વધુ એક યુવકનું ક્રિકેટ મેચ દરમિયાન હાર્ટ એટેકથી મોત, સુરતના નરથાણ ગામે નિમેષ આહિરના મૃત્યુથી શોકનો માહોલ


  • Published By :
  • Published Date : 2023-03-05 19:18:14

રાજ્યમાં કોરોના કાળ બાદ યુવાનોમાં હાર્ટ એટેકથી થતા મોતનું પ્રમાણ વધ્યું છે. તેમાં પણ કેટલાક યુવાનો તો ક્રિકેટ કે ફુટબોલ જેવી રમતો રમવા દરમિયાન જ મોતને ભેટી રહ્યા છે. જેમ કે આજે વધુ એક યુવાનનું ક્રિકેટ રમતી વખતે વધુ મોત થયું છે. સુરતના ઓલપાડના નરથાણ ગામે નિમેષ આહિર નામનો યુવક ક્રિકેટ રમતી વખતે જ્યારે ફિલ્ડિંગ કરતો હતો તે દરમિયાન બેભાન થઈ ગયો હતો જો કે બાદમાં તેનું મોત નિપજ્યું હતું. હાલમાં યુવકના મૃતદેહને પીએમ અર્થે સુરત સિવિલ ખસેડાયો છે. યુવકના મોત બાદ નરથાણા ગામ અને આહિર સમાજમાં શોકની લાગણી ફેલાઈ છે. અત્રે ઉલ્લેખનિય છે કે રાજ્યના વિવિધ શહેરોમાં અગાઉ પણ નવયુવાનો મોતને ભેટ્યા છે. 


સુરત


રાજ્યમાં ક્રિકેટ મેચ દરમિયાન યુવકો મોતને ભેટી રહ્યા છે, તે ચિંતાજનક બાબત છે જેમ કે સુરતની આ ઘટના પહેલા પણ રાજ્યમાં પાંચ યુવાનોના મોત થઈ ચુક્યા છે. સુરતના શેખપુર ગામના કિશન પટેલ નામના યુવકનું ક્રિકેટ રમતા રમતા મોત નીપજ્યું હતું.


સુરતમાં જ ક્રિકેટ રમતી વખતે વરાછાના યુવકનું હાર્ટ એટેકના કારણે મોત થયુ હતું. 27 વર્ષિય પ્રશાંત ભરોલીયાને છાતીમાં દુઃખાવો ઉપડ્તા તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, હોસ્પિટલમાં ટૂંકી સારવાર બાદ 27 વર્ષિય યુવકનું મોત થયુ હતું. 


રાજકોટ


રાજકોટમાં પણ બે યુવકોના મોત નિપજ્યા હતા. શહેરની બે અલગ-અલગ ઘટનામાં ક્રિકેટ અને ફૂટબોલ રમતાં બે યુવકોનું હાર્ટઍટેકના કારણે મોત થયા હતા. એક ઘટનામાં રવિ વાગડે નામના યુવકને રાજકોટના રેસક્રોસ મેદાનમાં ક્રિકેટ રમતી વખતે બોલ છાતીના ભાગે વાગ્યો હતો. ભરત બારૈયા નામનો યુવાન પણ ક્રિકેટ રમ્યા બાદ મોતને ભેટ્યો હતો. તે જ પ્રમાણે જીગ્નેશ ચોહાણ નામના યુવાનને ક્રિકેટ રમ્યા સમયે હાર્ટ એટેક આવ્યો બાદમાં  તેનું પણ મોત નિપજ્યું હતું.


અમદાવાદ


અમદાવાદનો વસંત રાઠોડ નામનો એક યુવક ક્રિકેટ મેચ રમી રહ્યો હતો આ દરમિયાન તેને હાર્ટ એટેક આવ્યો હતો. જેના કારણે મેદાનમાં જ તેનું મોત નીપજ્યું હતું.



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.