Surat : નાના બાળકના હાથમાં થમાઈ દીધું બાઈકનું સ્ટિયરિંગ! વીડિયો થયો વાયરલ, સવાલ થાય કે કોઈ દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ?


  • Published By :
  • Published Date : 2024-05-25 16:08:06

જ્યારે એવું કહેવાય છે કે આજની જનરેશન,આજ કાલના બાળકો બગડી રહ્યા છે, મનમાની કરે છે તેવું કહીએ છીએ ત્યારે તેમાં થોડો વાંક માતા પિતાનો પણ હોય છે તેવું કહીએ તો પણ  અતિશયોક્તિ નથી..! જ્યારે આપણે કહીએ છીએ કે બાળક નિયમોનું ભંગ કરી રહ્યો છે ત્યારે સવાલ થાય કે આવું તો તે આપણામાંથી જ શિખ્યો હશેને..અનેક એવા વીડિયો સામે આવતા હોય છે જેમાં નાના બાળકો વાહન ચલાવતા હોય છે ત્યારે સવાલ થાય કે માતા પિતા શું કામ નાના બાળકોને વાહન ચલાવવા આપી દેતા હશે?. સુરતથી એક વીડિયો સામે આવ્યો છે જેમાં પિતા બાઈક ચલાવવા માટે પોતાના બાળકને આપી દે છે.. 

નાના બાળકના હાથમાં પકડાવી દીધું વાહનનું સ્ટેરિંગ!

અકસ્માતની સંખ્યામાં ધરખમ વધારો થઈ રહ્યો છે.. પ્રતિદિન અકસ્માતના કિસ્સાઓ આપણી સામે આવી રહ્યા છે. અનેક વખત એવા વીડિયો પણ સોશિયલ મીડિયા પર વટ પાડવા માટે મૂકવામાં આવતા હોય છે જે જોખમી હોય છે.. સ્ટંટના અનેક વીડિયો આપણે જોયા છે... રિલ્સના ચક્કરમાં તે લોકો પોતાનો જીવ તો સંકટમાં મૂકે જ છે પરંતુ બીજા લોકોના જીવ પણ સંકટમાં મૂકે છે. સુરતથી એક વીડિયો સામે આવ્યો છે પાંડેસરાનો હોવાનું માનવામમાં આવે છે.. વીડિયો એટલા માટે બતાવવો છે કારણ કે એક પિતાએ જ પોતાના બાળકના હાથમાં બાઇકનું હેન્ડલ આપી દીધું છે અને એ પણ પરવાહ કે ડર વગર! સુરતથી તો અવાર નવાર આવા વીડિયો સામે આવતા રહે છે જેમાં ખુલ્લેઆમ કાયદાનો ભંગ થતો હોય..


જો અકસ્માત સર્જાય તો જવાબદાર કોણ?  

હજુ એક બે મહિના પહેલા જ આવો એક વીડિયો વાયરલ થયો હતો જેમાં ઘરના જ કોઈ વડીલ નાના બાળકના હાથમાં વાહનનું સ્ટીયરિંગ આપતા દેખાય છે. એ વીડિયોમાં દેખાતું હતું કે આ બાળકની પાછળ એક વ્યક્તિ બેઠો છે, અને બાળક તે વાહન ચલાવી રહ્યો છે...! એક નાની ભૂલ એક મોટા અકસ્માતને આમંત્રણ આપી શકે છે. પણ અહીંયા તો યાર ડર કોને છે? જે વીડિયોની વાત થઈ રહી છે તે વીડિયો નાનપુરા વિસ્તારનો હતો એ લોકો સામે આગળ કોઈ કાર્યવાહી થઈ કે નહીં ખબર નથી પણ થઈ પણ હોય તો એવી નથી થઈ જેનાથી લોકોમાં ડર બેસે બાકી આપણે ફરી આવા વીડિયો જોવા મળતા રહેશે... 


કાયદો તોડતા બાળક મોટામાંથી જ શિખતો હોય છે..!

નાના બાળકોના હાથમાં જ્યારે વાહન આપવામાં આવે છે ત્યારે એ વાતની ગંભીરતા નથી સમજતા કે જો અકસ્માત સર્જાશે તો શું થશે? નાના બાળકોને જ્યારે આવા વાહનો આપવામાં આવે છે ત્યારે એને તો આની ગંભીરતા નથી ખબર હોતી પરંતુ મોટાઓને તો આની ગંભીરતા ખબર હોય છે..  બાળક જીદ કરે તો એને ચોકલેટ અપાય બાઇક નહીં પછી આજ બાળકો મોટા થઈ કાયદો અને વ્યવસ્થા ભૂલીને બેફામ બને અકસ્માતો કરે અને આપણે જ બૂમો પાડીએ કે આ લોકોના માં બાપ શું કરે છે? ભગવાને જીવન આપ્યું છે તો એનું મૂલ્ય સમજો અને પોતાનો અને બીજાનો જીવ જોખમમાં ન નાખો.. આ લોકો સામે પોલીસ કંઈ કડક એક્શન લે એ આશા...



રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.

As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.