Surat : ટ્રાફિકના પાઠ શીખવાડનાર પિયુષ ધાનાણીએ સર્જ્યો અકસ્માત! યુવક ઈજાગ્રસ્ત, લોકોએ તેમની પાસેથી કબૂલાત કરાવી કે.. જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2024-06-14 11:59:12

પિયુષ ધાનાણીની ચર્ચા થતી હોય છે જે લોકોને ટ્રાફિકના નિયમો શીખવાડતા હોય છે.. ટ્રાફિકના નિયમોનું જે પાલન નથી કરતા તેમને શિખામણ આપતા હોય છે.. તેમના અનેક વીડિયો આવા સામે આવતા રહે છે.. પિયુષ ધાનાણી ફરી એક વખત ચર્ચામાં આવ્યા છે. લોકોને ટ્રાફિકના નિયમો શીખવાડવા વાળા પિયુષ ધાનાણીને કારણે અકસ્માત સર્જાયો છે..! આ ઘટના થયા બાદ લોકોએ તેમનો ઉધડો લીધો હતો અને તેમની પાસેથી કબૂલાત કરાવી હતી કે આ અકસ્માત તેમણે સર્જ્યો છે..

પિયુષ ધાનાણી પોતે બન્યા અકસ્માતનું કારણ!

લોકોને ટ્રાફિક જાગૃતિ શીખવાડતાં પિયુષ ધાનાણી પોતે અકસ્માતનું કારણ બન્યા છે.. સુરતના કોઈ પણ ટ્રાફિક સિગ્નલ પર તેઓ ઉભા રહે છે અને ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરતા લોકોને ટ્રાફિકના નિયમો શીખવાડે છે.. પરંતુ આ વખતે પિયુષ ધાનાણી જ પોતે અકસ્માતનું કારણ બન્યા છે.. એટલે લોકોએ એમને પકડીને ઝાટક્યા.. અકસ્માત થયો તે બાદ ત્યાં હાજર લોકોએ તેમને પકડ્યા હતા અને તેમની પાસેથી સ્પષ્ટીકરણ માગ્યું હતું.. 



જ્યારે જમાવટની ટીમે કર્યો હતો પિયુષ ધાનાણીને ફોન

સુરતના રિંગ રોડ પર પિયુષ ધાનાણી એક બસને રોંગ સાઈડ જતાં અટકાવવા ભાગ્યા અને એક યુવકની બાઇક આગળ આવી ગયા જેના કારણે એ યુવકને ગંભીર ઈજા થઈ અને પછી લોકોએ એમના ફોનથી જ લાઈવ કરાવી આ કબૂલાત કરાવી પિયુષ ધાનાણી વિડીયોમાં બોલી રહ્યા છે મારી ભૂલ છે અને હું એ યુવકને એના નુકશાનના પૈસા આપવા તૈયાર છું. આ વીડિયો સામે આવ્યા બાદ જમાવટની ટીમે પિયુષ ધાનાણીનો સંપર્ક કર્યો હતો. પરંતુ તેમની સાથે વાત થઈ શકી ના હતી.. ત્યારે તમારૂં આ મામલે શું માનવું છે તે અમને કમેન્ટમાં જણાવજો..   



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.