સુરત - આઈસ્ક્રીમ ખાધા બાદ બગડી બાળકોની તબિયત, હોસ્પિટલ ખસેડવામાં આવ્યા Food poisoningને કારણે મોત નિપજ્યું હોવાનું અનુમાન


  • Published By :
  • Published Date : 2024-11-30 12:40:39

ફૂડ પોઈઝનિંગને કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે... ત્યારે સુરતથી એક દુ:ખદ ઘટના સામે આવી છે.. સુરતના સચિન પાલી ગામમાં ત્રણ બાળકોના મોત આઈસ્ક્રીમ ખાધા બાદ થયા છે તેવું પ્રાથમિક અનુમાન લગાવામાં આવી રહ્યું છે... આઈસ્ક્રીમ ખાધા બાદ તેમની તબિયત બગડી, હોસ્પિટલ ખસેડવામાં આવ્યા જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું... એવું અનુમાન લગાવામાં આવી રહ્યું છે કે બાળકોના મોત ફૂડ પોઈઝનિંગને કારણે થયા છે.... બાળકોના અચાનક મોત થતા પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે... પરિવારમાં આક્રંદ છવાયો છે... બાળકોનું મોત કયા કારણોસર થયું તે માટે તપાસ કરવામાં આવી રહી છે.... મળતી માહિતી અનુસાર આ માહિતી મળતા સુરતના મેયર પણ ત્યાં દોડી આવ્યા છે.. 


તબિયત ખરાબ થતા ખસેડાયા હોસ્પિટલ 

ત્રણ બાળકોના શંકાસ્પદ મોત સુરતના પાલી ગામમાં થયા છે. આ અંગે મળતી માહિતી અનુસાર આઈસ્ક્રીમ ખાધા બાદ બાળકોએ મંદિર પાસે તાપણું કર્યું હતું. અચાનક બાળકોની તબિયત બગડી, ઉલટી થઈ.. તબિયત ખરાબ થતા તેમને નજીકની ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા અને ત્યારબાદ વધુ સારવાર અર્થે નવી સિવિલ ખસેડાયા હતા.  ચાર બાળકોની તબિયત ખરાબ થઈ હતી જેમાંથી ત્રણ બાળકોના મોત નિપજ્યા છે જ્યારે અન્યની તબિયત ગંભીર હોવાનું માનવામાં આવી રહ્યું છે.... મહત્વનું છે કે બાળકોના મોત શેના કારણે નિપજ્યાં તે અંગેની તપાસ કરવામાં આવી રહી છે... 



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.