સુપ્રીમ કોર્ટે ગુગલને આપ્યો ઝટકો, 1338 કરોડના દંડના NCLATના આદેશ પર સ્ટે લગાવવાનો કર્યો ઈન્કાર


  • Published By :
  • Published Date : 2023-01-20 13:14:36

સુપ્રીમ કોર્ટે ભારતીય પ્રતિસ્પર્ધા આયોગ (CCI) પર રોક લગાવવાની ટેક કંપનીની અરજી પર સુનાવણી કરતા ગુગલના વકીલને કહ્યું કે પ્રભુત્વના કેસમાં તેની પાસે કોઈ પ્રકારનો અધિકાર છે. આ અંગે વિચારણા કરે. પ્રતિસ્પર્ધા આયોગે તેના પર 1,337 કરોડ રૂપિયાનો દંડ લગાવવાનો આદેશ આપ્યો છે. મુખ્ય ન્યાયાધિશ ડી. વાય. ચંદ્રચૂડે ગુગલનું પ્રતિનિધિત્વ કરી રહેલા વકીલ એ.એમ. સિંઘવીને કહ્યું ડો. સિંઘવી તમે અમને ડેટાના સંદર્ભમાં જે પણ કાંઈ કહ્યું છે તે વાસ્તવમાં તમારા તર્કની વિરૂધ્ધ છે. પ્રભુત્વ ડેટાના સંદર્ભમાં તમે કોઈ પણ પ્રકારના પ્રાધિકારને જુઓ છો. આ 15,000 એન્ડ્રોઈડ મોડલ, 500 મિલિયન સંગત ડિવાઈસ, 1500 ઓઈએમને ઈંગિત કરે છે. જ્યારે તમારી પાસે તે પ્રકારનું બજાર હોય છે તો તમે ભાર દઈને કહો છો કે મારી પાસે મારો ગુલદસ્તો છે, તમે સીધા જ પ્રભાવિત કરી રહ્યા છો. ચીફ જસ્ટીસે કહ્યું  કે ઓઈએમ જે કરે છે, તેની છેલ્લા ગ્રાહક પર અસર પડે છે.   


સિંઘવીએ શું દલીલ કરી?


સિંઘવીએ કહ્યું હું આ પ્રકારના તંત્રમાં અન્ય ખેલાડીઓમાંથી એક છું, અને ગુગલ પ્લે સ્ટોર તેની ઉત્કૃષ્ટતાના કારણે પસંદ કરે છે. નહીં કે તેનું પ્રભુત્વ છે તેથી. તેમણે પ્રશ્ન કર્યો કે જો એન્ડ્રોઈડ ન હોત તો શું ટેલિફોનીમાં આ ક્રાંતિ થઈ હોત? સિંઘવીએ દલીલ કરી કે આ ફ્રી છે, અનન્ય નથી, અને તમે કરી પણ શું શકો?


NCLATમાં ઝટકા બાદ ગુગલ સુપ્રીમમાં 


સુપ્રીમ  કોર્ટે 11 જાન્યુઆરીએ નેશનલ કંપની લો એપીલેટ ટ્રિબ્યુનલ (NCLAT)ના એક ચુકાદા વિરૂધ્ધ ગુગલની એક અપીલની તપાસ કરવા પર સહેમતી વ્યક્ત કરી હતી. જેમાં પ્રતિસ્પર્ધા આયોગ દ્વારા લગાવવામાં આવેલા 1,337.76  કરોડ રૂપિયાના દંડ પર રોક લગાવવાથી ઈન્કાર કરી દીધો હતો. NCLATમાં ઝટકા બાદ ગુગલે દેશની સર્વોચ્ચ અદાલતના દરવાજા ખખડાવ્યા હતા.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.