Supreme Courtએ Delhiના CM Arvind Kejriwalને આપ્યા જામીન પરંતુ આ શરતો સાથે...


  • Published By :
  • Published Date : 2024-09-13 11:58:39

સુપ્રીમ કોર્ટે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને રાહત આપી છે.. કોર્ટે તેમના જામીન મંજૂર કરી દીધા છે અને હવે અરવિંદ કેજરીવાલ જેલ મુક્ત થઈ ગયા છે. દિલ્હી લિકર પોલિસી કેસમાં અરવિંદ કેજરીવાલ બહાર તો આવશે પણ કેટલીક શરતો સાથે.. 

અનેક શરતો પર મળ્યા જામીન

વિગતવાર વાત કરીએ તો CBIએ 26 જૂને કથિત દારૂ નીતિ કેસ સાથે જોડાયેલા ભ્રષ્ટાચાર કેસમાં અરવિંદ કેજરીવાલની ધરપકડ કરી હતી. 177 દિવસો સુધી અરવિંદ કેજરીવાલ જેલમાં હતા. સુપ્રીમ કોર્ટે જામીન 4 શરતો પર આપી છે. પહેલી શરત અરવિંદ કેજરીવાલ મુખ્યમંત્રી કાર્યાલય જઈ શકશે નહીં. ઉપરાંત કેસ સંબંધિત કોઈ જાહેર ચર્ચા નહીં કરી શકે. તે સિવાય તપાસમાં અવરોધ કે સાક્ષીઓને પ્રભાવિત કરવાનો પ્રયાસ કરશે નહીં.



સીબીઆઈ કેસમાં મળ્યા જામીન 

જરૂર પડશે તો ટ્રાયલ કોર્ટમાં હાજર થશે અને તપાસમાં સહકાર આપશે. જોકે બે તપાસ એજન્સીઑએ  કેજરીવાલ સામે કેસ નોંધ્યો છે. એક ED અને એક CBI.ED કેસમાં 12 જુલાઈએ સુપ્રીમ કોર્ટમાંથી જામીન મળી ગયા છે. અને કેજરીવાલને આજે CBI કેસમાં જામીન મળી ગયા છે એટલે હવે એ બહાર આવશે . 



21 માર્ચે ઈડીએ કરી હતી ધરપકડ

આખા ટાઈમલાઈનની વાત કરીએ તો કેજરીવાલની ધરપકડ 21 માર્ચે ED દ્વારા કરવામાં આવી હતી. 10 દિવસની પૂછપરછ બાદ તેમને 1 એપ્રિલે તિહાર જેલમાં મોકલી દેવાયા હતા. 10 મેના રોજ તેમને લોકસભા ચૂંટણીના પ્રચાર માટે 21 દિવસ માટે મુક્ત કરાયા હતા. 51 દિવસ જેલમાં રહ્યા બાદ તેમને મુક્ત કરવામાં આવ્યા હતા. 2 જૂને કેજરીવાલે તિહાર જેલમાં આત્મસમર્પણ કર્યું હતું.


વચગાળાના જામીન મળ્યા હતા અરવિંદ કેજરીવાલને

 કેજરીવાલ આજે 13મી સપ્ટેમ્બરે જેલ મુક્ત થયા છે. તો તેઓ કુલ 177 દિવસ જેલમાં હશે. જેમાંથી તે 21 દિવસ માટે વચગાળાના જામીન પર રહ્યો હતો. એટલે કે કેજરીવાલે અત્યાર સુધીમાં કુલ 156 દિવસ જેલમાં વિતાવ્યા છે. તો આજે એ બહાર આવે એ પહેલા જ આપના નેતાઓમાં જોશ છે અને અનેક નિવેદનો સામે આવ્યા જેમાં નેતાઓ ભાજપ પર પ્રહાર કરે છે કે કેમ તે જોવું રહ્યું.



અમદાવાદ સમગ્ર ભારતના ઇતિહાસમાં એક નવું નામ અંકિત કરવા જઈ રહ્યું છે. કેમ કે , ભારતને આજે કોમનવેલ્થ ગેમ્સની વર્ષ ૨૦૩૦ની યજમાની મળી ચુકી છે. જે હવે આપણા અમદાવાદમાં યોજાશે. આ જાહેરાત સ્કોટલેન્ડના ગ્લાસગોમાં કોમનવેલ્થ સ્પોર્ટ્સ એક્ઝિક્યુટિવ બોર્ડની મિટિંગ બાદ કરવામાં આવી છે. આ મિટિંગમાં ભારત તરફથી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વવાળું એક પ્રતિનિધિમંડળ પણ હાજર હતું.

ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.