EDના ડાયરેક્ટરને ત્રીજી વખત એક્સટેન્શન આપવા મામલે સુપ્રીમ કોર્ટે સરકારનો ઉધડો લીધો


  • Published By :
  • Published Date : 2023-05-04 20:34:20

EDના ડાયરેક્ટર સંજય કુમાર મિશ્રાને એક્સટેન્શન નહીં આપવાના નિર્દેશ છતાં તેમનો કાર્યકાળ ત્રીજી વખત વધારવા અંગે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને સવાલ કર્યો હતો કે શું કોઈ વ્યક્તિ એટલી જરૂરી બની જાય છે કે તેમના વગર કામ જ ન થઈ શકે? સર્વોચ્ચ અદાલતે કેન્દ્ર સરકારે તે સવાલ પણ કર્યો કે શું ઈડીમાં એવો કોઈ વ્યક્તિ નથી કે જે તેમની જવાબદારી નિભાવી શકે?


સોલિસિટર જનરલે સરકારના પક્ષમાં કરી દલીલો


સુપ્રીમ કોર્ટના જસ્ટીસ બી.આર.ગવઈ, જસ્ટીસ વિક્રમ નાથ અને જસ્ટીસ સંજય કરોલની બેંચ સમક્ષ સોલિસિટર જનરલ તુષાર મહેતાએ દલીલો કરી હતી. તેમણે કહ્યું કે સંજય કુમાર મિશ્રાનું એક્સટેન્શન વહીવટી કારણોથી ખુબ જ જરૂરી છે, તે ઉપરાંત તેઓ મની લોન્ડરિંગ અને આંતરરાષ્ટ્રીય ટેરર ફંડિંગ (FATF)ના જોખમનો સામનો કરવા માટે દેશમાં લેવામાં આવેલા પગલાંની તપાસ કરવાના છે. તુષાર મહેતાએ વધુમાં કહ્યું કે એવું નથી કે સરકાર કોઈ ચોક્કસ અધિકારીને ખૂબ પસંદ કરે છે, આવું એટલા માટે કરવામાં આવી રહ્યું છે, કારણ કે અત્યારે આ પોસ્ટ પર મિશ્રા જેવા ‘અનુભવી વ્યક્તિ’ની જરૂર છે.આ દલીલ સાંભળીને બેંચે સોલિસિટર જનરલને સવાલ કર્યો કે શું તમારા હિસાબે ઈડીમાં કોઈ અન્ય યોગ્ય વ્યક્તિ નથી? એજન્સીનું 2023 બાદ શું થશે, જ્યારે તે નિવૃત થશે? 


એક્સટેન્શનને સુપ્રીમમાં પડકારાયું


સુપ્રીમ કોર્ટ સંજય કુમાર મિશ્રાને એક્સટેન્શન આપવાને પડકારતી અરજીની સુનાવણી કરી રહી છે. વર્ષ 2021ના એક આદેશ મુજબ વર્ષ 1984ના આઈઆરએસ અધિકારી સંજય કુમાર મિશ્રાને નવેમ્બર 2021 બાદ તેમને વધુ એક્સટેન્શન આપવામાં આવશે નહીં. જો કે તેમ છતાં મિશ્રાને વધુ બે વર્ષ માટે ઈડીના ડાઈરેક્ટર બનાવવામાં આવ્યા હતા. સરકારે 15 નવેમ્બર 2021માં સીવીસી એક્ટ અને દિલ્હી સ્પેશિયલ પોલીસ એક્ટમાં ફેરફાર કરીને તેમનો કાર્યકાળ વધારી દીધો હતો. મોદી સરકારના આ સુધારા સામે કોંગ્રેસના રણદીપ સુરજેવાલા, જયા ઠાકુર અને ટીએમસી સાંસદ મહુઆ મોઈત્રાએ સુપ્રીમ કોર્ટમાં PIL કરી હતી.



અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.