કર્ણાટક બાદ હવે શ્રીનગરની સ્કૂલમાં હિજાબ વિવાદઃ મુસ્લિમ વિદ્યાર્થિનીઓનો વિરોધ, કહ્યું- અમે તેને પહેરવાનું બંધ નહીં કરીએ


  • Published By :
  • Published Date : 2023-06-08 22:20:22

કર્ણાટક બાદ હવે હિજાબનો વિવાદ જમ્મુ-કાશ્મીર સુધી પહોંચી ગયો છે. શ્રીનગરના રૈનાવાડી વિસ્તારમાં આવેલી વિશ્વ ભારતી મહિલા સ્કૂલની વિદ્યાર્થિનીઓનો આરોપ છે કે તેમને હિજાબ પહેરવાથી રોકવામાં આવી રહી છે. આ મામલે વિદ્યાર્થિનીઓએ કહ્યું કે હિજાબ અમારા ધર્મનો એક ભાગ છે અને અમે તેને બિલકુલ હટાવીશું નહીં. જ્યારે અન્ય શાળાઓમાં તેને લગાવવાની મંજૂરી છે તો અમારી શાળામાં કેમ નહીં? શાળા વહીવટી તંત્રના આ આદેશ સામે વિદ્યાર્થિનીઓએ રસ્તા પર ઉતરી વિરોધ પ્રદર્શન કર્યું હતું.


વિદ્યાર્થીનીઓએ સ્કૂલ પ્રશાસનને કર્યા આ સવાલ


સ્કૂલના નિર્ણય સામે નારાજગી વ્યક્ત કરતા મુસ્લિમ વિદ્યાર્થીનીઓએ કહ્યું કે સ્કૂલ પ્રશાસન આ મુદ્દાને ધાર્મિક બનાવી રહ્યું છે. તેમના તરફથી સાંપ્રદાયિક નિવેદનો કરવામાં આવી રહ્યા છે. એક મુસ્લિમ છોકરીએ કહ્યું કે શાળા પ્રશાસન અમને કાં તો અમારો હિજાબ ઉતારવા અથવા દરગાહમાં જવા માટે કહી રહ્યું છે. છોકરીઓનો પ્રશ્ન એ છે કે શું હિજાબ પહેરેલી છોકરીઓને શિક્ષણનો અધિકાર નથી?


સ્કૂલના પ્રિન્સિપાલે શું કહ્યું?


સ્કૂલના પ્રિન્સિપાલ મીમ રોઝ શફીએ આ મામલે ખુલાસો કર્યો છે. તેમણે કહ્યું કે આ મુદ્દે કેટલીક ગેરસમજ ઉભી થઈ છે. અમારી બાજુથી, વિદ્યાર્થિનીઓને શાળાની અંદર તેમના ચહેરો ખુલ્લો રાખવા માટે કહેવામાં આવ્યું હતું, કારણ કે ઘણી છોકરીઓ તેમના ચહેરાને સંપૂર્ણપણે ઢાંકેલો રાખે છે. આ સ્થિતીમાં શિક્ષક માટે વિદ્યાર્થિનીની ઓળખ કરવી પણ મુશ્કેલ બની જાય છે અને કેટલાક કિસ્સાઓમાં ઘણા બાળકો તેમની પ્રોક્સી હાજરી પણ માર્ક કરે છે. જેના કારણે અમે શાળાની અંદર મોઢું ઢાંકેલું ન રાખવા જણાવ્યું હતું. પ્રિન્સિપાલે વધુમાં સ્પષ્ટતા કરી કે શાળાનો પોતાનો ડ્રેસ કોડ છે. તેમાં સફેદ રંગના હિજાબનો પણ સમાવેશ થાય છે, પરંતુ ઘણી છોકરીઓ સફેદ હિજાબને બદલે કાળો અથવા અલગ રંગના ડિઝાઇનર હિજાબ પહેરે છે. તેમને કહેવામાં આવ્યું હતું કે જો તેમણે હિજાબ પહેરવો હોય તો સફેદ પહેરો, જે ડ્રેસ કોડમાં સામેલ છે.



અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.