Dangal Filmમાં નાની બબિતાનો રોલ નિભાવનાર Suhani bhatnagarનું 19 વર્ષે થયું નિધન, ફિલ્મ જગતમાં વ્યાપી ઉઠ્યો શોક....


  • Published By :
  • Published Date : 2024-02-17 16:30:52

થોડા વર્ષો પહેલા દંગલ ફિલ્મ આવી હતી જે કુસ્તીબાજના જીવન પર આધારીત હતી. આમિર ખાનની ફિલ્મમાં આમિર ખાનની નાની દીકરીનો રોલ નીભાવનાર 19 વર્ષીય સુહાની ભટનાગરનું બિમારી બાદ નિધન થઈ ગયું છે. 19 વર્ષની ઉંમરે દુનિયાને અલવિદા કહી દેતા બોલિવુડ ઈન્ડસ્ટ્રીમાં શોકની લાગણી પ્રવર્તિ ઉઠી છે. શનિવારે સુહાની ભટનાગરે અંતિમ શ્વાસ લીધા હતા. એવી માહિતી સામે આવી છે કે ખોટી ટ્રીટમેન્ટ થવાને કારણે તેમનું નિધન થયું છે. સુહાનીએ દંગલ ફિલ્મમાં નાની બબીતાનો રોલ નિભાવ્યો હતો.  

19 વર્ષે સુહાનીએ દુનિયાએ કહી દીધું અલવિદા!

ફિલ્મ જગતથી એક દુખદ સમાચાર સામે આવી રહ્યા છે. 19 વર્ષની ઉંમરે એક્ટ્રેસે દુનિયાને અલવિદા કહી દીધી છે. એવી માહિતી સામે આવી છે કે ખોટી સારવાર મળવાને કારણે તેમનું નિધન થયું છે. ઘણા સમયથી દિલ્હીની હોસ્પિટલમાં તે સારવાર લઈ રહ્યા હતા. એવી માહિતી સામે આવી છે કે તેમના અંતિમ સંસ્કાર ફરીદાબાદમાં કરવામાં આવશે. મળતી માહિતી અનુસાર થોડા સમય પહેલા સુહાનીમાં પગમાં ફેક્ચર થયું હતું. તેની સારવાર માટે તે દવાઓ લઈ રહી હતી. તે દવાઓની સાઈડ ઈફેક્ટ થઈ જેને કારણે શરીરમાં પ્રવાહી પદાર્થ જમા થઈ ગયું હતું જેને કારણે તેનું નિધન થઈ ગયું.


દંગલ ફિલ્મમાં થયા હતા સુહાનીના અભિનયના વખાણ!

નાની ઉંમરે સુહાની ભટનાગરનું નિધન થઈ જતા બોલિવુડ જગતમાં શોકની લાગણી પ્રવર્તિ ઉઠી છે. વર્ષ 2016માં સુહાની ભટનાગરે ફિલ્મ 'દંગલ' દ્વારા બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. આમાં તેણે આમિર ખાન સાથે સ્ક્રીન શેર કરી હતી. પ્રેક્ષકોએ ગીતા અને બબીતાના પાત્રો ભજવતા બંને બાળ કલાકારોના અભિનયના વખાણ કર્યા હતા પરંતુ ભણતરને કારણે તે ફિલ્મ ઈન્ડસ્ટીથી દૂર રહ્યા હતા. દંગલ ફિલ્મમાં આમિર ખાન, સાક્ષિ તનવર, જાયરા વસીમ જેવા કલાકારો હતા. 



વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ કાલે આઝાદીના પર્વ લાલ કિલ્લાની પ્રાચીર પરથી , દેશના યુવાનોને રોજગાર આપવા માટે , "પીએમ વિકસિત ભારત રોજગાર યોજના"ની જાહેરાત કરી હતી. જે અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે , "આ યોજનાનો કુલ ખર્ચો ૧ લાખ કરોડ છે સાથે જ આવનારા બે વર્ષમાં ૩.૫ કરોડથી વધારે નોકરીઓનું સર્જન થશે." તો હવે લોકસભાના વિરોધપક્ષના નેતા નેતા રાહુલ ગાંધીએ પીએમ મોદી પર આ યોજનાને લઇને કહ્યું છે કે , "આ ૧ લાખ કરોડનો નવો જુમલો આપવામાં આવ્યો. મોદીજી પાસે નવા કોઈ જ નવા આઈડિયા નથી. "

આજના દિવસે પાર - તાપી - નર્મદા રિવર લિંક પ્રોજેક્ટના વિરોધમાં વલસાડના ધરમપુર ખાતે કોંગ્રેસ દ્વારા રેલી યોજવામાં આવી હતી. ત્યારે સરકારે એવી જાહેરાત કરી છે કે, આ પ્રોજેક્ટ થવાનો જ નથી ઉપરાંત કોંગ્રેસ આદિવાસીઓને ઉશ્કેરી રહી છે. તો હવે આજે વીડિયોમાં સૌપ્રથમ આપણે સમજીશું કે પાર - તાપી - નર્મદા રિવર લિંક પ્રોજેક્ટ શું છે? એ પણ સમજીશું કોંગ્રેસ કેમ આ પ્રોજેક્ટનો વિરોધ કરી રહી છે.

આણંદ અમુલ નિયામક મંડળની ચૂંટણી જાહેર થઇ ચુકી છે. આ ચૂંટણીઓ ૧૦મી સપ્ટેમ્બરના રોજ યોજાશે. આ માટે આણંદ અમુલ ડેરીએ આખરી મતદાર યાદી પણ પ્રસ્સિદ્ધ કરી નાખી છે. હવે ચૂંટણીનો ધમધમાટ તેજ થવા સાથે ઉમેદવારની દાવેદારી કરવા ઇચ્છતા નેતાઓ દ્વારા એડીચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે. આણંદ નિયામક મંડળની ૧૩ બેઠકો માટે ચૂંટણી યોજાશે. આ ચૂંટણીમાં મહિલાઓ માટે બે બેઠકો અનામત રાખવામાં આવી છે.

ભારત દ્વારા કરવામાં આવેલા ઓપરેશન સિંદૂર પછી , હવે ફરી એકવાર બેઉ દેશ ભારત અને પાકિસ્તાન આરબ સાગરમાં યુદ્ધ અભ્યાસ કરવા જઈ રહ્યા છે . ભારત અને પાકિસ્તાનની નૌકા સેનાઓ બે દિવસો ૧૧ અને ૧૨ ઓગસ્ટ માટે , આરબ સાગરમાં યુદ્ધ અબ્યાસ હાથ ધરશે. બને દેશના ફાયરિંગ ઝોન વચ્ચે ૬૦ નોટિકલ માઈલનું અંતર રહેશે. તો હવે બીજી તરફ પાકિસ્તાનના ફિલ્ડ માર્શલ અસીમ મુનીર અમેરિકાની મુલાકાતે છે . જ્યાંથી તેમણે ભારત માટે પરમાણુ બોમ્બની ધમકી ઉચ્ચારી છે.