ફૂડ ડિલિવરી કંપની સ્વિગી કરશે 380 લોકોની છટણી, કંપનીના CEOએ કરી જાહેરાત


  • Published By :
  • Published Date : 2023-01-20 20:09:50

દેશમાં એક બાદ એક અનેક સ્ટાર્ટ અપ કંપનીઓ કર્મચારીઓની છટણી કરી રહી છે. ભારતમાં જ નહીં દુનિયાની મોટી ટેક કંપની પણ સતત સ્ટાફની હકાલપટ્ટી કરી રહી છે.  ShareChatમાં છટણીના સમાચાર સામે આવ્યા બાદ હવે Swiggy પણ તેમાં શામેલ થઈ ગઈ છે.  


કંપનીના CEOએ છટણીની કરી જાહેરાત


ઘરે-ઘરે ફુડ ડિલિવરી અને જરૂરી સામાનની ડિલિવરી કરતી કંપની સ્વિગી હવે 380 કર્મચારીઓની છટણી કરવા જઈ રહી છે. કંપનીના સીઈઓ શ્રીહર્ષ મજેતીએ કર્મચારીઓને મોકલેલા એક ઈન્ટરનલ ઈ-મેલમાં આ અંગે માહિતી આપવામાં આવી છે. જેમાં તેમણે લખ્યું છે કે બિઝનેશને પુનર્ગઠિત કરવાની પ્રોસેસ માટે આપણે સાઈઝ ઘટાડવી પડશે. આ એક મુશ્કેલ નિર્ણય છે, આ સમગ્ર પ્રોસેસમાં કંપનીએ તેના 380 ટેલેન્ટને વિદાય આપવી પડશે, અને કંપની તે માટે મજબુર છે. 


સતત થઈ રહી છે છટણી


છેલ્લા કેટલાક દિવસોથી દુનિયાભરમાં લોકોને નોકરીમાં કાઢી મુકવામાં આવે છે. જેમ કે તાજેતરમાં જ શેઅર ચેટએ બે વાર છટણી કરી 700 કર્મચારીઓને બહારનો રસ્તો બતાવ્યો છે. તે જ પ્રકારે  Amazonએ 1000થી વધુ લોકોને નોકરીમાંથી હકાલપટ્ટી કરી છે. માઈક્રોસોફ્ટ જેવી મોટી ટેક કંપનીએ પણ 11 હજાર કર્મચારીઓની વિદાય આપવા જઈ રહી છે.  



અમદાવાદ સમગ્ર ભારતના ઇતિહાસમાં એક નવું નામ અંકિત કરવા જઈ રહ્યું છે. કેમ કે , ભારતને આજે કોમનવેલ્થ ગેમ્સની વર્ષ ૨૦૩૦ની યજમાની મળી ચુકી છે. જે હવે આપણા અમદાવાદમાં યોજાશે. આ જાહેરાત સ્કોટલેન્ડના ગ્લાસગોમાં કોમનવેલ્થ સ્પોર્ટ્સ એક્ઝિક્યુટિવ બોર્ડની મિટિંગ બાદ કરવામાં આવી છે. આ મિટિંગમાં ભારત તરફથી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વવાળું એક પ્રતિનિધિમંડળ પણ હાજર હતું.

ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.