એક મહિનામાં પોલીસ સ્ટેશનો, તપાસ એજન્સીઓની ઓફિસોમાં CCTV લગાવો: સુપ્રીમ કોર્ટ


  • Published By :
  • Published Date : 2023-02-23 21:46:04

સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને રાજ્ય સરકારોને એક મહિનાની અંદર પોલીસ સ્ટેશનો અને તપાસ એજન્સીઓના કાર્યાલયોમાં સીસીટીવી કેમેરા ફરજિયાત સ્થાપિત કરવા માટેના તેના નિર્દેશોનું પાલન કરવાનો આદેશ આપ્યો છે. જસ્ટિસ બીઆર ગવઈની આગેવાની હેઠળની બેન્ચે કેન્દ્ર અને રાજ્ય સરકારોને 29 માર્ચ સુધીમાં તેના આદેશના અમલીકરણ અંગે સોગંદનામું દાખલ કરવા જણાવ્યું હતું. આદેશનું પાલન નહીં થાય તો સંબંધિત અધિકારીઓ સામે જરૂરી કાર્યવાહી કરવામાં આવશે તેવી ચેતવણી પણ આપી હતી.


સુપ્રીમ કોર્ટે આપ્યો આદેશ


સુપ્રીમ કોર્ટની બેન્ચે કહ્યું હતું કે, "જો નિર્દેશોનું પાલન કરવામાં નહીં આવે, તો અમે કેન્દ્રીય ગૃહ સચિવ અને સંબંધિત રાજ્યોના મુખ્ય સચિવો અને ગૃહ સચિવો સામે જરૂરી પગલાં લેવાની ફરજ પાડીશું."


સુપ્રીમ કોર્ટે 2020માં સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI), એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) અને નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) સહિતની તપાસ એજન્સીઓની ઑફિસમાં CCTV કૅમેરા અને રેકોર્ડિંગ સાધનો લગાવવાનો નિર્દેશ આપ્યો હતો. આ એજન્સીઓ પૂછપરછ કરે છે અને ધરપકડની સત્તા ધરાવે છે.


સિનિયર એડવોકેટે કરી હતી અપીલ


સિનિયર એડવોકેટ સિદ્ધાર્થ દવે, આ મામલામાં એમિકસ ક્યુરીએ રજૂઆત કરી હતી કે 25 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોએ અગાઉના નિર્દેશો મુજબ રિપોર્ટ ફાઇલ કરવાના બાકી છે. કોર્ટે દેશભરના પોલીસ સ્ટેશનોમાં સીસીટીવી કેમેરા લગાવવા માટે 6 અઠવાડિયાનો સમય નક્કી કર્યો હતો.


સુપ્રીમ કોર્ટનું કડક વલણ


સુપ્રીમ કોર્ટે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને સુનિશ્ચિત કરવાનો નિર્દેશ આપ્યો હતો કે દરેક પોલીસ સ્ટેશનમાં તમામ એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટ, મુખ્ય દરવાજા, લોક-અપ, કોરિડોર, લોબી અને રિસેપ્શન તેમજ બહારના લોક-અપ રૂમમાં સીસીટીવી કેમેરા પણ લગાવવામાં આવે. જેથી કોઈ પણ ભાગ કેમેરાની નજરથી બચી ન જાય.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.