'ધ કેરાલા સ્ટોરી'નો મામલો પહોંચ્યો સુપ્રીમ કોર્ટમાં, પ્રતિબંધની માગ કરતી અરજી પર 15 મેના રોજ થશે સુનાવણી


  • Published By :
  • Published Date : 2023-05-09 15:12:59

સુદીપ્તો સેન દ્વારા નિર્દેશિત અને અદા શર્મા અભિનીત ફિલ્મ 'ધ કેરાલા સ્ટોરી' હાલમાં સમગ્ર દેશમાં ચર્ચાનો વિષય બની છે. ફિલ્મને કારણે દેશ ફરી એકવાર બે ભાગમાં વહેંચાઈ ગયો છે. કેટલાક લોકો તેનું સમર્થન કરી રહ્યા છે તો કેટલાક તેનો સખત વિરોધ કરી રહ્યા છે. દરમિયાન, ફિલ્મ  'ધ કેરાલા સ્ટોરી'ને લઈને ચાલી રહેલો વિવાદ હવે સુપ્રીમ કોર્ટમાં પહોંચી ગયો છે. કેરળ હાઈકોર્ટે ફિલ્મની રિલીઝને રોકવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો હતો, જેની સામે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટ આ મામલાની સુનાવણી આગામી 15મી મેના રોજ કરશે.


કેરળ હાઈકોર્ટે ફગાવી છે અરજી


સુપ્રીમ કોર્ટ આ કેસની સુનાવણી માટે સંમત થઈ ગઈ છે. દેશની સર્વોચ્ચ અદાલત આ કેસની સુનાવણી આગામી 15 મેના રોજ કરશે. 5 મેના રોજ કેરળ હાઈકોર્ટે ફિલ્મ The Kerala Story ની રિલીઝ પર રોક લગાવવાનો ઈન્કાર કરી દીધો હતો. કોર્ટે એમ પણ કહ્યું હતું કે ફિલ્મના ટ્રેલરમાં કોઈ ચોક્કસ સમુદાય વિરુદ્ધ કંઈ પણ વાંધાજનક નથી. કોર્ટે આદેશ આપતા પહેલા ફિલ્મનું ટ્રેલર જોયું હતું. ચુકાદો આપતી વખતે કોર્ટે કહ્યું હતું કે આ ફિલ્મમાં ઈસ્લામ અને મુસ્લિમો વિરુદ્ધ કંઈ આપત્તિજનક નથી.


સુપ્રીમ કોર્ટમાં શું થયું


સિનિયર વકીલ કપિલ સિબ્બલે મંગળવારે ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ અને જસ્ટિસ પીએસ નરસિમ્હાની બેંચ સમક્ષ આ મામલાની તાકીદે સુનાવણીની અપીલ કરી હતી. જ્યારે ન્યાયાધીશોની બેન્ચે પૂછ્યું કે શું હાઈકોર્ટે આ મામલે કોઈ આદેશ આપ્યો છે, ત્યારે સિબ્બલે કહ્યું કે તેઓએ ફિલ્મની રિલીઝ પર રોક લગાવવાનો ઈન્કાર કર્યો છે. આ પછી તરત જ આદેશ આપવામાં આવ્યો કે કેસની સુનાવણી 15મી મેના રોજ થશે.



અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.