ધર્મ પરિવર્તન એક ગંભીર મુદ્દો, તેને રાજકીય રંગ ન આપવો જોઈએ: સુપ્રીમ કોર્ટ


  • Published By :
  • Published Date : 2023-01-09 20:41:46


સુપ્રીમ કોર્ટનું માનવું છે કે ધર્મ પરિવર્તન એક ગંભીર મુદ્દો છે અને તેને રાજકીય રંગ આપવો જોઈએ નહીં. વાસ્તવમાં, સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી છે, જેમાં લાલચથી કે બળજબરીથી થતાં ધર્માંતરણ વિરુદ્ધ કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી છે. આ અરજી પર સુનાવણી કરતી વખતે સુપ્રીમ કોર્ટે આ મામલે એટર્ની જનરલ આર વેંકટરમાની પાસેથી જવાબ માંગ્યો છે. અરજીમાં એવી માંગણી કરવામાં આવી છે કે ધાકધમકી, લાલચ કે વિવિધ લાભો આપીને ધર્મ પરિવર્તન પર પ્રતિબંધ મુકવો જોઈએ.


એટર્ની જનરલ પાસે માંગ્યો જવાબ


જસ્ટિસ એમઆર શાહ અને જસ્ટિસ સીટી રવિકુમારની બેન્ચે એટર્ની જનરલ આર વેંકટરમાનીને કહ્યું કે અમે એ જાણવા માગીએ છીએ કે ધર્માંતરણ બળજબરીથી થઈ રહ્યું છે કે લોભથી અને જો આવું થઈ રહ્યું હોય તો અમારે શું કરવું જોઈએ? અને તેને સુધારવા માટે શું કરવું જોઈએ, કેન્દ્ર આ મામલે મદદ કરે.


તમિલનાડુ સરકારે કર્યો બચાવ 


તમિલનાડુ સરકાર તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ પી. વિલ્સને અરજીને રાજકારણથી પ્રેરિત ગણાવી હતી. તેમણે ભારપૂર્વક કહ્યું કે તમિલનાડુમાં આવા ધર્માંતરણનો કોઈ પ્રશ્ન જ નથી. તેના પર સુપ્રીમ કોર્ટની બેન્ચે વાંધો ઉઠાવ્યો અને કહ્યું કે "કોર્ટની સુનાવણીને અન્ય બાબતો તરફ વાળવાનો પ્રયાસ કરશો નહીં. અમને આખા દેશની ચિંતા છે કે જો તમારા રાજ્યમાં આવું થઈ રહ્યું છે તો તે ખરાબ છે અને જો તેવું નથી થઈ રહ્યું તો તે સારી બાબત છે. તેને કોઈ રાજ્યને નિશાન બનાવવાના ઈરાદા તરીકે ન જુઓ, તેને રાજકીય મુદ્દો ન બનાવો."


એડવોકેટ અશ્વિની કુમારે કરી છે અરજી


અત્રે ઉલ્લેખનિય છે કે એડવોકેટ અશ્વિની કુમાર ઉપાધ્યાયે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. જેમાં કેન્દ્ર અને રાજ્ય સરકારોને છેતરપિંડી કે બળજબરીથી થતા ધર્મ પરિવર્તન સામે કડક પગલા ભરવાનો નિર્દેશ આપવાની માંગ કરવામાં આવી હતી. તાજેતરમાં, સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આ ગંભીર મુદ્દા પર કડક પગલાં લેવાનો આદેશ આપ્યો હતો, એમ કહીને કે બળજબરીથી ધર્મ પરિવર્તન દેશની સુરક્ષા માટે ખતરો છે. ગુજરાત સરકારે લગ્ન માટે ધર્મ પરિવર્તન પહેલા જિલ્લા મેજિસ્ટ્રેટની પરવાનગી ફરજિયાત બનાવતો કાયદો ઘડ્યો હતો. જો કે ગુજરાત હાઈકોર્ટે આ કાયદા પર સ્ટે આપ્યો હતો. ગુજરાત સરકારે સ્ટે હટાવવા માટે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો હતો. આ દરમિયાન ગુજરાત સરકારે કહ્યું હતું કે ધર્મની સ્વતંત્રતામાં ધર્મ પરિવર્તનનો અધિકાર સામેલ નથી.


