પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટે ઈમરાન ખાનની ધરપકડને ગેરકાયદે ગણાવી, તાત્કાલિક મુક્ત કરવાનો કર્યો આદેશ


  • Published By :
  • Published Date : 2023-05-11 20:15:29

પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટે ઈમરાન ખાનને તાત્કાલિક મુક્ત કરવાનો આદેશ આપ્યો છે. સર્વોચ્ચ અદાલતે કહ્યું કે ઈમરાન ખાનની ધરપકડ ગેરકાયદેસર છે, આવી સ્થિતિમાં તેમને કસ્ટડીમાં ન રાખી શકાય. પોલીસ કસ્ટડીમાંથી મુક્ત થતાં જ ઈમરાન ખાને તેમના સમર્થકોને શાંતિની અપીલ કરી છે. તેમણે કહ્યું કે આપણે રમખાણો નહીં,ચૂંટણી જોઈએ છે. અત્રે ઉલ્લેખનિય છે કે ઈસ્લામાબાદ હાઈકોર્ટમાંથી ધરપકડ કર્યા બાદ ઈમરાન ખાનના સમર્થકોએ હોબાળો મચાવ્યો હતો અને અનેક જગ્યાએ તોડફોડ અને આગજની કરી હતી. 


પાકિસ્તાની રેન્જર્સે કરી હતી ધરપકડ


ઈમરાન ખાન નેશનલ એકાઉન્ટેબિલિટી બ્યુરો દ્વારા દાખલ કરાયેલા અલ કાદિર ટ્રસ્ટ કેસમાં ઈસ્લામાબાદ હાઈકોર્ટની સુનાવણી દરમિયાન હાજર થયા હતા. તે વખતે ઈમરાન ખાનની ધરપકડ કરવામાં આવી હતી. પાકિસ્તાની રેન્જર્સે હાઈકોર્ટમાં તોડફોડ કરી ઈમરાન ખાનની ધરપકડ કરી હતી. પાકિસ્તાની રેન્જર્સ સાથે ઘર્ષણમાં ઈમરાન ખાનના સુરક્ષાકર્મીઓ અને વકીલોને પણ ઈજા થઈ હતી.


ઈમરાન ખાનને હાઈકોર્ટમાં હાજર રહેવાનો આદેશ 


સુપ્રીમ કોર્ટે ઈમરાન ખાનને આવતીકાલે ઈસ્લામાબાદ હાઈકોર્ટમાં હાજર થવાનો આદેશ આપ્યો છે. ચીફ જસ્ટિસે કહ્યું કે તમે વાતચીત શરૂ કરો. તેનાથી દેશમાં શાંતિ સ્થપાશે. ઈમરાન ખાને કોર્ટને કહ્યું કે તેમને ઘરે જવા દેવામાં આવે, પરંતુ કોર્ટે તેમને પોલીસ લાઈનમાં મોકલી આપ્યા છે. કોર્ટે કહ્યું કે તમારી સુરક્ષા માટે આવું ન કરી શકાય.


સુપ્રીમે એક કલાકમાં હાજર કરવાનો કર્યો હતો  


સુપ્રીમ કોર્ટે આજે ગુરૂવારે ઈસ્લામાબાદ પોલીસના આઈજી ડો. અકબર નાસિર ખાનને પાકિસ્તાન તહરીક એ ઈન્સાફ (પીટીઆઈ)ના અધ્યક્ષ ઈમરાન ખાનને સાંજના 4.30 વાગ્યા સુધી રજુ કરાવાનો આદેશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટે ઈમરાન ખાને ઈસ્લામાબાદ હાઈકોર્ટના પરિસરમાંથી ઉઠાવી લેવામાં આવ્યા તેને ન્યાયિક સંસ્થાનું મોટું અપમાન ગણાવ્યું હતું. ઈમરાન ખાનની ધરપકડને પડકારનારી પીટીઆઈની અરજી અંગે સુનાવણી કરી રહેલા ત્રણ જજોની આ બેંચે આ ટીપ્પણી કરી હતી. સુપ્રીમ કોર્ટે આ મામલે ચુકાદો અનામત રાખ્યો હતો.





રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.

As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.

આજકાલ ઘણીબધી જગ્યાએ એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે , જો તમે સત્તાધારી પક્ષ BJP સાથે જોડાયેલા હોવ તો તમે ગાડીમાં આગળ BJPનો ખેસ મુકતા હોવ છો. પરંતુ રાજ્યના અરવલ્લી જિલ્લાથી એક એવો ઘટસ્ફોટ થયો છે કે , ગુનેગારો ૨૦ લાખની ફોર્ચ્યુનરમાં આગળ BJPનો ખેસ લગાવી ડ્રગસની હેરાફેરી કરતા હતા. આ BJPનો ખેસ પોલીસને ચકમો આપવા માટે લગાવવામાં આવ્યો હતો.