સુરતના હીરા ઉદ્યોગને મંદીનું ગ્રહણ, 5 હજારથી વધુ રત્ન કલાકારો થયા બેકાર


  • Published By :
  • Published Date : 2023-01-09 14:46:56

સુરત શહેર દેશમાં જ નહીં પણ દુનિયાભરમાં ડાયમન્ડ સીટી તરીકે જાણીતું છે. જો  કે હવે વૈશ્વિક મંદીની અસરથી સુરતના ડાયમન્ડ ઉદ્યોગને પણ ફટકો પડ્યો છે. સુરતમાં છેલ્લા એક મહિનામાં 5 હજારથી પણ વધુ રત્ન કલાકારોને છુટા કરવામાં આવ્યા છે. ગુજરાત ડાયમન્ડ વર્કર યુનિયનને આ છટણી અંગેની ફરિયાદો મળી છે. પશ્ચિમના દેશોમાં મંદીની ભયાનક સ્થિતીના કારણે નવા ઓર્ડર મળવાનું બંધ થયું છે. જે કારણે હિરાના કારખાના ટપોટપ બંધ થતા આ સ્થિતી સર્જાઈ છે.


સુરતને મંદીનું ગ્રહણ લાગ્યું 


સુરતમાં વિદેશથી રફ હિરા પોલીસીંગ માટે આવે છે, જો કે ચીન બાદ  જાપાન, સિંગાપોર, થાઈલેન્ડ સહિતના દેશોમાં કોરોનાના કેસ વધતા પોલિશ્ડ હીરાની માંગ ઘટતા પ્રોડક્શન પર કાપ મુકાયો છે. કોરોના ઉપરાંત રશિયા-યુક્રેન યુધ્ધ, અમેરિકા તથા યુરોપના દેશોમાં વધતી મોંઘવારી સહિતના કારણોથી સુરતના હિરા ઉદ્યોગને નવા ઓર્ડરમાં ઘટાડો થયો છે. સ્થિતી એટલી વિકટ છે કે સુરતના કતાર ગામમાં તો ફેક્ટરી જ બંધ થઈ ગઈ છે. કારખાનાના માલિકે એક 300 રત્ન કલાકારોને છુટા કરી દીધા છે. 


યુનિયનને 24 ફરિયાદો મળી


રત્ન કલાકારોના હિતોની રક્ષા કરતા સંગઠન ગુજરાત ડાયમંડ વર્કર યુનિયનને સુરતમાં હિરાઘસુઓને છુટા કરવાની 24થી વધુ ફરિયાદો મળી છે. સુરતનો હીરા ઉદ્યોગ શહેરની સાચી ઓખળ છે અને તેના થકી લાખો લોકોને રોજગારી મળે છે. જો કે મંદીના કારણે જે પ્રકારની સ્થિતી સર્જાઈ છે તે રત્ન કલાકારો અને સરકાર માટે પણ ચિંતાનો વિષય બન્યો છે.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.