સ્વરા ભાસ્કરે પ્રભુતામાં પગલા પાડ્યાં, જાણો કોણ છે તેનો જીવનસાથી?


  • Published By :
  • Published Date : 2023-02-16 19:30:54

બોલિવુડ અભિનેત્રી સ્વરા ભાસ્કર લગ્નના બંધનથી બંધાઈ ગઈ છે. તેણે સમાજવાદી પાર્ટીના નેતા ફહાદ ઝિરાર અહમદ સાથે લગ્ન કર્યા છે. સ્વરાએ તેના ઓફિસિયલ ઈંસ્ટાગ્રામ પર આ ગુડ ન્યુઝ આપતાના તેના ચાહકોને પણ સુખદ આંચકો લાગ્યો છે. સ્વારાએ એક વિડીયો શેર કરીને તેની લવ લાઈફ અને કોર્ટ મેરેજની તારીખ અંગે પણ જાણકારી આપી છે.


સ્વરાએ પતિ ફહાદ સાથે વીડિયો શેર કર્યો 


સ્વરા ભાસ્કરે પતિ ફહાદ ઝિરાર અહેમદ સાથેનો વીડિયો પણ શેર કર્યો છે. આ વીડિયોમાં તેણે તેમની સભા અને પતિની રાજકીય રેલીઓની ઝલક પણ દેખાડી હતી. આ વીડિયોમાં સ્વરા ભાસ્કરે જણાવ્યું કે કેવી રીતે તેમની પહેલી મુલાકાત થઈ હતી. તેમણે પ્રથમ સેલ્ફી કેવી રીતે લીધી? આ સાથે તેની અને ફહાદની વોટ્સએપ ચેટ પણ બતાવવામાં આવી હતી. આ ચેટ માર્ચ 2020ની છે, જ્યાં ફહાદે તેને તેની બહેનના લગ્નમાં આમંત્રણ આપ્યું હતું. તેના પર સ્વરાએ કહ્યું હતું કે હું શૂટિંગમાં વ્યસ્ત છું. આવી શકાશે નહિ દોસ્ત. હું કસમ ખાઉં છું, હું તમારા લગ્નમાં ચોક્કસ આવીશ. 


જાન્યુઆરીમાં કોર્ટ મેરેજ માટે અરજી કરી


સ્વરા ભાસ્કરે 6 જાન્યુઆરી 2023ના રોજ કોર્ટ મેરેજ માટે અરજી કરી હતી. તેણે શેર કરેલા વીડિયોમાં બંને કોર્ટમાં લગ્નના કાગળો પર સહી કરતા પણ જોવા મળે છે. એક ફોટોમાં તે તેના માતા-પિતાને ગળે લગાવીને રડતી પણ જોવા મળી રહી છે.


કોણ છે સ્વરા ભાસ્કરના પતિ ફહાદ અહેમદ?


સ્વરાના પતિ ફહાદ અહેમદ વિદ્યાર્થી નેતા અને સામાજિક કાર્યકર છે. તેણે ઈન્સ્ટાગ્રામ પર પોતાના બાયોમાં લખ્યું છે કે તે સમાજવાદી પાર્ટીની યુવા સભાના પ્રદેશ અધ્યક્ષ છે. તેણે ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઓફ સોશિયલ સાયન્સ સ્ટુડન્ટ યુનિયનના જનરલ સેક્રેટરી તરીકે પણ સેવા આપી છે. ફહાદ ગયા વર્ષે જુલાઈમાં સમાજવાદી પાર્ટીમાં જોડાયો હતો. તે યુપીથી આવે છે. તેનો જન્મ 2 ફેબ્રુઆરી 1992ના રોજ બહેરીમાં થયો હતો. તેમણે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો અને પછી સામાજિક કાર્યકર તરીકે કામ કરવાનું શરૂ કર્યું.



પરષોત્તમ રૂપાલા દ્વારા આપવામાં આવેલા નિવેદનનો વિરોધ થઈ રહ્યો છે. ત્યારે થોડા સમય પહેલા મંત્રી કનુ દેસાઈએ કોળી સમાજને લઈ નિવેદન આપ્યું હતું જે બાદ કોળી સમાજ મેદાને આવ્યું છે. કોળી સમાજના લોકોએ હવન કરાવ્યો છે.

મતદાતાઓનો મિજાજ જાણવા માટે જમાવટની ટીમ અલગ અલગ લોકસભા બેઠકમાં જઈ રહી છે. ત્યારે વલસાડના વાકલ ગામ ટીમ પહોંચી હતી. ત્યાં વર્ષોથી નળ તો પહોંચી ગયા છે પરંતુ પાણી નથી પહોંચ્યું..

રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર પરેશ ધાનાણીએ ફરી એક વખત સોશિયલ મીડિયા પર કવિતા શેર કરી છે. ભાજપ પર પ્રહાર કર્યા હતા.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતમાં હતા. વલસાડમાં તેમજ છોટા ઉદેપુરમાં તેમણે જનસભાને સંબોધી..અનેક વિષયો પર તેમણે વાત કરી હતી..પોતાના ભાષણ દરમિયાન કોંગ્રેસને આડેહાથ લીધી હતી.