'વન રેન્ક વન પેન્શન' મામલે સુપ્રીમની કેન્દ્ર સરકારને ફટકાર, 4 હપ્તામાં ચૂકવણીની નોટિફિકેશન પાછી ખેંચવાનો કર્યો આદેશ


  • Published By :
  • Published Date : 2023-03-13 19:29:28

સશસ્ત્ર દળોના પેન્શનધારકોને વન રેન્ક વન પેન્શન એરિયર્સ મુદ્દે સુપ્રીમ કોર્ટે ફરી એકવાર કેન્દ્ર સરકારને ફટકાર લગાવી છે. દેશની સૌથી મોટી કોર્ટે સોમવારે કહ્યું કે સંરક્ષણ મંત્રાલય 'વન રેન્ક વન પેન્શન' (OROP) ની બાકી રકમ ચાર હપ્તામાં ચૂકવવા માટે કાયદો પોતાના હાથમાં લઈ શકે નહીં. કોર્ટે રક્ષા મંત્રાલયને 20 જાન્યુઆરીના નોટિફિકેશનને તુરંત પાછું ખેંચવા કહ્યું છે, જેમાં કહેવામાં આવ્યું છે કે OROPની બાકી રકમ ચાર હપ્તામાં ચૂકવવામાં આવશે. ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ, જસ્ટિસ પીએસ નરસિમ્હા અને જસ્ટિસ જે બી પારડીવાલાની બેંચ ભૂતપૂર્વ સૈનિકોના બાકી પેન્શન કેસની સુનાવણી કરી રહી છે.


સરકારે સમય માંગ્યો તો સુપ્રીમે ઉધડો લીધો


એટર્ની જનરલ આર વેંકટરમણીએ સુપ્રીમ કોર્ટને કહ્યું કે કેન્દ્ર સરકારે OROPનો એક હપ્તો પૂર્વ સૈનિકોને ચૂકવી દીધો છે.  પરતું આગામી  ચૂકવણી માટે સરકારને થોડા સમયની જરૂર છે.  કેસની સુનાવણી કરી રહેલી બેન્ચે સુપ્રીમ કોર્ટને કહ્યું કે પહેલા OROPનીબાકીની ચૂકવણી અંગેની 20 જાન્યુઆરીની તેની નોટીસ પાછી ખેંચે, પછી અમે આ સંબંધમાં તમારી અરજી અંગે વિચાર કરીશું.  


સુપ્રીમ અગાઉ પર લગાવી ચુકી છે ફટકાર  


સુપ્રીમ કોર્ટની બેંચે કહ્યું છે કે અમે ઈચ્છીએ છીએ કે કોઈ પ્રકારનું વર્ગીકરણ હોવું જોઈએ અને પહેલા વૃદ્ધોને લેણાં ચૂકવવામાં આવે. કેસ શરૂ થયો ત્યારથી અત્યાર સુધીમાં 4 લાખથી વધુ પેન્શનરોના મોત થયા છે. અત્રે ઉલ્લેખનિય છે કે બેન્ચ એડવોકેટ બાલાજી શ્રીનિવાસન દ્વારા દાખલ કરવામાં આવેલી ઈન્ડિયન એક્સ-સર્વિસમેન મૂવમેન્ટ (IEESM)ની અરજી પર સુનાવણી કરી રહી છે. આ અરજીમાં 20 જાન્યુઆરીએ રક્ષા મંત્રાલયના કોમ્યુનિકેશનને નકારી કાઢવાની માંગ કરવામાં આવી છે. આ પહેલા પણ સુપ્રીમ કોર્ટે સશસ્ત્ર દળોના લાયક પેન્શનરોને OROP લેણાંની ચૂકવણીમાં વિલંબ માટે 27 ફેબ્રુઆરીએ સંરક્ષણ મંત્રાલયને ફટકાર લગાવી હતી.



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.