સુરતના હીરા ઉદ્યોગને મંદીનું ગ્રહણ, 5 હજારથી વધુ રત્ન કલાકારો થયા બેકાર


  • Published By :
  • Published Date : 2023-01-09 14:46:56

સુરત શહેર દેશમાં જ નહીં પણ દુનિયાભરમાં ડાયમન્ડ સીટી તરીકે જાણીતું છે. જો  કે હવે વૈશ્વિક મંદીની અસરથી સુરતના ડાયમન્ડ ઉદ્યોગને પણ ફટકો પડ્યો છે. સુરતમાં છેલ્લા એક મહિનામાં 5 હજારથી પણ વધુ રત્ન કલાકારોને છુટા કરવામાં આવ્યા છે. ગુજરાત ડાયમન્ડ વર્કર યુનિયનને આ છટણી અંગેની ફરિયાદો મળી છે. પશ્ચિમના દેશોમાં મંદીની ભયાનક સ્થિતીના કારણે નવા ઓર્ડર મળવાનું બંધ થયું છે. જે કારણે હિરાના કારખાના ટપોટપ બંધ થતા આ સ્થિતી સર્જાઈ છે.


સુરતને મંદીનું ગ્રહણ લાગ્યું 


સુરતમાં વિદેશથી રફ હિરા પોલીસીંગ માટે આવે છે, જો કે ચીન બાદ  જાપાન, સિંગાપોર, થાઈલેન્ડ સહિતના દેશોમાં કોરોનાના કેસ વધતા પોલિશ્ડ હીરાની માંગ ઘટતા પ્રોડક્શન પર કાપ મુકાયો છે. કોરોના ઉપરાંત રશિયા-યુક્રેન યુધ્ધ, અમેરિકા તથા યુરોપના દેશોમાં વધતી મોંઘવારી સહિતના કારણોથી સુરતના હિરા ઉદ્યોગને નવા ઓર્ડરમાં ઘટાડો થયો છે. સ્થિતી એટલી વિકટ છે કે સુરતના કતાર ગામમાં તો ફેક્ટરી જ બંધ થઈ ગઈ છે. કારખાનાના માલિકે એક 300 રત્ન કલાકારોને છુટા કરી દીધા છે. 


યુનિયનને 24 ફરિયાદો મળી


રત્ન કલાકારોના હિતોની રક્ષા કરતા સંગઠન ગુજરાત ડાયમંડ વર્કર યુનિયનને સુરતમાં હિરાઘસુઓને છુટા કરવાની 24થી વધુ ફરિયાદો મળી છે. સુરતનો હીરા ઉદ્યોગ શહેરની સાચી ઓખળ છે અને તેના થકી લાખો લોકોને રોજગારી મળે છે. જો કે મંદીના કારણે જે પ્રકારની સ્થિતી સર્જાઈ છે તે રત્ન કલાકારો અને સરકાર માટે પણ ચિંતાનો વિષય બન્યો છે.



અમદાવાદ સમગ્ર ભારતના ઇતિહાસમાં એક નવું નામ અંકિત કરવા જઈ રહ્યું છે. કેમ કે , ભારતને આજે કોમનવેલ્થ ગેમ્સની વર્ષ ૨૦૩૦ની યજમાની મળી ચુકી છે. જે હવે આપણા અમદાવાદમાં યોજાશે. આ જાહેરાત સ્કોટલેન્ડના ગ્લાસગોમાં કોમનવેલ્થ સ્પોર્ટ્સ એક્ઝિક્યુટિવ બોર્ડની મિટિંગ બાદ કરવામાં આવી છે. આ મિટિંગમાં ભારત તરફથી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વવાળું એક પ્રતિનિધિમંડળ પણ હાજર હતું.

ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.