સુપ્રીમ કોર્ટે ગુગલને આપ્યો ઝટકો, 1338 કરોડના દંડના NCLATના આદેશ પર સ્ટે લગાવવાનો કર્યો ઈન્કાર


  • Published By :
  • Published Date : 2023-01-20 13:14:36

સુપ્રીમ કોર્ટે ભારતીય પ્રતિસ્પર્ધા આયોગ (CCI) પર રોક લગાવવાની ટેક કંપનીની અરજી પર સુનાવણી કરતા ગુગલના વકીલને કહ્યું કે પ્રભુત્વના કેસમાં તેની પાસે કોઈ પ્રકારનો અધિકાર છે. આ અંગે વિચારણા કરે. પ્રતિસ્પર્ધા આયોગે તેના પર 1,337 કરોડ રૂપિયાનો દંડ લગાવવાનો આદેશ આપ્યો છે. મુખ્ય ન્યાયાધિશ ડી. વાય. ચંદ્રચૂડે ગુગલનું પ્રતિનિધિત્વ કરી રહેલા વકીલ એ.એમ. સિંઘવીને કહ્યું ડો. સિંઘવી તમે અમને ડેટાના સંદર્ભમાં જે પણ કાંઈ કહ્યું છે તે વાસ્તવમાં તમારા તર્કની વિરૂધ્ધ છે. પ્રભુત્વ ડેટાના સંદર્ભમાં તમે કોઈ પણ પ્રકારના પ્રાધિકારને જુઓ છો. આ 15,000 એન્ડ્રોઈડ મોડલ, 500 મિલિયન સંગત ડિવાઈસ, 1500 ઓઈએમને ઈંગિત કરે છે. જ્યારે તમારી પાસે તે પ્રકારનું બજાર હોય છે તો તમે ભાર દઈને કહો છો કે મારી પાસે મારો ગુલદસ્તો છે, તમે સીધા જ પ્રભાવિત કરી રહ્યા છો. ચીફ જસ્ટીસે કહ્યું  કે ઓઈએમ જે કરે છે, તેની છેલ્લા ગ્રાહક પર અસર પડે છે.   


સિંઘવીએ શું દલીલ કરી?


સિંઘવીએ કહ્યું હું આ પ્રકારના તંત્રમાં અન્ય ખેલાડીઓમાંથી એક છું, અને ગુગલ પ્લે સ્ટોર તેની ઉત્કૃષ્ટતાના કારણે પસંદ કરે છે. નહીં કે તેનું પ્રભુત્વ છે તેથી. તેમણે પ્રશ્ન કર્યો કે જો એન્ડ્રોઈડ ન હોત તો શું ટેલિફોનીમાં આ ક્રાંતિ થઈ હોત? સિંઘવીએ દલીલ કરી કે આ ફ્રી છે, અનન્ય નથી, અને તમે કરી પણ શું શકો?


NCLATમાં ઝટકા બાદ ગુગલ સુપ્રીમમાં 


સુપ્રીમ  કોર્ટે 11 જાન્યુઆરીએ નેશનલ કંપની લો એપીલેટ ટ્રિબ્યુનલ (NCLAT)ના એક ચુકાદા વિરૂધ્ધ ગુગલની એક અપીલની તપાસ કરવા પર સહેમતી વ્યક્ત કરી હતી. જેમાં પ્રતિસ્પર્ધા આયોગ દ્વારા લગાવવામાં આવેલા 1,337.76  કરોડ રૂપિયાના દંડ પર રોક લગાવવાથી ઈન્કાર કરી દીધો હતો. NCLATમાં ઝટકા બાદ ગુગલે દેશની સર્વોચ્ચ અદાલતના દરવાજા ખખડાવ્યા હતા.



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.