ફૂડ ડિલિવરી કંપની સ્વિગી કરશે 380 લોકોની છટણી, કંપનીના CEOએ કરી જાહેરાત


  • Published By :
  • Published Date : 2023-01-20 20:09:50

દેશમાં એક બાદ એક અનેક સ્ટાર્ટ અપ કંપનીઓ કર્મચારીઓની છટણી કરી રહી છે. ભારતમાં જ નહીં દુનિયાની મોટી ટેક કંપની પણ સતત સ્ટાફની હકાલપટ્ટી કરી રહી છે.  ShareChatમાં છટણીના સમાચાર સામે આવ્યા બાદ હવે Swiggy પણ તેમાં શામેલ થઈ ગઈ છે.  


કંપનીના CEOએ છટણીની કરી જાહેરાત


ઘરે-ઘરે ફુડ ડિલિવરી અને જરૂરી સામાનની ડિલિવરી કરતી કંપની સ્વિગી હવે 380 કર્મચારીઓની છટણી કરવા જઈ રહી છે. કંપનીના સીઈઓ શ્રીહર્ષ મજેતીએ કર્મચારીઓને મોકલેલા એક ઈન્ટરનલ ઈ-મેલમાં આ અંગે માહિતી આપવામાં આવી છે. જેમાં તેમણે લખ્યું છે કે બિઝનેશને પુનર્ગઠિત કરવાની પ્રોસેસ માટે આપણે સાઈઝ ઘટાડવી પડશે. આ એક મુશ્કેલ નિર્ણય છે, આ સમગ્ર પ્રોસેસમાં કંપનીએ તેના 380 ટેલેન્ટને વિદાય આપવી પડશે, અને કંપની તે માટે મજબુર છે. 


સતત થઈ રહી છે છટણી


છેલ્લા કેટલાક દિવસોથી દુનિયાભરમાં લોકોને નોકરીમાં કાઢી મુકવામાં આવે છે. જેમ કે તાજેતરમાં જ શેઅર ચેટએ બે વાર છટણી કરી 700 કર્મચારીઓને બહારનો રસ્તો બતાવ્યો છે. તે જ પ્રકારે  Amazonએ 1000થી વધુ લોકોને નોકરીમાંથી હકાલપટ્ટી કરી છે. માઈક્રોસોફ્ટ જેવી મોટી ટેક કંપનીએ પણ 11 હજાર કર્મચારીઓની વિદાય આપવા જઈ રહી છે.  



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.