મોદી સરનેમ કેસમાં રાહુલ ગાંધીની અરજી સ્વીકારાઈ, સુપ્રીમમાં 21 જુલાઈએ થશે સુનાવણી


  • Published By :
  • Published Date : 2023-07-18 13:52:50

કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીને મોદી સરનેમ કેસમાં ગુજરાત હાઈકોર્ટમાંથી કોઈ રાહત ન મળતા તેમણે સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવ્યા છે. સુપ્રીમ કોર્ટે રાહુલ ગાંધીની અરજી સ્વિકારી લીધી છે, અને સુનાવણી કરવા સંમત થઈ છે અને 21 જુલાઈએ આ કેસમાં સુનાવણી હાથ ધરાશે. શનિવારે રાહુલ ગાંધીએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી સજા પર સ્ટે ઓર્ડર આપવાની માંગ કરી હતી.


અરજીમાં શુ કરી હતી રજુઆત


કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ તેમની અરજીમાં કહ્યું હતું કે જો તેમને મોદી સરનેમ કેસમાં રાહત નહીં મળે તો તેમની કરિયરના આઠ વર્ષ બરબાદ થઈ જશે. આ ઉપરાંત રાહુલ ગાંધીએ તેમની અરજીમાં એમ પણ કહ્યું છે કે જો હાઈકોર્ટના ચુકાદા પર સ્ટે ઓર્ડર નહીં આપવામાં આવે તો અભિવ્યક્તિની આઝાદીનો દમ ઘૂટી જશે. આ સજા પર સ્ટે આપવામાં નહીં આવે તો કેરિયરના આઠ વર્ષ બરબાદ થઈ જશે. તેઓ આઠ વર્ષ સુધી ચૂંટણી લડી શકશે નહીં.


સુરતની સેશન્સ કોર્ટે ફટકારી હતી બે વર્ષની સજા


ભાજપના નેતા પૂર્ણેશ મોદીની ફરિયાદને પગલે  મોદી સરનેમ કેસમાં સુરતની સેશન્સ કોર્ટે 23 માર્ચે રાહુલ ગાંધીને બે વર્ષની સજા ફટકારવામાં આવી હતી. લોકસભા ચૂંટણી સમયે કર્ણાટકના કોલારમાં 13 એપ્રીલ 2019ના રોજ એક ચુંટણી સભામાં તેમણે મોદી સરનેમ અંગે વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી. જેમાં તેમણે કહ્યું હતું કે છેવટે મોદી સરનેમ ધરાવતા બધા ચોર શા માટે હોય છે? તેમના નિવેદનને અપમાનજનક ગણાવી પૂર્ણેશ મોદીએ રાહુલ ગાંધી સામે કેસ દાખલ કર્યો હતો.



આપણા પાડોશી દેશ પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં ખુબ ભયંકર વિસ્ફોટ થયો છે. ઇસ્લામાબાદના તલઈ વિસ્તારના ઇમામબાડામાં આ ભીષણ બૉમ્બ બ્લાસ્ટ થયા છે. આ હુમલામાં ઓછામાં ઓછા ૨૫ લોકોના જીવ ગુમાવ્યાના અને ૧૦૦થી વધારે લોકોના ઘાયલ થયાના સમાચાર સામે આવ્યા છે. આજે જુમ્માની નમાજ દરમ્યાન આ શિયા મસ્જિદ પર ફિદાયીન હુમલો કરવામાં આવ્યો હતો.

મહીસાગર જિલ્લામાં થોડાક સમય પહેલા , આદિવાસી સમાજના એક યુવકને મહિલા PSI દ્વારા કારમાં સીટ બેલ્ટ નહિ પહેરવા જેવી સામાન્ય બાબતે માર મારવાના ગંભીર આક્ષેપો થયા હતા .આ સમગ્ર મામલે, મહીસાગરના ASP વિકાસ યાદવની પ્રતિક્રિયા સામે આવી છે

ચોટીલાના ડેપ્યુટી કલેકટર એચ ટી મકવાણા દ્વારા થોડાક સમય પહેલા , યાત્રાધામ ચોટીલા ખાતે ખુબ મોટી સંખ્યામાં દબાણો દૂર કરવામાં આવ્યા હતા. આ દબાણ હટાવવાની કામગીરી પાછળથી વિવાદોમાં આવી છે. કેમ કે , ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ સમગ્ર કામગીરી દરમ્યાન ઇન્ચાર્જ મામલતદારની ઝાટકણી કાઢવામાં આવી છે. તો બીજી તરફ , મહંત પરિવાર અને સ્થાનિક જનતા દ્વારા તંત્ર પર '' વાલા- દવલાં"ની નીતિ અને પક્ષપાતના આક્ષેપો લગાડવામાં આવ્યા છે.

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા , સમગ્ર રાજ્યમાં PSI અને LRDને લઈને શારીરિક કસોટી ચાલી રહી છે. ત્યારે , ગોંડલથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે જેમાં એક આશાસ્પદ યુવાન , નીતિનસિંહ ચૌહાણએ આ શારીરિક કસોટી દરમ્યાન પોતાનો જીવ ગુમાવ્યો છે. આ અગાઉ , ભરૂચ અને ગોધરામાં આવી દુઃખદ ઘટનાઓ સામે આવી હતી.