આગામી સુનાવણી 7મી ફેબ્રુઆરીએ થશે


એડવોકેટ અશ્વિની કુમાર ઉપાધ્યાયની અરજીમાં કહેવામાં આવ્યું છે કે બળજબરીથી ધર્મ પરિવર્તન સમગ્ર દેશની સમસ્યા છે અને તેના પર તાત્કાલિક ધ્યાન આપવાની જરૂર છે. પિટિશનમાં જસ્ટિસ કમિશનને એક રિપોર્ટ અને બિલ તૈયાર કરવાની પણ માંગ કરવામાં આવી છે, જેમાં ધર્મ પરિવર્તનની ઘટનાઓને ધાકધમકી આપીને અથવા લાલચ આપીને નિયંત્રિત કરી શકાય. હવે સુપ્રીમ કોર્ટ આ મામલે 7મી ફેબ્રુઆરીએ સુનાવણી કરશે.



રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા ભારતીય જનતા પાર્ટીમાં ટિકિટ વહેંચણીને લઇને કાર્યકરોમાં અસંતોષ જોવા મળ્યો છે. શિસ્તબદ્ધ કહેવાતી પાર્ટીમાં ટિકિટ માટે જૂથબંધી અને રોષ ભાજપમાં સપાટી પર આવી ગયો છે. હવે , ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ ડેમેજ કંટ્રોલ કરવા લાગી જવું પડ્યું છે. આ માટે તેમણે રાજકોટની મુલાકાત લીધી છે.

મહેસાણા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીમાં ખુબ મોટું ગાબડું સામે આવ્યું છે. કેમ કે, મરતોલી ગામના ૨૦૦ જેટલા ભાજપના કાર્યકરો પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા છે. આ તમામ ભાજપના કાર્યકરોએ આક્ષેપ કર્યા છે કે , પાર્ટીમાં અમારી કોઈ જ વેલ્યુ નથી રહી. બીજી તરફ , બનાસકાંઠા જિલ્લામાં પણ ભાજપમાં ખુબ મોટું ગાબડું પડ્યું છે. પૂર્વ નગરસેવક અને સિનિયર આગેવાન શાંતિ માળી અને ગોપાલ સેનાના અધ્યક્ષ નરસિંહ દેસાઈ કોંગ્રેસમાં જોડાયા છે.

સામાન્ય રીતે લોકો પોતાના જન્મદિવસે તેની ભવ્ય ઉજવણી કરતા હોય છે. પરંતુ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અનંત અંબાણીના 31મા જન્મદિન પ્રસંગે આયોજિત વિવિધ પરોપકારી કાર્યો તથા પ્રવૃત્તિઓએ આશરે 57 લાખ લોકોના જીવનને સ્પર્શ કરી તેને બહેતર બનાવવાનો પ્રયાસ કર્યો છે. લાખો લોકોના જીવનને સમૃદ્ધ બનાવવાના ઉદ્દેશથી ધાર્મિક ટ્રસ્ટ, શૈક્ષણિક તથા આરોગ્યસંભાળ સંસ્થાઓ તેમજ સામાજકલ્યાણની સંસ્થાઓમાં સખાવતી યોગદાન અપાયું હતું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીમાં ઉમેદવારોની પસંદગી કરવાને લઇને જબરદસ્ત મંથન ચાલી રહ્યું છે. ત્યારે , ભાજપ દ્વારા કેટલાક માપદંડો બનાવવામાં આવ્યા છે જેમ કે , ૬૦થી વધુ વયના લોકોને ટિકિટ ના આપવી. ત્રણ ટર્મથી ચૂંટણી લડતા હોય તેમને ટિકિટ ના આપવી. આવા અનેક નિયમો ભાજપે બનાવ્યા છે. તો ભાજપના જ આવા નિયમોની સામે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ મોરચો માંડ્યો છે. મનસુખ વસાવાએ સ્પષ્ટપણે કહી દીધું છે કે , આ નિયમો જ પાર્ટીને નુકશાન કરશે.