Dangal Filmમાં નાની બબિતાનો રોલ નિભાવનાર Suhani bhatnagarનું 19 વર્ષે થયું નિધન, ફિલ્મ જગતમાં વ્યાપી ઉઠ્યો શોક....


  • Published By :
  • Published Date : 2024-02-17 16:30:52

થોડા વર્ષો પહેલા દંગલ ફિલ્મ આવી હતી જે કુસ્તીબાજના જીવન પર આધારીત હતી. આમિર ખાનની ફિલ્મમાં આમિર ખાનની નાની દીકરીનો રોલ નીભાવનાર 19 વર્ષીય સુહાની ભટનાગરનું બિમારી બાદ નિધન થઈ ગયું છે. 19 વર્ષની ઉંમરે દુનિયાને અલવિદા કહી દેતા બોલિવુડ ઈન્ડસ્ટ્રીમાં શોકની લાગણી પ્રવર્તિ ઉઠી છે. શનિવારે સુહાની ભટનાગરે અંતિમ શ્વાસ લીધા હતા. એવી માહિતી સામે આવી છે કે ખોટી ટ્રીટમેન્ટ થવાને કારણે તેમનું નિધન થયું છે. સુહાનીએ દંગલ ફિલ્મમાં નાની બબીતાનો રોલ નિભાવ્યો હતો.  

19 વર્ષે સુહાનીએ દુનિયાએ કહી દીધું અલવિદા!

ફિલ્મ જગતથી એક દુખદ સમાચાર સામે આવી રહ્યા છે. 19 વર્ષની ઉંમરે એક્ટ્રેસે દુનિયાને અલવિદા કહી દીધી છે. એવી માહિતી સામે આવી છે કે ખોટી સારવાર મળવાને કારણે તેમનું નિધન થયું છે. ઘણા સમયથી દિલ્હીની હોસ્પિટલમાં તે સારવાર લઈ રહ્યા હતા. એવી માહિતી સામે આવી છે કે તેમના અંતિમ સંસ્કાર ફરીદાબાદમાં કરવામાં આવશે. મળતી માહિતી અનુસાર થોડા સમય પહેલા સુહાનીમાં પગમાં ફેક્ચર થયું હતું. તેની સારવાર માટે તે દવાઓ લઈ રહી હતી. તે દવાઓની સાઈડ ઈફેક્ટ થઈ જેને કારણે શરીરમાં પ્રવાહી પદાર્થ જમા થઈ ગયું હતું જેને કારણે તેનું નિધન થઈ ગયું.


દંગલ ફિલ્મમાં થયા હતા સુહાનીના અભિનયના વખાણ!

નાની ઉંમરે સુહાની ભટનાગરનું નિધન થઈ જતા બોલિવુડ જગતમાં શોકની લાગણી પ્રવર્તિ ઉઠી છે. વર્ષ 2016માં સુહાની ભટનાગરે ફિલ્મ 'દંગલ' દ્વારા બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. આમાં તેણે આમિર ખાન સાથે સ્ક્રીન શેર કરી હતી. પ્રેક્ષકોએ ગીતા અને બબીતાના પાત્રો ભજવતા બંને બાળ કલાકારોના અભિનયના વખાણ કર્યા હતા પરંતુ ભણતરને કારણે તે ફિલ્મ ઈન્ડસ્ટીથી દૂર રહ્યા હતા. દંગલ ફિલ્મમાં આમિર ખાન, સાક્ષિ તનવર, જાયરા વસીમ જેવા કલાકારો હતા. 



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.