Surat : ટ્રાફિકના પાઠ શીખવાડનાર પિયુષ ધાનાણીએ સર્જ્યો અકસ્માત! યુવક ઈજાગ્રસ્ત, લોકોએ તેમની પાસેથી કબૂલાત કરાવી કે.. જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2024-06-14 11:59:12

પિયુષ ધાનાણીની ચર્ચા થતી હોય છે જે લોકોને ટ્રાફિકના નિયમો શીખવાડતા હોય છે.. ટ્રાફિકના નિયમોનું જે પાલન નથી કરતા તેમને શિખામણ આપતા હોય છે.. તેમના અનેક વીડિયો આવા સામે આવતા રહે છે.. પિયુષ ધાનાણી ફરી એક વખત ચર્ચામાં આવ્યા છે. લોકોને ટ્રાફિકના નિયમો શીખવાડવા વાળા પિયુષ ધાનાણીને કારણે અકસ્માત સર્જાયો છે..! આ ઘટના થયા બાદ લોકોએ તેમનો ઉધડો લીધો હતો અને તેમની પાસેથી કબૂલાત કરાવી હતી કે આ અકસ્માત તેમણે સર્જ્યો છે..

પિયુષ ધાનાણી પોતે બન્યા અકસ્માતનું કારણ!

લોકોને ટ્રાફિક જાગૃતિ શીખવાડતાં પિયુષ ધાનાણી પોતે અકસ્માતનું કારણ બન્યા છે.. સુરતના કોઈ પણ ટ્રાફિક સિગ્નલ પર તેઓ ઉભા રહે છે અને ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરતા લોકોને ટ્રાફિકના નિયમો શીખવાડે છે.. પરંતુ આ વખતે પિયુષ ધાનાણી જ પોતે અકસ્માતનું કારણ બન્યા છે.. એટલે લોકોએ એમને પકડીને ઝાટક્યા.. અકસ્માત થયો તે બાદ ત્યાં હાજર લોકોએ તેમને પકડ્યા હતા અને તેમની પાસેથી સ્પષ્ટીકરણ માગ્યું હતું.. 



જ્યારે જમાવટની ટીમે કર્યો હતો પિયુષ ધાનાણીને ફોન

સુરતના રિંગ રોડ પર પિયુષ ધાનાણી એક બસને રોંગ સાઈડ જતાં અટકાવવા ભાગ્યા અને એક યુવકની બાઇક આગળ આવી ગયા જેના કારણે એ યુવકને ગંભીર ઈજા થઈ અને પછી લોકોએ એમના ફોનથી જ લાઈવ કરાવી આ કબૂલાત કરાવી પિયુષ ધાનાણી વિડીયોમાં બોલી રહ્યા છે મારી ભૂલ છે અને હું એ યુવકને એના નુકશાનના પૈસા આપવા તૈયાર છું. આ વીડિયો સામે આવ્યા બાદ જમાવટની ટીમે પિયુષ ધાનાણીનો સંપર્ક કર્યો હતો. પરંતુ તેમની સાથે વાત થઈ શકી ના હતી.. ત્યારે તમારૂં આ મામલે શું માનવું છે તે અમને કમેન્ટમાં જણાવજો..   



ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.