Surat : નાના બાળકના હાથમાં થમાઈ દીધું બાઈકનું સ્ટિયરિંગ! વીડિયો થયો વાયરલ, સવાલ થાય કે કોઈ દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ?


  • Published By :
  • Published Date : 2024-05-25 16:08:06

જ્યારે એવું કહેવાય છે કે આજની જનરેશન,આજ કાલના બાળકો બગડી રહ્યા છે, મનમાની કરે છે તેવું કહીએ છીએ ત્યારે તેમાં થોડો વાંક માતા પિતાનો પણ હોય છે તેવું કહીએ તો પણ  અતિશયોક્તિ નથી..! જ્યારે આપણે કહીએ છીએ કે બાળક નિયમોનું ભંગ કરી રહ્યો છે ત્યારે સવાલ થાય કે આવું તો તે આપણામાંથી જ શિખ્યો હશેને..અનેક એવા વીડિયો સામે આવતા હોય છે જેમાં નાના બાળકો વાહન ચલાવતા હોય છે ત્યારે સવાલ થાય કે માતા પિતા શું કામ નાના બાળકોને વાહન ચલાવવા આપી દેતા હશે?. સુરતથી એક વીડિયો સામે આવ્યો છે જેમાં પિતા બાઈક ચલાવવા માટે પોતાના બાળકને આપી દે છે.. 

નાના બાળકના હાથમાં પકડાવી દીધું વાહનનું સ્ટેરિંગ!

અકસ્માતની સંખ્યામાં ધરખમ વધારો થઈ રહ્યો છે.. પ્રતિદિન અકસ્માતના કિસ્સાઓ આપણી સામે આવી રહ્યા છે. અનેક વખત એવા વીડિયો પણ સોશિયલ મીડિયા પર વટ પાડવા માટે મૂકવામાં આવતા હોય છે જે જોખમી હોય છે.. સ્ટંટના અનેક વીડિયો આપણે જોયા છે... રિલ્સના ચક્કરમાં તે લોકો પોતાનો જીવ તો સંકટમાં મૂકે જ છે પરંતુ બીજા લોકોના જીવ પણ સંકટમાં મૂકે છે. સુરતથી એક વીડિયો સામે આવ્યો છે પાંડેસરાનો હોવાનું માનવામમાં આવે છે.. વીડિયો એટલા માટે બતાવવો છે કારણ કે એક પિતાએ જ પોતાના બાળકના હાથમાં બાઇકનું હેન્ડલ આપી દીધું છે અને એ પણ પરવાહ કે ડર વગર! સુરતથી તો અવાર નવાર આવા વીડિયો સામે આવતા રહે છે જેમાં ખુલ્લેઆમ કાયદાનો ભંગ થતો હોય..


જો અકસ્માત સર્જાય તો જવાબદાર કોણ?  

હજુ એક બે મહિના પહેલા જ આવો એક વીડિયો વાયરલ થયો હતો જેમાં ઘરના જ કોઈ વડીલ નાના બાળકના હાથમાં વાહનનું સ્ટીયરિંગ આપતા દેખાય છે. એ વીડિયોમાં દેખાતું હતું કે આ બાળકની પાછળ એક વ્યક્તિ બેઠો છે, અને બાળક તે વાહન ચલાવી રહ્યો છે...! એક નાની ભૂલ એક મોટા અકસ્માતને આમંત્રણ આપી શકે છે. પણ અહીંયા તો યાર ડર કોને છે? જે વીડિયોની વાત થઈ રહી છે તે વીડિયો નાનપુરા વિસ્તારનો હતો એ લોકો સામે આગળ કોઈ કાર્યવાહી થઈ કે નહીં ખબર નથી પણ થઈ પણ હોય તો એવી નથી થઈ જેનાથી લોકોમાં ડર બેસે બાકી આપણે ફરી આવા વીડિયો જોવા મળતા રહેશે... 


કાયદો તોડતા બાળક મોટામાંથી જ શિખતો હોય છે..!

નાના બાળકોના હાથમાં જ્યારે વાહન આપવામાં આવે છે ત્યારે એ વાતની ગંભીરતા નથી સમજતા કે જો અકસ્માત સર્જાશે તો શું થશે? નાના બાળકોને જ્યારે આવા વાહનો આપવામાં આવે છે ત્યારે એને તો આની ગંભીરતા નથી ખબર હોતી પરંતુ મોટાઓને તો આની ગંભીરતા ખબર હોય છે..  બાળક જીદ કરે તો એને ચોકલેટ અપાય બાઇક નહીં પછી આજ બાળકો મોટા થઈ કાયદો અને વ્યવસ્થા ભૂલીને બેફામ બને અકસ્માતો કરે અને આપણે જ બૂમો પાડીએ કે આ લોકોના માં બાપ શું કરે છે? ભગવાને જીવન આપ્યું છે તો એનું મૂલ્ય સમજો અને પોતાનો અને બીજાનો જીવ જોખમમાં ન નાખો.. આ લોકો સામે પોલીસ કંઈ કડક એક્શન લે એ આશા...



હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.

ભારત તરફથી , અમેરિકા સાથે વ્યાપારી કરારોની ચર્ચા કરવા માટે , એક પ્રતિનિધિમંડળ અમેરિકા પહોંચી ચૂક્યું છે. ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારી કરારો માટેની ડેડલાઈન ૯ મી જુલાઈ રાખવામાં આવી છે. તો હવે આ બાબતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસમાં નિવેદન આપ્યું છે કે , ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક "મોટો" વેપાર સોદો થવા જઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પએ આ નિવેદન વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત "બિગ બ્યુટીફૂલ બિલ" કાર્યક્રમમાં આપ્યું છે .

આમ આદમી પાર્ટીમાં એક નવો વિવાદનો વંટોળ ઉભો થયો છે. અને આ વિવાદનો વંટોળ કેમ ઉભો થયો છે તો , બોટાદના MLA ઉમેશ મકવાણા પ્રેસ કોન્ફરન્સ કરીને વિધાનસભાના દંડકપદેથી અને રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરીના પદેથી રાજીનામુ આપે છે . તો હવે આ મામલે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની ટ્વીટ સામે આવી છે જેમાં તેમણે લખ્યું છે કે બોટાદના MLA ઉમેશ મકવાણાને પાર્ટી વિરોધી ગતિવિધિઓ હાથ ધરવા માટે પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે.

હમણાં થોડાક સમય પેહલા જ વિસાવદર બેઠક માટે પેટાચૂંટણી સંપન્ન થઈ છે. આ પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાનો 17,554 મતોથી વિજય થયો છે . તો સામે ભાજપના કિરીટ પટેલ અને કોંગ્રેસના નીતિન રાણપરીયાની હાર થઈ છે. આમ તો દેશના કોઈ પણ ખૂણામાં યોજાતી , પેટાચૂંટણી એ જનતાના આંશિક અંદાજ અને મિજાજનો પરિચય આપે છે. તે સંપૂર્ણપણે જનતાના મિજાજનો બેરોમીટર નથી. પરંતુ , વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીએ એક નરેટિવ ખુબ જ મજબૂત કર્યો છે કે , ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને માત્ર ને માત્ર આમ આદમી પાર્ટી જ ટક્કર આપી શકે છે. કોંગ્રેસની જે હાલત થઈ છે તેના લીધે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કોંગ્રેસ હાઇકમાન્ડને રાજીનામુ ધરી દીધુ છે.