Philippinesમાં અનુભવાયા તીવ્ર ભૂકંપના આંચકા, રિક્ટર સ્કેલમાં નોંધાઈ આટલી ભૂકંપની તીવ્રતા


  • Published By :
  • Published Date : 2023-11-17 16:51:01

વિશ્વના અનેક દેશોમાં ધરતીકંપના આંચકાનો અનુભવ થતો હોય છે. થોડા સમય પહેલા નેપાળમાં તિવ્રતા વાળો ભૂકંપનો આંચકો આવ્યો હતો. નેપાળમાં આવેલા ભૂકંપમાં અનેક લોકોના મોત થયા છે. એક વખત નહીં પરંતુ અનેક વખત ભૂકંપના અનુભવનો થઈ રહ્યો છે. ત્યારે આજે ફિલિપાઈન્સના મિંડાનાઓમાં ભયંકર ભૂકંપનો અહેસાસ થયો છે. જર્મન રિસર્ચ સેન્ટર ફોર જીઓસાયન્સિસના આંકડા અનુભવ ભૂકંપની તીવ્રતા 6.9 નોંધાઈ છે. આ ભૂકંપનું કેન્દ્રબિંદુ પૃથ્વીની સપાટીથી 10 કિમીની ઊંડાઈએ નોંધાયું છે.


નેપાળમાં થોડા સમય પહેલા આવ્યો હતો ભૂકંપ

થોડા દિવસો પહેલા નેપાળની રાજધાની કાઠમંડુમાં વહેલી સવારે 6.1ની તીવ્રતાનો ભૂકંપના આંચકો અનુભવય થયો હતો. રવિવારે સવારે 7.39 કલાકે ભૂકંપના આંચકા અનુભવાયા હતા ત્યારે આજે ફિલિપાઈન્સમાં ધરતીકંપનો અનુભવ થયો છે. ફિલિપાઈન્સમાં 6.9ની તીવ્રતાથી ધરા ધ્રુજી છે. નેપાળમાં આવેલા ભૂકંપમાં અનેક લોકોના મોત થયા હતા ત્યારે આ ધરતીકંપમાં કોઈ જાનહાની થઈ હોય તેવી માહિતી સામે આવી નથી. નેપાળમાં આવેલા ભૂંકપના આવેલા આંચકાની અસર ભારતના અનેક રાજ્યોમાં જોવા મળી હતી. અનેક રાજ્યોની ધરા હલી હતી.   



મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.