EDના ડાયરેક્ટરને ત્રીજી વખત એક્સટેન્શન આપવા મામલે સુપ્રીમ કોર્ટે સરકારનો ઉધડો લીધો


  • Published By :
  • Published Date : 2023-05-04 20:34:20

EDના ડાયરેક્ટર સંજય કુમાર મિશ્રાને એક્સટેન્શન નહીં આપવાના નિર્દેશ છતાં તેમનો કાર્યકાળ ત્રીજી વખત વધારવા અંગે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને સવાલ કર્યો હતો કે શું કોઈ વ્યક્તિ એટલી જરૂરી બની જાય છે કે તેમના વગર કામ જ ન થઈ શકે? સર્વોચ્ચ અદાલતે કેન્દ્ર સરકારે તે સવાલ પણ કર્યો કે શું ઈડીમાં એવો કોઈ વ્યક્તિ નથી કે જે તેમની જવાબદારી નિભાવી શકે?


સોલિસિટર જનરલે સરકારના પક્ષમાં કરી દલીલો


સુપ્રીમ કોર્ટના જસ્ટીસ બી.આર.ગવઈ, જસ્ટીસ વિક્રમ નાથ અને જસ્ટીસ સંજય કરોલની બેંચ સમક્ષ સોલિસિટર જનરલ તુષાર મહેતાએ દલીલો કરી હતી. તેમણે કહ્યું કે સંજય કુમાર મિશ્રાનું એક્સટેન્શન વહીવટી કારણોથી ખુબ જ જરૂરી છે, તે ઉપરાંત તેઓ મની લોન્ડરિંગ અને આંતરરાષ્ટ્રીય ટેરર ફંડિંગ (FATF)ના જોખમનો સામનો કરવા માટે દેશમાં લેવામાં આવેલા પગલાંની તપાસ કરવાના છે. તુષાર મહેતાએ વધુમાં કહ્યું કે એવું નથી કે સરકાર કોઈ ચોક્કસ અધિકારીને ખૂબ પસંદ કરે છે, આવું એટલા માટે કરવામાં આવી રહ્યું છે, કારણ કે અત્યારે આ પોસ્ટ પર મિશ્રા જેવા ‘અનુભવી વ્યક્તિ’ની જરૂર છે.આ દલીલ સાંભળીને બેંચે સોલિસિટર જનરલને સવાલ કર્યો કે શું તમારા હિસાબે ઈડીમાં કોઈ અન્ય યોગ્ય વ્યક્તિ નથી? એજન્સીનું 2023 બાદ શું થશે, જ્યારે તે નિવૃત થશે? 


એક્સટેન્શનને સુપ્રીમમાં પડકારાયું


સુપ્રીમ કોર્ટ સંજય કુમાર મિશ્રાને એક્સટેન્શન આપવાને પડકારતી અરજીની સુનાવણી કરી રહી છે. વર્ષ 2021ના એક આદેશ મુજબ વર્ષ 1984ના આઈઆરએસ અધિકારી સંજય કુમાર મિશ્રાને નવેમ્બર 2021 બાદ તેમને વધુ એક્સટેન્શન આપવામાં આવશે નહીં. જો કે તેમ છતાં મિશ્રાને વધુ બે વર્ષ માટે ઈડીના ડાઈરેક્ટર બનાવવામાં આવ્યા હતા. સરકારે 15 નવેમ્બર 2021માં સીવીસી એક્ટ અને દિલ્હી સ્પેશિયલ પોલીસ એક્ટમાં ફેરફાર કરીને તેમનો કાર્યકાળ વધારી દીધો હતો. મોદી સરકારના આ સુધારા સામે કોંગ્રેસના રણદીપ સુરજેવાલા, જયા ઠાકુર અને ટીએમસી સાંસદ મહુઆ મોઈત્રાએ સુપ્રીમ કોર્ટમાં PIL કરી હતી.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.