'વન રેન્ક વન પેન્શન' મામલે સુપ્રીમની કેન્દ્ર સરકારને ફટકાર, 4 હપ્તામાં ચૂકવણીની નોટિફિકેશન પાછી ખેંચવાનો કર્યો આદેશ


  • Published By :
  • Published Date : 2023-03-13 19:29:28

સશસ્ત્ર દળોના પેન્શનધારકોને વન રેન્ક વન પેન્શન એરિયર્સ મુદ્દે સુપ્રીમ કોર્ટે ફરી એકવાર કેન્દ્ર સરકારને ફટકાર લગાવી છે. દેશની સૌથી મોટી કોર્ટે સોમવારે કહ્યું કે સંરક્ષણ મંત્રાલય 'વન રેન્ક વન પેન્શન' (OROP) ની બાકી રકમ ચાર હપ્તામાં ચૂકવવા માટે કાયદો પોતાના હાથમાં લઈ શકે નહીં. કોર્ટે રક્ષા મંત્રાલયને 20 જાન્યુઆરીના નોટિફિકેશનને તુરંત પાછું ખેંચવા કહ્યું છે, જેમાં કહેવામાં આવ્યું છે કે OROPની બાકી રકમ ચાર હપ્તામાં ચૂકવવામાં આવશે. ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ, જસ્ટિસ પીએસ નરસિમ્હા અને જસ્ટિસ જે બી પારડીવાલાની બેંચ ભૂતપૂર્વ સૈનિકોના બાકી પેન્શન કેસની સુનાવણી કરી રહી છે.


સરકારે સમય માંગ્યો તો સુપ્રીમે ઉધડો લીધો


એટર્ની જનરલ આર વેંકટરમણીએ સુપ્રીમ કોર્ટને કહ્યું કે કેન્દ્ર સરકારે OROPનો એક હપ્તો પૂર્વ સૈનિકોને ચૂકવી દીધો છે.  પરતું આગામી  ચૂકવણી માટે સરકારને થોડા સમયની જરૂર છે.  કેસની સુનાવણી કરી રહેલી બેન્ચે સુપ્રીમ કોર્ટને કહ્યું કે પહેલા OROPનીબાકીની ચૂકવણી અંગેની 20 જાન્યુઆરીની તેની નોટીસ પાછી ખેંચે, પછી અમે આ સંબંધમાં તમારી અરજી અંગે વિચાર કરીશું.  


સુપ્રીમ અગાઉ પર લગાવી ચુકી છે ફટકાર  


સુપ્રીમ કોર્ટની બેંચે કહ્યું છે કે અમે ઈચ્છીએ છીએ કે કોઈ પ્રકારનું વર્ગીકરણ હોવું જોઈએ અને પહેલા વૃદ્ધોને લેણાં ચૂકવવામાં આવે. કેસ શરૂ થયો ત્યારથી અત્યાર સુધીમાં 4 લાખથી વધુ પેન્શનરોના મોત થયા છે. અત્રે ઉલ્લેખનિય છે કે બેન્ચ એડવોકેટ બાલાજી શ્રીનિવાસન દ્વારા દાખલ કરવામાં આવેલી ઈન્ડિયન એક્સ-સર્વિસમેન મૂવમેન્ટ (IEESM)ની અરજી પર સુનાવણી કરી રહી છે. આ અરજીમાં 20 જાન્યુઆરીએ રક્ષા મંત્રાલયના કોમ્યુનિકેશનને નકારી કાઢવાની માંગ કરવામાં આવી છે. આ પહેલા પણ સુપ્રીમ કોર્ટે સશસ્ત્ર દળોના લાયક પેન્શનરોને OROP લેણાંની ચૂકવણીમાં વિલંબ માટે 27 ફેબ્રુઆરીએ સંરક્ષણ મંત્રાલયને ફટકાર લગાવી હતી.



રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા ભારતીય જનતા પાર્ટીમાં ટિકિટ વહેંચણીને લઇને કાર્યકરોમાં અસંતોષ જોવા મળ્યો છે. શિસ્તબદ્ધ કહેવાતી પાર્ટીમાં ટિકિટ માટે જૂથબંધી અને રોષ ભાજપમાં સપાટી પર આવી ગયો છે. હવે , ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ ડેમેજ કંટ્રોલ કરવા લાગી જવું પડ્યું છે. આ માટે તેમણે રાજકોટની મુલાકાત લીધી છે.

મહેસાણા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીમાં ખુબ મોટું ગાબડું સામે આવ્યું છે. કેમ કે, મરતોલી ગામના ૨૦૦ જેટલા ભાજપના કાર્યકરો પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા છે. આ તમામ ભાજપના કાર્યકરોએ આક્ષેપ કર્યા છે કે , પાર્ટીમાં અમારી કોઈ જ વેલ્યુ નથી રહી. બીજી તરફ , બનાસકાંઠા જિલ્લામાં પણ ભાજપમાં ખુબ મોટું ગાબડું પડ્યું છે. પૂર્વ નગરસેવક અને સિનિયર આગેવાન શાંતિ માળી અને ગોપાલ સેનાના અધ્યક્ષ નરસિંહ દેસાઈ કોંગ્રેસમાં જોડાયા છે.

સામાન્ય રીતે લોકો પોતાના જન્મદિવસે તેની ભવ્ય ઉજવણી કરતા હોય છે. પરંતુ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અનંત અંબાણીના 31મા જન્મદિન પ્રસંગે આયોજિત વિવિધ પરોપકારી કાર્યો તથા પ્રવૃત્તિઓએ આશરે 57 લાખ લોકોના જીવનને સ્પર્શ કરી તેને બહેતર બનાવવાનો પ્રયાસ કર્યો છે. લાખો લોકોના જીવનને સમૃદ્ધ બનાવવાના ઉદ્દેશથી ધાર્મિક ટ્રસ્ટ, શૈક્ષણિક તથા આરોગ્યસંભાળ સંસ્થાઓ તેમજ સામાજકલ્યાણની સંસ્થાઓમાં સખાવતી યોગદાન અપાયું હતું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીમાં ઉમેદવારોની પસંદગી કરવાને લઇને જબરદસ્ત મંથન ચાલી રહ્યું છે. ત્યારે , ભાજપ દ્વારા કેટલાક માપદંડો બનાવવામાં આવ્યા છે જેમ કે , ૬૦થી વધુ વયના લોકોને ટિકિટ ના આપવી. ત્રણ ટર્મથી ચૂંટણી લડતા હોય તેમને ટિકિટ ના આપવી. આવા અનેક નિયમો ભાજપે બનાવ્યા છે. તો ભાજપના જ આવા નિયમોની સામે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ મોરચો માંડ્યો છે. મનસુખ વસાવાએ સ્પષ્ટપણે કહી દીધું છે કે , આ નિયમો જ પાર્ટીને નુકશાન કરશે.