એક મહિનામાં પોલીસ સ્ટેશનો, તપાસ એજન્સીઓની ઓફિસોમાં CCTV લગાવો: સુપ્રીમ કોર્ટ


  • Published By :
  • Published Date : 2023-02-23 21:46:04

સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને રાજ્ય સરકારોને એક મહિનાની અંદર પોલીસ સ્ટેશનો અને તપાસ એજન્સીઓના કાર્યાલયોમાં સીસીટીવી કેમેરા ફરજિયાત સ્થાપિત કરવા માટેના તેના નિર્દેશોનું પાલન કરવાનો આદેશ આપ્યો છે. જસ્ટિસ બીઆર ગવઈની આગેવાની હેઠળની બેન્ચે કેન્દ્ર અને રાજ્ય સરકારોને 29 માર્ચ સુધીમાં તેના આદેશના અમલીકરણ અંગે સોગંદનામું દાખલ કરવા જણાવ્યું હતું. આદેશનું પાલન નહીં થાય તો સંબંધિત અધિકારીઓ સામે જરૂરી કાર્યવાહી કરવામાં આવશે તેવી ચેતવણી પણ આપી હતી.


સુપ્રીમ કોર્ટે આપ્યો આદેશ


સુપ્રીમ કોર્ટની બેન્ચે કહ્યું હતું કે, "જો નિર્દેશોનું પાલન કરવામાં નહીં આવે, તો અમે કેન્દ્રીય ગૃહ સચિવ અને સંબંધિત રાજ્યોના મુખ્ય સચિવો અને ગૃહ સચિવો સામે જરૂરી પગલાં લેવાની ફરજ પાડીશું."


સુપ્રીમ કોર્ટે 2020માં સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI), એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) અને નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) સહિતની તપાસ એજન્સીઓની ઑફિસમાં CCTV કૅમેરા અને રેકોર્ડિંગ સાધનો લગાવવાનો નિર્દેશ આપ્યો હતો. આ એજન્સીઓ પૂછપરછ કરે છે અને ધરપકડની સત્તા ધરાવે છે.


સિનિયર એડવોકેટે કરી હતી અપીલ


સિનિયર એડવોકેટ સિદ્ધાર્થ દવે, આ મામલામાં એમિકસ ક્યુરીએ રજૂઆત કરી હતી કે 25 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોએ અગાઉના નિર્દેશો મુજબ રિપોર્ટ ફાઇલ કરવાના બાકી છે. કોર્ટે દેશભરના પોલીસ સ્ટેશનોમાં સીસીટીવી કેમેરા લગાવવા માટે 6 અઠવાડિયાનો સમય નક્કી કર્યો હતો.


સુપ્રીમ કોર્ટનું કડક વલણ


સુપ્રીમ કોર્ટે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને સુનિશ્ચિત કરવાનો નિર્દેશ આપ્યો હતો કે દરેક પોલીસ સ્ટેશનમાં તમામ એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટ, મુખ્ય દરવાજા, લોક-અપ, કોરિડોર, લોબી અને રિસેપ્શન તેમજ બહારના લોક-અપ રૂમમાં સીસીટીવી કેમેરા પણ લગાવવામાં આવે. જેથી કોઈ પણ ભાગ કેમેરાની નજરથી બચી ન જાય.



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.