કેજરીવાલ સરકારે ફરી સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવ્યા, જાણો વિવાદ શા માટે વધ્યો


  • Published By :
  • Published Date : 2023-05-12 16:31:45

દિલ્હીની કેજરીવાલ સરકાર અને કેન્દ્રની મોદી સરકાર વચ્ચે સતત સત્તાની ખેંચતાણ ચાલી રહે છે. અધિકારીઓની બદલી અને નિમણૂકના પ્રશ્ને સુપ્રીમ કોર્ટનો ચુકાદો આવી ગયો છતાં હજુ પણ ખટરાગ ચાલી રહ્યો છે. સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ પણ આમ આદમી પાર્ટીની સરકાર વહીવટી અધિકારીઓની બદલીઓ નહીં કરી શકવા લાચાર બની છે. હવે મામલે ફરી એક વખત કેજરીવાલ સરકારે સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવ્યા છે. સુપ્રીમ કોર્ટ આ મામલે આગામી નવી બેંચની રચના કરશે જે અરજી અંગે સુનાવણી કરશે.


ફરી વિવાદ કેમ વધ્યો?


સર્વોચ્ચ અદાલતના ચુકાદા બાદ દિલ્હી સરકારે દિલ્હી સરકાર સર્વિસ ડિપાર્ટમેન્ટના સચિવ આશીષ મોરેની બદલીનો આર્ડર આપ્યો હતો. આપ સરકાર મોરેના સ્થાને 1995 બેચના આઈએએસ અધિકારી અને દિલ્હી જળ બોર્ડના સીઈઓ એકે સિંહને સર્વિસ ડિપાર્ટમેન્ટના સચિવ બનાવવા માગે છે. જો કે કેજરીવાલ સરકારે આરોપ લગાવ્યો છે કે કેન્દ્ર સરકાર મોરેની બદલીનો અમલ કરી રહી નથી. આ જ કારણે આપ સરકાર ફરીથી સુપ્રીમ કોર્ટમાં પહોંચી છે. આપ સરકારના વકીલ અભિષેક મનુ સિંઘવી સુપ્રીમ કોર્ટમાં હાજર થયા અને તેમણે કહ્યું કે કેન્દ્ર સરકારના આ નિર્ણયથી કોર્ટના અનાદરનો કેસ થઈ શકે છે.


સુપ્રીમ કોર્ટે આપ્યો હતો ચુકાદો


સુપ્રીમ કોર્ટે તેના ચુકાદામાં કહ્યું હતું કે અધિકારીઓની બદલી અને નિમણૂકનો અધિકાર દિલ્હી સરકાર પાસે જ રહેશે. પાંચ જજોની આ બેંચે કહ્યું કે દિલ્હી દેશના અન્ય કેન્દ્ર શાસિત પ્રદેશોની જેમ નથી અને દિલ્હી સરકાર પાસે સેવાઓ પર કાયદાકિય અને વહીવટી સત્તા છે. ઉપરાજ્યપાલ સામેની આ લડાઈમાં દિલ્હી સરકારની જીત માનવામાં આવી હતી.  



અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.