એક મહિનામાં પોલીસ સ્ટેશનો, તપાસ એજન્સીઓની ઓફિસોમાં CCTV લગાવો: સુપ્રીમ કોર્ટ


  • Published By :
  • Published Date : 2023-02-23 21:46:04

સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને રાજ્ય સરકારોને એક મહિનાની અંદર પોલીસ સ્ટેશનો અને તપાસ એજન્સીઓના કાર્યાલયોમાં સીસીટીવી કેમેરા ફરજિયાત સ્થાપિત કરવા માટેના તેના નિર્દેશોનું પાલન કરવાનો આદેશ આપ્યો છે. જસ્ટિસ બીઆર ગવઈની આગેવાની હેઠળની બેન્ચે કેન્દ્ર અને રાજ્ય સરકારોને 29 માર્ચ સુધીમાં તેના આદેશના અમલીકરણ અંગે સોગંદનામું દાખલ કરવા જણાવ્યું હતું. આદેશનું પાલન નહીં થાય તો સંબંધિત અધિકારીઓ સામે જરૂરી કાર્યવાહી કરવામાં આવશે તેવી ચેતવણી પણ આપી હતી.


સુપ્રીમ કોર્ટે આપ્યો આદેશ


સુપ્રીમ કોર્ટની બેન્ચે કહ્યું હતું કે, "જો નિર્દેશોનું પાલન કરવામાં નહીં આવે, તો અમે કેન્દ્રીય ગૃહ સચિવ અને સંબંધિત રાજ્યોના મુખ્ય સચિવો અને ગૃહ સચિવો સામે જરૂરી પગલાં લેવાની ફરજ પાડીશું."


સુપ્રીમ કોર્ટે 2020માં સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI), એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) અને નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) સહિતની તપાસ એજન્સીઓની ઑફિસમાં CCTV કૅમેરા અને રેકોર્ડિંગ સાધનો લગાવવાનો નિર્દેશ આપ્યો હતો. આ એજન્સીઓ પૂછપરછ કરે છે અને ધરપકડની સત્તા ધરાવે છે.


સિનિયર એડવોકેટે કરી હતી અપીલ


સિનિયર એડવોકેટ સિદ્ધાર્થ દવે, આ મામલામાં એમિકસ ક્યુરીએ રજૂઆત કરી હતી કે 25 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોએ અગાઉના નિર્દેશો મુજબ રિપોર્ટ ફાઇલ કરવાના બાકી છે. કોર્ટે દેશભરના પોલીસ સ્ટેશનોમાં સીસીટીવી કેમેરા લગાવવા માટે 6 અઠવાડિયાનો સમય નક્કી કર્યો હતો.


સુપ્રીમ કોર્ટનું કડક વલણ


સુપ્રીમ કોર્ટે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને સુનિશ્ચિત કરવાનો નિર્દેશ આપ્યો હતો કે દરેક પોલીસ સ્ટેશનમાં તમામ એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટ, મુખ્ય દરવાજા, લોક-અપ, કોરિડોર, લોબી અને રિસેપ્શન તેમજ બહારના લોક-અપ રૂમમાં સીસીટીવી કેમેરા પણ લગાવવામાં આવે. જેથી કોઈ પણ ભાગ કેમેરાની નજરથી બચી ન જાય.



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.