સ્વર કોકિલા લતા મંગેશકરના મૃત્યુને એક વર્ષ થયું પૂર્ણ, સેન્ડ આર્ટિસ્ટે અનોખી રીતે પાઠવી શ્રદ્ધાંજલિ


  • Published By :
  • Published Date : 2023-02-06 15:54:41

ભારતમાં એવી અનેક હસ્તીઓ થઈ ગઈ જેમણે ન માત્ર ભારતમાં પરંતુ વિશ્વસ્તરે નામના મેળવી છે. તે પ્રતિભાઓમાંથી એક એવી વ્યક્તિ જેમણે કરોડો લોકોના દિલમાં જગ્યા બનાવી તે છે લતા મંગેશકર. બોલિવુડની લિજેન્ડરી સિંગર અને ભારત રત્નથી સન્માનિત પીઢ ગાયિકા લતા મંગેશકરની આજે પુણ્યતિથી છે. 6 ફેબ્રુઆરીના રોજ લતા દીદીએ દુનિયાને અલવિદા કહી દીધું હતું.   

10 rare photos of legendary singer Lata Mangeshkar | Times of India

લતા મંગેશકર ભારતની એવી પ્રખ્યાત હસ્તીઓમાંથી એક હતા જેમણે પોતાના કૌશલ્યથી લોકોને અચંબીત કરી દીધા હતા. નાઈટિંગેલ લતા મંગેશકરનો જન્મ 28 સપ્ટેમ્બર 1929ના રોજ મરાઠી પરિવારમાં પંડિત દીનનાથ મંગેશકર અને સુધામતીને ત્યાં થયો હતો. લતા દીદીને વારસામાં સંગીત મળ્યું હતું કારણ કે તેમના પિતા પણ ગાયક કલાકાર હતા. 

From the archives: Lata Mangeshkar, the voice that can't be missed

માત્ર પાંચ વર્ષની ઉંમરે લતા મંગેશકરે ગાવાનું શરૂ કરી દીધું હતું. જવાબદારીઓને કારણે ગાયનને જ પોતાનો વ્યવસાય બનાવાનું નક્કી કર્યું. અનેક હિંદી તેમજ મરાઠી ફિલ્મોમાં તેમણે પોતાનો અવાજ આપ્યો છે. પોતાના જીવનના સફર દરમિયાન લતા મંગેશકરે 1000થી વધુ હિંદી ભાષામાં ગીતો ગાયા છે. 

Lata Mangeshkar Passes Away Two-day National Mourning Observed National  Flag Fly Half-mast 2 Days- Govt Sources | Lata Mangeshkar Passes Away: લતા  મંગેશકરના નિધન પર બે દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર

પોતાના શરૂઆતના દિવસોમાં લતા મંગેશકરે અભિનય પણ કર્યો હતો. એવું માનવામાં આવે છે કે હિંદી ભાષામાં તેમનું પ્રથમ સોંગ હતું માતા એક સપુત કી ગીત. તે બાદ તે સમયના પ્રખ્યાત સંગીતકાર માસ્ટર ગુલામ હૈદરના સંપર્કમાં તેઓ આવ્યો અને તેમના અવાજને ઈન્ડસ્ટ્રી સુધી લઈ જવાનો પ્રયત્ન કર્યો હતો. તે બાદ તેમની સાથે અનેક ગીતો ગાયા. તે બાદ વર્ષ 1948માં માસ્ટર હુલામ હૈદરની ફિલ્મ મજબૂરમાં લતાએ ગીત ગાયું જેને કારણે તેમનું નસીબ બદલાઈ ગયું. આ બાદ ઈન્ડસ્ટીની જાણીતી હસ્તી બની ગયા હતા.  

