સ્વર કોકિલા લતા મંગેશકરના મૃત્યુને એક વર્ષ થયું પૂર્ણ, સેન્ડ આર્ટિસ્ટે અનોખી રીતે પાઠવી શ્રદ્ધાંજલિ


  • Published By :
  • Published Date : 2023-02-06 15:54:41

ભારતમાં એવી અનેક હસ્તીઓ થઈ ગઈ જેમણે ન માત્ર ભારતમાં પરંતુ વિશ્વસ્તરે નામના મેળવી છે. તે પ્રતિભાઓમાંથી એક એવી વ્યક્તિ જેમણે કરોડો લોકોના દિલમાં જગ્યા બનાવી તે છે લતા મંગેશકર. બોલિવુડની લિજેન્ડરી સિંગર અને ભારત રત્નથી સન્માનિત પીઢ ગાયિકા લતા મંગેશકરની આજે પુણ્યતિથી છે. 6 ફેબ્રુઆરીના રોજ લતા દીદીએ દુનિયાને અલવિદા કહી દીધું હતું.   

10 rare photos of legendary singer Lata Mangeshkar | Times of India

લતા મંગેશકર ભારતની એવી પ્રખ્યાત હસ્તીઓમાંથી એક હતા જેમણે પોતાના કૌશલ્યથી લોકોને અચંબીત કરી દીધા હતા. નાઈટિંગેલ લતા મંગેશકરનો જન્મ 28 સપ્ટેમ્બર 1929ના રોજ મરાઠી પરિવારમાં પંડિત દીનનાથ મંગેશકર અને સુધામતીને ત્યાં થયો હતો. લતા દીદીને વારસામાં સંગીત મળ્યું હતું કારણ કે તેમના પિતા પણ ગાયક કલાકાર હતા. 

From the archives: Lata Mangeshkar, the voice that can't be missed

માત્ર પાંચ વર્ષની ઉંમરે લતા મંગેશકરે ગાવાનું શરૂ કરી દીધું હતું. જવાબદારીઓને કારણે ગાયનને જ પોતાનો વ્યવસાય બનાવાનું નક્કી કર્યું. અનેક હિંદી તેમજ મરાઠી ફિલ્મોમાં તેમણે પોતાનો અવાજ આપ્યો છે. પોતાના જીવનના સફર દરમિયાન લતા મંગેશકરે 1000થી વધુ હિંદી ભાષામાં ગીતો ગાયા છે. 

Lata Mangeshkar Passes Away Two-day National Mourning Observed National  Flag Fly Half-mast 2 Days- Govt Sources | Lata Mangeshkar Passes Away: લતા  મંગેશકરના નિધન પર બે દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર

પોતાના શરૂઆતના દિવસોમાં લતા મંગેશકરે અભિનય પણ કર્યો હતો. એવું માનવામાં આવે છે કે હિંદી ભાષામાં તેમનું પ્રથમ સોંગ હતું માતા એક સપુત કી ગીત. તે બાદ તે સમયના પ્રખ્યાત સંગીતકાર માસ્ટર ગુલામ હૈદરના સંપર્કમાં તેઓ આવ્યો અને તેમના અવાજને ઈન્ડસ્ટ્રી સુધી લઈ જવાનો પ્રયત્ન કર્યો હતો. તે બાદ તેમની સાથે અનેક ગીતો ગાયા. તે બાદ વર્ષ 1948માં માસ્ટર હુલામ હૈદરની ફિલ્મ મજબૂરમાં લતાએ ગીત ગાયું જેને કારણે તેમનું નસીબ બદલાઈ ગયું. આ બાદ ઈન્ડસ્ટીની જાણીતી હસ્તી બની ગયા હતા.  

સ્વર કોકિલા ગણાતા લતા મંગેશકરે અનેક ગાયકો સાથે કામ કર્યો હતો. કિશોર કુમારની સાથે તેમણે હિટ ગીતો આપ્યા હતા. તે સિવાય મોહમ્મદ રફી સાથે પણ તેમણે અનેક હિટ ગીતો ગાયા. પોતાના જીવન દરમિયાન સંગીત ક્ષેત્રે તેમણે અનોખું યોગદાન આપ્યું છે. 2001માં લતા મંગેશકરને ભારતના સર્વોચ્ચ નાગરિક સન્માન ભારત રત્નથી સન્માનિત કરાયા હતા. તે પહેલા પદ્મ ભૂષણ, પદ્મ વિભૂષણ તેમજ દાદા સાહેબ ફાળકે એવોર્ડથી તેમને સન્માનિત કરાયા હતા. 

Lata Mangeshkar Last Rites: पंचतत्‍व में विलीन हुईं सबकी चहेती लता दीदी,  पीएम मोदी सहित तमाम हस्तियों ने किया अंतिम प्रणाम

અનેક લોકો કોરોના સંક્રમિત થયા હતા. લતા મંગેશકર પણ કોરોના સંક્રમિત થયા હતા અને સાથે સાથે તેમને ન્યુમોનિયા પણ થયો હતો. બીમારી સામે તેઓ ઝઝૂમી ન શક્યા અને 6 ફેબ્રુઆરી 2022ના રોજ તેમનું અવસાન થઈ ગયું હતું. તેમની પ્રથમ પુણ્યતિથીએ અનેક મોટી હસ્તીઓએ તેમને શ્રદ્ધાંજલિ પાઠવી છે તે ઉપરાંત સેન્ડ આર્ટિસ્ટ સુદર્શન પટનાયકે પુરી બીચ પર તેમની રેતીથી પ્રતિમા બનાવી છે.

   




રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.

અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.