સની દેઓલના બંગલાની હરાજી રદ, જયરામ રમેશનો ટોણો 24 કલાકમાં ક્યાંથી આવ્યું 'technical reasons'?


  • Published By :
  • Published Date : 2023-08-21 14:11:02

બોલિવુડ એભિનેતા અને પંજાબના ગુરૂદાસપુરથી ભાજપના સાંસદ સની દેઓલના જુહૂ સ્થિત બંગલાની નીલામીની નોટિસ બેંક ઓફ બરોડાએ 24 કલાકમાં જ પાછી ખેંચી લીધી છે. બેંકએ સોમવારે સોમવારે અખબારોમાં આવેલા સમાચારનું ખંડન કર્યું છે. બેંકે જણાવ્યું છે કે આ નોટિસ ટેકનિકલ કારણોથી પાછી ખેંચી લેવામાં આવી છે. સની દેઓલની પ્રોપર્ટીની નીલામી નહીં થાય. આ પહેલા રવિવારે પબ્લિશ થયેલી નોટિસ મુજબ સની દેઓલે 56 કરોડ રૂપિયાની લોન લીધી હતી, જેની તેણે ચુકવણી કરી નથી. લોન ન ચુકવવા પર 25 સપ્ટેમ્બરના રોજ બંગલાની નિલામી તારીખ પણ આપી દીધી હતી. બેંકએ સની દેઓલ પાસેથી લોન રિકવરીની નોટિસની જાહેરાત છપાવી હતી. જેમાં સનીના ગેરન્ટર તરીકે પિતા ધર્મેન્દ્રનું પણ નામ લખ્યું હતું.


કોંગ્રેસના નેતા જયરામ રમેશે માર્યો ટોણો


કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું, 'ગઈકાલે બપોરે દેશને ખબર પડી કે બેંક ઓફ બરોડાએ બીજેપી સાંસદ સની દેઓલના જુહુ સ્થિત નિવાસસ્થાનને ઈ-ઓક્શન માટે મૂકી દીધું છે કારણ કે તેણે બેંકને 56 કરોડ રૂપિયા ચૂકવ્યા નથી. ચૂકવેલ છે. આજે સવારે, 24 કલાકથી ઓછા સમયમાં, દેશને ખબર પડી કે બેંક ઓફ બરોડાએ 'ટેકનિકલ કારણોસર' હરાજીની સૂચના પાછી ખેંચી લીધી છે. આશ્ચર્ય છે કે કયા 'ટેકનિકલ કારણો' છે, જેના કારણે આ નિર્ણય બદલવામાં આવ્યો.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.