સુપ્રીમ કોર્ટે 'ધ કેરાલા સ્ટોરી'ની રિલીઝ પર સ્ટે આપવાનો કર્યો ઈન્કાર, કહીં આ મોટી આ વાત


  • Published By :
  • Published Date : 2023-05-02 14:43:52

હિન્દી ફિલ્મ ધ કેરાલા સ્ટોરીનું રૂવાડા ઉભા કરી દે તેવું ટ્રેલર રિલીઝ થયા બાદ આ ફિલ્મને લઈને વિવાદ સતત વધી રહ્યો છે. આ ફિલ્મમાં કેરળની 32,000 છોકરીઓની કહાની બતાવવામાં આવી છે, જે લવ જેહાદના ચુંગાલમાં ફસાઈને ઈસ્લામ ધર્મ અપનાવી લે છે. આ ફિલ્મના નિર્દેશક સુદીપ્તો સેન છે. જ્યારથી આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયું છે ત્યારથી તેના પર વિવાદ ચાલી રહ્યો છે. કેરળના શાસક પક્ષો લેફ્ટ ડેમોક્રેટિક ફ્રન્ટ-કોંગ્રેસે આ ફિલ્મની રિલીઝ પર સ્ટે મૂકવાની માંગ કરી હતી, જેના પર સુપ્રીમ કોર્ટે તાત્કાલિક સુનાવણી કરવાનો ઇનકાર કરી દીધો છે.


ફિલ્મની રિલીઝને પડકારવી તે યોગ્ય ઉપાય નથી: SC


ફિલ્મ ધ કેરળ સ્ટોરી પર પ્રતિબંધ મૂકવાની અરજીનો સુપ્રીમ કોર્ટ સમક્ષ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો, જેમાં કહેવામાં આવ્યું હતું કે ફિલ્મ નફરતને પ્રોત્સાહન આપે છે. સુપ્રીમ કોર્ટે આ અરજી પર તાત્કાલિક સુનાવણી કરવાનો ઈન્કાર કરી દીધો છે. જસ્ટિસ કેએમ જોસેફ અને જસ્ટિસ બીવી નાગરત્નાની ડિવિઝન બેન્ચે કહ્યું કે ફિલ્મની રિલીઝને પડકારવો એ યોગ્ય ઉપાય નથી. ધ કેરળ સ્ટોરીનો વિવાદ સતત વધી રહ્યો છે. કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયન અને કોંગ્રેસ નેતા શશિ થરૂરે પણ 'ધ કેરળ સ્ટોરી' સામે વાંધો ઉઠાવ્યો છે.



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.