કર્ણાટક બાદ હવે શ્રીનગરની સ્કૂલમાં હિજાબ વિવાદઃ મુસ્લિમ વિદ્યાર્થિનીઓનો વિરોધ, કહ્યું- અમે તેને પહેરવાનું બંધ નહીં કરીએ


  • Published By :
  • Published Date : 2023-06-08 22:20:22

કર્ણાટક બાદ હવે હિજાબનો વિવાદ જમ્મુ-કાશ્મીર સુધી પહોંચી ગયો છે. શ્રીનગરના રૈનાવાડી વિસ્તારમાં આવેલી વિશ્વ ભારતી મહિલા સ્કૂલની વિદ્યાર્થિનીઓનો આરોપ છે કે તેમને હિજાબ પહેરવાથી રોકવામાં આવી રહી છે. આ મામલે વિદ્યાર્થિનીઓએ કહ્યું કે હિજાબ અમારા ધર્મનો એક ભાગ છે અને અમે તેને બિલકુલ હટાવીશું નહીં. જ્યારે અન્ય શાળાઓમાં તેને લગાવવાની મંજૂરી છે તો અમારી શાળામાં કેમ નહીં? શાળા વહીવટી તંત્રના આ આદેશ સામે વિદ્યાર્થિનીઓએ રસ્તા પર ઉતરી વિરોધ પ્રદર્શન કર્યું હતું.


વિદ્યાર્થીનીઓએ સ્કૂલ પ્રશાસનને કર્યા આ સવાલ


સ્કૂલના નિર્ણય સામે નારાજગી વ્યક્ત કરતા મુસ્લિમ વિદ્યાર્થીનીઓએ કહ્યું કે સ્કૂલ પ્રશાસન આ મુદ્દાને ધાર્મિક બનાવી રહ્યું છે. તેમના તરફથી સાંપ્રદાયિક નિવેદનો કરવામાં આવી રહ્યા છે. એક મુસ્લિમ છોકરીએ કહ્યું કે શાળા પ્રશાસન અમને કાં તો અમારો હિજાબ ઉતારવા અથવા દરગાહમાં જવા માટે કહી રહ્યું છે. છોકરીઓનો પ્રશ્ન એ છે કે શું હિજાબ પહેરેલી છોકરીઓને શિક્ષણનો અધિકાર નથી?


સ્કૂલના પ્રિન્સિપાલે શું કહ્યું?


સ્કૂલના પ્રિન્સિપાલ મીમ રોઝ શફીએ આ મામલે ખુલાસો કર્યો છે. તેમણે કહ્યું કે આ મુદ્દે કેટલીક ગેરસમજ ઉભી થઈ છે. અમારી બાજુથી, વિદ્યાર્થિનીઓને શાળાની અંદર તેમના ચહેરો ખુલ્લો રાખવા માટે કહેવામાં આવ્યું હતું, કારણ કે ઘણી છોકરીઓ તેમના ચહેરાને સંપૂર્ણપણે ઢાંકેલો રાખે છે. આ સ્થિતીમાં શિક્ષક માટે વિદ્યાર્થિનીની ઓળખ કરવી પણ મુશ્કેલ બની જાય છે અને કેટલાક કિસ્સાઓમાં ઘણા બાળકો તેમની પ્રોક્સી હાજરી પણ માર્ક કરે છે. જેના કારણે અમે શાળાની અંદર મોઢું ઢાંકેલું ન રાખવા જણાવ્યું હતું. પ્રિન્સિપાલે વધુમાં સ્પષ્ટતા કરી કે શાળાનો પોતાનો ડ્રેસ કોડ છે. તેમાં સફેદ રંગના હિજાબનો પણ સમાવેશ થાય છે, પરંતુ ઘણી છોકરીઓ સફેદ હિજાબને બદલે કાળો અથવા અલગ રંગના ડિઝાઇનર હિજાબ પહેરે છે. તેમને કહેવામાં આવ્યું હતું કે જો તેમણે હિજાબ પહેરવો હોય તો સફેદ પહેરો, જે ડ્રેસ કોડમાં સામેલ છે.



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.