પંજાબના પૂર્વ CM બિઅંત સિંહનીના હત્યારાને કોઈ રાહત આપવાનો સુપ્રીમનો ઈનકાર


  • Published By :
  • Published Date : 2023-05-03 14:53:44

પંજાબના પૂર્વ મુખ્યમંત્રી બિઅંત સિંહની હત્યાના દોષિત સામે દેશની સર્વોચ્ચ અદાલતે આકરૂ વલણ અખત્યાર કર્યું છે. સુપ્રીમ કોર્ટે 1995માં પંજાબના પૂર્વ મુખ્યમંત્રી બિઅંત સિંહની હત્યાના દોષિત બલવંત સિંહ રાજોઆનાને આપવામાં આવેલી ફાંસીની સજામાં ફેરફાર કરવાનો ઇનકાર કર્યો છે. અરજીમાં ફાંસીની સજાને આજીવન કેદમાં બદલવાની માંગ કરવામાં આવી હતી. જો કે, કોર્ટે સક્ષમ અધિકારીઓને રાજોઆનાની દયાની અરજી પર જરૂરિયાત મુજબ નિર્ણય લેવાનો નિર્દેશ આપ્યો છે. 


રાજોઆનાએ કરી હતી કમ્યુટેશન અરજી 


અત્રે ઉલ્લેખનિય છે કે, રાજોઆનાએ 26 વર્ષની લાંબી કેદના આધારે તેની મૃત્યુદંડની સજાને આજીવન કેદમાં બદલવાની માંગ કરી હતી. સર્વોચ્ચ અદાલતે ગયા વર્ષે 2 મેના રોજ કેન્દ્રને રાજોઆના દ્વારા દાખલ કરાયેલ કમ્યુટેશન અરજી પર બે મહિનામાં નિર્ણય લેવા જણાવ્યું હતું. જોકે, ગયા વર્ષે 28 સપ્ટેમ્બરે કેન્દ્ર તરફથી કોઈ નિર્ણય ન આવતાં સુપ્રીમ કોર્ટે મામલો પોતાના હાથમાં લીધો હતો.



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.