સુદાનમાં ફસાયેલા વધુ 229 ભારતીયોને સ્વદેશ પરત લવાયા, અત્યાર સુધી 1954 લોકોની થઈ વતન વાપસી


  • Published By :
  • Published Date : 2023-04-30 17:28:51

ભારત હિંસાગ્રસ્ત સુદાનમાં ફસાયેલા ભારતીયોને નિકાળવા માટે પોતાનું ઓપરેશન કાવેરી ચલાવી રહ્યું છે. તે ઓપરેશન હેઠળ રવિવારે વધુ 229 લોકોને સુરક્ષીત લાવવામાં આવ્યા છે. આ લોકોને બેંગલુરૂ લાવવામાં આવ્યા હતા. આ પહેલા એટલે કે શનિવારે વધુ 365 લોકોને દિલ્હી લાવવામાં આવ્યા હતા. 


જેદ્દાહથી ભારતથી લવાયા 


વિદેશ મંત્રી એસ જયશંકરે ટ્વીટ કર્યું હતું કે ઓપરેશન કાવેરી હેઠળ 28 એપ્રિલે 229 લોકોને બેંગલુરૂ લાવવામાં આવ્યા હતા. અને શુક્રવારે 754 લોકોને બે ભાગમાં ભારત લાવવામાં આવ્યા હતા. સત્તાવારા આંકડા પ્રમાણે અત્યાર સુધી 1,954 લોકોને સ્વદેશ લાવવામાં આવી ચુક્યા છે.  ભારતીય શરણાર્થીઓને સાઉદીના જેદ્દાહ શહેર લઈ જવામાં આવી રહ્યા છે. જ્યાથી તેમને સ્વદેશ લાવવામાં આવે છે. કુલ 360 લોકોને પહેલા સમુહમાં એક પ્રાઈવેટ વિમાન દ્વારા  દિલ્હી લાવવામાં આવ્યા હતા.બીજા જથ્થામાં 246 લોકોને સી-17 ગ્લોબમાસ્ટર વિમાન દ્વારા મુંબઈ લાવવામાં આવ્યા હતા.



અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.