સ્વરા ભાસ્કરે પ્રભુતામાં પગલા પાડ્યાં, જાણો કોણ છે તેનો જીવનસાથી?


  • Published By :
  • Published Date : 2023-02-16 19:30:54

બોલિવુડ અભિનેત્રી સ્વરા ભાસ્કર લગ્નના બંધનથી બંધાઈ ગઈ છે. તેણે સમાજવાદી પાર્ટીના નેતા ફહાદ ઝિરાર અહમદ સાથે લગ્ન કર્યા છે. સ્વરાએ તેના ઓફિસિયલ ઈંસ્ટાગ્રામ પર આ ગુડ ન્યુઝ આપતાના તેના ચાહકોને પણ સુખદ આંચકો લાગ્યો છે. સ્વારાએ એક વિડીયો શેર કરીને તેની લવ લાઈફ અને કોર્ટ મેરેજની તારીખ અંગે પણ જાણકારી આપી છે.


સ્વરાએ પતિ ફહાદ સાથે વીડિયો શેર કર્યો 


સ્વરા ભાસ્કરે પતિ ફહાદ ઝિરાર અહેમદ સાથેનો વીડિયો પણ શેર કર્યો છે. આ વીડિયોમાં તેણે તેમની સભા અને પતિની રાજકીય રેલીઓની ઝલક પણ દેખાડી હતી. આ વીડિયોમાં સ્વરા ભાસ્કરે જણાવ્યું કે કેવી રીતે તેમની પહેલી મુલાકાત થઈ હતી. તેમણે પ્રથમ સેલ્ફી કેવી રીતે લીધી? આ સાથે તેની અને ફહાદની વોટ્સએપ ચેટ પણ બતાવવામાં આવી હતી. આ ચેટ માર્ચ 2020ની છે, જ્યાં ફહાદે તેને તેની બહેનના લગ્નમાં આમંત્રણ આપ્યું હતું. તેના પર સ્વરાએ કહ્યું હતું કે હું શૂટિંગમાં વ્યસ્ત છું. આવી શકાશે નહિ દોસ્ત. હું કસમ ખાઉં છું, હું તમારા લગ્નમાં ચોક્કસ આવીશ. 


જાન્યુઆરીમાં કોર્ટ મેરેજ માટે અરજી કરી


સ્વરા ભાસ્કરે 6 જાન્યુઆરી 2023ના રોજ કોર્ટ મેરેજ માટે અરજી કરી હતી. તેણે શેર કરેલા વીડિયોમાં બંને કોર્ટમાં લગ્નના કાગળો પર સહી કરતા પણ જોવા મળે છે. એક ફોટોમાં તે તેના માતા-પિતાને ગળે લગાવીને રડતી પણ જોવા મળી રહી છે.


કોણ છે સ્વરા ભાસ્કરના પતિ ફહાદ અહેમદ?


સ્વરાના પતિ ફહાદ અહેમદ વિદ્યાર્થી નેતા અને સામાજિક કાર્યકર છે. તેણે ઈન્સ્ટાગ્રામ પર પોતાના બાયોમાં લખ્યું છે કે તે સમાજવાદી પાર્ટીની યુવા સભાના પ્રદેશ અધ્યક્ષ છે. તેણે ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઓફ સોશિયલ સાયન્સ સ્ટુડન્ટ યુનિયનના જનરલ સેક્રેટરી તરીકે પણ સેવા આપી છે. ફહાદ ગયા વર્ષે જુલાઈમાં સમાજવાદી પાર્ટીમાં જોડાયો હતો. તે યુપીથી આવે છે. તેનો જન્મ 2 ફેબ્રુઆરી 1992ના રોજ બહેરીમાં થયો હતો. તેમણે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો અને પછી સામાજિક કાર્યકર તરીકે કામ કરવાનું શરૂ કર્યું.



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.