Supreme Courtએ Delhiના CM Arvind Kejriwalને આપ્યા જામીન પરંતુ આ શરતો સાથે...


  • Published By :
  • Published Date : 2024-09-13 11:58:39

સુપ્રીમ કોર્ટે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને રાહત આપી છે.. કોર્ટે તેમના જામીન મંજૂર કરી દીધા છે અને હવે અરવિંદ કેજરીવાલ જેલ મુક્ત થઈ ગયા છે. દિલ્હી લિકર પોલિસી કેસમાં અરવિંદ કેજરીવાલ બહાર તો આવશે પણ કેટલીક શરતો સાથે.. 

અનેક શરતો પર મળ્યા જામીન

વિગતવાર વાત કરીએ તો CBIએ 26 જૂને કથિત દારૂ નીતિ કેસ સાથે જોડાયેલા ભ્રષ્ટાચાર કેસમાં અરવિંદ કેજરીવાલની ધરપકડ કરી હતી. 177 દિવસો સુધી અરવિંદ કેજરીવાલ જેલમાં હતા. સુપ્રીમ કોર્ટે જામીન 4 શરતો પર આપી છે. પહેલી શરત અરવિંદ કેજરીવાલ મુખ્યમંત્રી કાર્યાલય જઈ શકશે નહીં. ઉપરાંત કેસ સંબંધિત કોઈ જાહેર ચર્ચા નહીં કરી શકે. તે સિવાય તપાસમાં અવરોધ કે સાક્ષીઓને પ્રભાવિત કરવાનો પ્રયાસ કરશે નહીં.



સીબીઆઈ કેસમાં મળ્યા જામીન 

જરૂર પડશે તો ટ્રાયલ કોર્ટમાં હાજર થશે અને તપાસમાં સહકાર આપશે. જોકે બે તપાસ એજન્સીઑએ  કેજરીવાલ સામે કેસ નોંધ્યો છે. એક ED અને એક CBI.ED કેસમાં 12 જુલાઈએ સુપ્રીમ કોર્ટમાંથી જામીન મળી ગયા છે. અને કેજરીવાલને આજે CBI કેસમાં જામીન મળી ગયા છે એટલે હવે એ બહાર આવશે . 



21 માર્ચે ઈડીએ કરી હતી ધરપકડ

આખા ટાઈમલાઈનની વાત કરીએ તો કેજરીવાલની ધરપકડ 21 માર્ચે ED દ્વારા કરવામાં આવી હતી. 10 દિવસની પૂછપરછ બાદ તેમને 1 એપ્રિલે તિહાર જેલમાં મોકલી દેવાયા હતા. 10 મેના રોજ તેમને લોકસભા ચૂંટણીના પ્રચાર માટે 21 દિવસ માટે મુક્ત કરાયા હતા. 51 દિવસ જેલમાં રહ્યા બાદ તેમને મુક્ત કરવામાં આવ્યા હતા. 2 જૂને કેજરીવાલે તિહાર જેલમાં આત્મસમર્પણ કર્યું હતું.


વચગાળાના જામીન મળ્યા હતા અરવિંદ કેજરીવાલને

 કેજરીવાલ આજે 13મી સપ્ટેમ્બરે જેલ મુક્ત થયા છે. તો તેઓ કુલ 177 દિવસ જેલમાં હશે. જેમાંથી તે 21 દિવસ માટે વચગાળાના જામીન પર રહ્યો હતો. એટલે કે કેજરીવાલે અત્યાર સુધીમાં કુલ 156 દિવસ જેલમાં વિતાવ્યા છે. તો આજે એ બહાર આવે એ પહેલા જ આપના નેતાઓમાં જોશ છે અને અનેક નિવેદનો સામે આવ્યા જેમાં નેતાઓ ભાજપ પર પ્રહાર કરે છે કે કેમ તે જોવું રહ્યું.



ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે

લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. સૌ પ્રથમ તેમણે રાજધાની શ્રીનગરના આર્મી હોસ્પિટલની મુલાકાત લીધી છે. આ ઉપરાંત તેમણે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહની અને LG મનોજ સિંહની પણ મુલાકાત લીધી છે .