RJDના ટ્વિટ પર સુશીલ મોદીનો પ્રહાર 'નવા સંસદ ભવનને કૉફિન સાથે સરખાવનારાઓ સામે દેશદ્રોહનો કેસ કરો'


  • Published By :
  • Published Date : 2023-05-28 13:30:52

નવા સંસદ ભવનના ઉદઘાટનને લઈને રાજકારણ ગરમાયું છે. તેમાં પણ લાલુ પ્રસાદ યાદવની પાર્ટી રાષ્ટ્રિય જનતાદળ દ્વારા કરવામાં આવેલા વિવાદાસ્પદ ટ્વીટના કારણે દેશદ્રોહની ફરિયાદ દાખલ કરવાની માગ ઉઠી છે. RJDએ કોફિંગની સાથે-સાથે સંસદ ભવનની તસવીર શેર કરી લખ્યું હતું કે આ શું છે? RJD દ્વારા કરવામાં આવેલા ટ્વીટના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે.


દેશદ્રોહનો કેસ કરો-સુશીલ કુમાર મોદી


RJD દ્વારા નવા સંસદ ભવનની તુલના કોફિંગ સાથે કરવાને લઈ ભાજપના નેતા અને બિહારના પૂર્વ ઉપ મુખ્યમંત્રી અને રાજ્ય સભા સાંસદ સુશીલ કુમાર મોદીએ આરજેડી પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે આવા લોકો સામે દેશદ્રોહનો કેસ થવો જોઈએ. સુશીલ કુમાર મોદીએ આ પ્રકારના ટ્વીટને લઈ પૂછ્યું હતું કે શું RJDના સાંસદો લોકસભા ના સાંસદ પદેથી રાજીનામું આપશે?


બિજેપીએ આરજેડીના આ ટ્વીટની ઝાટકણી કાઢી


બિજેપીના અગ્રણી નેતા અને દુષ્યંત ગૌતમે આરજેડીના આ ટ્વીટને શરમજનક ગણાવ્યું હતું. તેમણે કહ્યું ' આ ખુબ જ દુર્ભાગ્યપૂર્ણ છે, આજે તે  સંસદ ભવનની તુલના કોફિંગ સાથે કરી રહ્યા છે, તો શું  તે જુની સંસદની તુલના ઝીરો સાથે કરી રહ્યા હતા? શું આપણે પહેલા શુન્યમાં બેસતા હતા?' 


RJDએ કરી આ સ્પષ્ટતા


કોફિન વિવાદ વધતા RJDએ સ્પષ્ટતા કરી છે, RJDના નેતા શક્તિ સિંહ યાદવે કહ્યું કે લોકશાહીને દફન કરી દેવામાં આવી છે. એટલા માટે અમારા ટ્વીટમાં કોફિન પ્રતિકાત્મક રીતે બતાવવામાં આવ્યું છે. દેશ આ બાબત સ્વિકાર કરશે નહીં. સંસદ, લોકશાહીનું મંદિર હોય છે. આ એવી જગ્યા છે જ્યાં ચર્ચાઓ થાય છે.



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.