સજાતીય લગ્નોને કાનુની માન્યતાનો કેન્દ્રએ સુપ્રીમમાં કર્યો વિરોધ, કહ્યું, પારિવારિક ભાવનાની વિરૂધ્ધ


  • Published By :
  • Published Date : 2023-03-12 19:20:29

કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં સજાતીય લગ્ન (Gay Marriage)ને કાયદાકીય માન્યતા આપતી અરજીનો વિરોધ કર્યો છે. કેન્દ્ર સરકારે આ અંગે એક એફિડેવિટ દાખલ કરી છે. જેમાં કહેવામાં આવ્યું છે કે સમલૈંગિક લગ્નને કાનૂની માન્યતા આપવી એ ભારતની સામાજિક માન્યતાઓ અને કુટુંબ વ્યવસ્થાની વિરુદ્ધ હશે. આ સમાજમાં અનેક પ્રકારની સમસ્યાઓ સર્જાશે. સજાતીય લગ્ન લગ્નની તુલના પતિ-પત્નીથી જન્મેલા બાળકોની વિભાવના સાથે કરી શકાય નહીં.


અરજીઓને ફગાવી દેવાની કરી માગ


કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં પોતાના સોગંદનામામાં કહ્યું કે સજાતીય લગ્નને કોઈ પણ સંજોગોમાં મંજૂરી આપી શકાય નહીં. આ ભારતીય પરિવારના વિભાવનાની વિરુદ્ધ છે. ભારતમાં, પરિવાર પતિ-પત્ની અને તેમનાથી જન્મેલા બાળકો દ્વારા સંચાલિત થાય છે. સરકારે આ તમામ અરજીઓને ફગાવી દેવાની સુપ્રીમ કોર્ટ સમક્ષ માગ કરી છે. સરકારે સર્વોચ્ચ અદાલતને જણાવ્યું કે સમલૈંગિક લોકોને જીવનસાથી તરીકે રહેવા માટે ભલે ડિક્રિમિલાઈઝ કરવામાં આવ્યા છે. સુપ્રીમ કોર્ટ સોમવારે આ મામલે સુનાવણી કરશે.


સરકાર પાસે માગ્યો હતો જવાબ


અત્રે ઉલ્લેખનીય છે કે, સુપ્રીમ કોર્ટે દિલ્હી હાઈકોર્ટ સહિત દેશની તમામ હાઈકોર્ટમાં પેન્ડિંગ સમલૈંગિક લગ્ન સંબંધિત અરજીઓને પોતાની પાસે ટ્રાન્સફર કરી હતી. કોર્ટે કહ્યું હતું કે કેન્દ્ર તરફથી હાજર રહેલા વકીલ અને અરજદારોના વકીલ અરુંધતિ કાત્જુ મળીને તમામ લેખિત માહિતી, દસ્તાવેજો અને જૂના દાખલાઓ એકત્રિત કરે, જેના આધારે સુનાવણી આગળ વધશે.


14 ડિસેમ્બર, 2022 ના રોજ, કોર્ટે સમલૈંગિક લગ્નોને માન્યતા આપવાની વિનંતી કરતી દિલ્હી હાઈકોર્ટમાં પેન્ડિંગ બે અરજીઓને તેની પાસે ટ્રાન્સફર કરવા અંગે કેન્દ્ર સરકાર પાસેથી જવાબ માંગ્યો હતો.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.