ગણતંત્ર દિવસે સની દેઓલે રિલીઝ કર્યું ગદર-2નું પોસ્ટર, બે દાયકા બાદ ફિલ્મની સિક્વલ થશે રિલીઝ


  • Published By :
  • Published Date : 2023-01-26 14:15:05

ઘણા વર્ષો પહેલા સની દેઓલ અને અમિષા પટેલની ફિલ્મ ગદર રિલીઝ થઈ હતી. સની દેઓલની આ ફિલ્મે દર્શકોના દિલમાં જગ્યા બનાવી લીધી હતી. ત્યારે ગદર-2ની ઘણા સમયથી દર્શકો રાહ જોઈ   રહ્યા હતા. ફિલ્મનું અનાઉન્સમેન્ટ બાદ દર્શકોના ઉત્સાહનો પાર નતો રહ્યો. ત્યારે ગણતંત્ર દિવસે ફિલ્મના મેકર્સ તરફથી ફિલ્મનું પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું છે. 

20 years of 'Gadar': Anil Sharma walks down the memory lane on his  Partition-drama

સની દેઓલ અને અમિષા પટેલ ફરી દેખાશે મોટા પડદા પર 

સની દેઓલ અને અમિષા પટેલની ફિલ્મ ગદર ઘણા વર્ષો પહેલા આવી હતી. તેમની જોડી ફરી એક વખત મોટા પડદા પર જોવા મળવાની છે. ગદર-2 ફિલ્મની જાહેરાત થયા બાદ દર્શકો આ ફિલ્મની આતુરતાથી રાહ જોતા હતા. આ બંનેની જોડીએ બોક્સઓફિસ પર ધૂમ મચાવી હતી ત્યારે ફરી એક વખત આ જોડી ધૂમ મચાવા આવી રહી છે.


11 ઓગસ્ટ 2023ના રોજ ફિલ્મ થવાની છે રિલીઝ

ગદર ફિલ્મ 2001માં રિલીઝ થઈ હતી. અભિનય અને એક્શનને કારણે દર્શકોને આ ફિલ્મ ઘણી પસંદ આવી હતી. ત્યારે ગણતંત્ર દિવસે ગદર-2ની ફિલ્મનું પોસ્ટર મેકર્સ દ્વારા રિલીઝ કરવામાં આવ્યું છે. આ ફિલ્મમાં પણ ભારત પાકિસ્તાનના એન્ગલને આગળ વધારવામા આવશે અને તેના પરિવારની સુરક્ષાની આસપાસ રહેશે. આ ફિલ્મ 11 ઓગસ્ટ 2023ના રોજ રિલીઝ થવાની છે.        


સની દેઓલે શેર કર્યું ફિલ્મનું પોસ્ટર 

પોસ્ટર શેર કરતા સની દેઓલે લખ્યું કે હિંદુસ્તાન જીંદાબાદ છે, જીંદાબાદ હતું અને જીંદાબાદ રહેશે. બે દાયકા બાદ મોટા પડદા પર ફિલ્મની સિક્વલ આવી રહી છે. શૂટિંગ સમયના અનેક ફોટા વાયરલ થયા હતા જે બાદ ફિલ્મને જોવાની આતુરતા ફેન્સમાં વધી ગઈ છે. આ ફિલ્મમાં તારા સિંહની ભૂમિકા સની દેઓલ અને સકીનાની ભૂમિકા અમિષા પટેલ ભજવી રહ્યા છે.   




જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.