સુશાંતસિંહ રાજપુતની આજે ત્રીજી પુણ્યતિથિ! સોશિયલ મીડિયા પર બહેને અને રિયા ચક્રવતીએ શેર કરી ઈમોશનલ પોસ્ટ!


  • Published By :
  • Published Date : 2023-06-14 16:04:33

બોલિવુડ ઈન્ડસ્ટ્રીમાં પોતાની આગવી ઓળખ ઉભી કરનાર સુશાંતસિંહ રાજપુતે 14 જૂન 2020ના રોજ દુનિયાને અલવિદા કહી દીધું હતું. બાંદ્રામાં તેમના ફ્લેટમાંથી ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવી હતી. આ સમાચાર સાંભળતા સુશાંતરાજપુતના ફેન્સ પર જાણે આભ તૂટી પડ્યું હોય તેવી રીતે દુખ આવી પડ્યું હતું. કાઈ પો ચેથી બોલિવુડમાં ડેબ્યુ કર્યું હતું જે બાદ ચાહકોના દિલમાં તેમણી અલગ છાપ ઉભી થઈ હતી. આત્મહત્યાનું સાંભળી સુશાંતસિંહ રાજપુતના ફેન્સે આ વાતનો સ્વીકાર ન કર્યો હતો. મોત અંગેની તપાસ સીબીઆઈ અને એનસીબીને સોંપવામાં આવી હતી. આજે સુશાંતસિંહ રાજપુતની પુણ્યતિથિ છે. ત્યારે અભિનેતાને તેમની બહેન, રિયા ચક્રવતી તેમજ અનેક ફેન્સે તેમને યાદ કર્યા છે.


સુશાંતસિંહની બહેને શેર કરી ઈમોશનલ પોસ્ટ!

સુશાંત સિંહ રાજપુતની આજે ત્રીજી પુણ્યતિથિ છે. તેમની પુણ્યતિથિ પર અનેક લોકોએ તેમને યાદ કર્યા હતા. અભિનેતાને યાદ કરી અમેરિકામાં રહેતી તેમની બહેને ઈમોશનલ પોસ્ટ શેર કરી છે. સોશિયલ મીડિયા પર શ્વેતા શાહે સુશાંત સિંહ રાજપૂતને યાદ કરી કહ્યું કે તેને સુશાંત માટે ડેથ એનિવર્સરી શબ્દનો ઉપયોગ કરવાનું પસંદ નથી. તે હંમેશા તેની આસપાસ તેના ભાઈને અનુભવે છે. પોતાની પોસ્ટમાં શ્વેતાએ અનેક તસવીરો પણ શેર કરી હતી જેને સુશાંતે વાંચવાનું સૂચન કર્યું હતું. તે સિવાય ઈન્સ્ટાગ્રામમાં તેમણે વીડિયો શેર કર્યો હતો અને કેપ્શનમાં લખ્યું હતું કે લવ યુ ભાઈ અને તમારા દિમાગને સલામ. હું તમને દરેક ક્ષણે યાદ કરૂં છું. પરંતુ હું જાણું છું કે તમે મારો જ એક ભાગ છો. 



રિયા ચક્રવતીએ વીડિયો પોસ્ટ કરી સુશાંતને કર્યા યાદ!

તે સિવાય સુશાંતસિંહ રાજપુતની એક્સ ગર્લફ્રેન્ડ પણ તેમની સુશાંતની યાદમાં એક વીડિયો પોસ્ટ કર્યો છે. સુશાંત-રિયા એકબીજા સાથે ખૂબ જ રોમેન્ટિક અંદાજમાં વીડિયોમાં દેખાઈ રહ્યા છે. જે વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો છે તેના બેકગ્રાઉન્ડમાં અંગ્રેજી ગીત- 'કાશ તુમ યહાં હોતે' વાગી રહ્યું છે. અનેક લોકો આ વીડિયોને પસંદ કરી રહ્યા છે તો અનેક લોકો ટ્રોલ કરી રહ્યા છે.  



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.