વિદ્યાર્થીઓ હવેથી માતૃભાષામાં કરી શકશે મેડિકલ, એન્જિનિયરિંગ, MBA-MCAનો અભ્યાસ


  • Published By :
  • Published Date : 2022-10-29 18:14:36

ગુજરાત વિધાનસભા ચૂંટણી નજીક આવી રહી છે. ચૂંટણીની જાહેરાત થાય તે પહેલા ગુજરાત સરકારે શિક્ષણ મુદ્દાને લઈ મોટી જાહેરાત કરી છે. રાજ્યના શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ મોટી જાહેરાત કરતા કહ્યું કે રાજ્ય સરકારે એન્જિનિયરિંગ અને મેડિકલ,ફાર્મસી જેવા વિવિધ કોર્ષ માતૃભાષામાં ભણાવવામાં આવશે. ગુજરાતના વિદ્યાર્થીઓ પોતાની ભાષામાં અભ્યાસ કરી શકે તે માટે કેબિનેટ બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે. 

Gujarat government will recruit 3300 Vidya Sahayak, priority will be given  to Tet pass candidates: Jitu Vaghani | Gujarat government will recruit 3300  Vidya Sahayak, priority will be given to Tet pass

માતૃભાષામાં વિદ્યાર્થીઓ કરી શક્શે અભ્યાસ - જીતુ વાઘાણી

આજે રાજ્ય સરકારની કેબિનેટ બેઠક મળી હતી. જેમાં શિક્ષણ મુદ્દાને લઈ સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. જીતુ વાઘાણીએ કહ્યું કે હમણાં જ કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે માતૃભાષામાં વિદ્યાર્થીને ભણાવામાં આવે તેવી જાહેરાત કરી છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે પણ આજની કેબિનેટ બેઠકમાં મહત્વનો નિર્ણય કર્યો છે. તેમણે કહ્યું કે માતૃભાષામાં સમજીને ભણવું એનાથી અનેક કુશળતા અને ક્ષમતાઓ બહાર આવતી હોય છે. 


ગુજરાતીમાં તૈયાર કરાશે પાઠ્યપુસ્તકો 

વધુમાં તેમણે કહ્યું કે આજના યુવાનો સરળતાથી જ્ઞાન મેળવીને સ્પર્ધામાં ઉભો રહી શકતો નથી. એના માટે રાજ્ય સરકારે એક નિર્ણય કર્યો છે.  જે અંતર્ગત એન્જિનિયરિંગ, મેડિકલ અને ફાર્મસી MBA-MCAમાં હવેથી માતૃભાષામાં અભ્યાસ થઈ શકશે. તેમણે કહ્યું કે, તમામ પાઠ્યપુસ્તકોનું સાહિત્ય ગુજરાતીમાં તૈયાર કરવા માટે એક કમિટીની રચના કરવામાં આવશે. રાજ્ય સરકારે ગત બજેટમાં અમારા વિભાગમાં 50 લાખની ફાળવણી એન્જિનિયરિંગ પુસ્તકોના ગુજરાતીમાં ભાષાંતર માટે કરી હતી. GTU દ્વારા એને કામગીરી સોંપવામાં આવી છે.     




ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.