'વન રેન્ક વન પેન્શન' મામલે સુપ્રીમની કેન્દ્ર સરકારને ફટકાર, 4 હપ્તામાં ચૂકવણીની નોટિફિકેશન પાછી ખેંચવાનો કર્યો આદેશ


  • Published By :
  • Published Date : 2023-03-13 19:29:28

સશસ્ત્ર દળોના પેન્શનધારકોને વન રેન્ક વન પેન્શન એરિયર્સ મુદ્દે સુપ્રીમ કોર્ટે ફરી એકવાર કેન્દ્ર સરકારને ફટકાર લગાવી છે. દેશની સૌથી મોટી કોર્ટે સોમવારે કહ્યું કે સંરક્ષણ મંત્રાલય 'વન રેન્ક વન પેન્શન' (OROP) ની બાકી રકમ ચાર હપ્તામાં ચૂકવવા માટે કાયદો પોતાના હાથમાં લઈ શકે નહીં. કોર્ટે રક્ષા મંત્રાલયને 20 જાન્યુઆરીના નોટિફિકેશનને તુરંત પાછું ખેંચવા કહ્યું છે, જેમાં કહેવામાં આવ્યું છે કે OROPની બાકી રકમ ચાર હપ્તામાં ચૂકવવામાં આવશે. ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ, જસ્ટિસ પીએસ નરસિમ્હા અને જસ્ટિસ જે બી પારડીવાલાની બેંચ ભૂતપૂર્વ સૈનિકોના બાકી પેન્શન કેસની સુનાવણી કરી રહી છે.


સરકારે સમય માંગ્યો તો સુપ્રીમે ઉધડો લીધો


એટર્ની જનરલ આર વેંકટરમણીએ સુપ્રીમ કોર્ટને કહ્યું કે કેન્દ્ર સરકારે OROPનો એક હપ્તો પૂર્વ સૈનિકોને ચૂકવી દીધો છે.  પરતું આગામી  ચૂકવણી માટે સરકારને થોડા સમયની જરૂર છે.  કેસની સુનાવણી કરી રહેલી બેન્ચે સુપ્રીમ કોર્ટને કહ્યું કે પહેલા OROPનીબાકીની ચૂકવણી અંગેની 20 જાન્યુઆરીની તેની નોટીસ પાછી ખેંચે, પછી અમે આ સંબંધમાં તમારી અરજી અંગે વિચાર કરીશું.  


સુપ્રીમ અગાઉ પર લગાવી ચુકી છે ફટકાર  


સુપ્રીમ કોર્ટની બેંચે કહ્યું છે કે અમે ઈચ્છીએ છીએ કે કોઈ પ્રકારનું વર્ગીકરણ હોવું જોઈએ અને પહેલા વૃદ્ધોને લેણાં ચૂકવવામાં આવે. કેસ શરૂ થયો ત્યારથી અત્યાર સુધીમાં 4 લાખથી વધુ પેન્શનરોના મોત થયા છે. અત્રે ઉલ્લેખનિય છે કે બેન્ચ એડવોકેટ બાલાજી શ્રીનિવાસન દ્વારા દાખલ કરવામાં આવેલી ઈન્ડિયન એક્સ-સર્વિસમેન મૂવમેન્ટ (IEESM)ની અરજી પર સુનાવણી કરી રહી છે. આ અરજીમાં 20 જાન્યુઆરીએ રક્ષા મંત્રાલયના કોમ્યુનિકેશનને નકારી કાઢવાની માંગ કરવામાં આવી છે. આ પહેલા પણ સુપ્રીમ કોર્ટે સશસ્ત્ર દળોના લાયક પેન્શનરોને OROP લેણાંની ચૂકવણીમાં વિલંબ માટે 27 ફેબ્રુઆરીએ સંરક્ષણ મંત્રાલયને ફટકાર લગાવી હતી.



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.