Surat : નાના બાળકના હાથમાં થમાઈ દીધું બાઈકનું સ્ટિયરિંગ! વીડિયો થયો વાયરલ, સવાલ થાય કે કોઈ દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ?


  • Published By :
  • Published Date : 2024-05-25 16:08:06

જ્યારે એવું કહેવાય છે કે આજની જનરેશન,આજ કાલના બાળકો બગડી રહ્યા છે, મનમાની કરે છે તેવું કહીએ છીએ ત્યારે તેમાં થોડો વાંક માતા પિતાનો પણ હોય છે તેવું કહીએ તો પણ  અતિશયોક્તિ નથી..! જ્યારે આપણે કહીએ છીએ કે બાળક નિયમોનું ભંગ કરી રહ્યો છે ત્યારે સવાલ થાય કે આવું તો તે આપણામાંથી જ શિખ્યો હશેને..અનેક એવા વીડિયો સામે આવતા હોય છે જેમાં નાના બાળકો વાહન ચલાવતા હોય છે ત્યારે સવાલ થાય કે માતા પિતા શું કામ નાના બાળકોને વાહન ચલાવવા આપી દેતા હશે?. સુરતથી એક વીડિયો સામે આવ્યો છે જેમાં પિતા બાઈક ચલાવવા માટે પોતાના બાળકને આપી દે છે.. 

નાના બાળકના હાથમાં પકડાવી દીધું વાહનનું સ્ટેરિંગ!

અકસ્માતની સંખ્યામાં ધરખમ વધારો થઈ રહ્યો છે.. પ્રતિદિન અકસ્માતના કિસ્સાઓ આપણી સામે આવી રહ્યા છે. અનેક વખત એવા વીડિયો પણ સોશિયલ મીડિયા પર વટ પાડવા માટે મૂકવામાં આવતા હોય છે જે જોખમી હોય છે.. સ્ટંટના અનેક વીડિયો આપણે જોયા છે... રિલ્સના ચક્કરમાં તે લોકો પોતાનો જીવ તો સંકટમાં મૂકે જ છે પરંતુ બીજા લોકોના જીવ પણ સંકટમાં મૂકે છે. સુરતથી એક વીડિયો સામે આવ્યો છે પાંડેસરાનો હોવાનું માનવામમાં આવે છે.. વીડિયો એટલા માટે બતાવવો છે કારણ કે એક પિતાએ જ પોતાના બાળકના હાથમાં બાઇકનું હેન્ડલ આપી દીધું છે અને એ પણ પરવાહ કે ડર વગર! સુરતથી તો અવાર નવાર આવા વીડિયો સામે આવતા રહે છે જેમાં ખુલ્લેઆમ કાયદાનો ભંગ થતો હોય..


જો અકસ્માત સર્જાય તો જવાબદાર કોણ?  

હજુ એક બે મહિના પહેલા જ આવો એક વીડિયો વાયરલ થયો હતો જેમાં ઘરના જ કોઈ વડીલ નાના બાળકના હાથમાં વાહનનું સ્ટીયરિંગ આપતા દેખાય છે. એ વીડિયોમાં દેખાતું હતું કે આ બાળકની પાછળ એક વ્યક્તિ બેઠો છે, અને બાળક તે વાહન ચલાવી રહ્યો છે...! એક નાની ભૂલ એક મોટા અકસ્માતને આમંત્રણ આપી શકે છે. પણ અહીંયા તો યાર ડર કોને છે? જે વીડિયોની વાત થઈ રહી છે તે વીડિયો નાનપુરા વિસ્તારનો હતો એ લોકો સામે આગળ કોઈ કાર્યવાહી થઈ કે નહીં ખબર નથી પણ થઈ પણ હોય તો એવી નથી થઈ જેનાથી લોકોમાં ડર બેસે બાકી આપણે ફરી આવા વીડિયો જોવા મળતા રહેશે... 


કાયદો તોડતા બાળક મોટામાંથી જ શિખતો હોય છે..!

