દેશમાં T+1 સેટલમેન્ટ સિસ્ટમનો પ્રારંભ, જાણો તે શું છે અને ઈક્વિટી ટ્રેડરને શું લાભ થશે?


  • Published By :
  • Published Date : 2023-01-28 21:56:40

માર્કેટ્સ રેગ્યુલેટર સેબીએ T+1 (ટ્રેડ+1 દિવસ) સેટલમેન્ટ સાઇકલ રજૂ કરી છે. આ અંતર્ગત હવે શેરમાં ટ્રેડિંગ એક દિવસમાં સેટલ થઈ જશે. સેબીનો આ નવો નિયમ 27 જાન્યુઆરી 2023થી અમલમાં આવ્યો છે. અગાઉ તેનો અમલ જાન્યુઆરી 2022 થી થવાનો હતો પરંતુ વિવિધ કારણોસર તેને લંબાવવામાં આવ્યો હતો.


નવી સેટલમેન્ટ સાયકલથી શું લાભ?


સ્ટોક માર્કેટ રેગ્યુલેટરી બોડી SEBI અનુસાર, નવા વર્ષથી કોઈપણ સ્ટોક એક્સચેન્જ તમામ શેરધારકો માટે કોઈ પણ શેર માટે T+1 સેટલમેન્ટ સાયકલ પસંદ કરી શકે છે. સરળ ભાષામાં સમજીએ તો તમને શેર વેચ્યાના બીજા જ દિવસે પૈસા મળશે. આનાથી રોકાણકારો માટે મૂડીની કાર્યક્ષમતા વધશે તેમજ સમગ્ર ઇન્ડસ્ટ્રી માટે જોખમ ઘટાડવામાં પણ તે મદદરૂપ થશે. T+1નો અર્થ છે કે માર્કેટ ટ્રેડને સંબંધિત સેટલમેન્ટ માત્ર એક જ દિવસમાં ક્લિયર કરવાનું રહેશે. એટલે કે હવે ટ્રેડિંગના પછીના જ દિવસે શેર્સ અથવા રકમ એકાઉન્ટમાં ક્રેડિટ થઇ જશે.


T+1 સેટલમેન્ટનો અમલ કરનારો પહેલો દેશ 


અગાઉ T+2 સેટલમેન્ટને કારણે ટ્રેડિંગના બીજા દિવસે પેમેન્ટનું સેટલમેન્ટ થતું હતું. 27 જાન્યુઆરીથી ઇક્વિટી સેગમેન્ટમાં સિક્યોરિટીમાં થયેલા દરેક ટ્રેડને T+1ના આધારે આગામી દિવસે સેટલમેન્ટ કરવામાં આવશે. સેટલમેન્ટ સાયકલને ટૂંકી કરવાનો સમયગાળો 7 સપ્ટેમ્બર, 2021થી શરૂ થાય છે જ્યારે માર્કેટ નિયામક સેબીએ 1 જાન્યુઆરી, 2022થી T+1 સેટલમેન્ટ સાયકલને રજૂ કરવા માટેની મંજૂરી આપી હતી. અત્રે ઉલ્લેખનિય છે કે ભારત T+1 સેટલમેન્ટ લાગૂ કરનાર વિશ્વનો પ્રથમ દેશ છે. 


રોડમેપનો તબક્કાવાર અમલ


સેબીના નિર્દેશ બાદ દરેક માર્કેટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સંસ્થાઓ જેમ કે સ્ટોક એક્સચેન્જ, ક્લિયરિંગ કોર્પોરેશન તેમજ ડિપોઝિટરીએ T+1 સેટલમેન્ટ સાયકલના અમલીકરણ માટે સંયુક્તપણે એક રોડમેપ તૈયાર કર્યો હતો. આ રોડમેપને તબક્કાવાર તૈયાર કરવામાં આવ્યો હતો.




અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.