દેશમાં T+1 સેટલમેન્ટ સિસ્ટમનો પ્રારંભ, જાણો તે શું છે અને ઈક્વિટી ટ્રેડરને શું લાભ થશે?


  • Published By :
  • Published Date : 2023-01-28 21:56:40

માર્કેટ્સ રેગ્યુલેટર સેબીએ T+1 (ટ્રેડ+1 દિવસ) સેટલમેન્ટ સાઇકલ રજૂ કરી છે. આ અંતર્ગત હવે શેરમાં ટ્રેડિંગ એક દિવસમાં સેટલ થઈ જશે. સેબીનો આ નવો નિયમ 27 જાન્યુઆરી 2023થી અમલમાં આવ્યો છે. અગાઉ તેનો અમલ જાન્યુઆરી 2022 થી થવાનો હતો પરંતુ વિવિધ કારણોસર તેને લંબાવવામાં આવ્યો હતો.


નવી સેટલમેન્ટ સાયકલથી શું લાભ?


સ્ટોક માર્કેટ રેગ્યુલેટરી બોડી SEBI અનુસાર, નવા વર્ષથી કોઈપણ સ્ટોક એક્સચેન્જ તમામ શેરધારકો માટે કોઈ પણ શેર માટે T+1 સેટલમેન્ટ સાયકલ પસંદ કરી શકે છે. સરળ ભાષામાં સમજીએ તો તમને શેર વેચ્યાના બીજા જ દિવસે પૈસા મળશે. આનાથી રોકાણકારો માટે મૂડીની કાર્યક્ષમતા વધશે તેમજ સમગ્ર ઇન્ડસ્ટ્રી માટે જોખમ ઘટાડવામાં પણ તે મદદરૂપ થશે. T+1નો અર્થ છે કે માર્કેટ ટ્રેડને સંબંધિત સેટલમેન્ટ માત્ર એક જ દિવસમાં ક્લિયર કરવાનું રહેશે. એટલે કે હવે ટ્રેડિંગના પછીના જ દિવસે શેર્સ અથવા રકમ એકાઉન્ટમાં ક્રેડિટ થઇ જશે.


T+1 સેટલમેન્ટનો અમલ કરનારો પહેલો દેશ 


અગાઉ T+2 સેટલમેન્ટને કારણે ટ્રેડિંગના બીજા દિવસે પેમેન્ટનું સેટલમેન્ટ થતું હતું. 27 જાન્યુઆરીથી ઇક્વિટી સેગમેન્ટમાં સિક્યોરિટીમાં થયેલા દરેક ટ્રેડને T+1ના આધારે આગામી દિવસે સેટલમેન્ટ કરવામાં આવશે. સેટલમેન્ટ સાયકલને ટૂંકી કરવાનો સમયગાળો 7 સપ્ટેમ્બર, 2021થી શરૂ થાય છે જ્યારે માર્કેટ નિયામક સેબીએ 1 જાન્યુઆરી, 2022થી T+1 સેટલમેન્ટ સાયકલને રજૂ કરવા માટેની મંજૂરી આપી હતી. અત્રે ઉલ્લેખનિય છે કે ભારત T+1 સેટલમેન્ટ લાગૂ કરનાર વિશ્વનો પ્રથમ દેશ છે. 


રોડમેપનો તબક્કાવાર અમલ


સેબીના નિર્દેશ બાદ દરેક માર્કેટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સંસ્થાઓ જેમ કે સ્ટોક એક્સચેન્જ, ક્લિયરિંગ કોર્પોરેશન તેમજ ડિપોઝિટરીએ T+1 સેટલમેન્ટ સાયકલના અમલીકરણ માટે સંયુક્તપણે એક રોડમેપ તૈયાર કર્યો હતો. આ રોડમેપને તબક્કાવાર તૈયાર કરવામાં આવ્યો હતો.




પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.

ગુજરાતમાં મેઘરાજાનો તાંડવ હજુ યથાવત છે. ઉત્તર ગુજરાતમાં કચ્છ , બનાસકાંઠા , પાટણ , મેહસાણા માટે આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય દેવભૂમિ દ્વારકા , જામનગર , મોરબી , સુરેન્દ્રનગર , અમદાવાદ , ગાંધીનગર , સાબરકાંઠા , અરવલ્લી , નવસારી અને વલસાડ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. વાત કરીએ વરસાદી સિસ્ટમની તો , ડિપ્રેશન ઉત્તર ગુજરાત અને દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન પર છેલ્લા ૬ કલાક દરમ્યાન લગભગ ૨ કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધ્યું છે. આજ બપોર સુધીમાં કચ્છ અને તેની બાજુમાં દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને પાકિસ્તાન પર ડીપ ડિપ્રેશન પશ્ચિમ તરફ આગળ વધવાની શક્યતા છે.

રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.