સુનિતા વિલિયમ્સની આ સિદ્ધિઓ જોઈને રહી જશો "દંગ"!


  • Published By : Parth Vaghela
  • Published Date : 2025-03-19 15:56:27

સુનિતા વિલિયમ્સના ધરતી પર પાછા ફરવાથી સમગ્ર ભારતમાં ખુશીનો માહોલ છે . ખાસ કરીને તેમના વતન ઝુલાસણ મહેસાણામાં તો દિવાળી જેવો માહોલ છે . હવે આપણે જાણીએ કે આ અવકાશયાત્રા દરમ્યાન સુનિતા વિલિયમ્સે કઈ  સિદ્ધિઓ હાંસલ કરી છે . સુનિતા વિલિયમ્સ બોઇંગના સ્ટારલાઇનર ક્રૂ ફ્લાઇટ ટેસ્ટ મિશનના ભાગરૂપે 5 જૂન, 2024ના રોજ અવકાશમાં ગયા હતા. આ મિશન બોઇંગના સ્ટારલાઇનર અવકાશયાનનું પ્રથમ માનવસહિત પરીક્ષણ હતું, જેનો હેતુ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS) પર અવકાશયાત્રીઓને લઇ જવાનું અને પાછા લાવવાની ક્ષમતાનું પરીક્ષણ કરવાનું હતો. આ મિશનમાં તેમની સાથે બૂચ વિલ્મોર પણ હતા. શરૂઆતમાં આ મિશન માત્ર આઠ દિવસનું હતું, પરંતુ સ્ટારલાઇનરમાં થ્રસ્ટર નિષ્ફળતા અને હિલિયમ લીક જેવી તકનીકી સમસ્યાઓને કારણે તેમનું ISS પર રોકાણ 286 દિવસ સુધી લંબાઈ ગયું. આખરે, તેઓ સ્પેસએક્સના *ક્રૂ-9 મિશન*ના ડ્રેગન અવકાશયાન દ્વારા 18 માર્ચ, 2025ના રોજ ISSથી ધરતી પર પરત ફરવા રવાના થયા અને 19 માર્ચ, 2025ના રોજ પૃથ્વી પર પાછા ફર્યા.

Sunita Williams live updates: NASA astronauts return to Earth, health  challenges begin now | Hindustan Times

હવે આપણે જોઈએ કે સુનિતા વિલિયમ્સની આ અવકાશયાત્રા દરમ્યાન સિદ્ધિઓ શું છે? 

1. રેકોર્ડ-બ્રેકિંગ રોકાણ: સુનિતા વિલિયમ્સે આ મિશન દરમિયાન 286 દિવસ સુધી ISS પર રહીને તેમના કુલ અવકાશ રોકાણને વધુ વિસ્તાર્યું. આ પહેલાં તેઓ અભિયાન 14/15 (2006-07) અને અભિયાન 32/33 (2012)માં કુલ 322 દિવસ અવકાશમાં વિતાવી ચૂક્યા હતા, અને હવે તેમનો કુલ સમય 600 દિવસથી વધુ થયો છે, જે એક મહિલા અવકાશયાત્રી માટે નોંધપાત્ર સિદ્ધિ છે.

2. સ્પેસવૉક: સ્પેસવૉક એટલે અવકાશમાં પોતાના અવકાશયાન કે સ્પેસ સ્ટેશનની બહાર નીકળી અવકાશયાત્રી ખુલ્લા અવકાશમાં કામ કરે. આ દરમિયાન તેઓ ખાસ સ્પેસસૂટ પહેરે છે, જે તેમને ઓક્સિજન આપે છે અને અવકાશના ખતરાઓથી બચાવે છે. સ્પેસવૉકમાં તેઓ સાધનો સુધારવા, પ્રયોગો કરવા કે કોઈ નવું કામ કરવા માટે બહાર જાય છે. સરળ શબ્દોમાં, એ અવકાશમાં ચાલવું કે તરવા જેવું છે, પણ પૃથ્વીની જેમ નહીં, કારણ કે ત્યાં ગુરુત્વાકર્ષણ નથી હોતું. આ મિશન દરમિયાન, સુનિતા વિલિયમ્સે 16 જાન્યુઆરી, 2025ના રોજ એક સ્પેસવૉક કર્યું હતું, જેનો ઉદ્દેશ ન્યુટ્રોન સ્ટાર ઇન્ટિરિયર કમ્પોઝિશન એક્સપ્લોરર (NICER) સાધનને સુધારવાનો હતો. આ તેમનું કુલ નવમું સ્પેસવૉક હતું, જે તેમને મહિલાઓમાં સૌથી વધુ સ્પેસવૉક કરનારમાં બીજા ક્રમે રાખે છે. તેમનો કુલ સ્પેસવૉક સમય 62 કલાક અને 6 મિનિટથી વધુ છે, જે મહિલાઓમાં સૌથી વધુ છે.

