સુનિલ ગાવસ્કર ટીમ ઈન્ડિયા પર વિફર્યા, 'તમે IPL રમો છો, ત્યારે વર્કલોડ નહીં, તો ભારત માટે શા માટે?


  • Published By :
  • Published Date : 2022-11-12 15:21:47

ટી20 વર્લ્ડ કપમાંથી ભારતીય ક્રિકેટ ટીમ ફેંકાઈ ગયા બાદ સિનિયર ક્રિકેટર સુનિલ ગાવસ્કર પર ટીમ પર ભડક્યા છે. પૂર્વ ભારતીય કેપ્ટન સુનિલ ગાવસ્કરે  ટીમ ઈન્ડિયાના ખેલાડીઓના વર્ક લોડ અંગેના બહાનાના પર જબરદસ્ત આક્રોસ વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું કે ખેલાડીઓ જ્યારે ખેલાડીઓ IPL રમે છે ત્યારે બધુ જ સારૂ હોય છે પરંતું જેવા જ તે ભારત માટે રમે છે ત્યારે  તેમને વર્કલોડ યાદ આવી જાય છે. 


શું કહ્યું સુનિલ ગાવસ્કરે?


સુનીલ ગાવસ્કરે કહ્યું, 'તમે IPL રમો છો. આખી સીઝન રમો, ત્યાં તમે મુસાફરી કરો છો. માત્ર છેલ્લી આઈપીએલ ચાર કેન્દ્રોમાં થઈ હતી, બાકી બધે તમે આમ તેમ દોડતા રહો છો. ત્યાં તમે થાકતા નથી? ત્યાં કોઈ વર્કલોડ નથી હોતો? જ્યારે તમારે ભારત માટે રમવાનું હોય છે ત્યારે જ, તે પણ જ્યારે તમારે નોન-ગ્લેમરસ દેશોમાં રમવા જાઓ છો, ત્યારે તમારો વર્ક લોડ વધી જાય છે? આ ખોટું છે.'


ન્યૂઝીલેન્ડ સામેની સિરિઝમાં સિનિયર ખેલાડીઓનો અભાવ


ભારતીય ક્રિકેટ ટીમ હવે ન્યૂઝીલેન્ડનો પ્રવાસ કરવાની છે. 17 નવેમ્બરથી ન્યૂઝીલેન્ડ સામેની ટી20 સીરીઝ શરૂ થશે. આ સીરીઝમાં ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડીઓ રોહિત શર્મા, વિરાટ કોહલી, અને કેએલ રાહુલ સહિતના સિનિયર ખેલાડીઓને આરામ આપવામાં આવ્યો છે. ગાવસ્કરે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે બીસીસીઆઈએ આ ખેલાડીઓને આટલી બધી છુટ ન આપવી  જોઈએ.  



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.