Philippinesમાં અનુભવાયા તીવ્ર ભૂકંપના આંચકા, રિક્ટર સ્કેલમાં નોંધાઈ આટલી ભૂકંપની તીવ્રતા


  • Published By :
  • Published Date : 2023-11-17 16:51:01

વિશ્વના અનેક દેશોમાં ધરતીકંપના આંચકાનો અનુભવ થતો હોય છે. થોડા સમય પહેલા નેપાળમાં તિવ્રતા વાળો ભૂકંપનો આંચકો આવ્યો હતો. નેપાળમાં આવેલા ભૂકંપમાં અનેક લોકોના મોત થયા છે. એક વખત નહીં પરંતુ અનેક વખત ભૂકંપના અનુભવનો થઈ રહ્યો છે. ત્યારે આજે ફિલિપાઈન્સના મિંડાનાઓમાં ભયંકર ભૂકંપનો અહેસાસ થયો છે. જર્મન રિસર્ચ સેન્ટર ફોર જીઓસાયન્સિસના આંકડા અનુભવ ભૂકંપની તીવ્રતા 6.9 નોંધાઈ છે. આ ભૂકંપનું કેન્દ્રબિંદુ પૃથ્વીની સપાટીથી 10 કિમીની ઊંડાઈએ નોંધાયું છે.


નેપાળમાં થોડા સમય પહેલા આવ્યો હતો ભૂકંપ

થોડા દિવસો પહેલા નેપાળની રાજધાની કાઠમંડુમાં વહેલી સવારે 6.1ની તીવ્રતાનો ભૂકંપના આંચકો અનુભવય થયો હતો. રવિવારે સવારે 7.39 કલાકે ભૂકંપના આંચકા અનુભવાયા હતા ત્યારે આજે ફિલિપાઈન્સમાં ધરતીકંપનો અનુભવ થયો છે. ફિલિપાઈન્સમાં 6.9ની તીવ્રતાથી ધરા ધ્રુજી છે. નેપાળમાં આવેલા ભૂકંપમાં અનેક લોકોના મોત થયા હતા ત્યારે આ ધરતીકંપમાં કોઈ જાનહાની થઈ હોય તેવી માહિતી સામે આવી નથી. નેપાળમાં આવેલા ભૂંકપના આવેલા આંચકાની અસર ભારતના અનેક રાજ્યોમાં જોવા મળી હતી. અનેક રાજ્યોની ધરા હલી હતી.   



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી