સુરતના હીરા ઉદ્યોગને મંદીનું ગ્રહણ, 5 હજારથી વધુ રત્ન કલાકારો થયા બેકાર


  • Published By :
  • Published Date : 2023-01-09 14:46:56

સુરત શહેર દેશમાં જ નહીં પણ દુનિયાભરમાં ડાયમન્ડ સીટી તરીકે જાણીતું છે. જો  કે હવે વૈશ્વિક મંદીની અસરથી સુરતના ડાયમન્ડ ઉદ્યોગને પણ ફટકો પડ્યો છે. સુરતમાં છેલ્લા એક મહિનામાં 5 હજારથી પણ વધુ રત્ન કલાકારોને છુટા કરવામાં આવ્યા છે. ગુજરાત ડાયમન્ડ વર્કર યુનિયનને આ છટણી અંગેની ફરિયાદો મળી છે. પશ્ચિમના દેશોમાં મંદીની ભયાનક સ્થિતીના કારણે નવા ઓર્ડર મળવાનું બંધ થયું છે. જે કારણે હિરાના કારખાના ટપોટપ બંધ થતા આ સ્થિતી સર્જાઈ છે.


સુરતને મંદીનું ગ્રહણ લાગ્યું 


સુરતમાં વિદેશથી રફ હિરા પોલીસીંગ માટે આવે છે, જો કે ચીન બાદ  જાપાન, સિંગાપોર, થાઈલેન્ડ સહિતના દેશોમાં કોરોનાના કેસ વધતા પોલિશ્ડ હીરાની માંગ ઘટતા પ્રોડક્શન પર કાપ મુકાયો છે. કોરોના ઉપરાંત રશિયા-યુક્રેન યુધ્ધ, અમેરિકા તથા યુરોપના દેશોમાં વધતી મોંઘવારી સહિતના કારણોથી સુરતના હિરા ઉદ્યોગને નવા ઓર્ડરમાં ઘટાડો થયો છે. સ્થિતી એટલી વિકટ છે કે સુરતના કતાર ગામમાં તો ફેક્ટરી જ બંધ થઈ ગઈ છે. કારખાનાના માલિકે એક 300 રત્ન કલાકારોને છુટા કરી દીધા છે. 


યુનિયનને 24 ફરિયાદો મળી


રત્ન કલાકારોના હિતોની રક્ષા કરતા સંગઠન ગુજરાત ડાયમંડ વર્કર યુનિયનને સુરતમાં હિરાઘસુઓને છુટા કરવાની 24થી વધુ ફરિયાદો મળી છે. સુરતનો હીરા ઉદ્યોગ શહેરની સાચી ઓખળ છે અને તેના થકી લાખો લોકોને રોજગારી મળે છે. જો કે મંદીના કારણે જે પ્રકારની સ્થિતી સર્જાઈ છે તે રત્ન કલાકારો અને સરકાર માટે પણ ચિંતાનો વિષય બન્યો છે.



રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.

અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.