Surat : ટ્રાફિકના પાઠ શીખવાડનાર પિયુષ ધાનાણીએ સર્જ્યો અકસ્માત! યુવક ઈજાગ્રસ્ત, લોકોએ તેમની પાસેથી કબૂલાત કરાવી કે.. જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2024-06-14 11:59:12

પિયુષ ધાનાણીની ચર્ચા થતી હોય છે જે લોકોને ટ્રાફિકના નિયમો શીખવાડતા હોય છે.. ટ્રાફિકના નિયમોનું જે પાલન નથી કરતા તેમને શિખામણ આપતા હોય છે.. તેમના અનેક વીડિયો આવા સામે આવતા રહે છે.. પિયુષ ધાનાણી ફરી એક વખત ચર્ચામાં આવ્યા છે. લોકોને ટ્રાફિકના નિયમો શીખવાડવા વાળા પિયુષ ધાનાણીને કારણે અકસ્માત સર્જાયો છે..! આ ઘટના થયા બાદ લોકોએ તેમનો ઉધડો લીધો હતો અને તેમની પાસેથી કબૂલાત કરાવી હતી કે આ અકસ્માત તેમણે સર્જ્યો છે..

પિયુષ ધાનાણી પોતે બન્યા અકસ્માતનું કારણ!

લોકોને ટ્રાફિક જાગૃતિ શીખવાડતાં પિયુષ ધાનાણી પોતે અકસ્માતનું કારણ બન્યા છે.. સુરતના કોઈ પણ ટ્રાફિક સિગ્નલ પર તેઓ ઉભા રહે છે અને ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરતા લોકોને ટ્રાફિકના નિયમો શીખવાડે છે.. પરંતુ આ વખતે પિયુષ ધાનાણી જ પોતે અકસ્માતનું કારણ બન્યા છે.. એટલે લોકોએ એમને પકડીને ઝાટક્યા.. અકસ્માત થયો તે બાદ ત્યાં હાજર લોકોએ તેમને પકડ્યા હતા અને તેમની પાસેથી સ્પષ્ટીકરણ માગ્યું હતું.. 



જ્યારે જમાવટની ટીમે કર્યો હતો પિયુષ ધાનાણીને ફોન

સુરતના રિંગ રોડ પર પિયુષ ધાનાણી એક બસને રોંગ સાઈડ જતાં અટકાવવા ભાગ્યા અને એક યુવકની બાઇક આગળ આવી ગયા જેના કારણે એ યુવકને ગંભીર ઈજા થઈ અને પછી લોકોએ એમના ફોનથી જ લાઈવ કરાવી આ કબૂલાત કરાવી પિયુષ ધાનાણી વિડીયોમાં બોલી રહ્યા છે મારી ભૂલ છે અને હું એ યુવકને એના નુકશાનના પૈસા આપવા તૈયાર છું. આ વીડિયો સામે આવ્યા બાદ જમાવટની ટીમે પિયુષ ધાનાણીનો સંપર્ક કર્યો હતો. પરંતુ તેમની સાથે વાત થઈ શકી ના હતી.. ત્યારે તમારૂં આ મામલે શું માનવું છે તે અમને કમેન્ટમાં જણાવજો..   



રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા ભારતીય જનતા પાર્ટીમાં ટિકિટ વહેંચણીને લઇને કાર્યકરોમાં અસંતોષ જોવા મળ્યો છે. શિસ્તબદ્ધ કહેવાતી પાર્ટીમાં ટિકિટ માટે જૂથબંધી અને રોષ ભાજપમાં સપાટી પર આવી ગયો છે. હવે , ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ ડેમેજ કંટ્રોલ કરવા લાગી જવું પડ્યું છે. આ માટે તેમણે રાજકોટની મુલાકાત લીધી છે.

મહેસાણા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીમાં ખુબ મોટું ગાબડું સામે આવ્યું છે. કેમ કે, મરતોલી ગામના ૨૦૦ જેટલા ભાજપના કાર્યકરો પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા છે. આ તમામ ભાજપના કાર્યકરોએ આક્ષેપ કર્યા છે કે , પાર્ટીમાં અમારી કોઈ જ વેલ્યુ નથી રહી. બીજી તરફ , બનાસકાંઠા જિલ્લામાં પણ ભાજપમાં ખુબ મોટું ગાબડું પડ્યું છે. પૂર્વ નગરસેવક અને સિનિયર આગેવાન શાંતિ માળી અને ગોપાલ સેનાના અધ્યક્ષ નરસિંહ દેસાઈ કોંગ્રેસમાં જોડાયા છે.

સામાન્ય રીતે લોકો પોતાના જન્મદિવસે તેની ભવ્ય ઉજવણી કરતા હોય છે. પરંતુ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અનંત અંબાણીના 31મા જન્મદિન પ્રસંગે આયોજિત વિવિધ પરોપકારી કાર્યો તથા પ્રવૃત્તિઓએ આશરે 57 લાખ લોકોના જીવનને સ્પર્શ કરી તેને બહેતર બનાવવાનો પ્રયાસ કર્યો છે. લાખો લોકોના જીવનને સમૃદ્ધ બનાવવાના ઉદ્દેશથી ધાર્મિક ટ્રસ્ટ, શૈક્ષણિક તથા આરોગ્યસંભાળ સંસ્થાઓ તેમજ સામાજકલ્યાણની સંસ્થાઓમાં સખાવતી યોગદાન અપાયું હતું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીમાં ઉમેદવારોની પસંદગી કરવાને લઇને જબરદસ્ત મંથન ચાલી રહ્યું છે. ત્યારે , ભાજપ દ્વારા કેટલાક માપદંડો બનાવવામાં આવ્યા છે જેમ કે , ૬૦થી વધુ વયના લોકોને ટિકિટ ના આપવી. ત્રણ ટર્મથી ચૂંટણી લડતા હોય તેમને ટિકિટ ના આપવી. આવા અનેક નિયમો ભાજપે બનાવ્યા છે. તો ભાજપના જ આવા નિયમોની સામે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ મોરચો માંડ્યો છે. મનસુખ વસાવાએ સ્પષ્ટપણે કહી દીધું છે કે , આ નિયમો જ પાર્ટીને નુકશાન કરશે.