કેજરીવાલ સરકારે ફરી સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવ્યા, જાણો વિવાદ શા માટે વધ્યો


  • Published By :
  • Published Date : 2023-05-12 16:31:45

દિલ્હીની કેજરીવાલ સરકાર અને કેન્દ્રની મોદી સરકાર વચ્ચે સતત સત્તાની ખેંચતાણ ચાલી રહે છે. અધિકારીઓની બદલી અને નિમણૂકના પ્રશ્ને સુપ્રીમ કોર્ટનો ચુકાદો આવી ગયો છતાં હજુ પણ ખટરાગ ચાલી રહ્યો છે. સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ પણ આમ આદમી પાર્ટીની સરકાર વહીવટી અધિકારીઓની બદલીઓ નહીં કરી શકવા લાચાર બની છે. હવે મામલે ફરી એક વખત કેજરીવાલ સરકારે સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવ્યા છે. સુપ્રીમ કોર્ટ આ મામલે આગામી નવી બેંચની રચના કરશે જે અરજી અંગે સુનાવણી કરશે.


ફરી વિવાદ કેમ વધ્યો?


સર્વોચ્ચ અદાલતના ચુકાદા બાદ દિલ્હી સરકારે દિલ્હી સરકાર સર્વિસ ડિપાર્ટમેન્ટના સચિવ આશીષ મોરેની બદલીનો આર્ડર આપ્યો હતો. આપ સરકાર મોરેના સ્થાને 1995 બેચના આઈએએસ અધિકારી અને દિલ્હી જળ બોર્ડના સીઈઓ એકે સિંહને સર્વિસ ડિપાર્ટમેન્ટના સચિવ બનાવવા માગે છે. જો કે કેજરીવાલ સરકારે આરોપ લગાવ્યો છે કે કેન્દ્ર સરકાર મોરેની બદલીનો અમલ કરી રહી નથી. આ જ કારણે આપ સરકાર ફરીથી સુપ્રીમ કોર્ટમાં પહોંચી છે. આપ સરકારના વકીલ અભિષેક મનુ સિંઘવી સુપ્રીમ કોર્ટમાં હાજર થયા અને તેમણે કહ્યું કે કેન્દ્ર સરકારના આ નિર્ણયથી કોર્ટના અનાદરનો કેસ થઈ શકે છે.


સુપ્રીમ કોર્ટે આપ્યો હતો ચુકાદો


સુપ્રીમ કોર્ટે તેના ચુકાદામાં કહ્યું હતું કે અધિકારીઓની બદલી અને નિમણૂકનો અધિકાર દિલ્હી સરકાર પાસે જ રહેશે. પાંચ જજોની આ બેંચે કહ્યું કે દિલ્હી દેશના અન્ય કેન્દ્ર શાસિત પ્રદેશોની જેમ નથી અને દિલ્હી સરકાર પાસે સેવાઓ પર કાયદાકિય અને વહીવટી સત્તા છે. ઉપરાજ્યપાલ સામેની આ લડાઈમાં દિલ્હી સરકારની જીત માનવામાં આવી હતી.  



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.