સુપ્રીમ કોર્ટે ગુગલને આપ્યો ઝટકો, 1338 કરોડના દંડના NCLATના આદેશ પર સ્ટે લગાવવાનો કર્યો ઈન્કાર


  • Published By :
  • Published Date : 2023-01-20 13:14:36

સુપ્રીમ કોર્ટે ભારતીય પ્રતિસ્પર્ધા આયોગ (CCI) પર રોક લગાવવાની ટેક કંપનીની અરજી પર સુનાવણી કરતા ગુગલના વકીલને કહ્યું કે પ્રભુત્વના કેસમાં તેની પાસે કોઈ પ્રકારનો અધિકાર છે. આ અંગે વિચારણા કરે. પ્રતિસ્પર્ધા આયોગે તેના પર 1,337 કરોડ રૂપિયાનો દંડ લગાવવાનો આદેશ આપ્યો છે. મુખ્ય ન્યાયાધિશ ડી. વાય. ચંદ્રચૂડે ગુગલનું પ્રતિનિધિત્વ કરી રહેલા વકીલ એ.એમ. સિંઘવીને કહ્યું ડો. સિંઘવી તમે અમને ડેટાના સંદર્ભમાં જે પણ કાંઈ કહ્યું છે તે વાસ્તવમાં તમારા તર્કની વિરૂધ્ધ છે. પ્રભુત્વ ડેટાના સંદર્ભમાં તમે કોઈ પણ પ્રકારના પ્રાધિકારને જુઓ છો. આ 15,000 એન્ડ્રોઈડ મોડલ, 500 મિલિયન સંગત ડિવાઈસ, 1500 ઓઈએમને ઈંગિત કરે છે. જ્યારે તમારી પાસે તે પ્રકારનું બજાર હોય છે તો તમે ભાર દઈને કહો છો કે મારી પાસે મારો ગુલદસ્તો છે, તમે સીધા જ પ્રભાવિત કરી રહ્યા છો. ચીફ જસ્ટીસે કહ્યું  કે ઓઈએમ જે કરે છે, તેની છેલ્લા ગ્રાહક પર અસર પડે છે.   


સિંઘવીએ શું દલીલ કરી?


સિંઘવીએ કહ્યું હું આ પ્રકારના તંત્રમાં અન્ય ખેલાડીઓમાંથી એક છું, અને ગુગલ પ્લે સ્ટોર તેની ઉત્કૃષ્ટતાના કારણે પસંદ કરે છે. નહીં કે તેનું પ્રભુત્વ છે તેથી. તેમણે પ્રશ્ન કર્યો કે જો એન્ડ્રોઈડ ન હોત તો શું ટેલિફોનીમાં આ ક્રાંતિ થઈ હોત? સિંઘવીએ દલીલ કરી કે આ ફ્રી છે, અનન્ય નથી, અને તમે કરી પણ શું શકો?


NCLATમાં ઝટકા બાદ ગુગલ સુપ્રીમમાં 


સુપ્રીમ  કોર્ટે 11 જાન્યુઆરીએ નેશનલ કંપની લો એપીલેટ ટ્રિબ્યુનલ (NCLAT)ના એક ચુકાદા વિરૂધ્ધ ગુગલની એક અપીલની તપાસ કરવા પર સહેમતી વ્યક્ત કરી હતી. જેમાં પ્રતિસ્પર્ધા આયોગ દ્વારા લગાવવામાં આવેલા 1,337.76  કરોડ રૂપિયાના દંડ પર રોક લગાવવાથી ઈન્કાર કરી દીધો હતો. NCLATમાં ઝટકા બાદ ગુગલે દેશની સર્વોચ્ચ અદાલતના દરવાજા ખખડાવ્યા હતા.



રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.

અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.