સ્વરા ભાસ્કરે પ્રભુતામાં પગલા પાડ્યાં, જાણો કોણ છે તેનો જીવનસાથી?


  • Published By :
  • Published Date : 2023-02-16 19:30:54

બોલિવુડ અભિનેત્રી સ્વરા ભાસ્કર લગ્નના બંધનથી બંધાઈ ગઈ છે. તેણે સમાજવાદી પાર્ટીના નેતા ફહાદ ઝિરાર અહમદ સાથે લગ્ન કર્યા છે. સ્વરાએ તેના ઓફિસિયલ ઈંસ્ટાગ્રામ પર આ ગુડ ન્યુઝ આપતાના તેના ચાહકોને પણ સુખદ આંચકો લાગ્યો છે. સ્વારાએ એક વિડીયો શેર કરીને તેની લવ લાઈફ અને કોર્ટ મેરેજની તારીખ અંગે પણ જાણકારી આપી છે.


સ્વરાએ પતિ ફહાદ સાથે વીડિયો શેર કર્યો 


સ્વરા ભાસ્કરે પતિ ફહાદ ઝિરાર અહેમદ સાથેનો વીડિયો પણ શેર કર્યો છે. આ વીડિયોમાં તેણે તેમની સભા અને પતિની રાજકીય રેલીઓની ઝલક પણ દેખાડી હતી. આ વીડિયોમાં સ્વરા ભાસ્કરે જણાવ્યું કે કેવી રીતે તેમની પહેલી મુલાકાત થઈ હતી. તેમણે પ્રથમ સેલ્ફી કેવી રીતે લીધી? આ સાથે તેની અને ફહાદની વોટ્સએપ ચેટ પણ બતાવવામાં આવી હતી. આ ચેટ માર્ચ 2020ની છે, જ્યાં ફહાદે તેને તેની બહેનના લગ્નમાં આમંત્રણ આપ્યું હતું. તેના પર સ્વરાએ કહ્યું હતું કે હું શૂટિંગમાં વ્યસ્ત છું. આવી શકાશે નહિ દોસ્ત. હું કસમ ખાઉં છું, હું તમારા લગ્નમાં ચોક્કસ આવીશ. 


જાન્યુઆરીમાં કોર્ટ મેરેજ માટે અરજી કરી


સ્વરા ભાસ્કરે 6 જાન્યુઆરી 2023ના રોજ કોર્ટ મેરેજ માટે અરજી કરી હતી. તેણે શેર કરેલા વીડિયોમાં બંને કોર્ટમાં લગ્નના કાગળો પર સહી કરતા પણ જોવા મળે છે. એક ફોટોમાં તે તેના માતા-પિતાને ગળે લગાવીને રડતી પણ જોવા મળી રહી છે.


કોણ છે સ્વરા ભાસ્કરના પતિ ફહાદ અહેમદ?


સ્વરાના પતિ ફહાદ અહેમદ વિદ્યાર્થી નેતા અને સામાજિક કાર્યકર છે. તેણે ઈન્સ્ટાગ્રામ પર પોતાના બાયોમાં લખ્યું છે કે તે સમાજવાદી પાર્ટીની યુવા સભાના પ્રદેશ અધ્યક્ષ છે. તેણે ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઓફ સોશિયલ સાયન્સ સ્ટુડન્ટ યુનિયનના જનરલ સેક્રેટરી તરીકે પણ સેવા આપી છે. ફહાદ ગયા વર્ષે જુલાઈમાં સમાજવાદી પાર્ટીમાં જોડાયો હતો. તે યુપીથી આવે છે. તેનો જન્મ 2 ફેબ્રુઆરી 1992ના રોજ બહેરીમાં થયો હતો. તેમણે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો અને પછી સામાજિક કાર્યકર તરીકે કામ કરવાનું શરૂ કર્યું.



