સુનિલ ગાવસ્કર ટીમ ઈન્ડિયા પર વિફર્યા, 'તમે IPL રમો છો, ત્યારે વર્કલોડ નહીં, તો ભારત માટે શા માટે?


  • Published By :
  • Published Date : 2022-11-12 15:21:47

ટી20 વર્લ્ડ કપમાંથી ભારતીય ક્રિકેટ ટીમ ફેંકાઈ ગયા બાદ સિનિયર ક્રિકેટર સુનિલ ગાવસ્કર પર ટીમ પર ભડક્યા છે. પૂર્વ ભારતીય કેપ્ટન સુનિલ ગાવસ્કરે  ટીમ ઈન્ડિયાના ખેલાડીઓના વર્ક લોડ અંગેના બહાનાના પર જબરદસ્ત આક્રોસ વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું કે ખેલાડીઓ જ્યારે ખેલાડીઓ IPL રમે છે ત્યારે બધુ જ સારૂ હોય છે પરંતું જેવા જ તે ભારત માટે રમે છે ત્યારે  તેમને વર્કલોડ યાદ આવી જાય છે. 


શું કહ્યું સુનિલ ગાવસ્કરે?


સુનીલ ગાવસ્કરે કહ્યું, 'તમે IPL રમો છો. આખી સીઝન રમો, ત્યાં તમે મુસાફરી કરો છો. માત્ર છેલ્લી આઈપીએલ ચાર કેન્દ્રોમાં થઈ હતી, બાકી બધે તમે આમ તેમ દોડતા રહો છો. ત્યાં તમે થાકતા નથી? ત્યાં કોઈ વર્કલોડ નથી હોતો? જ્યારે તમારે ભારત માટે રમવાનું હોય છે ત્યારે જ, તે પણ જ્યારે તમારે નોન-ગ્લેમરસ દેશોમાં રમવા જાઓ છો, ત્યારે તમારો વર્ક લોડ વધી જાય છે? આ ખોટું છે.'


ન્યૂઝીલેન્ડ સામેની સિરિઝમાં સિનિયર ખેલાડીઓનો અભાવ


ભારતીય ક્રિકેટ ટીમ હવે ન્યૂઝીલેન્ડનો પ્રવાસ કરવાની છે. 17 નવેમ્બરથી ન્યૂઝીલેન્ડ સામેની ટી20 સીરીઝ શરૂ થશે. આ સીરીઝમાં ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડીઓ રોહિત શર્મા, વિરાટ કોહલી, અને કેએલ રાહુલ સહિતના સિનિયર ખેલાડીઓને આરામ આપવામાં આવ્યો છે. ગાવસ્કરે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે બીસીસીઆઈએ આ ખેલાડીઓને આટલી બધી છુટ ન આપવી  જોઈએ.  



ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે

લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. સૌ પ્રથમ તેમણે રાજધાની શ્રીનગરના આર્મી હોસ્પિટલની મુલાકાત લીધી છે. આ ઉપરાંત તેમણે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહની અને LG મનોજ સિંહની પણ મુલાકાત લીધી છે .