સુરેશ રૈનાએ ક્રિકેટમાંથી સન્યાસ લીધો


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-06 13:54:41

ભારતીય ટીમના સ્ટાર ક્રિકેટર સુરેશ રૈનાએ ક્રિકેટના તમામ ફોરમેટમાંથી સન્યાસની જાહેરાત કરી દીધી છે. અગાઉ ધોનીના સન્યાસ બાદ 15 ઓગસ્ટ 2020ના રોજ સુરેશ રૈનાએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ ફોરમેટમાંથી નિવૃતિ લીધી હતી. પરંતુ આજે સુરેશ રૈનાએ તમામ ક્રિકેટ ફોરમેટમાંથી સન્યાસ લેવાની જાહેરાત કરી દીધી છે. 


સુરેશ રૈનાએ સોશિયલ મીડિયામાં સન્યાસની માહિતી ફેન્સને આપી હતી. આંતરાષ્ટ્રીય ફોરમેટમાંથી સન્યાસ બાદ સુરેશ રૈના ઉત્તર પ્રદેશ અને IPLમાં ક્રિકેટ રમતા હતા. સુરેશ રૈના IPL 2022માં કોઈ ફ્રેન્ચાઈઝી માટે ક્રિકેટ નહોતા રમ્યા. 


ટ્વીટર પર ફેન્સને સંન્યાસની જાણકારી આપી

સુરેશ રૈનાએ ટ્વીટ કરીને લખ્યું હતું કે, "દેશ અને ઉત્તરપ્રદેશ રાજ્ય માટે ક્રિકેટ રમવું મારા માટે ગર્વની વાત હતી. હું હવે ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી સંન્યાસ લઈ રહ્યો છું. સાથે જ હું બીસીસીઆઈ, યૂપી ક્રિકેટ એસોસિયેશન અને આઈપીએલ ટીમ CSK અને રાજીવ શુક્લાનો આભાર માનું છું. મને સપોર્ટ કરવા બદલ મારા ફેન્સનો ખૂબ ખૂબ આભાર." 


સુરેશ રૈનાની ક્રિકેટ સફર

35 વર્ષીય લેફ્ટ હેન્ડેડ બેટ્સમેન સુરેશ રૈનાએ 2002માં અંડર 19માં ડોમેસ્ટિક મેચ રમવાનું શરૂ કર્યું હતું. 2003માં સુરેશ રૈનાએ રણજી ટ્રોફીમાં ડેબ્યૂ કર્યું હતું. IPL 2010માં રૈનાને બેસ્ડ ફિલ્ડરનો એવોર્ડ મળ્યો હતો. વર્ષ 2010માં સુરેશ રૈનાએ ઈન્ટરનેશનલ ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું. 2011 ક્રિકેટ વર્લ્ડ કપમાં પણ સુરેશ રૈનાએ બેટિંગ અને ફિલ્ડિંગથી પોતાનું નામ ચમકાવ્યું હતું. ફેન્સના જણાવ્યા મુજબ સુરેશ રૈના સારા બેટ્સમેન, સ્પિનર અને ફિલ્ડર હતા. 




જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.