સની દેઓલના બંગલાની હરાજી રદ, જયરામ રમેશનો ટોણો 24 કલાકમાં ક્યાંથી આવ્યું 'technical reasons'?


  • Published By :
  • Published Date : 2023-08-21 14:11:02

બોલિવુડ એભિનેતા અને પંજાબના ગુરૂદાસપુરથી ભાજપના સાંસદ સની દેઓલના જુહૂ સ્થિત બંગલાની નીલામીની નોટિસ બેંક ઓફ બરોડાએ 24 કલાકમાં જ પાછી ખેંચી લીધી છે. બેંકએ સોમવારે સોમવારે અખબારોમાં આવેલા સમાચારનું ખંડન કર્યું છે. બેંકે જણાવ્યું છે કે આ નોટિસ ટેકનિકલ કારણોથી પાછી ખેંચી લેવામાં આવી છે. સની દેઓલની પ્રોપર્ટીની નીલામી નહીં થાય. આ પહેલા રવિવારે પબ્લિશ થયેલી નોટિસ મુજબ સની દેઓલે 56 કરોડ રૂપિયાની લોન લીધી હતી, જેની તેણે ચુકવણી કરી નથી. લોન ન ચુકવવા પર 25 સપ્ટેમ્બરના રોજ બંગલાની નિલામી તારીખ પણ આપી દીધી હતી. બેંકએ સની દેઓલ પાસેથી લોન રિકવરીની નોટિસની જાહેરાત છપાવી હતી. જેમાં સનીના ગેરન્ટર તરીકે પિતા ધર્મેન્દ્રનું પણ નામ લખ્યું હતું.


કોંગ્રેસના નેતા જયરામ રમેશે માર્યો ટોણો


કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું, 'ગઈકાલે બપોરે દેશને ખબર પડી કે બેંક ઓફ બરોડાએ બીજેપી સાંસદ સની દેઓલના જુહુ સ્થિત નિવાસસ્થાનને ઈ-ઓક્શન માટે મૂકી દીધું છે કારણ કે તેણે બેંકને 56 કરોડ રૂપિયા ચૂકવ્યા નથી. ચૂકવેલ છે. આજે સવારે, 24 કલાકથી ઓછા સમયમાં, દેશને ખબર પડી કે બેંક ઓફ બરોડાએ 'ટેકનિકલ કારણોસર' હરાજીની સૂચના પાછી ખેંચી લીધી છે. આશ્ચર્ય છે કે કયા 'ટેકનિકલ કારણો' છે, જેના કારણે આ નિર્ણય બદલવામાં આવ્યો.



પેસેન્જર પ્લેન બનાવતી કંપની બોઇંગ પાછલા કેટલાક સમયથી આર્થિક કટોકટીનો સામનો કરી રહી હતી . તેને હવે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળમાં એક જીવનદાન મળ્યું છે . આ દાવો અમેરિકાના એક પ્રખ્યાત અખબાર ન્યુયોર્ક ટાઈમ્સ દ્વારા કરવામાં આવ્યો છે. એટલુંજ નહિ , બોઇંગની ખરીદી કરવા માટે , ટ્રમ્પનું તંત્ર જે તે દેશ પર દબાણ કરે છે . હાલમાં જ બોઇંગને જે મોટાપાયે વિમાન બનાવવાના ઓર્ડર મળ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા પછી જ મળ્યા છે.

ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.