રાજકોટના ગોંડલમાં આખલાએ દંપતીને અડફેટે લીધું, બાઈકચાલક પતિનું મોત


  • Published By :
  • Published Date : 2023-02-17 14:26:34

રાજ્યમાં રખડતાં ઢોરનો આતંક સતત વધી રહ્યો છે, ગુજરાત હાઈકોર્ટે અનેક વખત રાજ્ય સરકારને આ મુદ્દે ફટકાર લગાવી છે. રાજ્યના તમામ મોટા શહેરોમાં રખડતાં ઢોરથી લોકો મોતને ભેટી રહ્યા છે, તો અનેક લોકો ઈજાગ્રસ્ત પણ થયા છે. જો કે તેમ છતાં પણ સરકાર આ મુદ્દે કોઈ કાર્યવાહી કરતી નથી. સૌરાષ્ટ્રમાં પણ રખડતાં ઢોરના કારણે સ્થાનિકો મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે.


 ગોંડલમાં એક વ્યક્તિનું મોત 


સૌરાષ્ટ્રના ગોંડલમાં રખડતા ઢોરના આતંકની ઘટના સામે આવી છે. આખલાએ બાઈક પર જતા દંપતીને અડફેટે લીધું હતું, જેમાં એક વ્યક્તિનું મોત નિપજ્યું છે. ગોંડલનાં ઘોઘાવદર ચોકમાં મોડી રાત્રે આ ઘટના બની હતી, રખડતા આખલાની અડફેટે બાઈક ચાલકનું મોત નિપજ્યું હતું. આ ઘટનામાં સંજયભાઈ રાવલ નામના આધેડનું મોત થયું હતું. બાઈ કચાલક સંજયભાઈના માથામાં ગંભીર ઈજા થઈ હતી. સંજયભાઈને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. 



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.