પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટે ઈમરાન ખાનની ધરપકડને ગેરકાયદે ગણાવી, તાત્કાલિક મુક્ત કરવાનો કર્યો આદેશ


  • Published By :
  • Published Date : 2023-05-11 20:15:29

પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટે ઈમરાન ખાનને તાત્કાલિક મુક્ત કરવાનો આદેશ આપ્યો છે. સર્વોચ્ચ અદાલતે કહ્યું કે ઈમરાન ખાનની ધરપકડ ગેરકાયદેસર છે, આવી સ્થિતિમાં તેમને કસ્ટડીમાં ન રાખી શકાય. પોલીસ કસ્ટડીમાંથી મુક્ત થતાં જ ઈમરાન ખાને તેમના સમર્થકોને શાંતિની અપીલ કરી છે. તેમણે કહ્યું કે આપણે રમખાણો નહીં,ચૂંટણી જોઈએ છે. અત્રે ઉલ્લેખનિય છે કે ઈસ્લામાબાદ હાઈકોર્ટમાંથી ધરપકડ કર્યા બાદ ઈમરાન ખાનના સમર્થકોએ હોબાળો મચાવ્યો હતો અને અનેક જગ્યાએ તોડફોડ અને આગજની કરી હતી. 


પાકિસ્તાની રેન્જર્સે કરી હતી ધરપકડ


ઈમરાન ખાન નેશનલ એકાઉન્ટેબિલિટી બ્યુરો દ્વારા દાખલ કરાયેલા અલ કાદિર ટ્રસ્ટ કેસમાં ઈસ્લામાબાદ હાઈકોર્ટની સુનાવણી દરમિયાન હાજર થયા હતા. તે વખતે ઈમરાન ખાનની ધરપકડ કરવામાં આવી હતી. પાકિસ્તાની રેન્જર્સે હાઈકોર્ટમાં તોડફોડ કરી ઈમરાન ખાનની ધરપકડ કરી હતી. પાકિસ્તાની રેન્જર્સ સાથે ઘર્ષણમાં ઈમરાન ખાનના સુરક્ષાકર્મીઓ અને વકીલોને પણ ઈજા થઈ હતી.


ઈમરાન ખાનને હાઈકોર્ટમાં હાજર રહેવાનો આદેશ 


સુપ્રીમ કોર્ટે ઈમરાન ખાનને આવતીકાલે ઈસ્લામાબાદ હાઈકોર્ટમાં હાજર થવાનો આદેશ આપ્યો છે. ચીફ જસ્ટિસે કહ્યું કે તમે વાતચીત શરૂ કરો. તેનાથી દેશમાં શાંતિ સ્થપાશે. ઈમરાન ખાને કોર્ટને કહ્યું કે તેમને ઘરે જવા દેવામાં આવે, પરંતુ કોર્ટે તેમને પોલીસ લાઈનમાં મોકલી આપ્યા છે. કોર્ટે કહ્યું કે તમારી સુરક્ષા માટે આવું ન કરી શકાય.


સુપ્રીમે એક કલાકમાં હાજર કરવાનો કર્યો હતો  


સુપ્રીમ કોર્ટે આજે ગુરૂવારે ઈસ્લામાબાદ પોલીસના આઈજી ડો. અકબર નાસિર ખાનને પાકિસ્તાન તહરીક એ ઈન્સાફ (પીટીઆઈ)ના અધ્યક્ષ ઈમરાન ખાનને સાંજના 4.30 વાગ્યા સુધી રજુ કરાવાનો આદેશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટે ઈમરાન ખાને ઈસ્લામાબાદ હાઈકોર્ટના પરિસરમાંથી ઉઠાવી લેવામાં આવ્યા તેને ન્યાયિક સંસ્થાનું મોટું અપમાન ગણાવ્યું હતું. ઈમરાન ખાનની ધરપકડને પડકારનારી પીટીઆઈની અરજી અંગે સુનાવણી કરી રહેલા ત્રણ જજોની આ બેંચે આ ટીપ્પણી કરી હતી. સુપ્રીમ કોર્ટે આ મામલે ચુકાદો અનામત રાખ્યો હતો.





ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.