સુદાનમાં ફસાયેલા વધુ 229 ભારતીયોને સ્વદેશ પરત લવાયા, અત્યાર સુધી 1954 લોકોની થઈ વતન વાપસી


  • Published By :
  • Published Date : 2023-04-30 17:28:51

ભારત હિંસાગ્રસ્ત સુદાનમાં ફસાયેલા ભારતીયોને નિકાળવા માટે પોતાનું ઓપરેશન કાવેરી ચલાવી રહ્યું છે. તે ઓપરેશન હેઠળ રવિવારે વધુ 229 લોકોને સુરક્ષીત લાવવામાં આવ્યા છે. આ લોકોને બેંગલુરૂ લાવવામાં આવ્યા હતા. આ પહેલા એટલે કે શનિવારે વધુ 365 લોકોને દિલ્હી લાવવામાં આવ્યા હતા. 


જેદ્દાહથી ભારતથી લવાયા 


વિદેશ મંત્રી એસ જયશંકરે ટ્વીટ કર્યું હતું કે ઓપરેશન કાવેરી હેઠળ 28 એપ્રિલે 229 લોકોને બેંગલુરૂ લાવવામાં આવ્યા હતા. અને શુક્રવારે 754 લોકોને બે ભાગમાં ભારત લાવવામાં આવ્યા હતા. સત્તાવારા આંકડા પ્રમાણે અત્યાર સુધી 1,954 લોકોને સ્વદેશ લાવવામાં આવી ચુક્યા છે.  ભારતીય શરણાર્થીઓને સાઉદીના જેદ્દાહ શહેર લઈ જવામાં આવી રહ્યા છે. જ્યાથી તેમને સ્વદેશ લાવવામાં આવે છે. કુલ 360 લોકોને પહેલા સમુહમાં એક પ્રાઈવેટ વિમાન દ્વારા  દિલ્હી લાવવામાં આવ્યા હતા.બીજા જથ્થામાં 246 લોકોને સી-17 ગ્લોબમાસ્ટર વિમાન દ્વારા મુંબઈ લાવવામાં આવ્યા હતા.



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.