જેલમાં બંધ મહાઠગ સુકેશ પાસેથી મળી 1.5 લાખની ચપ્પલ અને 80 હજારની જીન્સ


  • Published By :
  • Published Date : 2023-02-23 14:13:19

મહાઠગ સુકેશ ચંદ્રશેખર રૂ. 200 કરોડની ઠગાઈ અને છેંતરપિંડીના કેસમાં છેલ્લા ઘણા મહિનાઓથી દિલ્હીની મંડોલી જેલમાં બંધ છે. જો કે જેલમાં પણ તેની લાઈફસ્ટાઈલમાં કોઈ ફરક પડ્યો નથી.જેલ અધિકારીઓએ અચાનક જ તેની સેલમાં રેડ પાડતા સુકેશની બધી પોલ ખુલી ગઈ છે. તેના સેલમાંથી દોઢ લાખ રૂપિયાના ચપ્પલ અને 80 હજારની બે જિન્સ સહિત અનેક લક્ઝરી ચીજો જપ્ત કરી છે. જેલના જ કર્મચારીઓની રહેમ નજર હેઠળ આ ગોરખધંધા ચાલતા હતા.


લક્ઝુરિયસ બ્રાન્ડની વસ્તુઓ મળી


પોલીસ અધિકારી દીપક શર્મા અને જયસિંહ જ્યારે સીઆરપીએફ સાથે સુકેશના સેલમાં પહોંચ્યા તો સુકેશ સ્તબ્ધ થઈ ગયો. વીડિયોમાં તેના સેલમાં ઘણી બધી સામગ્રી જોવા મળી હતી. દરોડામાં પોલીસને સુકેશના સેલમાંથી વિવિધ મોટી લક્ઝુરિયસ બ્રાન્ડનો સામાન મળી આવ્યો છે, તેને જોઈને અધિકારીઓ પણ આશ્ચર્યચકિત થઈ ગયા છે. તેની પાસેથી 1.5 લાખ રૂપિયાના ગૂચી ચપ્પલ અને 80 હજાર રૂપિયાની કિંમતના બે જીન્સ મળી આવ્યા છે. દરોડા દરમિયાન સુકેશ રડવા લાગ્યો હતો.


સુકેશ પર શું આરોપ છે?


મહાઠગ સુકેશ ચંદ્રશેખરને ખંડણી અને મની લોન્ડરિંગના અન્ય એક કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે નવ દિવસના રિમાન્ડ પર મોકલ્યો છે. ED દ્વારા દાખલ કરાયેલ એન્ફોર્સમેન્ટ કેસ ઇન્ફર્મેશન રિપોર્ટ (ECIR) માં તેની ધરપકડ કરવામાં આવી હોવાનું કહેવાય છે. તેના પર માલવિંદર સિંહની પત્ની જપના સિંહ સાથે 3.5 કરોડ રૂપિયાની છેતરપિંડી આચરવાનો આરોપ છે. ફરિયાદી અનુસાર, ચંદ્રશેખરે વરિષ્ઠ સરકારી અધિકારી તરીકે જપના એમ. સિંહને બોલાવીને તેમની પાસેથી પૈસા પડાવી લીધા હતા. પટિયાલા હાઉસ કોર્ટના એડિશનલ સેશન્સ જજ શૈલેન્દ્ર મલિકે તેને 9 દિવસના ED રિમાન્ડ પર મોકલી દીધો છે.



રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.

અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.