સ્વર કોકિલા લતા મંગેશકરના મૃત્યુને એક વર્ષ થયું પૂર્ણ, સેન્ડ આર્ટિસ્ટે અનોખી રીતે પાઠવી શ્રદ્ધાંજલિ


  • Published By :
  • Published Date : 2023-02-06 15:54:41

ભારતમાં એવી અનેક હસ્તીઓ થઈ ગઈ જેમણે ન માત્ર ભારતમાં પરંતુ વિશ્વસ્તરે નામના મેળવી છે. તે પ્રતિભાઓમાંથી એક એવી વ્યક્તિ જેમણે કરોડો લોકોના દિલમાં જગ્યા બનાવી તે છે લતા મંગેશકર. બોલિવુડની લિજેન્ડરી સિંગર અને ભારત રત્નથી સન્માનિત પીઢ ગાયિકા લતા મંગેશકરની આજે પુણ્યતિથી છે. 6 ફેબ્રુઆરીના રોજ લતા દીદીએ દુનિયાને અલવિદા કહી દીધું હતું.   

10 rare photos of legendary singer Lata Mangeshkar | Times of India

લતા મંગેશકર ભારતની એવી પ્રખ્યાત હસ્તીઓમાંથી એક હતા જેમણે પોતાના કૌશલ્યથી લોકોને અચંબીત કરી દીધા હતા. નાઈટિંગેલ લતા મંગેશકરનો જન્મ 28 સપ્ટેમ્બર 1929ના રોજ મરાઠી પરિવારમાં પંડિત દીનનાથ મંગેશકર અને સુધામતીને ત્યાં થયો હતો. લતા દીદીને વારસામાં સંગીત મળ્યું હતું કારણ કે તેમના પિતા પણ ગાયક કલાકાર હતા. 

From the archives: Lata Mangeshkar, the voice that can't be missed

માત્ર પાંચ વર્ષની ઉંમરે લતા મંગેશકરે ગાવાનું શરૂ કરી દીધું હતું. જવાબદારીઓને કારણે ગાયનને જ પોતાનો વ્યવસાય બનાવાનું નક્કી કર્યું. અનેક હિંદી તેમજ મરાઠી ફિલ્મોમાં તેમણે પોતાનો અવાજ આપ્યો છે. પોતાના જીવનના સફર દરમિયાન લતા મંગેશકરે 1000થી વધુ હિંદી ભાષામાં ગીતો ગાયા છે. 

Lata Mangeshkar Passes Away Two-day National Mourning Observed National  Flag Fly Half-mast 2 Days- Govt Sources | Lata Mangeshkar Passes Away: લતા  મંગેશકરના નિધન પર બે દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર

પોતાના શરૂઆતના દિવસોમાં લતા મંગેશકરે અભિનય પણ કર્યો હતો. એવું માનવામાં આવે છે કે હિંદી ભાષામાં તેમનું પ્રથમ સોંગ હતું માતા એક સપુત કી ગીત. તે બાદ તે સમયના પ્રખ્યાત સંગીતકાર માસ્ટર ગુલામ હૈદરના સંપર્કમાં તેઓ આવ્યો અને તેમના અવાજને ઈન્ડસ્ટ્રી સુધી લઈ જવાનો પ્રયત્ન કર્યો હતો. તે બાદ તેમની સાથે અનેક ગીતો ગાયા. તે બાદ વર્ષ 1948માં માસ્ટર હુલામ હૈદરની ફિલ્મ મજબૂરમાં લતાએ ગીત ગાયું જેને કારણે તેમનું નસીબ બદલાઈ ગયું. આ બાદ ઈન્ડસ્ટીની જાણીતી હસ્તી બની ગયા હતા.  

સ્વર કોકિલા ગણાતા લતા મંગેશકરે અનેક ગાયકો સાથે કામ કર્યો હતો. કિશોર કુમારની સાથે તેમણે હિટ ગીતો આપ્યા હતા. તે સિવાય મોહમ્મદ રફી સાથે પણ તેમણે અનેક હિટ ગીતો ગાયા. પોતાના જીવન દરમિયાન સંગીત ક્ષેત્રે તેમણે અનોખું યોગદાન આપ્યું છે. 2001માં લતા મંગેશકરને ભારતના સર્વોચ્ચ નાગરિક સન્માન ભારત રત્નથી સન્માનિત કરાયા હતા. તે પહેલા પદ્મ ભૂષણ, પદ્મ વિભૂષણ તેમજ દાદા સાહેબ ફાળકે એવોર્ડથી તેમને સન્માનિત કરાયા હતા. 

