સુશાંતસિંહ રાજપુતની આજે ત્રીજી પુણ્યતિથિ! સોશિયલ મીડિયા પર બહેને અને રિયા ચક્રવતીએ શેર કરી ઈમોશનલ પોસ્ટ!


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-06-14 16:04:33

બોલિવુડ ઈન્ડસ્ટ્રીમાં પોતાની આગવી ઓળખ ઉભી કરનાર સુશાંતસિંહ રાજપુતે 14 જૂન 2020ના રોજ દુનિયાને અલવિદા કહી દીધું હતું. બાંદ્રામાં તેમના ફ્લેટમાંથી ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવી હતી. આ સમાચાર સાંભળતા સુશાંતરાજપુતના ફેન્સ પર જાણે આભ તૂટી પડ્યું હોય તેવી રીતે દુખ આવી પડ્યું હતું. કાઈ પો ચેથી બોલિવુડમાં ડેબ્યુ કર્યું હતું જે બાદ ચાહકોના દિલમાં તેમણી અલગ છાપ ઉભી થઈ હતી. આત્મહત્યાનું સાંભળી સુશાંતસિંહ રાજપુતના ફેન્સે આ વાતનો સ્વીકાર ન કર્યો હતો. મોત અંગેની તપાસ સીબીઆઈ અને એનસીબીને સોંપવામાં આવી હતી. આજે સુશાંતસિંહ રાજપુતની પુણ્યતિથિ છે. ત્યારે અભિનેતાને તેમની બહેન, રિયા ચક્રવતી તેમજ અનેક ફેન્સે તેમને યાદ કર્યા છે.


સુશાંતસિંહની બહેને શેર કરી ઈમોશનલ પોસ્ટ!

સુશાંત સિંહ રાજપુતની આજે ત્રીજી પુણ્યતિથિ છે. તેમની પુણ્યતિથિ પર અનેક લોકોએ તેમને યાદ કર્યા હતા. અભિનેતાને યાદ કરી અમેરિકામાં રહેતી તેમની બહેને ઈમોશનલ પોસ્ટ શેર કરી છે. સોશિયલ મીડિયા પર શ્વેતા શાહે સુશાંત સિંહ રાજપૂતને યાદ કરી કહ્યું કે તેને સુશાંત માટે ડેથ એનિવર્સરી શબ્દનો ઉપયોગ કરવાનું પસંદ નથી. તે હંમેશા તેની આસપાસ તેના ભાઈને અનુભવે છે. પોતાની પોસ્ટમાં શ્વેતાએ અનેક તસવીરો પણ શેર કરી હતી જેને સુશાંતે વાંચવાનું સૂચન કર્યું હતું. તે સિવાય ઈન્સ્ટાગ્રામમાં તેમણે વીડિયો શેર કર્યો હતો અને કેપ્શનમાં લખ્યું હતું કે લવ યુ ભાઈ અને તમારા દિમાગને સલામ. હું તમને દરેક ક્ષણે યાદ કરૂં છું. પરંતુ હું જાણું છું કે તમે મારો જ એક ભાગ છો. 



રિયા ચક્રવતીએ વીડિયો પોસ્ટ કરી સુશાંતને કર્યા યાદ!

તે સિવાય સુશાંતસિંહ રાજપુતની એક્સ ગર્લફ્રેન્ડ પણ તેમની સુશાંતની યાદમાં એક વીડિયો પોસ્ટ કર્યો છે. સુશાંત-રિયા એકબીજા સાથે ખૂબ જ રોમેન્ટિક અંદાજમાં વીડિયોમાં દેખાઈ રહ્યા છે. જે વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો છે તેના બેકગ્રાઉન્ડમાં અંગ્રેજી ગીત- 'કાશ તુમ યહાં હોતે' વાગી રહ્યું છે. અનેક લોકો આ વીડિયોને પસંદ કરી રહ્યા છે તો અનેક લોકો ટ્રોલ કરી રહ્યા છે.  



માતા પિતા આપણે પંસદ નથી કરી શકતા પરંતુ આપણા મિત્ર કોણ હશે તે આપણે જાતે પસંદ કરીએ છીએ... મિત્રો આપણને જીવન જીવવાનું શિખવાડે છે... મિત્રતાના અનેક ઉદારણો આપણી સામે છે.. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે મિત્રને સમર્પિત રચના.

લોકસભા ચૂંટણીમાં ન માત્ર બેઠકો ચર્ચમાં રહી પરંતુ અનેક એવા શબ્દો પણ તમે પ્રચાર દરમિયાન સાંભળ્યો હશે... અનેક શબ્દો એવા છે જે વારંવાર સાંભળ્યા મળ્યા છે અને અનેક એવા શબ્દો છે જેને કારણે વિવાદ છેડાઈ ગયો છે.. ત્યારે એવા શબ્દોની વાત કરીએ આજે.

બોમ્બથી ઉડાવવાની ધમકી મળતા તંત્ર દોડતું થઈ ગયું હતું ત્યારે દિલ્હી જેવી ઘટના અમદાવાદમાં બની છે.. અમદાવાદની અનેક શાળાને પણ ઉડાવવાની ધમકી આપવામાં આવી છે ઈમેલના માધ્યમથી..સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાના ધમકીભર્યા ઈમેલ મળ્યા બાદ તંત્ર દ્વારા તપાસની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે..

થોડા દિવસ પહેલા કોળી સમાજને લઈ મંત્રી કનુ દેસાઈએ નિવેદન આપ્યું હતું. જે બાદ કોળી સમાજના લોકોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો હતો. ત્યારે મંત્રીએ કોળી સમાજની માફી માગી છે. જોવું રહ્યું કે શું કોળી સમાજના લોકોનો ગુસ્સો શાંત થશે?