સુરત - આઈસ્ક્રીમ ખાધા બાદ બગડી બાળકોની તબિયત, હોસ્પિટલ ખસેડવામાં આવ્યા Food poisoningને કારણે મોત નિપજ્યું હોવાનું અનુમાન


  • Published By :
  • Published Date : 2024-11-30 12:40:39

ફૂડ પોઈઝનિંગને કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે... ત્યારે સુરતથી એક દુ:ખદ ઘટના સામે આવી છે.. સુરતના સચિન પાલી ગામમાં ત્રણ બાળકોના મોત આઈસ્ક્રીમ ખાધા બાદ થયા છે તેવું પ્રાથમિક અનુમાન લગાવામાં આવી રહ્યું છે... આઈસ્ક્રીમ ખાધા બાદ તેમની તબિયત બગડી, હોસ્પિટલ ખસેડવામાં આવ્યા જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું... એવું અનુમાન લગાવામાં આવી રહ્યું છે કે બાળકોના મોત ફૂડ પોઈઝનિંગને કારણે થયા છે.... બાળકોના અચાનક મોત થતા પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે... પરિવારમાં આક્રંદ છવાયો છે... બાળકોનું મોત કયા કારણોસર થયું તે માટે તપાસ કરવામાં આવી રહી છે.... મળતી માહિતી અનુસાર આ માહિતી મળતા સુરતના મેયર પણ ત્યાં દોડી આવ્યા છે.. 


તબિયત ખરાબ થતા ખસેડાયા હોસ્પિટલ 

ત્રણ બાળકોના શંકાસ્પદ મોત સુરતના પાલી ગામમાં થયા છે. આ અંગે મળતી માહિતી અનુસાર આઈસ્ક્રીમ ખાધા બાદ બાળકોએ મંદિર પાસે તાપણું કર્યું હતું. અચાનક બાળકોની તબિયત બગડી, ઉલટી થઈ.. તબિયત ખરાબ થતા તેમને નજીકની ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા અને ત્યારબાદ વધુ સારવાર અર્થે નવી સિવિલ ખસેડાયા હતા.  ચાર બાળકોની તબિયત ખરાબ થઈ હતી જેમાંથી ત્રણ બાળકોના મોત નિપજ્યા છે જ્યારે અન્યની તબિયત ગંભીર હોવાનું માનવામાં આવી રહ્યું છે.... મહત્વનું છે કે બાળકોના મોત શેના કારણે નિપજ્યાં તે અંગેની તપાસ કરવામાં આવી રહી છે... 



અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.