જેલમાં બંધ મહાઠગ સુકેશ પાસેથી મળી 1.5 લાખની ચપ્પલ અને 80 હજારની જીન્સ


  • Published By :
  • Published Date : 2023-02-23 14:13:19

મહાઠગ સુકેશ ચંદ્રશેખર રૂ. 200 કરોડની ઠગાઈ અને છેંતરપિંડીના કેસમાં છેલ્લા ઘણા મહિનાઓથી દિલ્હીની મંડોલી જેલમાં બંધ છે. જો કે જેલમાં પણ તેની લાઈફસ્ટાઈલમાં કોઈ ફરક પડ્યો નથી.જેલ અધિકારીઓએ અચાનક જ તેની સેલમાં રેડ પાડતા સુકેશની બધી પોલ ખુલી ગઈ છે. તેના સેલમાંથી દોઢ લાખ રૂપિયાના ચપ્પલ અને 80 હજારની બે જિન્સ સહિત અનેક લક્ઝરી ચીજો જપ્ત કરી છે. જેલના જ કર્મચારીઓની રહેમ નજર હેઠળ આ ગોરખધંધા ચાલતા હતા.


લક્ઝુરિયસ બ્રાન્ડની વસ્તુઓ મળી


પોલીસ અધિકારી દીપક શર્મા અને જયસિંહ જ્યારે સીઆરપીએફ સાથે સુકેશના સેલમાં પહોંચ્યા તો સુકેશ સ્તબ્ધ થઈ ગયો. વીડિયોમાં તેના સેલમાં ઘણી બધી સામગ્રી જોવા મળી હતી. દરોડામાં પોલીસને સુકેશના સેલમાંથી વિવિધ મોટી લક્ઝુરિયસ બ્રાન્ડનો સામાન મળી આવ્યો છે, તેને જોઈને અધિકારીઓ પણ આશ્ચર્યચકિત થઈ ગયા છે. તેની પાસેથી 1.5 લાખ રૂપિયાના ગૂચી ચપ્પલ અને 80 હજાર રૂપિયાની કિંમતના બે જીન્સ મળી આવ્યા છે. દરોડા દરમિયાન સુકેશ રડવા લાગ્યો હતો.


સુકેશ પર શું આરોપ છે?


મહાઠગ સુકેશ ચંદ્રશેખરને ખંડણી અને મની લોન્ડરિંગના અન્ય એક કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે નવ દિવસના રિમાન્ડ પર મોકલ્યો છે. ED દ્વારા દાખલ કરાયેલ એન્ફોર્સમેન્ટ કેસ ઇન્ફર્મેશન રિપોર્ટ (ECIR) માં તેની ધરપકડ કરવામાં આવી હોવાનું કહેવાય છે. તેના પર માલવિંદર સિંહની પત્ની જપના સિંહ સાથે 3.5 કરોડ રૂપિયાની છેતરપિંડી આચરવાનો આરોપ છે. ફરિયાદી અનુસાર, ચંદ્રશેખરે વરિષ્ઠ સરકારી અધિકારી તરીકે જપના એમ. સિંહને બોલાવીને તેમની પાસેથી પૈસા પડાવી લીધા હતા. પટિયાલા હાઉસ કોર્ટના એડિશનલ સેશન્સ જજ શૈલેન્દ્ર મલિકે તેને 9 દિવસના ED રિમાન્ડ પર મોકલી દીધો છે.



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.