સુપ્રીમ કોર્ટે 'ધ કેરાલા સ્ટોરી'ની રિલીઝ પર સ્ટે આપવાનો કર્યો ઈન્કાર, કહીં આ મોટી આ વાત


  • Published By :
  • Published Date : 2023-05-02 14:43:52

હિન્દી ફિલ્મ ધ કેરાલા સ્ટોરીનું રૂવાડા ઉભા કરી દે તેવું ટ્રેલર રિલીઝ થયા બાદ આ ફિલ્મને લઈને વિવાદ સતત વધી રહ્યો છે. આ ફિલ્મમાં કેરળની 32,000 છોકરીઓની કહાની બતાવવામાં આવી છે, જે લવ જેહાદના ચુંગાલમાં ફસાઈને ઈસ્લામ ધર્મ અપનાવી લે છે. આ ફિલ્મના નિર્દેશક સુદીપ્તો સેન છે. જ્યારથી આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયું છે ત્યારથી તેના પર વિવાદ ચાલી રહ્યો છે. કેરળના શાસક પક્ષો લેફ્ટ ડેમોક્રેટિક ફ્રન્ટ-કોંગ્રેસે આ ફિલ્મની રિલીઝ પર સ્ટે મૂકવાની માંગ કરી હતી, જેના પર સુપ્રીમ કોર્ટે તાત્કાલિક સુનાવણી કરવાનો ઇનકાર કરી દીધો છે.


ફિલ્મની રિલીઝને પડકારવી તે યોગ્ય ઉપાય નથી: SC


ફિલ્મ ધ કેરળ સ્ટોરી પર પ્રતિબંધ મૂકવાની અરજીનો સુપ્રીમ કોર્ટ સમક્ષ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો, જેમાં કહેવામાં આવ્યું હતું કે ફિલ્મ નફરતને પ્રોત્સાહન આપે છે. સુપ્રીમ કોર્ટે આ અરજી પર તાત્કાલિક સુનાવણી કરવાનો ઈન્કાર કરી દીધો છે. જસ્ટિસ કેએમ જોસેફ અને જસ્ટિસ બીવી નાગરત્નાની ડિવિઝન બેન્ચે કહ્યું કે ફિલ્મની રિલીઝને પડકારવો એ યોગ્ય ઉપાય નથી. ધ કેરળ સ્ટોરીનો વિવાદ સતત વધી રહ્યો છે. કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયન અને કોંગ્રેસ નેતા શશિ થરૂરે પણ 'ધ કેરળ સ્ટોરી' સામે વાંધો ઉઠાવ્યો છે.



અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.