PUBGથી પ્રેમમાં પડેલી પાકિસ્તાની યુવતી મામલે આવી અપડેટ, તપાસ બાદ આ કારણોથી પોલીસે દંપત્તિને છોડી દીધા? જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-07-09 18:42:03

એક બાજુ ભારતમાં ગદર પાર્ટ ટુ રીલીઝ થાય છે અને બીજી બાજુ સીમા હૈદર નામની એક મહિલા સચીન નામના ભારતીય વ્યક્તિના પ્રેમમાં પડી જાય છે. ઓનલાઈન ગેમ પબજી રમતા રમતા તેને માત્ર પ્રેમ જ નથી થતો પણ પોતાના ચારેય છોકરાઓને લઈને તે સચીન સાથે રહેવા ભારત પણ પહોંચી જાય છે. પણ આપણે ત્યાં નિયમ છે કે ગેરકાયદેસર રીતે કોઈ આપણા દેશમાં આવી ન શકે, તો સીમાને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવી જ્યાં મોટા મોટા અધિકારીઓ તેની પૂછપરછ કરે છે. આખા ઘટના ક્રમ વિશે વાત કરી તો....   

પશુપતિનાથ મંદિરમાં બંનેએ કર્યા લગ્ન 

પાકિસ્તાની મહિલા સીમા હૈદર અને તેના ભારતીય પ્રેમી સચીનને પોલીસે ગઈકાલે જેલમાંથી છૂટા કરી દીધા છે. જેલમાં તેની પૂછપરછ કરવામાં આવી અને માહિતીઓ લેવામાં આવી કે તે કેવી રીતે ભારત પહોંચી, સચીન સાથે સંપર્ક કેમ થયો, તેના પતિ શું કરે છે, પરિવારની માહિતી લીધી, પાકિસ્તાનમાં તે શું કરતા હતા આટલો સમય તે જાણ્યું પણ પોલીસને કંઈ શંકાસ્પદ ન લાગતા અંતે બંનેને જેલમાંથી મુક્ત કરી દેવામાં આવ્યા છે. જેલમાંથી છૂટ્યા બાદ સીમા અને સચીન રબુપુરા પોતાના ઘરે પહોંચ્યા હતા. આ દરમિયાન મોટો ખુલાસો થયો છે. પોલીસની પૂછપરછમાં સામે આવ્યું છે કે સીમા હૈદરે નેપાળના પશુપતિનાથ મંદિરમાં સચીન સાથે લગ્ન કરી લીધા છે અને હિન્દુ ધર્મ પણ અપનાવી લીધો છે. 

હિન્દુ બની ગઈ છું, પાકિસ્તાન ન મોકલો મારી નાખશે..સીમાનો સચિન સાથે નેપાળમાં  લગ્ન કર્યાનો ખુલાસો - pakistani woman seema haider says she become hindu do  not want to go pakistan - I

સીમાના પાકિસ્તાની પતિનો પણ સામે આવ્યો મેસેજ 

સીમાનું કહેવું છે કે મારે ફરીવાર પાકિસ્તાન નથી જવું મારે ભારત જ રહેવું છે. જો મને ફરી પાકિસ્તાન મોકલી દેવામાં આવશે તો મને કાળાપાણીની સજા આપી દેવામાં આવશે, સાદી રીતના સમજીએ તો સીમાને મારી નાખવામાં આવશે. સીમાના કહ્યા મુજબ પાકિસ્તાનમાં આવી જ સિસ્ટમ ચાલે છે. લોકો ધર્મ પાસે પહેલા જાય છે પછી પોલીસ પાસે જાય છે. પોલીસ પણ ધર્મના મામલામાં કોઈ માથું નથી મારતી તેવું સીમાએ એક ટીવી ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું. આ બધી વાત સીમાના પાકિસ્તાની પતિ હૈદરને ખબર પડી તો તેણે વીડિયો મેસેજ જાહેર કર્યો હતો.

પોલીસ તેમજ તપાસ એજન્સી કરી રહી છે તપાસ 

સીમા અને સચીનની વાત કરીએ તો ઘરે આવ્યા બાદ સીમાએ કહ્યું હતું કે કંઈ પણ થઈ જાય મારે પાકિસ્તાન નથી જવું હું ભારત જ રહીશ અને હું સચીન સાથે ખુશ છું. જો કે બીજી બાજુ પોલીસ અને તપાસ એજન્સીઓ પોતાની રીતે તપાસ શરૂ રાખવાની છે જો કંઈ આડા અવડું દેખાશે તો પોલીસ કાર્યવાહી કરશે. સૌથી મહત્વની વાત તો એ છે કે આ કેસ આતંકવાદીઓના કેસની જેમ નહીં પણ સામાન્ય કેસની જેમ લડવામાં આવશે. 


પબજી રમતા રમતા બંને આવ્યા હતા સંપર્કમાં 

સચીન અને સીમા કેવી રીતે મળ્યા તે ઘટનાએ આખા દેશનું ધ્યાન ખેંચ્યુ હતું કારણ કે તે બંને વચ્ચે પબજી રમતા રમતા પ્રેમ થયો હતો. સૌથી પહેલા બંને પબજીમાં ફ્રેન્ડસ બન્યા પછી ધીમે ધીમે વીડિયો કોલિંગ પર વાતો થવા લાગી અને પછી બંનેએ નેપાળમાં મળવાનો પ્લાન બનાવ્યો. બંને કાઠમાંડુની એક હોટલમાં સાથે રહ્યા હતા અને લગ્ન કરી લીધા. અને તે બાદ યોજના બનાવીને સીમા ભારત પહોંચી ગઈ હતી.    



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.