સુનિતા વિલિયમ્સની આ સિદ્ધિઓ જોઈને રહી જશો "દંગ"!


  • Published By : Parth Vaghela
  • Published Date : 2025-03-19 15:56:27

સુનિતા વિલિયમ્સના ધરતી પર પાછા ફરવાથી સમગ્ર ભારતમાં ખુશીનો માહોલ છે . ખાસ કરીને તેમના વતન ઝુલાસણ મહેસાણામાં તો દિવાળી જેવો માહોલ છે . હવે આપણે જાણીએ કે આ અવકાશયાત્રા દરમ્યાન સુનિતા વિલિયમ્સે કઈ  સિદ્ધિઓ હાંસલ કરી છે . સુનિતા વિલિયમ્સ બોઇંગના સ્ટારલાઇનર ક્રૂ ફ્લાઇટ ટેસ્ટ મિશનના ભાગરૂપે 5 જૂન, 2024ના રોજ અવકાશમાં ગયા હતા. આ મિશન બોઇંગના સ્ટારલાઇનર અવકાશયાનનું પ્રથમ માનવસહિત પરીક્ષણ હતું, જેનો હેતુ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS) પર અવકાશયાત્રીઓને લઇ જવાનું અને પાછા લાવવાની ક્ષમતાનું પરીક્ષણ કરવાનું હતો. આ મિશનમાં તેમની સાથે બૂચ વિલ્મોર પણ હતા. શરૂઆતમાં આ મિશન માત્ર આઠ દિવસનું હતું, પરંતુ સ્ટારલાઇનરમાં થ્રસ્ટર નિષ્ફળતા અને હિલિયમ લીક જેવી તકનીકી સમસ્યાઓને કારણે તેમનું ISS પર રોકાણ 286 દિવસ સુધી લંબાઈ ગયું. આખરે, તેઓ સ્પેસએક્સના *ક્રૂ-9 મિશન*ના ડ્રેગન અવકાશયાન દ્વારા 18 માર્ચ, 2025ના રોજ ISSથી ધરતી પર પરત ફરવા રવાના થયા અને 19 માર્ચ, 2025ના રોજ પૃથ્વી પર પાછા ફર્યા.

Sunita Williams live updates: NASA astronauts return to Earth, health  challenges begin now | Hindustan Times

હવે આપણે જોઈએ કે સુનિતા વિલિયમ્સની આ અવકાશયાત્રા દરમ્યાન સિદ્ધિઓ શું છે? 

1. રેકોર્ડ-બ્રેકિંગ રોકાણ: સુનિતા વિલિયમ્સે આ મિશન દરમિયાન 286 દિવસ સુધી ISS પર રહીને તેમના કુલ અવકાશ રોકાણને વધુ વિસ્તાર્યું. આ પહેલાં તેઓ અભિયાન 14/15 (2006-07) અને અભિયાન 32/33 (2012)માં કુલ 322 દિવસ અવકાશમાં વિતાવી ચૂક્યા હતા, અને હવે તેમનો કુલ સમય 600 દિવસથી વધુ થયો છે, જે એક મહિલા અવકાશયાત્રી માટે નોંધપાત્ર સિદ્ધિ છે.

2. સ્પેસવૉક: સ્પેસવૉક એટલે અવકાશમાં પોતાના અવકાશયાન કે સ્પેસ સ્ટેશનની બહાર નીકળી અવકાશયાત્રી ખુલ્લા અવકાશમાં કામ કરે. આ દરમિયાન તેઓ ખાસ સ્પેસસૂટ પહેરે છે, જે તેમને ઓક્સિજન આપે છે અને અવકાશના ખતરાઓથી બચાવે છે. સ્પેસવૉકમાં તેઓ સાધનો સુધારવા, પ્રયોગો કરવા કે કોઈ નવું કામ કરવા માટે બહાર જાય છે. સરળ શબ્દોમાં, એ અવકાશમાં ચાલવું કે તરવા જેવું છે, પણ પૃથ્વીની જેમ નહીં, કારણ કે ત્યાં ગુરુત્વાકર્ષણ નથી હોતું. આ મિશન દરમિયાન, સુનિતા વિલિયમ્સે 16 જાન્યુઆરી, 2025ના રોજ એક સ્પેસવૉક કર્યું હતું, જેનો ઉદ્દેશ ન્યુટ્રોન સ્ટાર ઇન્ટિરિયર કમ્પોઝિશન એક્સપ્લોરર (NICER) સાધનને સુધારવાનો હતો. આ તેમનું કુલ નવમું સ્પેસવૉક હતું, જે તેમને મહિલાઓમાં સૌથી વધુ સ્પેસવૉક કરનારમાં બીજા ક્રમે રાખે છે. તેમનો કુલ સ્પેસવૉક સમય 62 કલાક અને 6 મિનિટથી વધુ છે, જે મહિલાઓમાં સૌથી વધુ છે.

