PUBGથી પ્રેમમાં પડેલી પાકિસ્તાની યુવતી મામલે આવી અપડેટ, તપાસ બાદ આ કારણોથી પોલીસે દંપત્તિને છોડી દીધા? જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-07-09 18:42:03

એક બાજુ ભારતમાં ગદર પાર્ટ ટુ રીલીઝ થાય છે અને બીજી બાજુ સીમા હૈદર નામની એક મહિલા સચીન નામના ભારતીય વ્યક્તિના પ્રેમમાં પડી જાય છે. ઓનલાઈન ગેમ પબજી રમતા રમતા તેને માત્ર પ્રેમ જ નથી થતો પણ પોતાના ચારેય છોકરાઓને લઈને તે સચીન સાથે રહેવા ભારત પણ પહોંચી જાય છે. પણ આપણે ત્યાં નિયમ છે કે ગેરકાયદેસર રીતે કોઈ આપણા દેશમાં આવી ન શકે, તો સીમાને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવી જ્યાં મોટા મોટા અધિકારીઓ તેની પૂછપરછ કરે છે. આખા ઘટના ક્રમ વિશે વાત કરી તો....   

પશુપતિનાથ મંદિરમાં બંનેએ કર્યા લગ્ન 

પાકિસ્તાની મહિલા સીમા હૈદર અને તેના ભારતીય પ્રેમી સચીનને પોલીસે ગઈકાલે જેલમાંથી છૂટા કરી દીધા છે. જેલમાં તેની પૂછપરછ કરવામાં આવી અને માહિતીઓ લેવામાં આવી કે તે કેવી રીતે ભારત પહોંચી, સચીન સાથે સંપર્ક કેમ થયો, તેના પતિ શું કરે છે, પરિવારની માહિતી લીધી, પાકિસ્તાનમાં તે શું કરતા હતા આટલો સમય તે જાણ્યું પણ પોલીસને કંઈ શંકાસ્પદ ન લાગતા અંતે બંનેને જેલમાંથી મુક્ત કરી દેવામાં આવ્યા છે. જેલમાંથી છૂટ્યા બાદ સીમા અને સચીન રબુપુરા પોતાના ઘરે પહોંચ્યા હતા. આ દરમિયાન મોટો ખુલાસો થયો છે. પોલીસની પૂછપરછમાં સામે આવ્યું છે કે સીમા હૈદરે નેપાળના પશુપતિનાથ મંદિરમાં સચીન સાથે લગ્ન કરી લીધા છે અને હિન્દુ ધર્મ પણ અપનાવી લીધો છે. 

હિન્દુ બની ગઈ છું, પાકિસ્તાન ન મોકલો મારી નાખશે..સીમાનો સચિન સાથે નેપાળમાં  લગ્ન કર્યાનો ખુલાસો - pakistani woman seema haider says she become hindu do  not want to go pakistan - I

સીમાના પાકિસ્તાની પતિનો પણ સામે આવ્યો મેસેજ 

સીમાનું કહેવું છે કે મારે ફરીવાર પાકિસ્તાન નથી જવું મારે ભારત જ રહેવું છે. જો મને ફરી પાકિસ્તાન મોકલી દેવામાં આવશે તો મને કાળાપાણીની સજા આપી દેવામાં આવશે, સાદી રીતના સમજીએ તો સીમાને મારી નાખવામાં આવશે. સીમાના કહ્યા મુજબ પાકિસ્તાનમાં આવી જ સિસ્ટમ ચાલે છે. લોકો ધર્મ પાસે પહેલા જાય છે પછી પોલીસ પાસે જાય છે. પોલીસ પણ ધર્મના મામલામાં કોઈ માથું નથી મારતી તેવું સીમાએ એક ટીવી ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું. આ બધી વાત સીમાના પાકિસ્તાની પતિ હૈદરને ખબર પડી તો તેણે વીડિયો મેસેજ જાહેર કર્યો હતો.

પોલીસ તેમજ તપાસ એજન્સી કરી રહી છે તપાસ 

સીમા અને સચીનની વાત કરીએ તો ઘરે આવ્યા બાદ સીમાએ કહ્યું હતું કે કંઈ પણ થઈ જાય મારે પાકિસ્તાન નથી જવું હું ભારત જ રહીશ અને હું સચીન સાથે ખુશ છું. જો કે બીજી બાજુ પોલીસ અને તપાસ એજન્સીઓ પોતાની રીતે તપાસ શરૂ રાખવાની છે જો કંઈ આડા અવડું દેખાશે તો પોલીસ કાર્યવાહી કરશે. સૌથી મહત્વની વાત તો એ છે કે આ કેસ આતંકવાદીઓના કેસની જેમ નહીં પણ સામાન્ય કેસની જેમ લડવામાં આવશે. 


પબજી રમતા રમતા બંને આવ્યા હતા સંપર્કમાં 

સચીન અને સીમા કેવી રીતે મળ્યા તે ઘટનાએ આખા દેશનું ધ્યાન ખેંચ્યુ હતું કારણ કે તે બંને વચ્ચે પબજી રમતા રમતા પ્રેમ થયો હતો. સૌથી પહેલા બંને પબજીમાં ફ્રેન્ડસ બન્યા પછી ધીમે ધીમે વીડિયો કોલિંગ પર વાતો થવા લાગી અને પછી બંનેએ નેપાળમાં મળવાનો પ્લાન બનાવ્યો. બંને કાઠમાંડુની એક હોટલમાં સાથે રહ્યા હતા અને લગ્ન કરી લીધા. અને તે બાદ યોજના બનાવીને સીમા ભારત પહોંચી ગઈ હતી.    



અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.