સુરતના હીરા ઉદ્યોગને મંદીનું ગ્રહણ, 5 હજારથી વધુ રત્ન કલાકારો થયા બેકાર


  • Published By :
  • Published Date : 2023-01-09 14:46:56

સુરત શહેર દેશમાં જ નહીં પણ દુનિયાભરમાં ડાયમન્ડ સીટી તરીકે જાણીતું છે. જો  કે હવે વૈશ્વિક મંદીની અસરથી સુરતના ડાયમન્ડ ઉદ્યોગને પણ ફટકો પડ્યો છે. સુરતમાં છેલ્લા એક મહિનામાં 5 હજારથી પણ વધુ રત્ન કલાકારોને છુટા કરવામાં આવ્યા છે. ગુજરાત ડાયમન્ડ વર્કર યુનિયનને આ છટણી અંગેની ફરિયાદો મળી છે. પશ્ચિમના દેશોમાં મંદીની ભયાનક સ્થિતીના કારણે નવા ઓર્ડર મળવાનું બંધ થયું છે. જે કારણે હિરાના કારખાના ટપોટપ બંધ થતા આ સ્થિતી સર્જાઈ છે.


સુરતને મંદીનું ગ્રહણ લાગ્યું 


સુરતમાં વિદેશથી રફ હિરા પોલીસીંગ માટે આવે છે, જો કે ચીન બાદ  જાપાન, સિંગાપોર, થાઈલેન્ડ સહિતના દેશોમાં કોરોનાના કેસ વધતા પોલિશ્ડ હીરાની માંગ ઘટતા પ્રોડક્શન પર કાપ મુકાયો છે. કોરોના ઉપરાંત રશિયા-યુક્રેન યુધ્ધ, અમેરિકા તથા યુરોપના દેશોમાં વધતી મોંઘવારી સહિતના કારણોથી સુરતના હિરા ઉદ્યોગને નવા ઓર્ડરમાં ઘટાડો થયો છે. સ્થિતી એટલી વિકટ છે કે સુરતના કતાર ગામમાં તો ફેક્ટરી જ બંધ થઈ ગઈ છે. કારખાનાના માલિકે એક 300 રત્ન કલાકારોને છુટા કરી દીધા છે. 


યુનિયનને 24 ફરિયાદો મળી


રત્ન કલાકારોના હિતોની રક્ષા કરતા સંગઠન ગુજરાત ડાયમંડ વર્કર યુનિયનને સુરતમાં હિરાઘસુઓને છુટા કરવાની 24થી વધુ ફરિયાદો મળી છે. સુરતનો હીરા ઉદ્યોગ શહેરની સાચી ઓખળ છે અને તેના થકી લાખો લોકોને રોજગારી મળે છે. જો કે મંદીના કારણે જે પ્રકારની સ્થિતી સર્જાઈ છે તે રત્ન કલાકારો અને સરકાર માટે પણ ચિંતાનો વિષય બન્યો છે.



થોડા દિવસ પહેલા પીએમ મોદીએ ત્યાં જનસભાને સંબોધી હતી ત્યારે આજે પ્રિયંકા ગાંધીએ બનાસકાંઠાના લાખણીમાં જનસભાને સંબોધી હતી. ગેનીબેન ઠાકોર અને ચંદનજી ઠાકોર માટે તેઓ પ્રચાર કરવા ગુજરાત આવ્યા હતા. પોતાના સંબોધનમાં તેમણે પીએમ મોદી પર અને ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા...અનેક મુદ્દાઓને લઈ ભાજપને ઘેરવાની કોશિશ કરી હતી..

અમરેલીની જનતાનો મિજાજ જાણવા માટે અમરેલી લોકસભા બેઠક પહોંચી હતી.. અલગ અલગ મુદ્દાઓ પર અમરેલીની જનતાને સવાલ પૂછવામાં આવ્યો હતો.

અમદાવાદના બોપલ વિસ્તારમાં 80 કરોડના ખર્ચે એએમસી અને AUDA દ્વારા એક બ્રિજ બનાવવામાં આવ્યો જેનું કામ 80 ટકા જેટલું પૂર્ણ પણ થઈ ગયું. તે બાદ ખબર ઇજનેરો અને અધિકારીઓને ખબર પડી કે જ્યાં તેઓ બ્રિજ બનાવી રહ્યા છે ત્યાં તો કોઈ રોડ જ નથી. એટલે કે બ્રિજના બીજા છેડે રસ્તો જ નથી અને બ્રિજ ઉતરતાની સાથે જ ઊંચી દીવાલ આવી જાય છે.

પરષોત્તમ રૂપાલાના નિવેદનનો ક્ષત્રિય સમાજ વિરોધ કરી રહ્યો છે. ઠેર ઠેર વિરોધ પ્રદર્શનના દ્રશ્યો સામે આવ્યા છે. ત્યારે થોડા દિવસ પહેલા ક્ષત્રિય સમાજ દ્વારા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે શંકરસિંહ વાઘેલાએ નિવેદન આપ્યું હતું.