'ધ કેરાલા સ્ટોરી'નો મામલો પહોંચ્યો સુપ્રીમ કોર્ટમાં, પ્રતિબંધની માગ કરતી અરજી પર 15 મેના રોજ થશે સુનાવણી


  • Published By :
  • Published Date : 2023-05-09 15:12:59

સુદીપ્તો સેન દ્વારા નિર્દેશિત અને અદા શર્મા અભિનીત ફિલ્મ 'ધ કેરાલા સ્ટોરી' હાલમાં સમગ્ર દેશમાં ચર્ચાનો વિષય બની છે. ફિલ્મને કારણે દેશ ફરી એકવાર બે ભાગમાં વહેંચાઈ ગયો છે. કેટલાક લોકો તેનું સમર્થન કરી રહ્યા છે તો કેટલાક તેનો સખત વિરોધ કરી રહ્યા છે. દરમિયાન, ફિલ્મ  'ધ કેરાલા સ્ટોરી'ને લઈને ચાલી રહેલો વિવાદ હવે સુપ્રીમ કોર્ટમાં પહોંચી ગયો છે. કેરળ હાઈકોર્ટે ફિલ્મની રિલીઝને રોકવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો હતો, જેની સામે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટ આ મામલાની સુનાવણી આગામી 15મી મેના રોજ કરશે.


કેરળ હાઈકોર્ટે ફગાવી છે અરજી


સુપ્રીમ કોર્ટ આ કેસની સુનાવણી માટે સંમત થઈ ગઈ છે. દેશની સર્વોચ્ચ અદાલત આ કેસની સુનાવણી આગામી 15 મેના રોજ કરશે. 5 મેના રોજ કેરળ હાઈકોર્ટે ફિલ્મ The Kerala Story ની રિલીઝ પર રોક લગાવવાનો ઈન્કાર કરી દીધો હતો. કોર્ટે એમ પણ કહ્યું હતું કે ફિલ્મના ટ્રેલરમાં કોઈ ચોક્કસ સમુદાય વિરુદ્ધ કંઈ પણ વાંધાજનક નથી. કોર્ટે આદેશ આપતા પહેલા ફિલ્મનું ટ્રેલર જોયું હતું. ચુકાદો આપતી વખતે કોર્ટે કહ્યું હતું કે આ ફિલ્મમાં ઈસ્લામ અને મુસ્લિમો વિરુદ્ધ કંઈ આપત્તિજનક નથી.


સુપ્રીમ કોર્ટમાં શું થયું


સિનિયર વકીલ કપિલ સિબ્બલે મંગળવારે ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ અને જસ્ટિસ પીએસ નરસિમ્હાની બેંચ સમક્ષ આ મામલાની તાકીદે સુનાવણીની અપીલ કરી હતી. જ્યારે ન્યાયાધીશોની બેન્ચે પૂછ્યું કે શું હાઈકોર્ટે આ મામલે કોઈ આદેશ આપ્યો છે, ત્યારે સિબ્બલે કહ્યું કે તેઓએ ફિલ્મની રિલીઝ પર રોક લગાવવાનો ઈન્કાર કર્યો છે. આ પછી તરત જ આદેશ આપવામાં આવ્યો કે કેસની સુનાવણી 15મી મેના રોજ થશે.



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.