Lata Mangeshkar Last Rites: पंचतत्‍व में विलीन हुईं सबकी चहेती लता दीदी,  पीएम मोदी सहित तमाम हस्तियों ने किया अंतिम प्रणाम

અનેક લોકો કોરોના સંક્રમિત થયા હતા. લતા મંગેશકર પણ કોરોના સંક્રમિત થયા હતા અને સાથે સાથે તેમને ન્યુમોનિયા પણ થયો હતો. બીમારી સામે તેઓ ઝઝૂમી ન શક્યા અને 6 ફેબ્રુઆરી 2022ના રોજ તેમનું અવસાન થઈ ગયું હતું. તેમની પ્રથમ પુણ્યતિથીએ અનેક મોટી હસ્તીઓએ તેમને શ્રદ્ધાંજલિ પાઠવી છે તે ઉપરાંત સેન્ડ આર્ટિસ્ટ સુદર્શન પટનાયકે પુરી બીચ પર તેમની રેતીથી પ્રતિમા બનાવી છે.

   




રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા ભારતીય જનતા પાર્ટીમાં ટિકિટ વહેંચણીને લઇને કાર્યકરોમાં અસંતોષ જોવા મળ્યો છે. શિસ્તબદ્ધ કહેવાતી પાર્ટીમાં ટિકિટ માટે જૂથબંધી અને રોષ ભાજપમાં સપાટી પર આવી ગયો છે. હવે , ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ ડેમેજ કંટ્રોલ કરવા લાગી જવું પડ્યું છે. આ માટે તેમણે રાજકોટની મુલાકાત લીધી છે.

મહેસાણા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીમાં ખુબ મોટું ગાબડું સામે આવ્યું છે. કેમ કે, મરતોલી ગામના ૨૦૦ જેટલા ભાજપના કાર્યકરો પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા છે. આ તમામ ભાજપના કાર્યકરોએ આક્ષેપ કર્યા છે કે , પાર્ટીમાં અમારી કોઈ જ વેલ્યુ નથી રહી. બીજી તરફ , બનાસકાંઠા જિલ્લામાં પણ ભાજપમાં ખુબ મોટું ગાબડું પડ્યું છે. પૂર્વ નગરસેવક અને સિનિયર આગેવાન શાંતિ માળી અને ગોપાલ સેનાના અધ્યક્ષ નરસિંહ દેસાઈ કોંગ્રેસમાં જોડાયા છે.

સામાન્ય રીતે લોકો પોતાના જન્મદિવસે તેની ભવ્ય ઉજવણી કરતા હોય છે. પરંતુ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અનંત અંબાણીના 31મા જન્મદિન પ્રસંગે આયોજિત વિવિધ પરોપકારી કાર્યો તથા પ્રવૃત્તિઓએ આશરે 57 લાખ લોકોના જીવનને સ્પર્શ કરી તેને બહેતર બનાવવાનો પ્રયાસ કર્યો છે. લાખો લોકોના જીવનને સમૃદ્ધ બનાવવાના ઉદ્દેશથી ધાર્મિક ટ્રસ્ટ, શૈક્ષણિક તથા આરોગ્યસંભાળ સંસ્થાઓ તેમજ સામાજકલ્યાણની સંસ્થાઓમાં સખાવતી યોગદાન અપાયું હતું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીમાં ઉમેદવારોની પસંદગી કરવાને લઇને જબરદસ્ત મંથન ચાલી રહ્યું છે. ત્યારે , ભાજપ દ્વારા કેટલાક માપદંડો બનાવવામાં આવ્યા છે જેમ કે , ૬૦થી વધુ વયના લોકોને ટિકિટ ના આપવી. ત્રણ ટર્મથી ચૂંટણી લડતા હોય તેમને ટિકિટ ના આપવી. આવા અનેક નિયમો ભાજપે બનાવ્યા છે. તો ભાજપના જ આવા નિયમોની સામે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ મોરચો માંડ્યો છે. મનસુખ વસાવાએ સ્પષ્ટપણે કહી દીધું છે કે , આ નિયમો જ પાર્ટીને નુકશાન કરશે.