મોદી સરનેમ કેસમાં રાહુલ ગાંધીની અરજી સ્વીકારાઈ, સુપ્રીમમાં 21 જુલાઈએ થશે સુનાવણી


  • Published By :
  • Published Date : 2023-07-18 13:52:50

કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીને મોદી સરનેમ કેસમાં ગુજરાત હાઈકોર્ટમાંથી કોઈ રાહત ન મળતા તેમણે સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવ્યા છે. સુપ્રીમ કોર્ટે રાહુલ ગાંધીની અરજી સ્વિકારી લીધી છે, અને સુનાવણી કરવા સંમત થઈ છે અને 21 જુલાઈએ આ કેસમાં સુનાવણી હાથ ધરાશે. શનિવારે રાહુલ ગાંધીએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી સજા પર સ્ટે ઓર્ડર આપવાની માંગ કરી હતી.


અરજીમાં શુ કરી હતી રજુઆત


કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ તેમની અરજીમાં કહ્યું હતું કે જો તેમને મોદી સરનેમ કેસમાં રાહત નહીં મળે તો તેમની કરિયરના આઠ વર્ષ બરબાદ થઈ જશે. આ ઉપરાંત રાહુલ ગાંધીએ તેમની અરજીમાં એમ પણ કહ્યું છે કે જો હાઈકોર્ટના ચુકાદા પર સ્ટે ઓર્ડર નહીં આપવામાં આવે તો અભિવ્યક્તિની આઝાદીનો દમ ઘૂટી જશે. આ સજા પર સ્ટે આપવામાં નહીં આવે તો કેરિયરના આઠ વર્ષ બરબાદ થઈ જશે. તેઓ આઠ વર્ષ સુધી ચૂંટણી લડી શકશે નહીં.


સુરતની સેશન્સ કોર્ટે ફટકારી હતી બે વર્ષની સજા


ભાજપના નેતા પૂર્ણેશ મોદીની ફરિયાદને પગલે  મોદી સરનેમ કેસમાં સુરતની સેશન્સ કોર્ટે 23 માર્ચે રાહુલ ગાંધીને બે વર્ષની સજા ફટકારવામાં આવી હતી. લોકસભા ચૂંટણી સમયે કર્ણાટકના કોલારમાં 13 એપ્રીલ 2019ના રોજ એક ચુંટણી સભામાં તેમણે મોદી સરનેમ અંગે વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી. જેમાં તેમણે કહ્યું હતું કે છેવટે મોદી સરનેમ ધરાવતા બધા ચોર શા માટે હોય છે? તેમના નિવેદનને અપમાનજનક ગણાવી પૂર્ણેશ મોદીએ રાહુલ ગાંધી સામે કેસ દાખલ કર્યો હતો.



IMF એટલેકે ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ કે જેણે પાકિસ્તાનને $ 1 બિલિયન ડોલરની સહાયની જાહેરાત કરી છે. આ માટે થોડાક સમય અગાઉ IMFની બોર્ડની મિટિંગ મળી હતી . ભારતે IMFની બોર્ડ મિટિંગમાં આ સહાયની સામે ખુબ મજબૂત રીતે વિરોધ નોંધાવ્યો છે સાથે જ નિર્ણયની સામે મજબૂત રીતે ડિસેન્ટ એટલેકે , અસંતોષ નોંધાવ્યો છે. આ ઉપરાંત આપણે જાણીશું કે , દુનિયાના આતંકવાદ તેમાં પણ ખાસ કરીને પશ્ચિમી દેશો એટલે કે યુરોપ અને અમેરિકાના શું ડબલ સ્ટાન્ડર્ડ્સ છે?

થોડાક સમય પેહલા પાકિસ્તાને ભારતના ઘણાબધા શહેરો પર ડ્રોન અને મિસાઈલથી હુમલો કર્યો હતો . જોકે ભારતે પણ તેનો જવાબ ખુબ મજબૂતાઈથી આપ્યો છે. તો આ બાજુ નવી દિલ્હીમાં કેન્દ્ર સરકારમાં બેઠકોનો ધમધમાટ ચાલુ છે. કેન્દ્ર સરકાર સતત સેનાની તૈયારીઓ પર નજર રાખી રહી છે. તો આવો જાણીએ ક્યા મંત્રીઓએ બેઠક યોજી છે?

સમાચાર સામે આવી રહ્યા છે કે , પાકિસ્તાને ઓપરેશન સિંદૂર પછી ભારતના ૧૫ શહેરો પર હુમલાનો પ્રયાસ કર્યો છે . આ હુમલો ગયી કાલે મોડી રાત્રે ભારતના ૧૫ શહેરો પર ડ્રોન અને મિસાઈલ દ્વારા કરવામાં આવ્યો હતો . પાકિસ્તાનના આ નાપાક હુમલાને આપણી એસ-૪૦૦ બેલિસ્ટિક મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ દ્વારા નાકામ કરી નાખવામાં આવ્યો છે. તો આવો જાણીએ એસ-૪૦૦ બેલિસ્ટિક મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ શું છે જેને સુદર્શન ચક્ર પણ કહેવામાં આવે છે.

ભારતે ઓપરેશન સિંદૂર અંતર્ગત પાકિસ્તાનમાં ૯ આતંકી ઠેકાણાઓ પર હુમલો કરીને સમગ્ર વિશ્વને એક સંદેશ ખુબ સ્પષ્ટ રીતે આપી દીધો છે કે , આતંકવાદ માટે ઝીરો ટોલરન્સ . આતંકવાદની વિચારધારા સાથે કોઈ જ સમાધાન નઈ થાય. ભારતના ઓપરેશન સિંદૂર પર વૈશ્વિક નેતાઓની પણ પ્રતિક્રિયા આવી ગઈ છે. તો આપણે જાણીશું કે વિશ્વના નેતાઓએ શું પ્રતિક્રિયા આપી છે. સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો યુરોપ પ્રવાસ કેન્સલ થયો છે .