સ્વર કોકિલા ગણાતા લતા મંગેશકરે અનેક ગાયકો સાથે કામ કર્યો હતો. કિશોર કુમારની સાથે તેમણે હિટ ગીતો આપ્યા હતા. તે સિવાય મોહમ્મદ રફી સાથે પણ તેમણે અનેક હિટ ગીતો ગાયા. પોતાના જીવન દરમિયાન સંગીત ક્ષેત્રે તેમણે અનોખું યોગદાન આપ્યું છે. 2001માં લતા મંગેશકરને ભારતના સર્વોચ્ચ નાગરિક સન્માન ભારત રત્નથી સન્માનિત કરાયા હતા. તે પહેલા પદ્મ ભૂષણ, પદ્મ વિભૂષણ તેમજ દાદા સાહેબ ફાળકે એવોર્ડથી તેમને સન્માનિત કરાયા હતા. 

Lata Mangeshkar Last Rites: पंचतत्‍व में विलीन हुईं सबकी चहेती लता दीदी,  पीएम मोदी सहित तमाम हस्तियों ने किया अंतिम प्रणाम

અનેક લોકો કોરોના સંક્રમિત થયા હતા. લતા મંગેશકર પણ કોરોના સંક્રમિત થયા હતા અને સાથે સાથે તેમને ન્યુમોનિયા પણ થયો હતો. બીમારી સામે તેઓ ઝઝૂમી ન શક્યા અને 6 ફેબ્રુઆરી 2022ના રોજ તેમનું અવસાન થઈ ગયું હતું. તેમની પ્રથમ પુણ્યતિથીએ અનેક મોટી હસ્તીઓએ તેમને શ્રદ્ધાંજલિ પાઠવી છે તે ઉપરાંત સેન્ડ આર્ટિસ્ટ સુદર્શન પટનાયકે પુરી બીચ પર તેમની રેતીથી પ્રતિમા બનાવી છે.

   




આપણા પાડોશી દેશ પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં ખુબ ભયંકર વિસ્ફોટ થયો છે. ઇસ્લામાબાદના તલઈ વિસ્તારના ઇમામબાડામાં આ ભીષણ બૉમ્બ બ્લાસ્ટ થયા છે. આ હુમલામાં ઓછામાં ઓછા ૨૫ લોકોના જીવ ગુમાવ્યાના અને ૧૦૦થી વધારે લોકોના ઘાયલ થયાના સમાચાર સામે આવ્યા છે. આજે જુમ્માની નમાજ દરમ્યાન આ શિયા મસ્જિદ પર ફિદાયીન હુમલો કરવામાં આવ્યો હતો.

મહીસાગર જિલ્લામાં થોડાક સમય પહેલા , આદિવાસી સમાજના એક યુવકને મહિલા PSI દ્વારા કારમાં સીટ બેલ્ટ નહિ પહેરવા જેવી સામાન્ય બાબતે માર મારવાના ગંભીર આક્ષેપો થયા હતા .આ સમગ્ર મામલે, મહીસાગરના ASP વિકાસ યાદવની પ્રતિક્રિયા સામે આવી છે

ચોટીલાના ડેપ્યુટી કલેકટર એચ ટી મકવાણા દ્વારા થોડાક સમય પહેલા , યાત્રાધામ ચોટીલા ખાતે ખુબ મોટી સંખ્યામાં દબાણો દૂર કરવામાં આવ્યા હતા. આ દબાણ હટાવવાની કામગીરી પાછળથી વિવાદોમાં આવી છે. કેમ કે , ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ સમગ્ર કામગીરી દરમ્યાન ઇન્ચાર્જ મામલતદારની ઝાટકણી કાઢવામાં આવી છે. તો બીજી તરફ , મહંત પરિવાર અને સ્થાનિક જનતા દ્વારા તંત્ર પર '' વાલા- દવલાં"ની નીતિ અને પક્ષપાતના આક્ષેપો લગાડવામાં આવ્યા છે.

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા , સમગ્ર રાજ્યમાં PSI અને LRDને લઈને શારીરિક કસોટી ચાલી રહી છે. ત્યારે , ગોંડલથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે જેમાં એક આશાસ્પદ યુવાન , નીતિનસિંહ ચૌહાણએ આ શારીરિક કસોટી દરમ્યાન પોતાનો જીવ ગુમાવ્યો છે. આ અગાઉ , ભરૂચ અને ગોધરામાં આવી દુઃખદ ઘટનાઓ સામે આવી હતી.