રાજકોટમાં આવેલી આજી નદી પર રિવરફ્રન્ટ બનાવવાનો રસ્તો હવે સાફ થઇ ચુક્યો છે. કેમ કે , જંગલેશ્વર વિસ્તારમાં અંદાજે ૪૦૦ કરોડ રૂપિયાની કિંમતની સરકારી જમીન પર ખડકાયેલા ૧૩૫૮ જેટલા મકાનોને દૂર કરવામાં આવશે. આ માટે ગુજરાતના મહેસુલી પંચ દ્વારા સ્થાનિક દબાણકારોની અપીલને રદ કરતો ચુકાદો આપી દેવામાં આવ્યો છે. આ ચુકાદા પછી , ટૂંક સમયમાં જ જંગલેશ્વરમાં ફરી એકવાર ડિમોલિશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

" આજે ઈરાન માટે ખુબ મોટો દિવસ છે કેમ કે , ઈરાન પર ખુબ ઘાતક હુમલો કરવામાં આવ્યો છે. " આ શબ્દો છે , અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ. આ એજ રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પ છે કે જેઓ , અમેરિકામાં રાષ્ટ્રપતિપદની ચૂંટણીઓના પ્રચાર દરમ્યાન , અમેરિકાને કોઈ પણ નવા યુદ્ધમાં ના ઝોંકવાની કસમ ખાતા હતા અને આજે તેઓ , તેમના બીજા કાર્યકાળના શરુ થયે માત્ર ૧૩ મહિનાની અંદર , ઈરાન પર ખુબ ભારે બોમ્બમારો કરાવી રહ્યા છે. આવનારા , સમયમાં અમેરિકા જમીની સ્તરે ઈરાન પર આક્રમણ કરી શકે છે. તો બીજી તરફ , કુવૈતથી ખબર આવી છે કે , ઈરાનના હુમલામાં એક ભારતીયએ જીવ ગુમાવ્યો છે. વાત કરીએ , ભારતની તો , પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધ વચ્ચે જે ઉર્જા સંકટ ભારત સામે ઉભું થયું છે તેની સામે કેરોસીનના વેચાણને કેન્દ્ર સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી છે.

ગુજરાતમાં છેલ્લા ૬ મહિનામાં પોલીસ પર હુમલાની ઘટનામાં વધારો થયો છે. ઓક્ટોબર ૨૦૨૫માં બોટાદના હડદડ ગામે થયેલી હિંસા અને ત્યારબાદ અંબાજીના પાડલીયા ગામે ડિસેમ્બર ૨૦૨૫માં પોલીસ સાથે ઘર્ષણની ઘટના સામે આવી હતી. આ ઉપરાંત થોડાક સમય અગાઉ , પાટણના ઝીલીયા ગામે , અસામાજિક તત્વો દ્વારા પોલીસ પર હુમલો કરવામાં આવ્યો હતો. હવે , અમદાવાદના નળ સરોવર ખાતે પણ પોલીસ પર હુમલાની ઘટના સામે આવી છે. જેમાં બે પોલીસકર્મી ઘાયલ થયા હતા. તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે.

રાજકોટ રેન્જ IG તરીકે નિર્લિપ્ત રાયની નિમણુંક થતા અસામાજિક તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે. કેમ કે , હવે નિર્લિપ્ત રાય દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે , આગામી સમયમાં ૧ લી અને ૨જી એપ્રિલે એક લોકસંપર્ક સભા યોજાશે જેમાં તેઓ પોતે વ્યાજખોરોના ત્રાસથી પીડિતોની રજુઆત સાંભળશે. આ ઉપરાંત , જામનગરમાં રેન્જ IG નિર્લિપ્ત રાયની મુલાકાતના બે જ કલાકની અંદર ૭૨ જેટલા ગેરકાયદેસર બાંધકામો તંત્ર દ્વારા ધ્વસ્ત કરી નાખવામાં આવ્યા છે.