સુશાંતસિંહ રાજપુતની આજે ત્રીજી પુણ્યતિથિ! સોશિયલ મીડિયા પર બહેને અને રિયા ચક્રવતીએ શેર કરી ઈમોશનલ પોસ્ટ!


  • Published By :
  • Published Date : 2023-06-14 16:04:33

બોલિવુડ ઈન્ડસ્ટ્રીમાં પોતાની આગવી ઓળખ ઉભી કરનાર સુશાંતસિંહ રાજપુતે 14 જૂન 2020ના રોજ દુનિયાને અલવિદા કહી દીધું હતું. બાંદ્રામાં તેમના ફ્લેટમાંથી ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવી હતી. આ સમાચાર સાંભળતા સુશાંતરાજપુતના ફેન્સ પર જાણે આભ તૂટી પડ્યું હોય તેવી રીતે દુખ આવી પડ્યું હતું. કાઈ પો ચેથી બોલિવુડમાં ડેબ્યુ કર્યું હતું જે બાદ ચાહકોના દિલમાં તેમણી અલગ છાપ ઉભી થઈ હતી. આત્મહત્યાનું સાંભળી સુશાંતસિંહ રાજપુતના ફેન્સે આ વાતનો સ્વીકાર ન કર્યો હતો. મોત અંગેની તપાસ સીબીઆઈ અને એનસીબીને સોંપવામાં આવી હતી. આજે સુશાંતસિંહ રાજપુતની પુણ્યતિથિ છે. ત્યારે અભિનેતાને તેમની બહેન, રિયા ચક્રવતી તેમજ અનેક ફેન્સે તેમને યાદ કર્યા છે.


સુશાંતસિંહની બહેને શેર કરી ઈમોશનલ પોસ્ટ!

સુશાંત સિંહ રાજપુતની આજે ત્રીજી પુણ્યતિથિ છે. તેમની પુણ્યતિથિ પર અનેક લોકોએ તેમને યાદ કર્યા હતા. અભિનેતાને યાદ કરી અમેરિકામાં રહેતી તેમની બહેને ઈમોશનલ પોસ્ટ શેર કરી છે. સોશિયલ મીડિયા પર શ્વેતા શાહે સુશાંત સિંહ રાજપૂતને યાદ કરી કહ્યું કે તેને સુશાંત માટે ડેથ એનિવર્સરી શબ્દનો ઉપયોગ કરવાનું પસંદ નથી. તે હંમેશા તેની આસપાસ તેના ભાઈને અનુભવે છે. પોતાની પોસ્ટમાં શ્વેતાએ અનેક તસવીરો પણ શેર કરી હતી જેને સુશાંતે વાંચવાનું સૂચન કર્યું હતું. તે સિવાય ઈન્સ્ટાગ્રામમાં તેમણે વીડિયો શેર કર્યો હતો અને કેપ્શનમાં લખ્યું હતું કે લવ યુ ભાઈ અને તમારા દિમાગને સલામ. હું તમને દરેક ક્ષણે યાદ કરૂં છું. પરંતુ હું જાણું છું કે તમે મારો જ એક ભાગ છો. 



રિયા ચક્રવતીએ વીડિયો પોસ્ટ કરી સુશાંતને કર્યા યાદ!

તે સિવાય સુશાંતસિંહ રાજપુતની એક્સ ગર્લફ્રેન્ડ પણ તેમની સુશાંતની યાદમાં એક વીડિયો પોસ્ટ કર્યો છે. સુશાંત-રિયા એકબીજા સાથે ખૂબ જ રોમેન્ટિક અંદાજમાં વીડિયોમાં દેખાઈ રહ્યા છે. જે વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો છે તેના બેકગ્રાઉન્ડમાં અંગ્રેજી ગીત- 'કાશ તુમ યહાં હોતે' વાગી રહ્યું છે. અનેક લોકો આ વીડિયોને પસંદ કરી રહ્યા છે તો અનેક લોકો ટ્રોલ કરી રહ્યા છે.  



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી