સુપ્રીમ કોર્ટના પાંચ જજ એક સાથે કોરોના પોઝિટીવ, સજાતિય લગ્ન કેસની સુનાવણી ટળી


  • Published By :
  • Published Date : 2023-04-23 17:23:55

છેલ્લા કેટલાક દિવસોથી દેશમાં કોરોના વાયરસના કેસ ઝડપથી વધી રહ્યા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલા તપાસ રિપોર્ટ અનુસાર, છેલ્લા 24 કલાકમાં દેશમાં કોવિડ-19ના 12,193 નવા કેસ નોંધાયા છે. હવે જ્યારે, કોવિડના એક્ટિવ કેસોની સંખ્યા 67,556 પર પહોંચી ગઈ છે. ત્યારે દેશની રાજધાની દિલ્હીમાં કોરોનાના વધતા જતા કેસ વચ્ચે હવે સુપ્રીમ કોર્ટના પાંચ જજોના કોવિડથી સંક્રમિત થવાનો મામલો પણ સામે આવી રહ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, પોઝિટિવ આવેલા જજોમાંથી એક ન્યાયાધિશ સમલૈંગિક લગ્નના કેસની સુનાવણી માટે રચાયેલી બંધારણીય બેંચમાં સામેલ છે. સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ સૂત્રોએ જણાવ્યું કે CJI DY ચંદ્રચુડ પોતે પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે અને તમામ ન્યાયાધીશોના સંપર્કમાં છે.


આ 5 જજ કોરોનાની ઝપેટમાં આવ્યા


સૂત્રોના જણાવ્યા અનુસાર જસ્ટિસ સંજીવ ખન્ના, જસ્ટિસ અનિરુદ્ધ બોઝ, જસ્ટિસ એસ રવિન્દ્ર ભટ, જસ્ટિસ જેબી પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રા હાલમાં કોરોના સંક્રમિત છે. જસ્ટિસ એસ રવિન્દ્ર ભટ સમલૈંગિક લગ્ન કેસમાં બંધારણીય બેંચનો ભાગ છે. બીજી તરફ, જસ્ટિસ સૂર્યકાંત એક અઠવાડિયા પહેલા કોરોનાને હરાવીને સ્વસ્થ થઈ ગયા છે.


સોમવારે સમલૈંગિક લગ્ન મામલે કોઈ સુનાવણી નહીં થાય


બંધારણીય બેંચના જજ કોરોના સંક્રમિત હોવાને કારણે સુપ્રીમ કોર્ટ સોમવારે સમલૈંગિક લગ્નના કેસની સુનાવણી નહીં કરે. બંધારણીય બેંચના સહ ન્યાયાધીશ કોરોના સંક્રમિત હોવાને કારણે બેન્ચના અન્ય ન્યાયાધીશો પણ તેમના સ્વાસ્થ્યને લઈને સતર્ક થઈ ગયા છે.



અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.