Philippinesમાં અનુભવાયા તીવ્ર ભૂકંપના આંચકા, રિક્ટર સ્કેલમાં નોંધાઈ આટલી ભૂકંપની તીવ્રતા


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-11-17 16:51:01

વિશ્વના અનેક દેશોમાં ધરતીકંપના આંચકાનો અનુભવ થતો હોય છે. થોડા સમય પહેલા નેપાળમાં તિવ્રતા વાળો ભૂકંપનો આંચકો આવ્યો હતો. નેપાળમાં આવેલા ભૂકંપમાં અનેક લોકોના મોત થયા છે. એક વખત નહીં પરંતુ અનેક વખત ભૂકંપના અનુભવનો થઈ રહ્યો છે. ત્યારે આજે ફિલિપાઈન્સના મિંડાનાઓમાં ભયંકર ભૂકંપનો અહેસાસ થયો છે. જર્મન રિસર્ચ સેન્ટર ફોર જીઓસાયન્સિસના આંકડા અનુભવ ભૂકંપની તીવ્રતા 6.9 નોંધાઈ છે. આ ભૂકંપનું કેન્દ્રબિંદુ પૃથ્વીની સપાટીથી 10 કિમીની ઊંડાઈએ નોંધાયું છે.


નેપાળમાં થોડા સમય પહેલા આવ્યો હતો ભૂકંપ

થોડા દિવસો પહેલા નેપાળની રાજધાની કાઠમંડુમાં વહેલી સવારે 6.1ની તીવ્રતાનો ભૂકંપના આંચકો અનુભવય થયો હતો. રવિવારે સવારે 7.39 કલાકે ભૂકંપના આંચકા અનુભવાયા હતા ત્યારે આજે ફિલિપાઈન્સમાં ધરતીકંપનો અનુભવ થયો છે. ફિલિપાઈન્સમાં 6.9ની તીવ્રતાથી ધરા ધ્રુજી છે. નેપાળમાં આવેલા ભૂકંપમાં અનેક લોકોના મોત થયા હતા ત્યારે આ ધરતીકંપમાં કોઈ જાનહાની થઈ હોય તેવી માહિતી સામે આવી નથી. નેપાળમાં આવેલા ભૂંકપના આવેલા આંચકાની અસર ભારતના અનેક રાજ્યોમાં જોવા મળી હતી. અનેક રાજ્યોની ધરા હલી હતી.   



ટીઆરબી જવાન અને ટ્રાફિક પોલીસ તરીકે ફરજ બજાવતા કર્મચારીઓ માટે પોલીસ કમિશનરે એક સૂચના બહાર પાડી છે. કમિશનરે શહેરના ઉચ્ચ સુપરવાઇઝરી અધિકારીઓને સુચના આપી છે કે મહિનામાં એકવાર ખાનગી ડ્રેસમાં આકસ્મિક ચેકિંગ કરવુ અને રિપોર્ટ પણ આપવો.

આવનાર દિવસોમાં પણ માવઠાનો માર સહન કરવો પડી શકે છે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. માવઠાની આગાહી કરાતા ધરતીપુત્રો ચિંતિત બન્યા છે કારણ કે વાતાવરણમાં કોઈ પણ ફેરફાર થાય છે તો તેની સીધી અસર ખેતી પર પડતી હોય છે.

ગુજરાતમાં હાર્ટ એટેકથી થતા મોત મોટી ચિંતાનો વિષય બન્યા છે. જામનગર સહિત સમગ્ર ગુજરાતમાં સૂકી કચોરીના કારણે જાણીતા જૈન વિજય ફરસાણના વેપારી સુમિત પઢીયાર (24)નું હાર્ટ એટેકથી મોત થયું છે.

ચીનમાં કોરોના બાદ ફેલાઈ રહેલા ‘રહસ્યમય ન્યુમોનિયા’એ ફરી એક વખત ચિંતા વધારી છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલનું વહીવટી તંત્ર સજ્જ થઈ ગયું છે અને કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે આગોતરી તૈયારી શરૂ કરી દીધી છે.