સુશીલકુમાર મોદીએ રાજ્યસભામાં 2000 રૂપિયાની નોટને બંધ કરવાની કરી માગ


  • Published By :
  • Published Date : 2022-12-13 11:09:25

8 નવેમ્બર 2016ની મધ્યરાત્રીએ વડાપ્રધાન મોદીએ નોટબંધીના નિર્ણય અંગે જાહેરાત કરી હતી. જેને લઈ 500 તેમજ 1000 રૂપિયાની નોટને પાછી લેવાઈ હતી. આ નિર્ણય પાછળ સરકાર એવું માનતી હતી કે મોટી નોટ બંધ કરવાથી દેશમાં ભ્રષ્ટાચાર અટકી જશે. પરંતુ નોટબંધી લાગુ કર્યા બાદ 2000 રૂપિયાની નોટને ચલણમાં મૂકી હતી. ત્યારે આ 2000 રૂપિયાની નોટને બંધ કરવા ભાજપના જ સંસદસભ્ય સુશીલકુમાર મોદીએ માગણી કરી છે. રાજ્યસભામાં 2000ની ચલણી નોટને બંધ કરવાનો મુદ્દો રજૂ કર્યો હતો. તેમણે કહ્યું કે 2000ની નોટ બજારમાં ભાગ્યે જ જોવા મળે છે. જેને કારણે એવી પણ ચર્ચા થઈ રહી છે કે આ નોટ ચાલતી નથી ઉપરાંત એટીએમમાંથી પણ આ નોટ આવતી નથી. ત્યારે 2000ની નોટ બંધ કરવી જોઈએ તેવી માગ તેમણે કરી હતી.

  

ભ્રષ્ટાચારને રોકવા સરકારે કરી હતી નોટબંધી  

મોદી સરકારે આટલા વર્ષોના શાસનમાં અનેક નિર્ણયો લીધા છે. અનેક એવા નિર્ણયો હતા જેનો ભારે વિરોધ થયો હતો. તેમાંથી એક નિર્ણય હતો નોટબંધીનો. 9 ડિસેમ્બર 2016થી 500 અને 1000 રૂપિયાની નોટને પાછી ખેંચવાની જાહેરાત કરવામાં આવી હતી. આ નિર્ણયને કારણે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. પૈસા જમા કરાવા લાઈનમાં કલાકો સુધી ઉભા રહેવું પડતું હતું. આટલી મુસીબતનો સામનો લોકોએ કર્યો એમ માનીને કે ભષ્ટ્રાચાર ઓછો થશે. પરંતુ થોડા સમય બાદ સરકારે 2000 રૂપિયાની નોટ ચલણમાં મૂકી. આ નોટને જોઈ લોકો આશ્ચર્ય પામ્યા. પરંતુ આ નિર્ણયનો લોકોએ સ્વીકાર કર્યો.

નોટબંધી News in Gujarati, Latest નોટબંધી news, photos, videos | Zee News  Gujarati


2000ની નોટને બંધ કરવા સુશીલકુમાર મોદીએ કરી માગ

પરંતુ ધીરે-ધીરે બજારમાંથી 2000 નોટ લુપ્ત થતી ગઈ. હાલ પણ 2000ની નોટ બહુ ઓછી જોવા મળે છે. ત્યારે આ વાતને રાજ્યસભામાં ભાજપના જ નેતાએ ઉપાડ્યો હતો. બિહાપન પૂર્વ નાયબ મુખ્યમંત્રી સુશીલકુમાર મોદીએ રાજ્યસભામાં 2000ની નોટને બંધ કરવાનો મુદ્દો રજૂ કર્યો હતો. તેમણે કહ્યું કે 2000ની નોટનો ઉપયોગ ગેરકાયદેસર વ્યાપારમાં મોટા પાયે કરાતો હતો જેને કારણે આ નોટ સરકાર ઓછી છાપી રહી છે. આ ગુલાબી રંગની નોટ બજારમાં ભાગ્યે જ જોવા મળે છે. એટીએમમાંથી પણ આ નોટ આવતી નથી. ત્યારે સરકારે 2000 રૂપિયાની નોટને વ્યવહારમાંથી બંધ કરવી જોઈએ તેવી માગ ભારતીય જનતા પાર્ટીના સંસદસભ્યે કરી છે.     




અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.