સુશીલકુમાર મોદીએ રાજ્યસભામાં 2000 રૂપિયાની નોટને બંધ કરવાની કરી માગ


  • Published By :
  • Published Date : 2022-12-13 11:09:25

8 નવેમ્બર 2016ની મધ્યરાત્રીએ વડાપ્રધાન મોદીએ નોટબંધીના નિર્ણય અંગે જાહેરાત કરી હતી. જેને લઈ 500 તેમજ 1000 રૂપિયાની નોટને પાછી લેવાઈ હતી. આ નિર્ણય પાછળ સરકાર એવું માનતી હતી કે મોટી નોટ બંધ કરવાથી દેશમાં ભ્રષ્ટાચાર અટકી જશે. પરંતુ નોટબંધી લાગુ કર્યા બાદ 2000 રૂપિયાની નોટને ચલણમાં મૂકી હતી. ત્યારે આ 2000 રૂપિયાની નોટને બંધ કરવા ભાજપના જ સંસદસભ્ય સુશીલકુમાર મોદીએ માગણી કરી છે. રાજ્યસભામાં 2000ની ચલણી નોટને બંધ કરવાનો મુદ્દો રજૂ કર્યો હતો. તેમણે કહ્યું કે 2000ની નોટ બજારમાં ભાગ્યે જ જોવા મળે છે. જેને કારણે એવી પણ ચર્ચા થઈ રહી છે કે આ નોટ ચાલતી નથી ઉપરાંત એટીએમમાંથી પણ આ નોટ આવતી નથી. ત્યારે 2000ની નોટ બંધ કરવી જોઈએ તેવી માગ તેમણે કરી હતી.

  

ભ્રષ્ટાચારને રોકવા સરકારે કરી હતી નોટબંધી  

મોદી સરકારે આટલા વર્ષોના શાસનમાં અનેક નિર્ણયો લીધા છે. અનેક એવા નિર્ણયો હતા જેનો ભારે વિરોધ થયો હતો. તેમાંથી એક નિર્ણય હતો નોટબંધીનો. 9 ડિસેમ્બર 2016થી 500 અને 1000 રૂપિયાની નોટને પાછી ખેંચવાની જાહેરાત કરવામાં આવી હતી. આ નિર્ણયને કારણે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. પૈસા જમા કરાવા લાઈનમાં કલાકો સુધી ઉભા રહેવું પડતું હતું. આટલી મુસીબતનો સામનો લોકોએ કર્યો એમ માનીને કે ભષ્ટ્રાચાર ઓછો થશે. પરંતુ થોડા સમય બાદ સરકારે 2000 રૂપિયાની નોટ ચલણમાં મૂકી. આ નોટને જોઈ લોકો આશ્ચર્ય પામ્યા. પરંતુ આ નિર્ણયનો લોકોએ સ્વીકાર કર્યો.

નોટબંધી News in Gujarati, Latest નોટબંધી news, photos, videos | Zee News  Gujarati


2000ની નોટને બંધ કરવા સુશીલકુમાર મોદીએ કરી માગ

પરંતુ ધીરે-ધીરે બજારમાંથી 2000 નોટ લુપ્ત થતી ગઈ. હાલ પણ 2000ની નોટ બહુ ઓછી જોવા મળે છે. ત્યારે આ વાતને રાજ્યસભામાં ભાજપના જ નેતાએ ઉપાડ્યો હતો. બિહાપન પૂર્વ નાયબ મુખ્યમંત્રી સુશીલકુમાર મોદીએ રાજ્યસભામાં 2000ની નોટને બંધ કરવાનો મુદ્દો રજૂ કર્યો હતો. તેમણે કહ્યું કે 2000ની નોટનો ઉપયોગ ગેરકાયદેસર વ્યાપારમાં મોટા પાયે કરાતો હતો જેને કારણે આ નોટ સરકાર ઓછી છાપી રહી છે. આ ગુલાબી રંગની નોટ બજારમાં ભાગ્યે જ જોવા મળે છે. એટીએમમાંથી પણ આ નોટ આવતી નથી. ત્યારે સરકારે 2000 રૂપિયાની નોટને વ્યવહારમાંથી બંધ કરવી જોઈએ તેવી માગ ભારતીય જનતા પાર્ટીના સંસદસભ્યે કરી છે.     




અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ ફરી એકવાર ભારત - અમેરિકા ટ્રેડ ડીલને લઇને ટિપ્પણી કરી છે. ભારતનું પ્રતિનિધિમંડળ હાલમાં અમેરિકામાં છે . તેનો પ્રયાસ છે કે, જુલાઈની ૯ મી તારીખ પેહલા બેઉ દેશો વચ્ચે વ્યાપારી કરારો સંપન્ન થાય. ભારતનું પ્રતિનિધિમંડળ રાજેશ અગ્રવાલના નેતૃત્વમાં અમેરિકા પહોંચ્યું છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની જે આ ટિપ્પણી આવી તે પેહલા યુએસના ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસેન્ટએ કહ્યું છે કે , ભારત અને અમેરિકા એવા કરારોની નજીક પહોંચી ચુક્યા છે જ્યાં અમેરિકન ઉત્પાદનો પર ઓછો ટેરિફ લગાવવામાં આવશે .

ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનના પ્રમુખ તરીકે ફરી એકવાર રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીની નિમણુંક કરવામાં આવી છે. આ માટે , ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનની કારોબારી સમિતિની 47મી વાર્ષિક સભા મળી હતી. ગુજરાતમાં GSFAએ ફૂટબોલના ક્રમશઃ વિકાસ અને વૃદ્ધિ માટે ખુબ મહત્વનો ફાળો આપ્યો છે. ફૂટબોલમાં સારામાં સારું પ્રદર્શન કરનારા જિલ્લાઓ , ક્લબો , રેફરી , ખેલાડીઓ અને કોચને એવોર્ડ અને પ્રોત્સાહન આપવામાં આવે છે.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સ્વપ્નનું બિલ એટલે , "બિગ બ્યુટીફૂલ બિલ" જેને , હવે યુએસ કોંગ્રેસના ઉપલા ગૃહ સેનેટે મંજૂરી આપી દીધી છે. ૯૪૦ પન્નાનું આ બિલ ટ્રમ્પના બીજા કાર્યકાળ માટેનું ખુબ મહત્વનું બિલ મનાય છે. જોકે હવે ડોનાલ્ડ ટ્રમ્પના આ "બિલ બ્યુટીફૂલ બિલનો" વિરોધ ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક દ્વારા કરવામાં આવ્યો છે. તો આવો જાણીએ ડોનાલ્ડ ટ્રમ્પનું આ "બિગ બ્યુટીફૂલ બિલ " છે શું તેને કેમ ઈલોન મસ્કે તેને ખરાબ ગણાવ્યું છે?

હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.