સજાતીય લગ્નોને કાનુની માન્યતાનો કેન્દ્રએ સુપ્રીમમાં કર્યો વિરોધ, કહ્યું, પારિવારિક ભાવનાની વિરૂધ્ધ


  • Published By :
  • Published Date : 2023-03-12 19:20:29

કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં સજાતીય લગ્ન (Gay Marriage)ને કાયદાકીય માન્યતા આપતી અરજીનો વિરોધ કર્યો છે. કેન્દ્ર સરકારે આ અંગે એક એફિડેવિટ દાખલ કરી છે. જેમાં કહેવામાં આવ્યું છે કે સમલૈંગિક લગ્નને કાનૂની માન્યતા આપવી એ ભારતની સામાજિક માન્યતાઓ અને કુટુંબ વ્યવસ્થાની વિરુદ્ધ હશે. આ સમાજમાં અનેક પ્રકારની સમસ્યાઓ સર્જાશે. સજાતીય લગ્ન લગ્નની તુલના પતિ-પત્નીથી જન્મેલા બાળકોની વિભાવના સાથે કરી શકાય નહીં.


અરજીઓને ફગાવી દેવાની કરી માગ


કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં પોતાના સોગંદનામામાં કહ્યું કે સજાતીય લગ્નને કોઈ પણ સંજોગોમાં મંજૂરી આપી શકાય નહીં. આ ભારતીય પરિવારના વિભાવનાની વિરુદ્ધ છે. ભારતમાં, પરિવાર પતિ-પત્ની અને તેમનાથી જન્મેલા બાળકો દ્વારા સંચાલિત થાય છે. સરકારે આ તમામ અરજીઓને ફગાવી દેવાની સુપ્રીમ કોર્ટ સમક્ષ માગ કરી છે. સરકારે સર્વોચ્ચ અદાલતને જણાવ્યું કે સમલૈંગિક લોકોને જીવનસાથી તરીકે રહેવા માટે ભલે ડિક્રિમિલાઈઝ કરવામાં આવ્યા છે. સુપ્રીમ કોર્ટ સોમવારે આ મામલે સુનાવણી કરશે.


સરકાર પાસે માગ્યો હતો જવાબ


અત્રે ઉલ્લેખનીય છે કે, સુપ્રીમ કોર્ટે દિલ્હી હાઈકોર્ટ સહિત દેશની તમામ હાઈકોર્ટમાં પેન્ડિંગ સમલૈંગિક લગ્ન સંબંધિત અરજીઓને પોતાની પાસે ટ્રાન્સફર કરી હતી. કોર્ટે કહ્યું હતું કે કેન્દ્ર તરફથી હાજર રહેલા વકીલ અને અરજદારોના વકીલ અરુંધતિ કાત્જુ મળીને તમામ લેખિત માહિતી, દસ્તાવેજો અને જૂના દાખલાઓ એકત્રિત કરે, જેના આધારે સુનાવણી આગળ વધશે.


14 ડિસેમ્બર, 2022 ના રોજ, કોર્ટે સમલૈંગિક લગ્નોને માન્યતા આપવાની વિનંતી કરતી દિલ્હી હાઈકોર્ટમાં પેન્ડિંગ બે અરજીઓને તેની પાસે ટ્રાન્સફર કરવા અંગે કેન્દ્ર સરકાર પાસેથી જવાબ માંગ્યો હતો.



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.