3. વૈજ્ઞાનિક પ્રયોગો: ISS પર લાંબા રોકાણ દરમિયાન, સુનિતાએ અનેક વૈજ્ઞાનિક પ્રયોગોમાં ભાગ લીધો, જેમાં માઇક્રોગ્રેવિટીમાં છોડને પાણી આપવાની નવી ટેકનિકોનો અભ્યાસ (પ્લાન્ટ વૉટર મેનેજમેન્ટ) અને અન્ય સંશોધનો શામેલ હતા, જે ભવિષ્યના અવકાશ મિશનો માટે ઉપયોગી થશે.

4. સહનશક્તિનું પ્રતીક: તકનીકી મુશ્કેલીઓ અને અનિશ્ચિતતા છતાં, સુનિતાએ આ લાંબા અને અણધાર્યા મિશનમાં સકારાત્મક વલણ જાળવી રાખ્યું, જે અવકાશ સંશોધનમાં તેમની સ્થિતિસ્થાપકતા અને સમર્પણને દર્શાવે છે.

Sunita Williams To Make History With 9th Spacewalk Today, Will Become Most  Experienced Woman Spacewalker

આ રીતે, સુનિતા વિલિયમ્સ આ મિશનમાંથી નવી સિદ્ધિઓ અને અનુભવો સાથે પાછા ફર્યા, જે અવકાશ સંશોધનના ક્ષેત્રમાં એક પ્રેરણાદાયી ઉદાહરણ બની રહેશે.ગુજરાતના દીકરી સુનિતા વિલિયમ્સએ ભારતની કરોડો દીકરીઓમાં અવકાશયાત્રી બનવાનું સપનું રોપી દીધું છે . એક સમયે આવું જ સપનું કલ્પના ચાવલાએ રોપ્યું હતું .



રાજકોટના ગોંડલમાં નિલેશ રૈયાણીના કેસમાં પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાની મુશ્કેલીઓ વધી શકે છે. કેમ કે, નિલેશ રૈયાણી કેસમાં ફરિયાદી જયેશ સાટોડિયાના નાનાં ભાઈ જગદીશ સાટોડિયાએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પત્ર લખ્યો છે જેમાં તેમના દ્વારા નિલેશ રૈયાણી કેસ જે સુપ્રીમ કોર્ટમાં ચાલી રહ્યો છે તેને ગુજરાત સરકાર તરફથી ઝડપથી ચલાવવા અપીલ કરી કરી છે. આ બાબતે કોઈ કાર્યવાહી ના થવા પર આગામી ૧૫ દિવસમાં જગદીશ સાટોડિયાએ સુપ્રીમ કોર્ટમાં PIL દાખલ કરવાની ચીમકી ઉચ્ચારી છે. તો આવો જાણીએ શું છે સમાચાર?

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે આજે પરિણામ આવી ગયા છે. રાજ્યની 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયતની કુલ ૧૦,૦૦૫ બેઠક પર 26,196 ઉમેદવારના ચૂંટણી પરિણામો જાહેર થઈ રહ્યા છે. 26 એપ્રિલે આ બેઠકો પર સરેરાશ 57 ટકા મતદાન થયું હતું. જેમાં મહાનગરપાલિકાઓ , નગરપાલિકાઓ , જિલ્લા પંચાયત , તાલુકા પંચાયતોમાં ભાજપનો દબદબો યથાવત રહ્યો છે.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ વચ્ચે જામનગરથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. જેમાં વોર્ડ નંબર ૩ના ઉમેદવાર હાર્ટ એટેકથી નરેન્દ્રસિંહ જાડેજાનું મૃત્યુ થયું છે. આ કારણે, જામનગર શહેરના વોર્ડ નંબર ૩માં શોકનું મોજું ફરી વળ્યું છે. આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.

અમદાવાદમાં અંતાક્ષરી મહોત્સવ 2026 અમદાવાદ શહેરમાં એક અનોખો અને આનંદમય માહોલ ત્યારે સર્જાયો, જ્યારે Rotary International ડિસ્ટ્રિક્ટ 3055 દ્વારા ઇન્ટર ક્લબ અંતાક્ષરી મહોત્સવ 2026નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમ ગુજરાત સાહિત્ય પરિષદ હોલ ખાતે સફળતાપૂર્વક યોજાયો હતો. સમગ્ર હોલમાં ઉત્સાહ, આનંદ અને સંગીતનો સરસ મેળાપ જોવા મળ્યો. આ મહોત્સવમાં ડિસ્ટ્રિક્ટની વિવિધ ક્લબોમાંથી કુલ 15 ટીમોએ ભાગ લીધો હતો. દરેક ટીમ પોતાના શ્રેષ્ઠ પ્રદર્શન માટે તૈયાર હતી, જેના કારણે શરૂઆતથી જ સ્પર્ધામાં એક સકારાત્મક અને ઉત્સાહભેર વાતાવરણ જોવા મળ્યું.