ફૂડ ડિલિવરી કંપની સ્વિગી કરશે 380 લોકોની છટણી, કંપનીના CEOએ કરી જાહેરાત


  • Published By :
  • Published Date : 2023-01-20 20:09:50

દેશમાં એક બાદ એક અનેક સ્ટાર્ટ અપ કંપનીઓ કર્મચારીઓની છટણી કરી રહી છે. ભારતમાં જ નહીં દુનિયાની મોટી ટેક કંપની પણ સતત સ્ટાફની હકાલપટ્ટી કરી રહી છે.  ShareChatમાં છટણીના સમાચાર સામે આવ્યા બાદ હવે Swiggy પણ તેમાં શામેલ થઈ ગઈ છે.  


કંપનીના CEOએ છટણીની કરી જાહેરાત


ઘરે-ઘરે ફુડ ડિલિવરી અને જરૂરી સામાનની ડિલિવરી કરતી કંપની સ્વિગી હવે 380 કર્મચારીઓની છટણી કરવા જઈ રહી છે. કંપનીના સીઈઓ શ્રીહર્ષ મજેતીએ કર્મચારીઓને મોકલેલા એક ઈન્ટરનલ ઈ-મેલમાં આ અંગે માહિતી આપવામાં આવી છે. જેમાં તેમણે લખ્યું છે કે બિઝનેશને પુનર્ગઠિત કરવાની પ્રોસેસ માટે આપણે સાઈઝ ઘટાડવી પડશે. આ એક મુશ્કેલ નિર્ણય છે, આ સમગ્ર પ્રોસેસમાં કંપનીએ તેના 380 ટેલેન્ટને વિદાય આપવી પડશે, અને કંપની તે માટે મજબુર છે. 


સતત થઈ રહી છે છટણી


છેલ્લા કેટલાક દિવસોથી દુનિયાભરમાં લોકોને નોકરીમાં કાઢી મુકવામાં આવે છે. જેમ કે તાજેતરમાં જ શેઅર ચેટએ બે વાર છટણી કરી 700 કર્મચારીઓને બહારનો રસ્તો બતાવ્યો છે. તે જ પ્રકારે  Amazonએ 1000થી વધુ લોકોને નોકરીમાંથી હકાલપટ્ટી કરી છે. માઈક્રોસોફ્ટ જેવી મોટી ટેક કંપનીએ પણ 11 હજાર કર્મચારીઓની વિદાય આપવા જઈ રહી છે.  



રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા ભારતીય જનતા પાર્ટીમાં ટિકિટ વહેંચણીને લઇને કાર્યકરોમાં અસંતોષ જોવા મળ્યો છે. શિસ્તબદ્ધ કહેવાતી પાર્ટીમાં ટિકિટ માટે જૂથબંધી અને રોષ ભાજપમાં સપાટી પર આવી ગયો છે. હવે , ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ ડેમેજ કંટ્રોલ કરવા લાગી જવું પડ્યું છે. આ માટે તેમણે રાજકોટની મુલાકાત લીધી છે.

મહેસાણા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીમાં ખુબ મોટું ગાબડું સામે આવ્યું છે. કેમ કે, મરતોલી ગામના ૨૦૦ જેટલા ભાજપના કાર્યકરો પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા છે. આ તમામ ભાજપના કાર્યકરોએ આક્ષેપ કર્યા છે કે , પાર્ટીમાં અમારી કોઈ જ વેલ્યુ નથી રહી. બીજી તરફ , બનાસકાંઠા જિલ્લામાં પણ ભાજપમાં ખુબ મોટું ગાબડું પડ્યું છે. પૂર્વ નગરસેવક અને સિનિયર આગેવાન શાંતિ માળી અને ગોપાલ સેનાના અધ્યક્ષ નરસિંહ દેસાઈ કોંગ્રેસમાં જોડાયા છે.

સામાન્ય રીતે લોકો પોતાના જન્મદિવસે તેની ભવ્ય ઉજવણી કરતા હોય છે. પરંતુ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અનંત અંબાણીના 31મા જન્મદિન પ્રસંગે આયોજિત વિવિધ પરોપકારી કાર્યો તથા પ્રવૃત્તિઓએ આશરે 57 લાખ લોકોના જીવનને સ્પર્શ કરી તેને બહેતર બનાવવાનો પ્રયાસ કર્યો છે. લાખો લોકોના જીવનને સમૃદ્ધ બનાવવાના ઉદ્દેશથી ધાર્મિક ટ્રસ્ટ, શૈક્ષણિક તથા આરોગ્યસંભાળ સંસ્થાઓ તેમજ સામાજકલ્યાણની સંસ્થાઓમાં સખાવતી યોગદાન અપાયું હતું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીમાં ઉમેદવારોની પસંદગી કરવાને લઇને જબરદસ્ત મંથન ચાલી રહ્યું છે. ત્યારે , ભાજપ દ્વારા કેટલાક માપદંડો બનાવવામાં આવ્યા છે જેમ કે , ૬૦થી વધુ વયના લોકોને ટિકિટ ના આપવી. ત્રણ ટર્મથી ચૂંટણી લડતા હોય તેમને ટિકિટ ના આપવી. આવા અનેક નિયમો ભાજપે બનાવ્યા છે. તો ભાજપના જ આવા નિયમોની સામે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ મોરચો માંડ્યો છે. મનસુખ વસાવાએ સ્પષ્ટપણે કહી દીધું છે કે , આ નિયમો જ પાર્ટીને નુકશાન કરશે.