સુરેશ રૈનાએ ક્રિકેટમાંથી સન્યાસ લીધો


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-06 13:54:41

ભારતીય ટીમના સ્ટાર ક્રિકેટર સુરેશ રૈનાએ ક્રિકેટના તમામ ફોરમેટમાંથી સન્યાસની જાહેરાત કરી દીધી છે. અગાઉ ધોનીના સન્યાસ બાદ 15 ઓગસ્ટ 2020ના રોજ સુરેશ રૈનાએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ ફોરમેટમાંથી નિવૃતિ લીધી હતી. પરંતુ આજે સુરેશ રૈનાએ તમામ ક્રિકેટ ફોરમેટમાંથી સન્યાસ લેવાની જાહેરાત કરી દીધી છે. 


સુરેશ રૈનાએ સોશિયલ મીડિયામાં સન્યાસની માહિતી ફેન્સને આપી હતી. આંતરાષ્ટ્રીય ફોરમેટમાંથી સન્યાસ બાદ સુરેશ રૈના ઉત્તર પ્રદેશ અને IPLમાં ક્રિકેટ રમતા હતા. સુરેશ રૈના IPL 2022માં કોઈ ફ્રેન્ચાઈઝી માટે ક્રિકેટ નહોતા રમ્યા. 


ટ્વીટર પર ફેન્સને સંન્યાસની જાણકારી આપી

સુરેશ રૈનાએ ટ્વીટ કરીને લખ્યું હતું કે, "દેશ અને ઉત્તરપ્રદેશ રાજ્ય માટે ક્રિકેટ રમવું મારા માટે ગર્વની વાત હતી. હું હવે ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી સંન્યાસ લઈ રહ્યો છું. સાથે જ હું બીસીસીઆઈ, યૂપી ક્રિકેટ એસોસિયેશન અને આઈપીએલ ટીમ CSK અને રાજીવ શુક્લાનો આભાર માનું છું. મને સપોર્ટ કરવા બદલ મારા ફેન્સનો ખૂબ ખૂબ આભાર." 


સુરેશ રૈનાની ક્રિકેટ સફર

35 વર્ષીય લેફ્ટ હેન્ડેડ બેટ્સમેન સુરેશ રૈનાએ 2002માં અંડર 19માં ડોમેસ્ટિક મેચ રમવાનું શરૂ કર્યું હતું. 2003માં સુરેશ રૈનાએ રણજી ટ્રોફીમાં ડેબ્યૂ કર્યું હતું. IPL 2010માં રૈનાને બેસ્ડ ફિલ્ડરનો એવોર્ડ મળ્યો હતો. વર્ષ 2010માં સુરેશ રૈનાએ ઈન્ટરનેશનલ ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું. 2011 ક્રિકેટ વર્લ્ડ કપમાં પણ સુરેશ રૈનાએ બેટિંગ અને ફિલ્ડિંગથી પોતાનું નામ ચમકાવ્યું હતું. ફેન્સના જણાવ્યા મુજબ સુરેશ રૈના સારા બેટ્સમેન, સ્પિનર અને ફિલ્ડર હતા. 




ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે

લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. સૌ પ્રથમ તેમણે રાજધાની શ્રીનગરના આર્મી હોસ્પિટલની મુલાકાત લીધી છે. આ ઉપરાંત તેમણે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહની અને LG મનોજ સિંહની પણ મુલાકાત લીધી છે .