વધુ એક યુવકનું ક્રિકેટ મેચ દરમિયાન હાર્ટ એટેકથી મોત, સુરતના નરથાણ ગામે નિમેષ આહિરના મૃત્યુથી શોકનો માહોલ


  • Published By :
  • Published Date : 2023-03-05 19:18:14

રાજ્યમાં કોરોના કાળ બાદ યુવાનોમાં હાર્ટ એટેકથી થતા મોતનું પ્રમાણ વધ્યું છે. તેમાં પણ કેટલાક યુવાનો તો ક્રિકેટ કે ફુટબોલ જેવી રમતો રમવા દરમિયાન જ મોતને ભેટી રહ્યા છે. જેમ કે આજે વધુ એક યુવાનનું ક્રિકેટ રમતી વખતે વધુ મોત થયું છે. સુરતના ઓલપાડના નરથાણ ગામે નિમેષ આહિર નામનો યુવક ક્રિકેટ રમતી વખતે જ્યારે ફિલ્ડિંગ કરતો હતો તે દરમિયાન બેભાન થઈ ગયો હતો જો કે બાદમાં તેનું મોત નિપજ્યું હતું. હાલમાં યુવકના મૃતદેહને પીએમ અર્થે સુરત સિવિલ ખસેડાયો છે. યુવકના મોત બાદ નરથાણા ગામ અને આહિર સમાજમાં શોકની લાગણી ફેલાઈ છે. અત્રે ઉલ્લેખનિય છે કે રાજ્યના વિવિધ શહેરોમાં અગાઉ પણ નવયુવાનો મોતને ભેટ્યા છે. 


સુરત


રાજ્યમાં ક્રિકેટ મેચ દરમિયાન યુવકો મોતને ભેટી રહ્યા છે, તે ચિંતાજનક બાબત છે જેમ કે સુરતની આ ઘટના પહેલા પણ રાજ્યમાં પાંચ યુવાનોના મોત થઈ ચુક્યા છે. સુરતના શેખપુર ગામના કિશન પટેલ નામના યુવકનું ક્રિકેટ રમતા રમતા મોત નીપજ્યું હતું.


સુરતમાં જ ક્રિકેટ રમતી વખતે વરાછાના યુવકનું હાર્ટ એટેકના કારણે મોત થયુ હતું. 27 વર્ષિય પ્રશાંત ભરોલીયાને છાતીમાં દુઃખાવો ઉપડ્તા તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, હોસ્પિટલમાં ટૂંકી સારવાર બાદ 27 વર્ષિય યુવકનું મોત થયુ હતું. 


રાજકોટ


રાજકોટમાં પણ બે યુવકોના મોત નિપજ્યા હતા. શહેરની બે અલગ-અલગ ઘટનામાં ક્રિકેટ અને ફૂટબોલ રમતાં બે યુવકોનું હાર્ટઍટેકના કારણે મોત થયા હતા. એક ઘટનામાં રવિ વાગડે નામના યુવકને રાજકોટના રેસક્રોસ મેદાનમાં ક્રિકેટ રમતી વખતે બોલ છાતીના ભાગે વાગ્યો હતો. ભરત બારૈયા નામનો યુવાન પણ ક્રિકેટ રમ્યા બાદ મોતને ભેટ્યો હતો. તે જ પ્રમાણે જીગ્નેશ ચોહાણ નામના યુવાનને ક્રિકેટ રમ્યા સમયે હાર્ટ એટેક આવ્યો બાદમાં  તેનું પણ મોત નિપજ્યું હતું.


અમદાવાદ


અમદાવાદનો વસંત રાઠોડ નામનો એક યુવક ક્રિકેટ મેચ રમી રહ્યો હતો આ દરમિયાન તેને હાર્ટ એટેક આવ્યો હતો. જેના કારણે મેદાનમાં જ તેનું મોત નીપજ્યું હતું.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.