મોદી સરનેમ કેસમાં રાહુલ ગાંધીની અરજી સ્વીકારાઈ, સુપ્રીમમાં 21 જુલાઈએ થશે સુનાવણી


  • Published By :
  • Published Date : 2023-07-18 13:52:50

કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીને મોદી સરનેમ કેસમાં ગુજરાત હાઈકોર્ટમાંથી કોઈ રાહત ન મળતા તેમણે સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવ્યા છે. સુપ્રીમ કોર્ટે રાહુલ ગાંધીની અરજી સ્વિકારી લીધી છે, અને સુનાવણી કરવા સંમત થઈ છે અને 21 જુલાઈએ આ કેસમાં સુનાવણી હાથ ધરાશે. શનિવારે રાહુલ ગાંધીએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી સજા પર સ્ટે ઓર્ડર આપવાની માંગ કરી હતી.


અરજીમાં શુ કરી હતી રજુઆત


કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ તેમની અરજીમાં કહ્યું હતું કે જો તેમને મોદી સરનેમ કેસમાં રાહત નહીં મળે તો તેમની કરિયરના આઠ વર્ષ બરબાદ થઈ જશે. આ ઉપરાંત રાહુલ ગાંધીએ તેમની અરજીમાં એમ પણ કહ્યું છે કે જો હાઈકોર્ટના ચુકાદા પર સ્ટે ઓર્ડર નહીં આપવામાં આવે તો અભિવ્યક્તિની આઝાદીનો દમ ઘૂટી જશે. આ સજા પર સ્ટે આપવામાં નહીં આવે તો કેરિયરના આઠ વર્ષ બરબાદ થઈ જશે. તેઓ આઠ વર્ષ સુધી ચૂંટણી લડી શકશે નહીં.


સુરતની સેશન્સ કોર્ટે ફટકારી હતી બે વર્ષની સજા


ભાજપના નેતા પૂર્ણેશ મોદીની ફરિયાદને પગલે  મોદી સરનેમ કેસમાં સુરતની સેશન્સ કોર્ટે 23 માર્ચે રાહુલ ગાંધીને બે વર્ષની સજા ફટકારવામાં આવી હતી. લોકસભા ચૂંટણી સમયે કર્ણાટકના કોલારમાં 13 એપ્રીલ 2019ના રોજ એક ચુંટણી સભામાં તેમણે મોદી સરનેમ અંગે વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી. જેમાં તેમણે કહ્યું હતું કે છેવટે મોદી સરનેમ ધરાવતા બધા ચોર શા માટે હોય છે? તેમના નિવેદનને અપમાનજનક ગણાવી પૂર્ણેશ મોદીએ રાહુલ ગાંધી સામે કેસ દાખલ કર્યો હતો.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.