં  વંદે ભારતને લીલી ઝંડી બતાવી હતી. ટ્રેનની સુવિધા શરૂ થવાના થોડા દિવસો બાદ જ ટ્રેન પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. પહેલી જાન્યુઆરીના રોજ ટ્રેન પથ્થરમારાનો શિકાર બની હતી. ટ્રેન પર કરવામાં આવેલા હુમલામાં કોચના કાચ તૂટી ગયા હતા. 24 કલાકમાં બીજી વખત વંદેભારત ટ્રેન પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. ત્યારે આજે ફરી એક વખત ટ્રેનના સી-14 ડબ્બા પર હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલાને લઈ તપાસ કરવામાં આવી રહી છે.


આજથી ગાંધીનગર-મુંબઇ સેન્ટ્રલ વચ્ચે વંદે ભારત સુપરફાસ્ટ એક્સપ્રેસ ટ્રેનનો  પ્રારંભ | Commencement of Vande Bharat train between Gandhinagar Mumbai  Central from today


ટ્રેન પર ત્રીજી વખત થયો હુમલો 

દેશના અનેક રાજ્યોમાં વંદે ભારત ટ્રેનની સુવિધા શરૂ કરવામાં આવી છે. ગુજરાતમાં પણ આ ટ્રેનની સુવિધા ચાલી રહી છે. ત્યારે થોડા સમય પહેલા પીએમ મોદીએ પશ્ચિમ બંગાળમાં આ સેવાની શરૂઆત કરી હતી. પરંતુ ટ્રેનની શરૂઆત થયાના એક-બે દિવસ બાદ જ ટ્રેન પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો જેને કારણે ટ્રેનને નુકસાન પહોંચ્યું હતું. 24 કલાકની અંદર ટ્રેન પર બીજી વખત પથ્થરમારો કરવામાં આવ્યો હતો જેમાં ટ્રેનના કાચ તૂટી ગયા હતા. આ ઘટનાને કારણે ટ્રેનને બોલપુર સ્ટેશન પર થોડા સમય માટે રોકવી પડી હતી. 

વંદે ભારત ટ્રેન અકસ્માતમાં ભેંસના માલિક સામે થઇ ફરિયાદ | Vande Matram  Express Accident: FIR Lodged Against Buffalo Owner

ગુજરાતમાં ચાલતી વંદે ભારત ટ્રેનને પણ નડ્યો છે અકસ્માત 

પથ્થરમારો થવાને કારણે ટ્રેનને નુકસાન પહોંચતું હોય છે. આજે ફરી એક વખત ટ્રેન પર પથ્થરમારો કરવામાં આવ્યો છે. પહેલી અને બીજી જાન્યુઆરીએ તો હુમલો થયો હતો પરંતુ ફરી એક વખત આજે ટ્રેન પર નિશાન સાધવામાં આવ્યું છે. ગુજરાતમાં પણ જે વંદે ભારત ટ્રેન ચાલી રહી છે તે પણ અનેક વખત અકસ્માતનો શિકાર બની ચૂકી છે. અનેક વખત ટ્રેક પર રખડતા પશુ આવી જતા ટ્રેનને નુકસાન પહોંચ્યું છે.    



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.