RJDના ટ્વિટ પર સુશીલ મોદીનો પ્રહાર 'નવા સંસદ ભવનને કૉફિન સાથે સરખાવનારાઓ સામે દેશદ્રોહનો કેસ કરો'


  • Published By :
  • Published Date : 2023-05-28 13:30:52

નવા સંસદ ભવનના ઉદઘાટનને લઈને રાજકારણ ગરમાયું છે. તેમાં પણ લાલુ પ્રસાદ યાદવની પાર્ટી રાષ્ટ્રિય જનતાદળ દ્વારા કરવામાં આવેલા વિવાદાસ્પદ ટ્વીટના કારણે દેશદ્રોહની ફરિયાદ દાખલ કરવાની માગ ઉઠી છે. RJDએ કોફિંગની સાથે-સાથે સંસદ ભવનની તસવીર શેર કરી લખ્યું હતું કે આ શું છે? RJD દ્વારા કરવામાં આવેલા ટ્વીટના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે.


દેશદ્રોહનો કેસ કરો-સુશીલ કુમાર મોદી


RJD દ્વારા નવા સંસદ ભવનની તુલના કોફિંગ સાથે કરવાને લઈ ભાજપના નેતા અને બિહારના પૂર્વ ઉપ મુખ્યમંત્રી અને રાજ્ય સભા સાંસદ સુશીલ કુમાર મોદીએ આરજેડી પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે આવા લોકો સામે દેશદ્રોહનો કેસ થવો જોઈએ. સુશીલ કુમાર મોદીએ આ પ્રકારના ટ્વીટને લઈ પૂછ્યું હતું કે શું RJDના સાંસદો લોકસભા ના સાંસદ પદેથી રાજીનામું આપશે?


બિજેપીએ આરજેડીના આ ટ્વીટની ઝાટકણી કાઢી


બિજેપીના અગ્રણી નેતા અને દુષ્યંત ગૌતમે આરજેડીના આ ટ્વીટને શરમજનક ગણાવ્યું હતું. તેમણે કહ્યું ' આ ખુબ જ દુર્ભાગ્યપૂર્ણ છે, આજે તે  સંસદ ભવનની તુલના કોફિંગ સાથે કરી રહ્યા છે, તો શું  તે જુની સંસદની તુલના ઝીરો સાથે કરી રહ્યા હતા? શું આપણે પહેલા શુન્યમાં બેસતા હતા?' 


RJDએ કરી આ સ્પષ્ટતા


કોફિન વિવાદ વધતા RJDએ સ્પષ્ટતા કરી છે, RJDના નેતા શક્તિ સિંહ યાદવે કહ્યું કે લોકશાહીને દફન કરી દેવામાં આવી છે. એટલા માટે અમારા ટ્વીટમાં કોફિન પ્રતિકાત્મક રીતે બતાવવામાં આવ્યું છે. દેશ આ બાબત સ્વિકાર કરશે નહીં. સંસદ, લોકશાહીનું મંદિર હોય છે. આ એવી જગ્યા છે જ્યાં ચર્ચાઓ થાય છે.



અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.