વધુ એક યુવકનું ક્રિકેટ મેચ દરમિયાન હાર્ટ એટેકથી મોત, સુરતના નરથાણ ગામે નિમેષ આહિરના મૃત્યુથી શોકનો માહોલ


  • Published By :
  • Published Date : 2023-03-05 19:18:14

રાજ્યમાં કોરોના કાળ બાદ યુવાનોમાં હાર્ટ એટેકથી થતા મોતનું પ્રમાણ વધ્યું છે. તેમાં પણ કેટલાક યુવાનો તો ક્રિકેટ કે ફુટબોલ જેવી રમતો રમવા દરમિયાન જ મોતને ભેટી રહ્યા છે. જેમ કે આજે વધુ એક યુવાનનું ક્રિકેટ રમતી વખતે વધુ મોત થયું છે. સુરતના ઓલપાડના નરથાણ ગામે નિમેષ આહિર નામનો યુવક ક્રિકેટ રમતી વખતે જ્યારે ફિલ્ડિંગ કરતો હતો તે દરમિયાન બેભાન થઈ ગયો હતો જો કે બાદમાં તેનું મોત નિપજ્યું હતું. હાલમાં યુવકના મૃતદેહને પીએમ અર્થે સુરત સિવિલ ખસેડાયો છે. યુવકના મોત બાદ નરથાણા ગામ અને આહિર સમાજમાં શોકની લાગણી ફેલાઈ છે. અત્રે ઉલ્લેખનિય છે કે રાજ્યના વિવિધ શહેરોમાં અગાઉ પણ નવયુવાનો મોતને ભેટ્યા છે. 


સુરત


રાજ્યમાં ક્રિકેટ મેચ દરમિયાન યુવકો મોતને ભેટી રહ્યા છે, તે ચિંતાજનક બાબત છે જેમ કે સુરતની આ ઘટના પહેલા પણ રાજ્યમાં પાંચ યુવાનોના મોત થઈ ચુક્યા છે. સુરતના શેખપુર ગામના કિશન પટેલ નામના યુવકનું ક્રિકેટ રમતા રમતા મોત નીપજ્યું હતું.


સુરતમાં જ ક્રિકેટ રમતી વખતે વરાછાના યુવકનું હાર્ટ એટેકના કારણે મોત થયુ હતું. 27 વર્ષિય પ્રશાંત ભરોલીયાને છાતીમાં દુઃખાવો ઉપડ્તા તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, હોસ્પિટલમાં ટૂંકી સારવાર બાદ 27 વર્ષિય યુવકનું મોત થયુ હતું. 


રાજકોટ


રાજકોટમાં પણ બે યુવકોના મોત નિપજ્યા હતા. શહેરની બે અલગ-અલગ ઘટનામાં ક્રિકેટ અને ફૂટબોલ રમતાં બે યુવકોનું હાર્ટઍટેકના કારણે મોત થયા હતા. એક ઘટનામાં રવિ વાગડે નામના યુવકને રાજકોટના રેસક્રોસ મેદાનમાં ક્રિકેટ રમતી વખતે બોલ છાતીના ભાગે વાગ્યો હતો. ભરત બારૈયા નામનો યુવાન પણ ક્રિકેટ રમ્યા બાદ મોતને ભેટ્યો હતો. તે જ પ્રમાણે જીગ્નેશ ચોહાણ નામના યુવાનને ક્રિકેટ રમ્યા સમયે હાર્ટ એટેક આવ્યો બાદમાં  તેનું પણ મોત નિપજ્યું હતું.


અમદાવાદ


અમદાવાદનો વસંત રાઠોડ નામનો એક યુવક ક્રિકેટ મેચ રમી રહ્યો હતો આ દરમિયાન તેને હાર્ટ એટેક આવ્યો હતો. જેના કારણે મેદાનમાં જ તેનું મોત નીપજ્યું હતું.



હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.

ભારત તરફથી , અમેરિકા સાથે વ્યાપારી કરારોની ચર્ચા કરવા માટે , એક પ્રતિનિધિમંડળ અમેરિકા પહોંચી ચૂક્યું છે. ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારી કરારો માટેની ડેડલાઈન ૯ મી જુલાઈ રાખવામાં આવી છે. તો હવે આ બાબતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસમાં નિવેદન આપ્યું છે કે , ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક "મોટો" વેપાર સોદો થવા જઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પએ આ નિવેદન વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત "બિગ બ્યુટીફૂલ બિલ" કાર્યક્રમમાં આપ્યું છે .

આમ આદમી પાર્ટીમાં એક નવો વિવાદનો વંટોળ ઉભો થયો છે. અને આ વિવાદનો વંટોળ કેમ ઉભો થયો છે તો , બોટાદના MLA ઉમેશ મકવાણા પ્રેસ કોન્ફરન્સ કરીને વિધાનસભાના દંડકપદેથી અને રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરીના પદેથી રાજીનામુ આપે છે . તો હવે આ મામલે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની ટ્વીટ સામે આવી છે જેમાં તેમણે લખ્યું છે કે બોટાદના MLA ઉમેશ મકવાણાને પાર્ટી વિરોધી ગતિવિધિઓ હાથ ધરવા માટે પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે.

હમણાં થોડાક સમય પેહલા જ વિસાવદર બેઠક માટે પેટાચૂંટણી સંપન્ન થઈ છે. આ પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાનો 17,554 મતોથી વિજય થયો છે . તો સામે ભાજપના કિરીટ પટેલ અને કોંગ્રેસના નીતિન રાણપરીયાની હાર થઈ છે. આમ તો દેશના કોઈ પણ ખૂણામાં યોજાતી , પેટાચૂંટણી એ જનતાના આંશિક અંદાજ અને મિજાજનો પરિચય આપે છે. તે સંપૂર્ણપણે જનતાના મિજાજનો બેરોમીટર નથી. પરંતુ , વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીએ એક નરેટિવ ખુબ જ મજબૂત કર્યો છે કે , ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને માત્ર ને માત્ર આમ આદમી પાર્ટી જ ટક્કર આપી શકે છે. કોંગ્રેસની જે હાલત થઈ છે તેના લીધે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કોંગ્રેસ હાઇકમાન્ડને રાજીનામુ ધરી દીધુ છે.