કર્ણાટક બાદ હવે શ્રીનગરની સ્કૂલમાં હિજાબ વિવાદઃ મુસ્લિમ વિદ્યાર્થિનીઓનો વિરોધ, કહ્યું- અમે તેને પહેરવાનું બંધ નહીં કરીએ


  • Published By :
  • Published Date : 2023-06-08 22:20:22

કર્ણાટક બાદ હવે હિજાબનો વિવાદ જમ્મુ-કાશ્મીર સુધી પહોંચી ગયો છે. શ્રીનગરના રૈનાવાડી વિસ્તારમાં આવેલી વિશ્વ ભારતી મહિલા સ્કૂલની વિદ્યાર્થિનીઓનો આરોપ છે કે તેમને હિજાબ પહેરવાથી રોકવામાં આવી રહી છે. આ મામલે વિદ્યાર્થિનીઓએ કહ્યું કે હિજાબ અમારા ધર્મનો એક ભાગ છે અને અમે તેને બિલકુલ હટાવીશું નહીં. જ્યારે અન્ય શાળાઓમાં તેને લગાવવાની મંજૂરી છે તો અમારી શાળામાં કેમ નહીં? શાળા વહીવટી તંત્રના આ આદેશ સામે વિદ્યાર્થિનીઓએ રસ્તા પર ઉતરી વિરોધ પ્રદર્શન કર્યું હતું.


વિદ્યાર્થીનીઓએ સ્કૂલ પ્રશાસનને કર્યા આ સવાલ


સ્કૂલના નિર્ણય સામે નારાજગી વ્યક્ત કરતા મુસ્લિમ વિદ્યાર્થીનીઓએ કહ્યું કે સ્કૂલ પ્રશાસન આ મુદ્દાને ધાર્મિક બનાવી રહ્યું છે. તેમના તરફથી સાંપ્રદાયિક નિવેદનો કરવામાં આવી રહ્યા છે. એક મુસ્લિમ છોકરીએ કહ્યું કે શાળા પ્રશાસન અમને કાં તો અમારો હિજાબ ઉતારવા અથવા દરગાહમાં જવા માટે કહી રહ્યું છે. છોકરીઓનો પ્રશ્ન એ છે કે શું હિજાબ પહેરેલી છોકરીઓને શિક્ષણનો અધિકાર નથી?


સ્કૂલના પ્રિન્સિપાલે શું કહ્યું?


સ્કૂલના પ્રિન્સિપાલ મીમ રોઝ શફીએ આ મામલે ખુલાસો કર્યો છે. તેમણે કહ્યું કે આ મુદ્દે કેટલીક ગેરસમજ ઉભી થઈ છે. અમારી બાજુથી, વિદ્યાર્થિનીઓને શાળાની અંદર તેમના ચહેરો ખુલ્લો રાખવા માટે કહેવામાં આવ્યું હતું, કારણ કે ઘણી છોકરીઓ તેમના ચહેરાને સંપૂર્ણપણે ઢાંકેલો રાખે છે. આ સ્થિતીમાં શિક્ષક માટે વિદ્યાર્થિનીની ઓળખ કરવી પણ મુશ્કેલ બની જાય છે અને કેટલાક કિસ્સાઓમાં ઘણા બાળકો તેમની પ્રોક્સી હાજરી પણ માર્ક કરે છે. જેના કારણે અમે શાળાની અંદર મોઢું ઢાંકેલું ન રાખવા જણાવ્યું હતું. પ્રિન્સિપાલે વધુમાં સ્પષ્ટતા કરી કે શાળાનો પોતાનો ડ્રેસ કોડ છે. તેમાં સફેદ રંગના હિજાબનો પણ સમાવેશ થાય છે, પરંતુ ઘણી છોકરીઓ સફેદ હિજાબને બદલે કાળો અથવા અલગ રંગના ડિઝાઇનર હિજાબ પહેરે છે. તેમને કહેવામાં આવ્યું હતું કે જો તેમણે હિજાબ પહેરવો હોય તો સફેદ પહેરો, જે ડ્રેસ કોડમાં સામેલ છે.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.