વધુ એક યુવકનું ક્રિકેટ મેચ દરમિયાન હાર્ટ એટેકથી મોત, સુરતના નરથાણ ગામે નિમેષ આહિરના મૃત્યુથી શોકનો માહોલ


  • Published By :
  • Published Date : 2023-03-05 19:18:14

રાજ્યમાં કોરોના કાળ બાદ યુવાનોમાં હાર્ટ એટેકથી થતા મોતનું પ્રમાણ વધ્યું છે. તેમાં પણ કેટલાક યુવાનો તો ક્રિકેટ કે ફુટબોલ જેવી રમતો રમવા દરમિયાન જ મોતને ભેટી રહ્યા છે. જેમ કે આજે વધુ એક યુવાનનું ક્રિકેટ રમતી વખતે વધુ મોત થયું છે. સુરતના ઓલપાડના નરથાણ ગામે નિમેષ આહિર નામનો યુવક ક્રિકેટ રમતી વખતે જ્યારે ફિલ્ડિંગ કરતો હતો તે દરમિયાન બેભાન થઈ ગયો હતો જો કે બાદમાં તેનું મોત નિપજ્યું હતું. હાલમાં યુવકના મૃતદેહને પીએમ અર્થે સુરત સિવિલ ખસેડાયો છે. યુવકના મોત બાદ નરથાણા ગામ અને આહિર સમાજમાં શોકની લાગણી ફેલાઈ છે. અત્રે ઉલ્લેખનિય છે કે રાજ્યના વિવિધ શહેરોમાં અગાઉ પણ નવયુવાનો મોતને ભેટ્યા છે. 


સુરત


રાજ્યમાં ક્રિકેટ મેચ દરમિયાન યુવકો મોતને ભેટી રહ્યા છે, તે ચિંતાજનક બાબત છે જેમ કે સુરતની આ ઘટના પહેલા પણ રાજ્યમાં પાંચ યુવાનોના મોત થઈ ચુક્યા છે. સુરતના શેખપુર ગામના કિશન પટેલ નામના યુવકનું ક્રિકેટ રમતા રમતા મોત નીપજ્યું હતું.


સુરતમાં જ ક્રિકેટ રમતી વખતે વરાછાના યુવકનું હાર્ટ એટેકના કારણે મોત થયુ હતું. 27 વર્ષિય પ્રશાંત ભરોલીયાને છાતીમાં દુઃખાવો ઉપડ્તા તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, હોસ્પિટલમાં ટૂંકી સારવાર બાદ 27 વર્ષિય યુવકનું મોત થયુ હતું. 


રાજકોટ


રાજકોટમાં પણ બે યુવકોના મોત નિપજ્યા હતા. શહેરની બે અલગ-અલગ ઘટનામાં ક્રિકેટ અને ફૂટબોલ રમતાં બે યુવકોનું હાર્ટઍટેકના કારણે મોત થયા હતા. એક ઘટનામાં રવિ વાગડે નામના યુવકને રાજકોટના રેસક્રોસ મેદાનમાં ક્રિકેટ રમતી વખતે બોલ છાતીના ભાગે વાગ્યો હતો. ભરત બારૈયા નામનો યુવાન પણ ક્રિકેટ રમ્યા બાદ મોતને ભેટ્યો હતો. તે જ પ્રમાણે જીગ્નેશ ચોહાણ નામના યુવાનને ક્રિકેટ રમ્યા સમયે હાર્ટ એટેક આવ્યો બાદમાં  તેનું પણ મોત નિપજ્યું હતું.


અમદાવાદ


અમદાવાદનો વસંત રાઠોડ નામનો એક યુવક ક્રિકેટ મેચ રમી રહ્યો હતો આ દરમિયાન તેને હાર્ટ એટેક આવ્યો હતો. જેના કારણે મેદાનમાં જ તેનું મોત નીપજ્યું હતું.



ફૂટબોલ ગેમને પ્રોત્સાહન મળે તે માટે ગુજરાતમાં જીએસએલનું આયોજન કરવામાં આવ્યું છે. આ લીગમાં 6 ટીમો વચ્ચે મુકાબલો થવાનો છે. રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણી દ્વારા ટ્રોફીનું અનાવરણ કરવામાં આવ્યું હતું.

બનાસકાંઠા લોકસભા બેઠક પર ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર તરીકે ગેનીબેન ઠાકોરને ટિકીટ આપવામાં આવી છે. આક્રામક પ્રચાર કરતા ગેનીબેન દેખાય છે ત્યારે પોલીસને લઈ તેણે ફરી એક વાર નિવેદન આપ્યું છે.

રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની રચના આજે પ્રસ્તુત કરવી છે સાહિત્યના સમીપમાં.. આ રચનામાં મેઘાણી સાહેબે બાળકોની વાત કરી છે જમાવા માટે વલખાં મારવા મજબૂર છે..

ગુજરાતમાં એક તરફ પરષોત્તમ રૂપાલા અને ક્ષત્રિય સમાજ વચ્ચે ચાલતો વિવાદ છે તો બીજી તરફ કિરીટ પટેલ દ્વારા વિવાદાસ્પદ નિવેદન આપવામાં આવ્યું જે આગમાં ઘી હોમવાનું કામ કરી શકે છે..