3. વૈજ્ઞાનિક પ્રયોગો: ISS પર લાંબા રોકાણ દરમિયાન, સુનિતાએ અનેક વૈજ્ઞાનિક પ્રયોગોમાં ભાગ લીધો, જેમાં માઇક્રોગ્રેવિટીમાં છોડને પાણી આપવાની નવી ટેકનિકોનો અભ્યાસ (પ્લાન્ટ વૉટર મેનેજમેન્ટ) અને અન્ય સંશોધનો શામેલ હતા, જે ભવિષ્યના અવકાશ મિશનો માટે ઉપયોગી થશે.

4. સહનશક્તિનું પ્રતીક: તકનીકી મુશ્કેલીઓ અને અનિશ્ચિતતા છતાં, સુનિતાએ આ લાંબા અને અણધાર્યા મિશનમાં સકારાત્મક વલણ જાળવી રાખ્યું, જે અવકાશ સંશોધનમાં તેમની સ્થિતિસ્થાપકતા અને સમર્પણને દર્શાવે છે.

Sunita Williams To Make History With 9th Spacewalk Today, Will Become Most  Experienced Woman Spacewalker

આ રીતે, સુનિતા વિલિયમ્સ આ મિશનમાંથી નવી સિદ્ધિઓ અને અનુભવો સાથે પાછા ફર્યા, જે અવકાશ સંશોધનના ક્ષેત્રમાં એક પ્રેરણાદાયી ઉદાહરણ બની રહેશે.ગુજરાતના દીકરી સુનિતા વિલિયમ્સએ ભારતની કરોડો દીકરીઓમાં અવકાશયાત્રી બનવાનું સપનું રોપી દીધું છે . એક સમયે આવું જ સપનું કલ્પના ચાવલાએ રોપ્યું હતું .



હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.

ભારત તરફથી , અમેરિકા સાથે વ્યાપારી કરારોની ચર્ચા કરવા માટે , એક પ્રતિનિધિમંડળ અમેરિકા પહોંચી ચૂક્યું છે. ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારી કરારો માટેની ડેડલાઈન ૯ મી જુલાઈ રાખવામાં આવી છે. તો હવે આ બાબતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસમાં નિવેદન આપ્યું છે કે , ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક "મોટો" વેપાર સોદો થવા જઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પએ આ નિવેદન વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત "બિગ બ્યુટીફૂલ બિલ" કાર્યક્રમમાં આપ્યું છે .

આમ આદમી પાર્ટીમાં એક નવો વિવાદનો વંટોળ ઉભો થયો છે. અને આ વિવાદનો વંટોળ કેમ ઉભો થયો છે તો , બોટાદના MLA ઉમેશ મકવાણા પ્રેસ કોન્ફરન્સ કરીને વિધાનસભાના દંડકપદેથી અને રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરીના પદેથી રાજીનામુ આપે છે . તો હવે આ મામલે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની ટ્વીટ સામે આવી છે જેમાં તેમણે લખ્યું છે કે બોટાદના MLA ઉમેશ મકવાણાને પાર્ટી વિરોધી ગતિવિધિઓ હાથ ધરવા માટે પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે.

હમણાં થોડાક સમય પેહલા જ વિસાવદર બેઠક માટે પેટાચૂંટણી સંપન્ન થઈ છે. આ પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાનો 17,554 મતોથી વિજય થયો છે . તો સામે ભાજપના કિરીટ પટેલ અને કોંગ્રેસના નીતિન રાણપરીયાની હાર થઈ છે. આમ તો દેશના કોઈ પણ ખૂણામાં યોજાતી , પેટાચૂંટણી એ જનતાના આંશિક અંદાજ અને મિજાજનો પરિચય આપે છે. તે સંપૂર્ણપણે જનતાના મિજાજનો બેરોમીટર નથી. પરંતુ , વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીએ એક નરેટિવ ખુબ જ મજબૂત કર્યો છે કે , ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને માત્ર ને માત્ર આમ આદમી પાર્ટી જ ટક્કર આપી શકે છે. કોંગ્રેસની જે હાલત થઈ છે તેના લીધે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કોંગ્રેસ હાઇકમાન્ડને રાજીનામુ ધરી દીધુ છે.