'વન રેન્ક વન પેન્શન' મામલે સુપ્રીમની કેન્દ્ર સરકારને ફટકાર, 4 હપ્તામાં ચૂકવણીની નોટિફિકેશન પાછી ખેંચવાનો કર્યો આદેશ


  • Published By :
  • Published Date : 2023-03-13 19:29:28

સશસ્ત્ર દળોના પેન્શનધારકોને વન રેન્ક વન પેન્શન એરિયર્સ મુદ્દે સુપ્રીમ કોર્ટે ફરી એકવાર કેન્દ્ર સરકારને ફટકાર લગાવી છે. દેશની સૌથી મોટી કોર્ટે સોમવારે કહ્યું કે સંરક્ષણ મંત્રાલય 'વન રેન્ક વન પેન્શન' (OROP) ની બાકી રકમ ચાર હપ્તામાં ચૂકવવા માટે કાયદો પોતાના હાથમાં લઈ શકે નહીં. કોર્ટે રક્ષા મંત્રાલયને 20 જાન્યુઆરીના નોટિફિકેશનને તુરંત પાછું ખેંચવા કહ્યું છે, જેમાં કહેવામાં આવ્યું છે કે OROPની બાકી રકમ ચાર હપ્તામાં ચૂકવવામાં આવશે. ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ, જસ્ટિસ પીએસ નરસિમ્હા અને જસ્ટિસ જે બી પારડીવાલાની બેંચ ભૂતપૂર્વ સૈનિકોના બાકી પેન્શન કેસની સુનાવણી કરી રહી છે.


સરકારે સમય માંગ્યો તો સુપ્રીમે ઉધડો લીધો


એટર્ની જનરલ આર વેંકટરમણીએ સુપ્રીમ કોર્ટને કહ્યું કે કેન્દ્ર સરકારે OROPનો એક હપ્તો પૂર્વ સૈનિકોને ચૂકવી દીધો છે.  પરતું આગામી  ચૂકવણી માટે સરકારને થોડા સમયની જરૂર છે.  કેસની સુનાવણી કરી રહેલી બેન્ચે સુપ્રીમ કોર્ટને કહ્યું કે પહેલા OROPનીબાકીની ચૂકવણી અંગેની 20 જાન્યુઆરીની તેની નોટીસ પાછી ખેંચે, પછી અમે આ સંબંધમાં તમારી અરજી અંગે વિચાર કરીશું.  


સુપ્રીમ અગાઉ પર લગાવી ચુકી છે ફટકાર  


સુપ્રીમ કોર્ટની બેંચે કહ્યું છે કે અમે ઈચ્છીએ છીએ કે કોઈ પ્રકારનું વર્ગીકરણ હોવું જોઈએ અને પહેલા વૃદ્ધોને લેણાં ચૂકવવામાં આવે. કેસ શરૂ થયો ત્યારથી અત્યાર સુધીમાં 4 લાખથી વધુ પેન્શનરોના મોત થયા છે. અત્રે ઉલ્લેખનિય છે કે બેન્ચ એડવોકેટ બાલાજી શ્રીનિવાસન દ્વારા દાખલ કરવામાં આવેલી ઈન્ડિયન એક્સ-સર્વિસમેન મૂવમેન્ટ (IEESM)ની અરજી પર સુનાવણી કરી રહી છે. આ અરજીમાં 20 જાન્યુઆરીએ રક્ષા મંત્રાલયના કોમ્યુનિકેશનને નકારી કાઢવાની માંગ કરવામાં આવી છે. આ પહેલા પણ સુપ્રીમ કોર્ટે સશસ્ત્ર દળોના લાયક પેન્શનરોને OROP લેણાંની ચૂકવણીમાં વિલંબ માટે 27 ફેબ્રુઆરીએ સંરક્ષણ મંત્રાલયને ફટકાર લગાવી હતી.



રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.

અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.