સુશીલકુમાર મોદીએ રાજ્યસભામાં 2000 રૂપિયાની નોટને બંધ કરવાની કરી માગ


  • Published By :
  • Published Date : 2022-12-13 11:09:25

8 નવેમ્બર 2016ની મધ્યરાત્રીએ વડાપ્રધાન મોદીએ નોટબંધીના નિર્ણય અંગે જાહેરાત કરી હતી. જેને લઈ 500 તેમજ 1000 રૂપિયાની નોટને પાછી લેવાઈ હતી. આ નિર્ણય પાછળ સરકાર એવું માનતી હતી કે મોટી નોટ બંધ કરવાથી દેશમાં ભ્રષ્ટાચાર અટકી જશે. પરંતુ નોટબંધી લાગુ કર્યા બાદ 2000 રૂપિયાની નોટને ચલણમાં મૂકી હતી. ત્યારે આ 2000 રૂપિયાની નોટને બંધ કરવા ભાજપના જ સંસદસભ્ય સુશીલકુમાર મોદીએ માગણી કરી છે. રાજ્યસભામાં 2000ની ચલણી નોટને બંધ કરવાનો મુદ્દો રજૂ કર્યો હતો. તેમણે કહ્યું કે 2000ની નોટ બજારમાં ભાગ્યે જ જોવા મળે છે. જેને કારણે એવી પણ ચર્ચા થઈ રહી છે કે આ નોટ ચાલતી નથી ઉપરાંત એટીએમમાંથી પણ આ નોટ આવતી નથી. ત્યારે 2000ની નોટ બંધ કરવી જોઈએ તેવી માગ તેમણે કરી હતી.

  

ભ્રષ્ટાચારને રોકવા સરકારે કરી હતી નોટબંધી  

મોદી સરકારે આટલા વર્ષોના શાસનમાં અનેક નિર્ણયો લીધા છે. અનેક એવા નિર્ણયો હતા જેનો ભારે વિરોધ થયો હતો. તેમાંથી એક નિર્ણય હતો નોટબંધીનો. 9 ડિસેમ્બર 2016થી 500 અને 1000 રૂપિયાની નોટને પાછી ખેંચવાની જાહેરાત કરવામાં આવી હતી. આ નિર્ણયને કારણે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. પૈસા જમા કરાવા લાઈનમાં કલાકો સુધી ઉભા રહેવું પડતું હતું. આટલી મુસીબતનો સામનો લોકોએ કર્યો એમ માનીને કે ભષ્ટ્રાચાર ઓછો થશે. પરંતુ થોડા સમય બાદ સરકારે 2000 રૂપિયાની નોટ ચલણમાં મૂકી. આ નોટને જોઈ લોકો આશ્ચર્ય પામ્યા. પરંતુ આ નિર્ણયનો લોકોએ સ્વીકાર કર્યો.

નોટબંધી News in Gujarati, Latest નોટબંધી news, photos, videos | Zee News  Gujarati


2000ની નોટને બંધ કરવા સુશીલકુમાર મોદીએ કરી માગ

પરંતુ ધીરે-ધીરે બજારમાંથી 2000 નોટ લુપ્ત થતી ગઈ. હાલ પણ 2000ની નોટ બહુ ઓછી જોવા મળે છે. ત્યારે આ વાતને રાજ્યસભામાં ભાજપના જ નેતાએ ઉપાડ્યો હતો. બિહાપન પૂર્વ નાયબ મુખ્યમંત્રી સુશીલકુમાર મોદીએ રાજ્યસભામાં 2000ની નોટને બંધ કરવાનો મુદ્દો રજૂ કર્યો હતો. તેમણે કહ્યું કે 2000ની નોટનો ઉપયોગ ગેરકાયદેસર વ્યાપારમાં મોટા પાયે કરાતો હતો જેને કારણે આ નોટ સરકાર ઓછી છાપી રહી છે. આ ગુલાબી રંગની નોટ બજારમાં ભાગ્યે જ જોવા મળે છે. એટીએમમાંથી પણ આ નોટ આવતી નથી. ત્યારે સરકારે 2000 રૂપિયાની નોટને વ્યવહારમાંથી બંધ કરવી જોઈએ તેવી માગ ભારતીય જનતા પાર્ટીના સંસદસભ્યે કરી છે.     




ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે