પંજાબના પૂર્વ CM બિઅંત સિંહનીના હત્યારાને કોઈ રાહત આપવાનો સુપ્રીમનો ઈનકાર


  • Published By :
  • Published Date : 2023-05-03 14:53:44

પંજાબના પૂર્વ મુખ્યમંત્રી બિઅંત સિંહની હત્યાના દોષિત સામે દેશની સર્વોચ્ચ અદાલતે આકરૂ વલણ અખત્યાર કર્યું છે. સુપ્રીમ કોર્ટે 1995માં પંજાબના પૂર્વ મુખ્યમંત્રી બિઅંત સિંહની હત્યાના દોષિત બલવંત સિંહ રાજોઆનાને આપવામાં આવેલી ફાંસીની સજામાં ફેરફાર કરવાનો ઇનકાર કર્યો છે. અરજીમાં ફાંસીની સજાને આજીવન કેદમાં બદલવાની માંગ કરવામાં આવી હતી. જો કે, કોર્ટે સક્ષમ અધિકારીઓને રાજોઆનાની દયાની અરજી પર જરૂરિયાત મુજબ નિર્ણય લેવાનો નિર્દેશ આપ્યો છે. 


રાજોઆનાએ કરી હતી કમ્યુટેશન અરજી 


અત્રે ઉલ્લેખનિય છે કે, રાજોઆનાએ 26 વર્ષની લાંબી કેદના આધારે તેની મૃત્યુદંડની સજાને આજીવન કેદમાં બદલવાની માંગ કરી હતી. સર્વોચ્ચ અદાલતે ગયા વર્ષે 2 મેના રોજ કેન્દ્રને રાજોઆના દ્વારા દાખલ કરાયેલ કમ્યુટેશન અરજી પર બે મહિનામાં નિર્ણય લેવા જણાવ્યું હતું. જોકે, ગયા વર્ષે 28 સપ્ટેમ્બરે કેન્દ્ર તરફથી કોઈ નિર્ણય ન આવતાં સુપ્રીમ કોર્ટે મામલો પોતાના હાથમાં લીધો હતો.



અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.