સની દેઓલના બંગલાની હરાજી રદ, જયરામ રમેશનો ટોણો 24 કલાકમાં ક્યાંથી આવ્યું 'technical reasons'?


  • Published By :
  • Published Date : 2023-08-21 14:11:02

બોલિવુડ એભિનેતા અને પંજાબના ગુરૂદાસપુરથી ભાજપના સાંસદ સની દેઓલના જુહૂ સ્થિત બંગલાની નીલામીની નોટિસ બેંક ઓફ બરોડાએ 24 કલાકમાં જ પાછી ખેંચી લીધી છે. બેંકએ સોમવારે સોમવારે અખબારોમાં આવેલા સમાચારનું ખંડન કર્યું છે. બેંકે જણાવ્યું છે કે આ નોટિસ ટેકનિકલ કારણોથી પાછી ખેંચી લેવામાં આવી છે. સની દેઓલની પ્રોપર્ટીની નીલામી નહીં થાય. આ પહેલા રવિવારે પબ્લિશ થયેલી નોટિસ મુજબ સની દેઓલે 56 કરોડ રૂપિયાની લોન લીધી હતી, જેની તેણે ચુકવણી કરી નથી. લોન ન ચુકવવા પર 25 સપ્ટેમ્બરના રોજ બંગલાની નિલામી તારીખ પણ આપી દીધી હતી. બેંકએ સની દેઓલ પાસેથી લોન રિકવરીની નોટિસની જાહેરાત છપાવી હતી. જેમાં સનીના ગેરન્ટર તરીકે પિતા ધર્મેન્દ્રનું પણ નામ લખ્યું હતું.


કોંગ્રેસના નેતા જયરામ રમેશે માર્યો ટોણો


કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું, 'ગઈકાલે બપોરે દેશને ખબર પડી કે બેંક ઓફ બરોડાએ બીજેપી સાંસદ સની દેઓલના જુહુ સ્થિત નિવાસસ્થાનને ઈ-ઓક્શન માટે મૂકી દીધું છે કારણ કે તેણે બેંકને 56 કરોડ રૂપિયા ચૂકવ્યા નથી. ચૂકવેલ છે. આજે સવારે, 24 કલાકથી ઓછા સમયમાં, દેશને ખબર પડી કે બેંક ઓફ બરોડાએ 'ટેકનિકલ કારણોસર' હરાજીની સૂચના પાછી ખેંચી લીધી છે. આશ્ચર્ય છે કે કયા 'ટેકનિકલ કારણો' છે, જેના કારણે આ નિર્ણય બદલવામાં આવ્યો.



વેરાવળના ટાવરચોકમાં એક જાહેર સભા હતી જેમાં આમ આદમી પાર્ટીના નેતા કોંગ્રેસના સમર્થનમાં સંબોધન કરી રહ્યાં હતા.. અને કોંગ્રેસ પર જ પ્રહાર કરી બેઠા....જગમલવાળા કોંગ્રેસમાંથી ધારાસભ્ય વિમલ ચૂડાસમા પર આકરા પ્રહાર કરતા જોવા મળ્યા તો સામે વિમલ ચૂડાસમાએ પણ જગમલ વાળાને ભાજપના માણસ ગણાવી દીધા...

પરષોત્તમ રૂપાલાનો વિરોધ ક્ષત્રિય સમાજના લોકો દ્વારા કરવામાં આવી રહ્યો છે... ઠેર ઠેક ભાજપનો વિરોધ થયો. ત્યારે વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલને ફરી એક વખત વિરોધનો સામનો કરવો પડ્યો છે તેવી માહિતી સામે આવી છે.

ગુજરાતમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ ગઠબંધન કર્યું છે. ગઠબંધન અંતર્ગત ચૈતર વસાવાએ ગેનીબેન ઠાકોર માટે પ્રચાર કર્યો છે. વીડિયો શેર કરવામાં આવ્યો છે જેમાં ચૈતર વસાવા ગેનીબેનને જીતાડવા માટે અપીલ કરી રહ્યા છે.

ગુજરાતમાં સાતમી તારીખે મતદાન થવાનું છે. નેતાઓ દ્વારા અનેક નિવેદનો આપવામાં આવ્યા છે જેને કારણે વિવાદ છેડાતો હોય છે. ત્યારે સાહિત્યના સમીપમાં આજે પ્રસ્તુત છે નેતા અને ચૂંટણીને સમર્પિત રચના.