વિદ્યાર્થીઓ હવેથી માતૃભાષામાં કરી શકશે મેડિકલ, એન્જિનિયરિંગ, MBA-MCAનો અભ્યાસ


  • Published By :
  • Published Date : 2022-10-29 18:14:36

ગુજરાત વિધાનસભા ચૂંટણી નજીક આવી રહી છે. ચૂંટણીની જાહેરાત થાય તે પહેલા ગુજરાત સરકારે શિક્ષણ મુદ્દાને લઈ મોટી જાહેરાત કરી છે. રાજ્યના શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ મોટી જાહેરાત કરતા કહ્યું કે રાજ્ય સરકારે એન્જિનિયરિંગ અને મેડિકલ,ફાર્મસી જેવા વિવિધ કોર્ષ માતૃભાષામાં ભણાવવામાં આવશે. ગુજરાતના વિદ્યાર્થીઓ પોતાની ભાષામાં અભ્યાસ કરી શકે તે માટે કેબિનેટ બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે. 

Gujarat government will recruit 3300 Vidya Sahayak, priority will be given  to Tet pass candidates: Jitu Vaghani | Gujarat government will recruit 3300  Vidya Sahayak, priority will be given to Tet pass

માતૃભાષામાં વિદ્યાર્થીઓ કરી શક્શે અભ્યાસ - જીતુ વાઘાણી

આજે રાજ્ય સરકારની કેબિનેટ બેઠક મળી હતી. જેમાં શિક્ષણ મુદ્દાને લઈ સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. જીતુ વાઘાણીએ કહ્યું કે હમણાં જ કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે માતૃભાષામાં વિદ્યાર્થીને ભણાવામાં આવે તેવી જાહેરાત કરી છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે પણ આજની કેબિનેટ બેઠકમાં મહત્વનો નિર્ણય કર્યો છે. તેમણે કહ્યું કે માતૃભાષામાં સમજીને ભણવું એનાથી અનેક કુશળતા અને ક્ષમતાઓ બહાર આવતી હોય છે. 


ગુજરાતીમાં તૈયાર કરાશે પાઠ્યપુસ્તકો 

વધુમાં તેમણે કહ્યું કે આજના યુવાનો સરળતાથી જ્ઞાન મેળવીને સ્પર્ધામાં ઉભો રહી શકતો નથી. એના માટે રાજ્ય સરકારે એક નિર્ણય કર્યો છે.  જે અંતર્ગત એન્જિનિયરિંગ, મેડિકલ અને ફાર્મસી MBA-MCAમાં હવેથી માતૃભાષામાં અભ્યાસ થઈ શકશે. તેમણે કહ્યું કે, તમામ પાઠ્યપુસ્તકોનું સાહિત્ય ગુજરાતીમાં તૈયાર કરવા માટે એક કમિટીની રચના કરવામાં આવશે. રાજ્ય સરકારે ગત બજેટમાં અમારા વિભાગમાં 50 લાખની ફાળવણી એન્જિનિયરિંગ પુસ્તકોના ગુજરાતીમાં ભાષાંતર માટે કરી હતી. GTU દ્વારા એને કામગીરી સોંપવામાં આવી છે.     




" આજે ઈરાન માટે ખુબ મોટો દિવસ છે કેમ કે , ઈરાન પર ખુબ ઘાતક હુમલો કરવામાં આવ્યો છે. " આ શબ્દો છે , અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ. આ એજ રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પ છે કે જેઓ , અમેરિકામાં રાષ્ટ્રપતિપદની ચૂંટણીઓના પ્રચાર દરમ્યાન , અમેરિકાને કોઈ પણ નવા યુદ્ધમાં ના ઝોંકવાની કસમ ખાતા હતા અને આજે તેઓ , તેમના બીજા કાર્યકાળના શરુ થયે માત્ર ૧૩ મહિનાની અંદર , ઈરાન પર ખુબ ભારે બોમ્બમારો કરાવી રહ્યા છે. આવનારા , સમયમાં અમેરિકા જમીની સ્તરે ઈરાન પર આક્રમણ કરી શકે છે. તો બીજી તરફ , કુવૈતથી ખબર આવી છે કે , ઈરાનના હુમલામાં એક ભારતીયએ જીવ ગુમાવ્યો છે. વાત કરીએ , ભારતની તો , પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધ વચ્ચે જે ઉર્જા સંકટ ભારત સામે ઉભું થયું છે તેની સામે કેરોસીનના વેચાણને કેન્દ્ર સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી છે.

ગુજરાતમાં છેલ્લા ૬ મહિનામાં પોલીસ પર હુમલાની ઘટનામાં વધારો થયો છે. ઓક્ટોબર ૨૦૨૫માં બોટાદના હડદડ ગામે થયેલી હિંસા અને ત્યારબાદ અંબાજીના પાડલીયા ગામે ડિસેમ્બર ૨૦૨૫માં પોલીસ સાથે ઘર્ષણની ઘટના સામે આવી હતી. આ ઉપરાંત થોડાક સમય અગાઉ , પાટણના ઝીલીયા ગામે , અસામાજિક તત્વો દ્વારા પોલીસ પર હુમલો કરવામાં આવ્યો હતો. હવે , અમદાવાદના નળ સરોવર ખાતે પણ પોલીસ પર હુમલાની ઘટના સામે આવી છે. જેમાં બે પોલીસકર્મી ઘાયલ થયા હતા. તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે.

રાજકોટ રેન્જ IG તરીકે નિર્લિપ્ત રાયની નિમણુંક થતા અસામાજિક તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે. કેમ કે , હવે નિર્લિપ્ત રાય દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે , આગામી સમયમાં ૧ લી અને ૨જી એપ્રિલે એક લોકસંપર્ક સભા યોજાશે જેમાં તેઓ પોતે વ્યાજખોરોના ત્રાસથી પીડિતોની રજુઆત સાંભળશે. આ ઉપરાંત , જામનગરમાં રેન્જ IG નિર્લિપ્ત રાયની મુલાકાતના બે જ કલાકની અંદર ૭૨ જેટલા ગેરકાયદેસર બાંધકામો તંત્ર દ્વારા ધ્વસ્ત કરી નાખવામાં આવ્યા છે.

ઈરાનના રાજદૂત મોહમ્મદ ફતહાલીએ એક મહત્વનું નિવેદન ભારત માટે આપ્યું છે. જેમાં ઈરાને ભારતની ભૂમિકાની પ્રશંસા કરી છે. તો બીજી તરફ , ઈરાન દ્વારા બેલિસ્ટિક મિસાઇલોનો ૮૦મોં રાઉન્ડ ઇઝરાયેલ તરફ છોડવામાં આવ્યો છે. સામે ખાડી દેશોમાં કુવૈત એ પહેલો દેશ છે જેણે ઈરાન પર હુમલો કરી દીધો છે. કુવૈત દ્વારા સંભવિત પરમાણુ યુદ્ધની તૈયારીના ભાગરૂપે પોતાના નાગરિકો માટે એક એડવાઈઝરી બહાર પાડવામાં આવી છે .જેનાથી ઈરાન યુદ્ધ ભયાનકતાની નવી ચરમસીમાએ પહોંચી ચૂક્યું છે.