સુશાંતસિંહ રાજપુતની આજે ત્રીજી પુણ્યતિથિ! સોશિયલ મીડિયા પર બહેને અને રિયા ચક્રવતીએ શેર કરી ઈમોશનલ પોસ્ટ!


  • Published By :
  • Published Date : 2023-06-14 16:04:33

બોલિવુડ ઈન્ડસ્ટ્રીમાં પોતાની આગવી ઓળખ ઉભી કરનાર સુશાંતસિંહ રાજપુતે 14 જૂન 2020ના રોજ દુનિયાને અલવિદા કહી દીધું હતું. બાંદ્રામાં તેમના ફ્લેટમાંથી ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવી હતી. આ સમાચાર સાંભળતા સુશાંતરાજપુતના ફેન્સ પર જાણે આભ તૂટી પડ્યું હોય તેવી રીતે દુખ આવી પડ્યું હતું. કાઈ પો ચેથી બોલિવુડમાં ડેબ્યુ કર્યું હતું જે બાદ ચાહકોના દિલમાં તેમણી અલગ છાપ ઉભી થઈ હતી. આત્મહત્યાનું સાંભળી સુશાંતસિંહ રાજપુતના ફેન્સે આ વાતનો સ્વીકાર ન કર્યો હતો. મોત અંગેની તપાસ સીબીઆઈ અને એનસીબીને સોંપવામાં આવી હતી. આજે સુશાંતસિંહ રાજપુતની પુણ્યતિથિ છે. ત્યારે અભિનેતાને તેમની બહેન, રિયા ચક્રવતી તેમજ અનેક ફેન્સે તેમને યાદ કર્યા છે.


સુશાંતસિંહની બહેને શેર કરી ઈમોશનલ પોસ્ટ!

સુશાંત સિંહ રાજપુતની આજે ત્રીજી પુણ્યતિથિ છે. તેમની પુણ્યતિથિ પર અનેક લોકોએ તેમને યાદ કર્યા હતા. અભિનેતાને યાદ કરી અમેરિકામાં રહેતી તેમની બહેને ઈમોશનલ પોસ્ટ શેર કરી છે. સોશિયલ મીડિયા પર શ્વેતા શાહે સુશાંત સિંહ રાજપૂતને યાદ કરી કહ્યું કે તેને સુશાંત માટે ડેથ એનિવર્સરી શબ્દનો ઉપયોગ કરવાનું પસંદ નથી. તે હંમેશા તેની આસપાસ તેના ભાઈને અનુભવે છે. પોતાની પોસ્ટમાં શ્વેતાએ અનેક તસવીરો પણ શેર કરી હતી જેને સુશાંતે વાંચવાનું સૂચન કર્યું હતું. તે સિવાય ઈન્સ્ટાગ્રામમાં તેમણે વીડિયો શેર કર્યો હતો અને કેપ્શનમાં લખ્યું હતું કે લવ યુ ભાઈ અને તમારા દિમાગને સલામ. હું તમને દરેક ક્ષણે યાદ કરૂં છું. પરંતુ હું જાણું છું કે તમે મારો જ એક ભાગ છો. 



રિયા ચક્રવતીએ વીડિયો પોસ્ટ કરી સુશાંતને કર્યા યાદ!

તે સિવાય સુશાંતસિંહ રાજપુતની એક્સ ગર્લફ્રેન્ડ પણ તેમની સુશાંતની યાદમાં એક વીડિયો પોસ્ટ કર્યો છે. સુશાંત-રિયા એકબીજા સાથે ખૂબ જ રોમેન્ટિક અંદાજમાં વીડિયોમાં દેખાઈ રહ્યા છે. જે વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો છે તેના બેકગ્રાઉન્ડમાં અંગ્રેજી ગીત- 'કાશ તુમ યહાં હોતે' વાગી રહ્યું છે. અનેક લોકો આ વીડિયોને પસંદ કરી રહ્યા છે તો અનેક લોકો ટ્રોલ કરી રહ્યા છે.  



જામનગરમાં ભાજપના કોર્પોરેટરના પુત્રની એક દારૂ કૌભાંડમાં ધરપકડ કરવામાં આવી છે. કુલ ૧૯ ગંભીર ગુનાઓ જેની પર લાગેલા છે તેવો રીઢો આરોપી હિતેશ ઉર્ફે વાંગો નરશીભાઇ બાંભણીયા ને ચોટીલાની લાલા રઘુવંશી હોટલ નજીક થી ઝડપી પાડવામાં આવ્યો છે. જેનાથી જામનગરમાં ફરી એકવાર રાજકીય માહોલ ગરમાઈ ગયો છે. આ વાન્ગો બામભણીયા હત્યા અને મારામારીના કેસમાં સંડોવણી ધરાવે છે. વાન્ગો બામભણીયાના માતા મંજુબેન બામભણીયા જામનગર શહેરમાં વોર્ડ નંબર ૧૦માંથી ભાજપમાંથી કોર્પોરેટર છે.

શિસ્ત માટે જાણીતા રાજકોટ રેન્જના IG નિર્લિપ્ત રાય દ્વારા આજે રાજકોટ જિલ્લાના પડધરીમાં એક ખુબ કડક કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં , પડધરીના કેસમાં તાત્કાલિક ધોરણે ૨ PI , PSI અને ASIને સસ્પેન્ડ કરી નાખવામાં આવ્યા છે. પડધરીમાં દુષ્કર્મના કેસમાં આરોપીઓ બે વર્ષથી વધારે સમય માટે ફરાર હતા. ૨ વર્ષ જેટલો લામ્બો સમય થયો હોવા છતાં આરોપીઓને પકડવામાં પોલીસની ઘોર બેદરકારી સામે આવી હતી. આ કારણે , રેન્જ IG નિર્લિપ્ત રાય દ્વારા પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.