Dangal Filmમાં નાની બબિતાનો રોલ નિભાવનાર Suhani bhatnagarનું 19 વર્ષે થયું નિધન, ફિલ્મ જગતમાં વ્યાપી ઉઠ્યો શોક....


  • Published By :
  • Published Date : 2024-02-17 16:30:52

થોડા વર્ષો પહેલા દંગલ ફિલ્મ આવી હતી જે કુસ્તીબાજના જીવન પર આધારીત હતી. આમિર ખાનની ફિલ્મમાં આમિર ખાનની નાની દીકરીનો રોલ નીભાવનાર 19 વર્ષીય સુહાની ભટનાગરનું બિમારી બાદ નિધન થઈ ગયું છે. 19 વર્ષની ઉંમરે દુનિયાને અલવિદા કહી દેતા બોલિવુડ ઈન્ડસ્ટ્રીમાં શોકની લાગણી પ્રવર્તિ ઉઠી છે. શનિવારે સુહાની ભટનાગરે અંતિમ શ્વાસ લીધા હતા. એવી માહિતી સામે આવી છે કે ખોટી ટ્રીટમેન્ટ થવાને કારણે તેમનું નિધન થયું છે. સુહાનીએ દંગલ ફિલ્મમાં નાની બબીતાનો રોલ નિભાવ્યો હતો.  

19 વર્ષે સુહાનીએ દુનિયાએ કહી દીધું અલવિદા!

ફિલ્મ જગતથી એક દુખદ સમાચાર સામે આવી રહ્યા છે. 19 વર્ષની ઉંમરે એક્ટ્રેસે દુનિયાને અલવિદા કહી દીધી છે. એવી માહિતી સામે આવી છે કે ખોટી સારવાર મળવાને કારણે તેમનું નિધન થયું છે. ઘણા સમયથી દિલ્હીની હોસ્પિટલમાં તે સારવાર લઈ રહ્યા હતા. એવી માહિતી સામે આવી છે કે તેમના અંતિમ સંસ્કાર ફરીદાબાદમાં કરવામાં આવશે. મળતી માહિતી અનુસાર થોડા સમય પહેલા સુહાનીમાં પગમાં ફેક્ચર થયું હતું. તેની સારવાર માટે તે દવાઓ લઈ રહી હતી. તે દવાઓની સાઈડ ઈફેક્ટ થઈ જેને કારણે શરીરમાં પ્રવાહી પદાર્થ જમા થઈ ગયું હતું જેને કારણે તેનું નિધન થઈ ગયું.


દંગલ ફિલ્મમાં થયા હતા સુહાનીના અભિનયના વખાણ!

નાની ઉંમરે સુહાની ભટનાગરનું નિધન થઈ જતા બોલિવુડ જગતમાં શોકની લાગણી પ્રવર્તિ ઉઠી છે. વર્ષ 2016માં સુહાની ભટનાગરે ફિલ્મ 'દંગલ' દ્વારા બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. આમાં તેણે આમિર ખાન સાથે સ્ક્રીન શેર કરી હતી. પ્રેક્ષકોએ ગીતા અને બબીતાના પાત્રો ભજવતા બંને બાળ કલાકારોના અભિનયના વખાણ કર્યા હતા પરંતુ ભણતરને કારણે તે ફિલ્મ ઈન્ડસ્ટીથી દૂર રહ્યા હતા. દંગલ ફિલ્મમાં આમિર ખાન, સાક્ષિ તનવર, જાયરા વસીમ જેવા કલાકારો હતા. 



ઇન્દોરના રાજા રઘુવંશી કેસમાં આરોપીઓનું કબુલનામું સામે આવ્યું છે . ચારેય આરોપીઓએ સોનમ રઘુવંશીને જ માસ્ટમાઈન્ડ ગણાવી છે કેમ કે , સોનમ રાજા રઘુવંશી સાથે લગન કરવા નહોતી માંગતી . આ ખુબ ચોંકાવનારો ખુલાસો છે કેમ કે , સોનમ દ્વારા એવું કેહવામાં આવ્યું હતું કે , તેને ડ્રગ આપીને ગાઝીપુર લાવવામાં આવી હતી . સાથે જ આપણે જાણીશું કે રાજા રઘુવંશીના કેસમાં પોલીસ પાસે ક્યા મહત્વના પુરાવા છે?

કોઈ પણ કંપનીમાં જેમ એક ફાઉન્ડરની સાથે એક કો-ફાઉન્ડર હોય છે તેમ અમેરિકા માટે એવું કહેવાતું હતું કે , પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પની સાથે એક કો પ્રેસિડન્ટ છે જે છે ટેસ્લાના સીઈઓ ઈલોન મસ્ક . પરંતુ જ્યારથી તેમણે ડોનાલ્ડ ટ્રમ્પની સરકારમાંથી રાજીનામુ આપી દીધું ત્યારથી જ બેઉ વચ્ચેના સંબંધોમાં જોરદાર તણાવ જોવા મળી રહ્યો છે. એક બાજુ પ્લેટફોર્મ એક્સ પર ડોનાલ્ડ ટ્રમ્પ અને ઈલોન મસ્ક વચ્ચેની અસેહમતીઓ બહાર આવી ગઈ. હવે ડોનાલ્ડ ટ્રમ્પ અને ઈલોન મસ્કના તણાવની અસર અમેરિકાની સિલિકોન વેલી પર પડવા જઈ રહી છે.

ઈંદોરના રાજા રઘુવંશીના હત્યાના કેસમાં હવે નવા ખુલાસા સામે આવ્યા છે . ઈંદોરના ટ્રાન્સપોર્ટ બિઝનેસમેન રાજા રઘુવંશી જયારે મેઘાલયની રાજધાની શિલોન્ગ ખાતે તેમની પત્ની સોનમ સાથે હનીમૂન મનાવવા ગયા ત્યારે પત્ની સોનમે જ તેમની હત્યા કરાવડાવી હતી . આ બાબતે મેઘાલયના મુખ્યમંત્રી કોનરાડ સંગમા અને મેઘાલયના ડીજીપીની પ્રતિક્રિયા સામે આવી છે.

જૂનાગઢ જિલ્લાની વિસાવદર બેઠકમાં અત્યારસુધીમાં માત્ર ને માત્ર નેતાઓ નિવેદનબાજીઓ કરતા હતા પરંતુ હવે થયું છે એવું કે , જયારે વિસાવદરના જીવાપરા વિસ્તારમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયા જયારે સભા કરી રહ્યા હતા ત્યારે રાત્રી દરમ્યાન ભાજપના સમર્થકો દ્વારા તેમના પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો .