સુપ્રીમ કોર્ટના પાંચ જજ એક સાથે કોરોના પોઝિટીવ, સજાતિય લગ્ન કેસની સુનાવણી ટળી


  • Published By :
  • Published Date : 2023-04-23 17:23:55

છેલ્લા કેટલાક દિવસોથી દેશમાં કોરોના વાયરસના કેસ ઝડપથી વધી રહ્યા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલા તપાસ રિપોર્ટ અનુસાર, છેલ્લા 24 કલાકમાં દેશમાં કોવિડ-19ના 12,193 નવા કેસ નોંધાયા છે. હવે જ્યારે, કોવિડના એક્ટિવ કેસોની સંખ્યા 67,556 પર પહોંચી ગઈ છે. ત્યારે દેશની રાજધાની દિલ્હીમાં કોરોનાના વધતા જતા કેસ વચ્ચે હવે સુપ્રીમ કોર્ટના પાંચ જજોના કોવિડથી સંક્રમિત થવાનો મામલો પણ સામે આવી રહ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, પોઝિટિવ આવેલા જજોમાંથી એક ન્યાયાધિશ સમલૈંગિક લગ્નના કેસની સુનાવણી માટે રચાયેલી બંધારણીય બેંચમાં સામેલ છે. સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ સૂત્રોએ જણાવ્યું કે CJI DY ચંદ્રચુડ પોતે પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે અને તમામ ન્યાયાધીશોના સંપર્કમાં છે.


આ 5 જજ કોરોનાની ઝપેટમાં આવ્યા


સૂત્રોના જણાવ્યા અનુસાર જસ્ટિસ સંજીવ ખન્ના, જસ્ટિસ અનિરુદ્ધ બોઝ, જસ્ટિસ એસ રવિન્દ્ર ભટ, જસ્ટિસ જેબી પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રા હાલમાં કોરોના સંક્રમિત છે. જસ્ટિસ એસ રવિન્દ્ર ભટ સમલૈંગિક લગ્ન કેસમાં બંધારણીય બેંચનો ભાગ છે. બીજી તરફ, જસ્ટિસ સૂર્યકાંત એક અઠવાડિયા પહેલા કોરોનાને હરાવીને સ્વસ્થ થઈ ગયા છે.


સોમવારે સમલૈંગિક લગ્ન મામલે કોઈ સુનાવણી નહીં થાય


બંધારણીય બેંચના જજ કોરોના સંક્રમિત હોવાને કારણે સુપ્રીમ કોર્ટ સોમવારે સમલૈંગિક લગ્નના કેસની સુનાવણી નહીં કરે. બંધારણીય બેંચના સહ ન્યાયાધીશ કોરોના સંક્રમિત હોવાને કારણે બેન્ચના અન્ય ન્યાયાધીશો પણ તેમના સ્વાસ્થ્યને લઈને સતર્ક થઈ ગયા છે.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.