નાના બાળકોના હાથમાં જ્યારે વાહન આપવામાં આવે છે ત્યારે એ વાતની ગંભીરતા નથી સમજતા કે જો અકસ્માત સર્જાશે તો શું થશે? નાના બાળકોને જ્યારે આવા વાહનો આપવામાં આવે છે ત્યારે એને તો આની ગંભીરતા નથી ખબર હોતી પરંતુ મોટાઓને તો આની ગંભીરતા ખબર હોય છે..  બાળક જીદ કરે તો એને ચોકલેટ અપાય બાઇક નહીં પછી આજ બાળકો મોટા થઈ કાયદો અને વ્યવસ્થા ભૂલીને બેફામ બને અકસ્માતો કરે અને આપણે જ બૂમો પાડીએ કે આ લોકોના માં બાપ શું કરે છે? ભગવાને જીવન આપ્યું છે તો એનું મૂલ્ય સમજો અને પોતાનો અને બીજાનો જીવ જોખમમાં ન નાખો.. આ લોકો સામે પોલીસ કંઈ કડક એક્શન લે એ આશા...



જાન્યુઆરી ૨૦૨૩માં જુનિયર ક્લાર્કની પરીક્ષા યોજાઈ હતી જેમાં , બાયડના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર આકાશ પટેલની ગુજરાત ATS દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. આકાશ પટેલ પર ખુબ ગંભીર આક્ષેપો થયા હતા. જોકે થોડાક સમય અગાઉ , આકાશ પટેલને બાયડ યુવા મોરચાના પ્રમુખ બનાવવામાં આવ્યા હતા.આ પછી , વિદ્યાર્થીનેતા યુવરાજસિંહ જાડેજા દ્વારા આકાશ પટેલની નિમણુંકને લઇને સવાલો ઉઠાવવામાં આવ્યા છે. હવે આકાશ પટેલને બીજેપીએ યુવા મોરચાના પ્રમુખના પદેથી દૂર કરી દીધા છે.

ભાવનગરમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિને લઇને એક ખુબ ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં થોડાક દિવસો પહેલા , ઘોઘા તાલુકાના વાળુકડ ગામે લાલા રબારી નામના યુવકનો નિર્દયતા પૂર્વક જીવ લઇ લેવામાં આવ્યો હતો. આ પછી , ઘટનાના ફૂટેજ સોશ્યિલ મીડિયામાં ખુબ વાઇરલ થયા હતા. જેનાથી સમગ્ર પંથકમાં ભય અને અરેરાટીનો માહોલ જામી ગયો હતો. હવે પોલીસ દ્વારા આ ઘટનામાં ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. તેમને વાળુકડ ગામ ખાતે પંચનામું કરવા માટે લાવવામાં આવ્યા છે. જ્યાં તેમનું સરઘસ પણ કાઢવામાં આવ્યું છે.

રાજકોટમાં આવેલી આજી નદી પર રિવરફ્રન્ટ બનાવવાનો રસ્તો હવે સાફ થઇ ચુક્યો છે. કેમ કે , જંગલેશ્વર વિસ્તારમાં અંદાજે ૪૦૦ કરોડ રૂપિયાની કિંમતની સરકારી જમીન પર ખડકાયેલા ૧૩૫૮ જેટલા મકાનોને દૂર કરવામાં આવશે. આ માટે ગુજરાતના મહેસુલી પંચ દ્વારા સ્થાનિક દબાણકારોની અપીલને રદ કરતો ચુકાદો આપી દેવામાં આવ્યો છે. આ ચુકાદા પછી , ટૂંક સમયમાં જ જંગલેશ્વરમાં ફરી એકવાર ડિમોલિશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

" આજે ઈરાન માટે ખુબ મોટો દિવસ છે કેમ કે , ઈરાન પર ખુબ ઘાતક હુમલો કરવામાં આવ્યો છે. " આ શબ્દો છે , અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ. આ એજ રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પ છે કે જેઓ , અમેરિકામાં રાષ્ટ્રપતિપદની ચૂંટણીઓના પ્રચાર દરમ્યાન , અમેરિકાને કોઈ પણ નવા યુદ્ધમાં ના ઝોંકવાની કસમ ખાતા હતા અને આજે તેઓ , તેમના બીજા કાર્યકાળના શરુ થયે માત્ર ૧૩ મહિનાની અંદર , ઈરાન પર ખુબ ભારે બોમ્બમારો કરાવી રહ્યા છે. આવનારા , સમયમાં અમેરિકા જમીની સ્તરે ઈરાન પર આક્રમણ કરી શકે છે. તો બીજી તરફ , કુવૈતથી ખબર આવી છે કે , ઈરાનના હુમલામાં એક ભારતીયએ જીવ ગુમાવ્યો છે. વાત કરીએ , ભારતની તો , પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધ વચ્ચે જે ઉર્જા સંકટ ભારત સામે ઉભું થયું છે તેની સામે કેરોસીનના વેચાણને કેન્દ્ર સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી છે.