EDના ડાયરેક્ટરને ત્રીજી વખત એક્સટેન્શન આપવા મામલે સુપ્રીમ કોર્ટે સરકારનો ઉધડો લીધો


  • Published By :
  • Published Date : 2023-05-04 20:34:20

EDના ડાયરેક્ટર સંજય કુમાર મિશ્રાને એક્સટેન્શન નહીં આપવાના નિર્દેશ છતાં તેમનો કાર્યકાળ ત્રીજી વખત વધારવા અંગે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને સવાલ કર્યો હતો કે શું કોઈ વ્યક્તિ એટલી જરૂરી બની જાય છે કે તેમના વગર કામ જ ન થઈ શકે? સર્વોચ્ચ અદાલતે કેન્દ્ર સરકારે તે સવાલ પણ કર્યો કે શું ઈડીમાં એવો કોઈ વ્યક્તિ નથી કે જે તેમની જવાબદારી નિભાવી શકે?


સોલિસિટર જનરલે સરકારના પક્ષમાં કરી દલીલો


સુપ્રીમ કોર્ટના જસ્ટીસ બી.આર.ગવઈ, જસ્ટીસ વિક્રમ નાથ અને જસ્ટીસ સંજય કરોલની બેંચ સમક્ષ સોલિસિટર જનરલ તુષાર મહેતાએ દલીલો કરી હતી. તેમણે કહ્યું કે સંજય કુમાર મિશ્રાનું એક્સટેન્શન વહીવટી કારણોથી ખુબ જ જરૂરી છે, તે ઉપરાંત તેઓ મની લોન્ડરિંગ અને આંતરરાષ્ટ્રીય ટેરર ફંડિંગ (FATF)ના જોખમનો સામનો કરવા માટે દેશમાં લેવામાં આવેલા પગલાંની તપાસ કરવાના છે. તુષાર મહેતાએ વધુમાં કહ્યું કે એવું નથી કે સરકાર કોઈ ચોક્કસ અધિકારીને ખૂબ પસંદ કરે છે, આવું એટલા માટે કરવામાં આવી રહ્યું છે, કારણ કે અત્યારે આ પોસ્ટ પર મિશ્રા જેવા ‘અનુભવી વ્યક્તિ’ની જરૂર છે.આ દલીલ સાંભળીને બેંચે સોલિસિટર જનરલને સવાલ કર્યો કે શું તમારા હિસાબે ઈડીમાં કોઈ અન્ય યોગ્ય વ્યક્તિ નથી? એજન્સીનું 2023 બાદ શું થશે, જ્યારે તે નિવૃત થશે? 


એક્સટેન્શનને સુપ્રીમમાં પડકારાયું


સુપ્રીમ કોર્ટ સંજય કુમાર મિશ્રાને એક્સટેન્શન આપવાને પડકારતી અરજીની સુનાવણી કરી રહી છે. વર્ષ 2021ના એક આદેશ મુજબ વર્ષ 1984ના આઈઆરએસ અધિકારી સંજય કુમાર મિશ્રાને નવેમ્બર 2021 બાદ તેમને વધુ એક્સટેન્શન આપવામાં આવશે નહીં. જો કે તેમ છતાં મિશ્રાને વધુ બે વર્ષ માટે ઈડીના ડાઈરેક્ટર બનાવવામાં આવ્યા હતા. સરકારે 15 નવેમ્બર 2021માં સીવીસી એક્ટ અને દિલ્હી સ્પેશિયલ પોલીસ એક્ટમાં ફેરફાર કરીને તેમનો કાર્યકાળ વધારી દીધો હતો. મોદી સરકારના આ સુધારા સામે કોંગ્રેસના રણદીપ સુરજેવાલા, જયા ઠાકુર અને ટીએમસી સાંસદ મહુઆ મોઈત્રાએ સુપ્રીમ કોર્ટમાં PIL કરી હતી.



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.