સુદાનમાં ફસાયેલા વધુ 229 ભારતીયોને સ્વદેશ પરત લવાયા, અત્યાર સુધી 1954 લોકોની થઈ વતન વાપસી


  • Published By :
  • Published Date : 2023-04-30 17:28:51

ભારત હિંસાગ્રસ્ત સુદાનમાં ફસાયેલા ભારતીયોને નિકાળવા માટે પોતાનું ઓપરેશન કાવેરી ચલાવી રહ્યું છે. તે ઓપરેશન હેઠળ રવિવારે વધુ 229 લોકોને સુરક્ષીત લાવવામાં આવ્યા છે. આ લોકોને બેંગલુરૂ લાવવામાં આવ્યા હતા. આ પહેલા એટલે કે શનિવારે વધુ 365 લોકોને દિલ્હી લાવવામાં આવ્યા હતા. 


જેદ્દાહથી ભારતથી લવાયા 


વિદેશ મંત્રી એસ જયશંકરે ટ્વીટ કર્યું હતું કે ઓપરેશન કાવેરી હેઠળ 28 એપ્રિલે 229 લોકોને બેંગલુરૂ લાવવામાં આવ્યા હતા. અને શુક્રવારે 754 લોકોને બે ભાગમાં ભારત લાવવામાં આવ્યા હતા. સત્તાવારા આંકડા પ્રમાણે અત્યાર સુધી 1,954 લોકોને સ્વદેશ લાવવામાં આવી ચુક્યા છે.  ભારતીય શરણાર્થીઓને સાઉદીના જેદ્દાહ શહેર લઈ જવામાં આવી રહ્યા છે. જ્યાથી તેમને સ્વદેશ લાવવામાં આવે છે. કુલ 360 લોકોને પહેલા સમુહમાં એક પ્રાઈવેટ વિમાન દ્વારા  દિલ્હી લાવવામાં આવ્યા હતા.બીજા જથ્થામાં 246 લોકોને સી-17 ગ્લોબમાસ્ટર વિમાન દ્વારા મુંબઈ લાવવામાં આવ્યા હતા.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.