Philippinesમાં અનુભવાયા તીવ્ર ભૂકંપના આંચકા, રિક્ટર સ્કેલમાં નોંધાઈ આટલી ભૂકંપની તીવ્રતા


  • Published By :
  • Published Date : 2023-11-17 16:51:01

વિશ્વના અનેક દેશોમાં ધરતીકંપના આંચકાનો અનુભવ થતો હોય છે. થોડા સમય પહેલા નેપાળમાં તિવ્રતા વાળો ભૂકંપનો આંચકો આવ્યો હતો. નેપાળમાં આવેલા ભૂકંપમાં અનેક લોકોના મોત થયા છે. એક વખત નહીં પરંતુ અનેક વખત ભૂકંપના અનુભવનો થઈ રહ્યો છે. ત્યારે આજે ફિલિપાઈન્સના મિંડાનાઓમાં ભયંકર ભૂકંપનો અહેસાસ થયો છે. જર્મન રિસર્ચ સેન્ટર ફોર જીઓસાયન્સિસના આંકડા અનુભવ ભૂકંપની તીવ્રતા 6.9 નોંધાઈ છે. આ ભૂકંપનું કેન્દ્રબિંદુ પૃથ્વીની સપાટીથી 10 કિમીની ઊંડાઈએ નોંધાયું છે.


નેપાળમાં થોડા સમય પહેલા આવ્યો હતો ભૂકંપ

થોડા દિવસો પહેલા નેપાળની રાજધાની કાઠમંડુમાં વહેલી સવારે 6.1ની તીવ્રતાનો ભૂકંપના આંચકો અનુભવય થયો હતો. રવિવારે સવારે 7.39 કલાકે ભૂકંપના આંચકા અનુભવાયા હતા ત્યારે આજે ફિલિપાઈન્સમાં ધરતીકંપનો અનુભવ થયો છે. ફિલિપાઈન્સમાં 6.9ની તીવ્રતાથી ધરા ધ્રુજી છે. નેપાળમાં આવેલા ભૂકંપમાં અનેક લોકોના મોત થયા હતા ત્યારે આ ધરતીકંપમાં કોઈ જાનહાની થઈ હોય તેવી માહિતી સામે આવી નથી. નેપાળમાં આવેલા ભૂંકપના આવેલા આંચકાની અસર ભારતના અનેક રાજ્યોમાં જોવા મળી હતી. અનેક રાજ્યોની ધરા હલી હતી.   



થોડાક સમય પહેલા કોંગ્રેસ દ્વારા પીએમ મોદીની માતા માટેનો એક AI જનરેટેડ વિડિઓ બહાર પાડવામાં આવ્યો હતો. આ AI વિડિઓને લઇને પટના હાઇકોર્ટ દ્વારા હવે કોંગ્રેસને આદેશ આપવામાં આવ્યો છે કે , " પીએમ મોદીના માતાનો AI વિડિઓ હટાવવામાં આવે. " કોંગ્રેસ દ્વારા AI વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે , પીએમ મોદીને સપનામાં તેમના માતા આવ્યા હતા. પટના હાઈકોર્ટે રાહુલ ગાંધી , ભારતીય ચૂંટણીપચ , મેટા , ગુગલ , એક્સ (ટ્વીટર) અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયને AI વિડિઓને લઇને નોટિસ ફટકારી છે.

ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .