સ્વરા ભાસ્કરે પ્રભુતામાં પગલા પાડ્યાં, જાણો કોણ છે તેનો જીવનસાથી?


  • Published By :
  • Published Date : 2023-02-16 19:30:54

બોલિવુડ અભિનેત્રી સ્વરા ભાસ્કર લગ્નના બંધનથી બંધાઈ ગઈ છે. તેણે સમાજવાદી પાર્ટીના નેતા ફહાદ ઝિરાર અહમદ સાથે લગ્ન કર્યા છે. સ્વરાએ તેના ઓફિસિયલ ઈંસ્ટાગ્રામ પર આ ગુડ ન્યુઝ આપતાના તેના ચાહકોને પણ સુખદ આંચકો લાગ્યો છે. સ્વારાએ એક વિડીયો શેર કરીને તેની લવ લાઈફ અને કોર્ટ મેરેજની તારીખ અંગે પણ જાણકારી આપી છે.


સ્વરાએ પતિ ફહાદ સાથે વીડિયો શેર કર્યો 


સ્વરા ભાસ્કરે પતિ ફહાદ ઝિરાર અહેમદ સાથેનો વીડિયો પણ શેર કર્યો છે. આ વીડિયોમાં તેણે તેમની સભા અને પતિની રાજકીય રેલીઓની ઝલક પણ દેખાડી હતી. આ વીડિયોમાં સ્વરા ભાસ્કરે જણાવ્યું કે કેવી રીતે તેમની પહેલી મુલાકાત થઈ હતી. તેમણે પ્રથમ સેલ્ફી કેવી રીતે લીધી? આ સાથે તેની અને ફહાદની વોટ્સએપ ચેટ પણ બતાવવામાં આવી હતી. આ ચેટ માર્ચ 2020ની છે, જ્યાં ફહાદે તેને તેની બહેનના લગ્નમાં આમંત્રણ આપ્યું હતું. તેના પર સ્વરાએ કહ્યું હતું કે હું શૂટિંગમાં વ્યસ્ત છું. આવી શકાશે નહિ દોસ્ત. હું કસમ ખાઉં છું, હું તમારા લગ્નમાં ચોક્કસ આવીશ. 


જાન્યુઆરીમાં કોર્ટ મેરેજ માટે અરજી કરી


સ્વરા ભાસ્કરે 6 જાન્યુઆરી 2023ના રોજ કોર્ટ મેરેજ માટે અરજી કરી હતી. તેણે શેર કરેલા વીડિયોમાં બંને કોર્ટમાં લગ્નના કાગળો પર સહી કરતા પણ જોવા મળે છે. એક ફોટોમાં તે તેના માતા-પિતાને ગળે લગાવીને રડતી પણ જોવા મળી રહી છે.


કોણ છે સ્વરા ભાસ્કરના પતિ ફહાદ અહેમદ?


સ્વરાના પતિ ફહાદ અહેમદ વિદ્યાર્થી નેતા અને સામાજિક કાર્યકર છે. તેણે ઈન્સ્ટાગ્રામ પર પોતાના બાયોમાં લખ્યું છે કે તે સમાજવાદી પાર્ટીની યુવા સભાના પ્રદેશ અધ્યક્ષ છે. તેણે ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઓફ સોશિયલ સાયન્સ સ્ટુડન્ટ યુનિયનના જનરલ સેક્રેટરી તરીકે પણ સેવા આપી છે. ફહાદ ગયા વર્ષે જુલાઈમાં સમાજવાદી પાર્ટીમાં જોડાયો હતો. તે યુપીથી આવે છે. તેનો જન્મ 2 ફેબ્રુઆરી 1992ના રોજ બહેરીમાં થયો હતો. તેમણે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો અને પછી સામાજિક કાર્યકર તરીકે કામ કરવાનું શરૂ કર્યું.



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી