મોદી સરનેમ કેસમાં રાહુલ ગાંધીની અરજી સ્વીકારાઈ, સુપ્રીમમાં 21 જુલાઈએ થશે સુનાવણી


  • Published By :
  • Published Date : 2023-07-18 13:52:50

કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીને મોદી સરનેમ કેસમાં ગુજરાત હાઈકોર્ટમાંથી કોઈ રાહત ન મળતા તેમણે સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવ્યા છે. સુપ્રીમ કોર્ટે રાહુલ ગાંધીની અરજી સ્વિકારી લીધી છે, અને સુનાવણી કરવા સંમત થઈ છે અને 21 જુલાઈએ આ કેસમાં સુનાવણી હાથ ધરાશે. શનિવારે રાહુલ ગાંધીએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી સજા પર સ્ટે ઓર્ડર આપવાની માંગ કરી હતી.


અરજીમાં શુ કરી હતી રજુઆત


કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ તેમની અરજીમાં કહ્યું હતું કે જો તેમને મોદી સરનેમ કેસમાં રાહત નહીં મળે તો તેમની કરિયરના આઠ વર્ષ બરબાદ થઈ જશે. આ ઉપરાંત રાહુલ ગાંધીએ તેમની અરજીમાં એમ પણ કહ્યું છે કે જો હાઈકોર્ટના ચુકાદા પર સ્ટે ઓર્ડર નહીં આપવામાં આવે તો અભિવ્યક્તિની આઝાદીનો દમ ઘૂટી જશે. આ સજા પર સ્ટે આપવામાં નહીં આવે તો કેરિયરના આઠ વર્ષ બરબાદ થઈ જશે. તેઓ આઠ વર્ષ સુધી ચૂંટણી લડી શકશે નહીં.


સુરતની સેશન્સ કોર્ટે ફટકારી હતી બે વર્ષની સજા


ભાજપના નેતા પૂર્ણેશ મોદીની ફરિયાદને પગલે  મોદી સરનેમ કેસમાં સુરતની સેશન્સ કોર્ટે 23 માર્ચે રાહુલ ગાંધીને બે વર્ષની સજા ફટકારવામાં આવી હતી. લોકસભા ચૂંટણી સમયે કર્ણાટકના કોલારમાં 13 એપ્રીલ 2019ના રોજ એક ચુંટણી સભામાં તેમણે મોદી સરનેમ અંગે વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી. જેમાં તેમણે કહ્યું હતું કે છેવટે મોદી સરનેમ ધરાવતા બધા ચોર શા માટે હોય છે? તેમના નિવેદનને અપમાનજનક ગણાવી પૂર્ણેશ મોદીએ રાહુલ ગાંધી સામે કેસ દાખલ કર્યો હતો.



રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .