પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટે ઈમરાન ખાનની ધરપકડને ગેરકાયદે ગણાવી, તાત્કાલિક મુક્ત કરવાનો કર્યો આદેશ


  • Published By :
  • Published Date : 2023-05-11 20:15:29

પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટે ઈમરાન ખાનને તાત્કાલિક મુક્ત કરવાનો આદેશ આપ્યો છે. સર્વોચ્ચ અદાલતે કહ્યું કે ઈમરાન ખાનની ધરપકડ ગેરકાયદેસર છે, આવી સ્થિતિમાં તેમને કસ્ટડીમાં ન રાખી શકાય. પોલીસ કસ્ટડીમાંથી મુક્ત થતાં જ ઈમરાન ખાને તેમના સમર્થકોને શાંતિની અપીલ કરી છે. તેમણે કહ્યું કે આપણે રમખાણો નહીં,ચૂંટણી જોઈએ છે. અત્રે ઉલ્લેખનિય છે કે ઈસ્લામાબાદ હાઈકોર્ટમાંથી ધરપકડ કર્યા બાદ ઈમરાન ખાનના સમર્થકોએ હોબાળો મચાવ્યો હતો અને અનેક જગ્યાએ તોડફોડ અને આગજની કરી હતી. 


પાકિસ્તાની રેન્જર્સે કરી હતી ધરપકડ


ઈમરાન ખાન નેશનલ એકાઉન્ટેબિલિટી બ્યુરો દ્વારા દાખલ કરાયેલા અલ કાદિર ટ્રસ્ટ કેસમાં ઈસ્લામાબાદ હાઈકોર્ટની સુનાવણી દરમિયાન હાજર થયા હતા. તે વખતે ઈમરાન ખાનની ધરપકડ કરવામાં આવી હતી. પાકિસ્તાની રેન્જર્સે હાઈકોર્ટમાં તોડફોડ કરી ઈમરાન ખાનની ધરપકડ કરી હતી. પાકિસ્તાની રેન્જર્સ સાથે ઘર્ષણમાં ઈમરાન ખાનના સુરક્ષાકર્મીઓ અને વકીલોને પણ ઈજા થઈ હતી.


ઈમરાન ખાનને હાઈકોર્ટમાં હાજર રહેવાનો આદેશ 


સુપ્રીમ કોર્ટે ઈમરાન ખાનને આવતીકાલે ઈસ્લામાબાદ હાઈકોર્ટમાં હાજર થવાનો આદેશ આપ્યો છે. ચીફ જસ્ટિસે કહ્યું કે તમે વાતચીત શરૂ કરો. તેનાથી દેશમાં શાંતિ સ્થપાશે. ઈમરાન ખાને કોર્ટને કહ્યું કે તેમને ઘરે જવા દેવામાં આવે, પરંતુ કોર્ટે તેમને પોલીસ લાઈનમાં મોકલી આપ્યા છે. કોર્ટે કહ્યું કે તમારી સુરક્ષા માટે આવું ન કરી શકાય.


સુપ્રીમે એક કલાકમાં હાજર કરવાનો કર્યો હતો  


સુપ્રીમ કોર્ટે આજે ગુરૂવારે ઈસ્લામાબાદ પોલીસના આઈજી ડો. અકબર નાસિર ખાનને પાકિસ્તાન તહરીક એ ઈન્સાફ (પીટીઆઈ)ના અધ્યક્ષ ઈમરાન ખાનને સાંજના 4.30 વાગ્યા સુધી રજુ કરાવાનો આદેશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટે ઈમરાન ખાને ઈસ્લામાબાદ હાઈકોર્ટના પરિસરમાંથી ઉઠાવી લેવામાં આવ્યા તેને ન્યાયિક સંસ્થાનું મોટું અપમાન ગણાવ્યું હતું. ઈમરાન ખાનની ધરપકડને પડકારનારી પીટીઆઈની અરજી અંગે સુનાવણી કરી રહેલા ત્રણ જજોની આ બેંચે આ ટીપ્પણી કરી હતી. સુપ્રીમ કોર્ટે આ મામલે ચુકાદો અનામત રાખ્યો હતો.





ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે

લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. સૌ પ્રથમ તેમણે રાજધાની શ્રીનગરના આર્મી હોસ્પિટલની મુલાકાત લીધી છે. આ ઉપરાંત તેમણે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહની અને LG મનોજ સિંહની પણ મુલાકાત લીધી છે .