Surat : નાના બાળકના હાથમાં થમાઈ દીધું બાઈકનું સ્ટિયરિંગ! વીડિયો થયો વાયરલ, સવાલ થાય કે કોઈ દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ?


  • Published By :
  • Published Date : 2024-05-25 16:08:06

જ્યારે એવું કહેવાય છે કે આજની જનરેશન,આજ કાલના બાળકો બગડી રહ્યા છે, મનમાની કરે છે તેવું કહીએ છીએ ત્યારે તેમાં થોડો વાંક માતા પિતાનો પણ હોય છે તેવું કહીએ તો પણ  અતિશયોક્તિ નથી..! જ્યારે આપણે કહીએ છીએ કે બાળક નિયમોનું ભંગ કરી રહ્યો છે ત્યારે સવાલ થાય કે આવું તો તે આપણામાંથી જ શિખ્યો હશેને..અનેક એવા વીડિયો સામે આવતા હોય છે જેમાં નાના બાળકો વાહન ચલાવતા હોય છે ત્યારે સવાલ થાય કે માતા પિતા શું કામ નાના બાળકોને વાહન ચલાવવા આપી દેતા હશે?. સુરતથી એક વીડિયો સામે આવ્યો છે જેમાં પિતા બાઈક ચલાવવા માટે પોતાના બાળકને આપી દે છે.. 

નાના બાળકના હાથમાં પકડાવી દીધું વાહનનું સ્ટેરિંગ!

અકસ્માતની સંખ્યામાં ધરખમ વધારો થઈ રહ્યો છે.. પ્રતિદિન અકસ્માતના કિસ્સાઓ આપણી સામે આવી રહ્યા છે. અનેક વખત એવા વીડિયો પણ સોશિયલ મીડિયા પર વટ પાડવા માટે મૂકવામાં આવતા હોય છે જે જોખમી હોય છે.. સ્ટંટના અનેક વીડિયો આપણે જોયા છે... રિલ્સના ચક્કરમાં તે લોકો પોતાનો જીવ તો સંકટમાં મૂકે જ છે પરંતુ બીજા લોકોના જીવ પણ સંકટમાં મૂકે છે. સુરતથી એક વીડિયો સામે આવ્યો છે પાંડેસરાનો હોવાનું માનવામમાં આવે છે.. વીડિયો એટલા માટે બતાવવો છે કારણ કે એક પિતાએ જ પોતાના બાળકના હાથમાં બાઇકનું હેન્ડલ આપી દીધું છે અને એ પણ પરવાહ કે ડર વગર! સુરતથી તો અવાર નવાર આવા વીડિયો સામે આવતા રહે છે જેમાં ખુલ્લેઆમ કાયદાનો ભંગ થતો હોય..


જો અકસ્માત સર્જાય તો જવાબદાર કોણ?  

હજુ એક બે મહિના પહેલા જ આવો એક વીડિયો વાયરલ થયો હતો જેમાં ઘરના જ કોઈ વડીલ નાના બાળકના હાથમાં વાહનનું સ્ટીયરિંગ આપતા દેખાય છે. એ વીડિયોમાં દેખાતું હતું કે આ બાળકની પાછળ એક વ્યક્તિ બેઠો છે, અને બાળક તે વાહન ચલાવી રહ્યો છે...! એક નાની ભૂલ એક મોટા અકસ્માતને આમંત્રણ આપી શકે છે. પણ અહીંયા તો યાર ડર કોને છે? જે વીડિયોની વાત થઈ રહી છે તે વીડિયો નાનપુરા વિસ્તારનો હતો એ લોકો સામે આગળ કોઈ કાર્યવાહી થઈ કે નહીં ખબર નથી પણ થઈ પણ હોય તો એવી નથી થઈ જેનાથી લોકોમાં ડર બેસે બાકી આપણે ફરી આવા વીડિયો જોવા મળતા રહેશે... 


કાયદો તોડતા બાળક મોટામાંથી જ શિખતો હોય છે..!

નાના બાળકોના હાથમાં જ્યારે વાહન આપવામાં આવે છે ત્યારે એ વાતની ગંભીરતા નથી સમજતા કે જો અકસ્માત સર્જાશે તો શું થશે? નાના બાળકોને જ્યારે આવા વાહનો આપવામાં આવે છે ત્યારે એને તો આની ગંભીરતા નથી ખબર હોતી પરંતુ મોટાઓને તો આની ગંભીરતા ખબર હોય છે..  બાળક જીદ કરે તો એને ચોકલેટ અપાય બાઇક નહીં પછી આજ બાળકો મોટા થઈ કાયદો અને વ્યવસ્થા ભૂલીને બેફામ બને અકસ્માતો કરે અને આપણે જ બૂમો પાડીએ કે આ લોકોના માં બાપ શું કરે છે? ભગવાને જીવન આપ્યું છે તો એનું મૂલ્ય સમજો અને પોતાનો અને બીજાનો જીવ જોખમમાં ન નાખો.. આ લોકો સામે પોલીસ કંઈ કડક એક્શન લે એ આશા...



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.