પંજાબના પૂર્વ CM બિઅંત સિંહનીના હત્યારાને કોઈ રાહત આપવાનો સુપ્રીમનો ઈનકાર


  • Published By :
  • Published Date : 2023-05-03 14:53:44

પંજાબના પૂર્વ મુખ્યમંત્રી બિઅંત સિંહની હત્યાના દોષિત સામે દેશની સર્વોચ્ચ અદાલતે આકરૂ વલણ અખત્યાર કર્યું છે. સુપ્રીમ કોર્ટે 1995માં પંજાબના પૂર્વ મુખ્યમંત્રી બિઅંત સિંહની હત્યાના દોષિત બલવંત સિંહ રાજોઆનાને આપવામાં આવેલી ફાંસીની સજામાં ફેરફાર કરવાનો ઇનકાર કર્યો છે. અરજીમાં ફાંસીની સજાને આજીવન કેદમાં બદલવાની માંગ કરવામાં આવી હતી. જો કે, કોર્ટે સક્ષમ અધિકારીઓને રાજોઆનાની દયાની અરજી પર જરૂરિયાત મુજબ નિર્ણય લેવાનો નિર્દેશ આપ્યો છે. 


રાજોઆનાએ કરી હતી કમ્યુટેશન અરજી 


અત્રે ઉલ્લેખનિય છે કે, રાજોઆનાએ 26 વર્ષની લાંબી કેદના આધારે તેની મૃત્યુદંડની સજાને આજીવન કેદમાં બદલવાની માંગ કરી હતી. સર્વોચ્ચ અદાલતે ગયા વર્ષે 2 મેના રોજ કેન્દ્રને રાજોઆના દ્વારા દાખલ કરાયેલ કમ્યુટેશન અરજી પર બે મહિનામાં નિર્ણય લેવા જણાવ્યું હતું. જોકે, ગયા વર્ષે 28 સપ્ટેમ્બરે કેન્દ્ર તરફથી કોઈ નિર્ણય ન આવતાં સુપ્રીમ કોર્ટે મામલો પોતાના હાથમાં લીધો હતો.



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.