કર્ણાટક બાદ હવે શ્રીનગરની સ્કૂલમાં હિજાબ વિવાદઃ મુસ્લિમ વિદ્યાર્થિનીઓનો વિરોધ, કહ્યું- અમે તેને પહેરવાનું બંધ નહીં કરીએ


  • Published By :
  • Published Date : 2023-06-08 22:20:22

કર્ણાટક બાદ હવે હિજાબનો વિવાદ જમ્મુ-કાશ્મીર સુધી પહોંચી ગયો છે. શ્રીનગરના રૈનાવાડી વિસ્તારમાં આવેલી વિશ્વ ભારતી મહિલા સ્કૂલની વિદ્યાર્થિનીઓનો આરોપ છે કે તેમને હિજાબ પહેરવાથી રોકવામાં આવી રહી છે. આ મામલે વિદ્યાર્થિનીઓએ કહ્યું કે હિજાબ અમારા ધર્મનો એક ભાગ છે અને અમે તેને બિલકુલ હટાવીશું નહીં. જ્યારે અન્ય શાળાઓમાં તેને લગાવવાની મંજૂરી છે તો અમારી શાળામાં કેમ નહીં? શાળા વહીવટી તંત્રના આ આદેશ સામે વિદ્યાર્થિનીઓએ રસ્તા પર ઉતરી વિરોધ પ્રદર્શન કર્યું હતું.


વિદ્યાર્થીનીઓએ સ્કૂલ પ્રશાસનને કર્યા આ સવાલ


સ્કૂલના નિર્ણય સામે નારાજગી વ્યક્ત કરતા મુસ્લિમ વિદ્યાર્થીનીઓએ કહ્યું કે સ્કૂલ પ્રશાસન આ મુદ્દાને ધાર્મિક બનાવી રહ્યું છે. તેમના તરફથી સાંપ્રદાયિક નિવેદનો કરવામાં આવી રહ્યા છે. એક મુસ્લિમ છોકરીએ કહ્યું કે શાળા પ્રશાસન અમને કાં તો અમારો હિજાબ ઉતારવા અથવા દરગાહમાં જવા માટે કહી રહ્યું છે. છોકરીઓનો પ્રશ્ન એ છે કે શું હિજાબ પહેરેલી છોકરીઓને શિક્ષણનો અધિકાર નથી?


સ્કૂલના પ્રિન્સિપાલે શું કહ્યું?


સ્કૂલના પ્રિન્સિપાલ મીમ રોઝ શફીએ આ મામલે ખુલાસો કર્યો છે. તેમણે કહ્યું કે આ મુદ્દે કેટલીક ગેરસમજ ઉભી થઈ છે. અમારી બાજુથી, વિદ્યાર્થિનીઓને શાળાની અંદર તેમના ચહેરો ખુલ્લો રાખવા માટે કહેવામાં આવ્યું હતું, કારણ કે ઘણી છોકરીઓ તેમના ચહેરાને સંપૂર્ણપણે ઢાંકેલો રાખે છે. આ સ્થિતીમાં શિક્ષક માટે વિદ્યાર્થિનીની ઓળખ કરવી પણ મુશ્કેલ બની જાય છે અને કેટલાક કિસ્સાઓમાં ઘણા બાળકો તેમની પ્રોક્સી હાજરી પણ માર્ક કરે છે. જેના કારણે અમે શાળાની અંદર મોઢું ઢાંકેલું ન રાખવા જણાવ્યું હતું. પ્રિન્સિપાલે વધુમાં સ્પષ્ટતા કરી કે શાળાનો પોતાનો ડ્રેસ કોડ છે. તેમાં સફેદ રંગના હિજાબનો પણ સમાવેશ થાય છે, પરંતુ ઘણી છોકરીઓ સફેદ હિજાબને બદલે કાળો અથવા અલગ રંગના ડિઝાઇનર હિજાબ પહેરે છે. તેમને કહેવામાં આવ્યું હતું કે જો તેમણે હિજાબ પહેરવો હોય તો સફેદ પહેરો, જે ડ્રેસ કોડમાં સામેલ છે.



લોકસભા ચૂંટણીના પ્રચાર દરમિયાન અનેક વખત એવા નિવેદનો સામે આવતા હોય છે જેની ચર્ચા થતી હોય છે. ત્યારે પીએમ મોદીએ એક સબામાં રાહુલ ગાંધીના નિવેદન પર પ્રતિક્રિયા આપી છે.

ઘણા લોકો એવા હોય છે જેમને મૌન રહેવું ગમે છે.. જ્યારે કવિને પૂછવામાં આવે કે તમને સૌથી વધારે કોની સાથે રહેવાનું પસંદ છે તો તે કહે છે મૌન સાથે ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે આદિલ મન્સુરીની રચના .

ગઈકાલથી એક બાદ એક નેતાઓના પત્રોની ખૂબ ચર્ચા થઈ રહી છે.. પહેલા કુમાર કાનાણીનો પત્ર આવ્યો, પછી સંજય કોરડીયાનો પત્ર સામે આવ્યો અને પછી અમરેલીના ભાજપ ઉમેદવાર ભરત સુતરીયાનો પત્ર સામે આવ્યો.

ભર ઉનાળે કમોસમી વરસાદ વરસી રહ્યો છે. કમોસમી વરસાદને કારણે જગતના તાતને નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે. આવનાર દિવસમાં તાપમાનનો પારો વધશે તેવી વાત કરવામાં આવી હતી પરંતુ લોકોની એની રાહ જોઈ રહ્યા છે કે ચોમાસું ક્યારે બેસશે? ચોમાસાના આગમનને લઈ હવામાન વિભાગ દ્વારા મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે.