ગણતંત્ર દિવસે સની દેઓલે રિલીઝ કર્યું ગદર-2નું પોસ્ટર, બે દાયકા બાદ ફિલ્મની સિક્વલ થશે રિલીઝ


  • Published By :
  • Published Date : 2023-01-26 14:15:05

ઘણા વર્ષો પહેલા સની દેઓલ અને અમિષા પટેલની ફિલ્મ ગદર રિલીઝ થઈ હતી. સની દેઓલની આ ફિલ્મે દર્શકોના દિલમાં જગ્યા બનાવી લીધી હતી. ત્યારે ગદર-2ની ઘણા સમયથી દર્શકો રાહ જોઈ   રહ્યા હતા. ફિલ્મનું અનાઉન્સમેન્ટ બાદ દર્શકોના ઉત્સાહનો પાર નતો રહ્યો. ત્યારે ગણતંત્ર દિવસે ફિલ્મના મેકર્સ તરફથી ફિલ્મનું પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું છે. 

20 years of 'Gadar': Anil Sharma walks down the memory lane on his  Partition-drama

સની દેઓલ અને અમિષા પટેલ ફરી દેખાશે મોટા પડદા પર 

સની દેઓલ અને અમિષા પટેલની ફિલ્મ ગદર ઘણા વર્ષો પહેલા આવી હતી. તેમની જોડી ફરી એક વખત મોટા પડદા પર જોવા મળવાની છે. ગદર-2 ફિલ્મની જાહેરાત થયા બાદ દર્શકો આ ફિલ્મની આતુરતાથી રાહ જોતા હતા. આ બંનેની જોડીએ બોક્સઓફિસ પર ધૂમ મચાવી હતી ત્યારે ફરી એક વખત આ જોડી ધૂમ મચાવા આવી રહી છે.


11 ઓગસ્ટ 2023ના રોજ ફિલ્મ થવાની છે રિલીઝ

ગદર ફિલ્મ 2001માં રિલીઝ થઈ હતી. અભિનય અને એક્શનને કારણે દર્શકોને આ ફિલ્મ ઘણી પસંદ આવી હતી. ત્યારે ગણતંત્ર દિવસે ગદર-2ની ફિલ્મનું પોસ્ટર મેકર્સ દ્વારા રિલીઝ કરવામાં આવ્યું છે. આ ફિલ્મમાં પણ ભારત પાકિસ્તાનના એન્ગલને આગળ વધારવામા આવશે અને તેના પરિવારની સુરક્ષાની આસપાસ રહેશે. આ ફિલ્મ 11 ઓગસ્ટ 2023ના રોજ રિલીઝ થવાની છે.        


સની દેઓલે શેર કર્યું ફિલ્મનું પોસ્ટર 

પોસ્ટર શેર કરતા સની દેઓલે લખ્યું કે હિંદુસ્તાન જીંદાબાદ છે, જીંદાબાદ હતું અને જીંદાબાદ રહેશે. બે દાયકા બાદ મોટા પડદા પર ફિલ્મની સિક્વલ આવી રહી છે. શૂટિંગ સમયના અનેક ફોટા વાયરલ થયા હતા જે બાદ ફિલ્મને જોવાની આતુરતા ફેન્સમાં વધી ગઈ છે. આ ફિલ્મમાં તારા સિંહની ભૂમિકા સની દેઓલ અને સકીનાની ભૂમિકા અમિષા પટેલ ભજવી રહ્યા છે.   




ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી