સુનિલ ગાવસ્કર ટીમ ઈન્ડિયા પર વિફર્યા, 'તમે IPL રમો છો, ત્યારે વર્કલોડ નહીં, તો ભારત માટે શા માટે?


  • Published By :
  • Published Date : 2022-11-12 15:21:47

ટી20 વર્લ્ડ કપમાંથી ભારતીય ક્રિકેટ ટીમ ફેંકાઈ ગયા બાદ સિનિયર ક્રિકેટર સુનિલ ગાવસ્કર પર ટીમ પર ભડક્યા છે. પૂર્વ ભારતીય કેપ્ટન સુનિલ ગાવસ્કરે  ટીમ ઈન્ડિયાના ખેલાડીઓના વર્ક લોડ અંગેના બહાનાના પર જબરદસ્ત આક્રોસ વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું કે ખેલાડીઓ જ્યારે ખેલાડીઓ IPL રમે છે ત્યારે બધુ જ સારૂ હોય છે પરંતું જેવા જ તે ભારત માટે રમે છે ત્યારે  તેમને વર્કલોડ યાદ આવી જાય છે. 


શું કહ્યું સુનિલ ગાવસ્કરે?


સુનીલ ગાવસ્કરે કહ્યું, 'તમે IPL રમો છો. આખી સીઝન રમો, ત્યાં તમે મુસાફરી કરો છો. માત્ર છેલ્લી આઈપીએલ ચાર કેન્દ્રોમાં થઈ હતી, બાકી બધે તમે આમ તેમ દોડતા રહો છો. ત્યાં તમે થાકતા નથી? ત્યાં કોઈ વર્કલોડ નથી હોતો? જ્યારે તમારે ભારત માટે રમવાનું હોય છે ત્યારે જ, તે પણ જ્યારે તમારે નોન-ગ્લેમરસ દેશોમાં રમવા જાઓ છો, ત્યારે તમારો વર્ક લોડ વધી જાય છે? આ ખોટું છે.'


ન્યૂઝીલેન્ડ સામેની સિરિઝમાં સિનિયર ખેલાડીઓનો અભાવ


ભારતીય ક્રિકેટ ટીમ હવે ન્યૂઝીલેન્ડનો પ્રવાસ કરવાની છે. 17 નવેમ્બરથી ન્યૂઝીલેન્ડ સામેની ટી20 સીરીઝ શરૂ થશે. આ સીરીઝમાં ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડીઓ રોહિત શર્મા, વિરાટ કોહલી, અને કેએલ રાહુલ સહિતના સિનિયર ખેલાડીઓને આરામ આપવામાં આવ્યો છે. ગાવસ્કરે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે બીસીસીઆઈએ આ ખેલાડીઓને આટલી બધી છુટ ન આપવી  જોઈએ.  



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.