રાજકોટના ગોંડલમાં આખલાએ દંપતીને અડફેટે લીધું, બાઈકચાલક પતિનું મોત


  • Published By :
  • Published Date : 2023-02-17 14:26:34

રાજ્યમાં રખડતાં ઢોરનો આતંક સતત વધી રહ્યો છે, ગુજરાત હાઈકોર્ટે અનેક વખત રાજ્ય સરકારને આ મુદ્દે ફટકાર લગાવી છે. રાજ્યના તમામ મોટા શહેરોમાં રખડતાં ઢોરથી લોકો મોતને ભેટી રહ્યા છે, તો અનેક લોકો ઈજાગ્રસ્ત પણ થયા છે. જો કે તેમ છતાં પણ સરકાર આ મુદ્દે કોઈ કાર્યવાહી કરતી નથી. સૌરાષ્ટ્રમાં પણ રખડતાં ઢોરના કારણે સ્થાનિકો મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે.


 ગોંડલમાં એક વ્યક્તિનું મોત 


સૌરાષ્ટ્રના ગોંડલમાં રખડતા ઢોરના આતંકની ઘટના સામે આવી છે. આખલાએ બાઈક પર જતા દંપતીને અડફેટે લીધું હતું, જેમાં એક વ્યક્તિનું મોત નિપજ્યું છે. ગોંડલનાં ઘોઘાવદર ચોકમાં મોડી રાત્રે આ ઘટના બની હતી, રખડતા આખલાની અડફેટે બાઈક ચાલકનું મોત નિપજ્યું હતું. આ ઘટનામાં સંજયભાઈ રાવલ નામના આધેડનું મોત થયું હતું. બાઈ કચાલક સંજયભાઈના માથામાં ગંભીર ઈજા થઈ હતી. સંજયભાઈને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. 



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.