સની દેઓલના બંગલાની હરાજી રદ, જયરામ રમેશનો ટોણો 24 કલાકમાં ક્યાંથી આવ્યું 'technical reasons'?


  • Published By :
  • Published Date : 2023-08-21 14:11:02

બોલિવુડ એભિનેતા અને પંજાબના ગુરૂદાસપુરથી ભાજપના સાંસદ સની દેઓલના જુહૂ સ્થિત બંગલાની નીલામીની નોટિસ બેંક ઓફ બરોડાએ 24 કલાકમાં જ પાછી ખેંચી લીધી છે. બેંકએ સોમવારે સોમવારે અખબારોમાં આવેલા સમાચારનું ખંડન કર્યું છે. બેંકે જણાવ્યું છે કે આ નોટિસ ટેકનિકલ કારણોથી પાછી ખેંચી લેવામાં આવી છે. સની દેઓલની પ્રોપર્ટીની નીલામી નહીં થાય. આ પહેલા રવિવારે પબ્લિશ થયેલી નોટિસ મુજબ સની દેઓલે 56 કરોડ રૂપિયાની લોન લીધી હતી, જેની તેણે ચુકવણી કરી નથી. લોન ન ચુકવવા પર 25 સપ્ટેમ્બરના રોજ બંગલાની નિલામી તારીખ પણ આપી દીધી હતી. બેંકએ સની દેઓલ પાસેથી લોન રિકવરીની નોટિસની જાહેરાત છપાવી હતી. જેમાં સનીના ગેરન્ટર તરીકે પિતા ધર્મેન્દ્રનું પણ નામ લખ્યું હતું.


કોંગ્રેસના નેતા જયરામ રમેશે માર્યો ટોણો


કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું, 'ગઈકાલે બપોરે દેશને ખબર પડી કે બેંક ઓફ બરોડાએ બીજેપી સાંસદ સની દેઓલના જુહુ સ્થિત નિવાસસ્થાનને ઈ-ઓક્શન માટે મૂકી દીધું છે કારણ કે તેણે બેંકને 56 કરોડ રૂપિયા ચૂકવ્યા નથી. ચૂકવેલ છે. આજે સવારે, 24 કલાકથી ઓછા સમયમાં, દેશને ખબર પડી કે બેંક ઓફ બરોડાએ 'ટેકનિકલ કારણોસર' હરાજીની સૂચના પાછી ખેંચી લીધી છે. આશ્ચર્ય છે કે કયા 'ટેકનિકલ કારણો' છે, જેના કારણે આ નિર્ણય બદલવામાં આવ્યો.



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.