ફૂડ ડિલિવરી કંપની સ્વિગી કરશે 380 લોકોની છટણી, કંપનીના CEOએ કરી જાહેરાત


  • Published By :
  • Published Date : 2023-01-20 20:09:50

દેશમાં એક બાદ એક અનેક સ્ટાર્ટ અપ કંપનીઓ કર્મચારીઓની છટણી કરી રહી છે. ભારતમાં જ નહીં દુનિયાની મોટી ટેક કંપની પણ સતત સ્ટાફની હકાલપટ્ટી કરી રહી છે.  ShareChatમાં છટણીના સમાચાર સામે આવ્યા બાદ હવે Swiggy પણ તેમાં શામેલ થઈ ગઈ છે.  


કંપનીના CEOએ છટણીની કરી જાહેરાત


ઘરે-ઘરે ફુડ ડિલિવરી અને જરૂરી સામાનની ડિલિવરી કરતી કંપની સ્વિગી હવે 380 કર્મચારીઓની છટણી કરવા જઈ રહી છે. કંપનીના સીઈઓ શ્રીહર્ષ મજેતીએ કર્મચારીઓને મોકલેલા એક ઈન્ટરનલ ઈ-મેલમાં આ અંગે માહિતી આપવામાં આવી છે. જેમાં તેમણે લખ્યું છે કે બિઝનેશને પુનર્ગઠિત કરવાની પ્રોસેસ માટે આપણે સાઈઝ ઘટાડવી પડશે. આ એક મુશ્કેલ નિર્ણય છે, આ સમગ્ર પ્રોસેસમાં કંપનીએ તેના 380 ટેલેન્ટને વિદાય આપવી પડશે, અને કંપની તે માટે મજબુર છે. 


સતત થઈ રહી છે છટણી


છેલ્લા કેટલાક દિવસોથી દુનિયાભરમાં લોકોને નોકરીમાં કાઢી મુકવામાં આવે છે. જેમ કે તાજેતરમાં જ શેઅર ચેટએ બે વાર છટણી કરી 700 કર્મચારીઓને બહારનો રસ્તો બતાવ્યો છે. તે જ પ્રકારે  Amazonએ 1000થી વધુ લોકોને નોકરીમાંથી હકાલપટ્ટી કરી છે. માઈક્રોસોફ્ટ જેવી મોટી ટેક કંપનીએ પણ 11 હજાર કર્મચારીઓની વિદાય આપવા જઈ રહી છે.  



રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.

અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.