દેશમાં T+1 સેટલમેન્ટ સિસ્ટમનો પ્રારંભ, જાણો તે શું છે અને ઈક્વિટી ટ્રેડરને શું લાભ થશે?


  • Published By :
  • Published Date : 2023-01-28 21:56:40

માર્કેટ્સ રેગ્યુલેટર સેબીએ T+1 (ટ્રેડ+1 દિવસ) સેટલમેન્ટ સાઇકલ રજૂ કરી છે. આ અંતર્ગત હવે શેરમાં ટ્રેડિંગ એક દિવસમાં સેટલ થઈ જશે. સેબીનો આ નવો નિયમ 27 જાન્યુઆરી 2023થી અમલમાં આવ્યો છે. અગાઉ તેનો અમલ જાન્યુઆરી 2022 થી થવાનો હતો પરંતુ વિવિધ કારણોસર તેને લંબાવવામાં આવ્યો હતો.


નવી સેટલમેન્ટ સાયકલથી શું લાભ?


સ્ટોક માર્કેટ રેગ્યુલેટરી બોડી SEBI અનુસાર, નવા વર્ષથી કોઈપણ સ્ટોક એક્સચેન્જ તમામ શેરધારકો માટે કોઈ પણ શેર માટે T+1 સેટલમેન્ટ સાયકલ પસંદ કરી શકે છે. સરળ ભાષામાં સમજીએ તો તમને શેર વેચ્યાના બીજા જ દિવસે પૈસા મળશે. આનાથી રોકાણકારો માટે મૂડીની કાર્યક્ષમતા વધશે તેમજ સમગ્ર ઇન્ડસ્ટ્રી માટે જોખમ ઘટાડવામાં પણ તે મદદરૂપ થશે. T+1નો અર્થ છે કે માર્કેટ ટ્રેડને સંબંધિત સેટલમેન્ટ માત્ર એક જ દિવસમાં ક્લિયર કરવાનું રહેશે. એટલે કે હવે ટ્રેડિંગના પછીના જ દિવસે શેર્સ અથવા રકમ એકાઉન્ટમાં ક્રેડિટ થઇ જશે.


T+1 સેટલમેન્ટનો અમલ કરનારો પહેલો દેશ 


અગાઉ T+2 સેટલમેન્ટને કારણે ટ્રેડિંગના બીજા દિવસે પેમેન્ટનું સેટલમેન્ટ થતું હતું. 27 જાન્યુઆરીથી ઇક્વિટી સેગમેન્ટમાં સિક્યોરિટીમાં થયેલા દરેક ટ્રેડને T+1ના આધારે આગામી દિવસે સેટલમેન્ટ કરવામાં આવશે. સેટલમેન્ટ સાયકલને ટૂંકી કરવાનો સમયગાળો 7 સપ્ટેમ્બર, 2021થી શરૂ થાય છે જ્યારે માર્કેટ નિયામક સેબીએ 1 જાન્યુઆરી, 2022થી T+1 સેટલમેન્ટ સાયકલને રજૂ કરવા માટેની મંજૂરી આપી હતી. અત્રે ઉલ્લેખનિય છે કે ભારત T+1 સેટલમેન્ટ લાગૂ કરનાર વિશ્વનો પ્રથમ દેશ છે. 


રોડમેપનો તબક્કાવાર અમલ


સેબીના નિર્દેશ બાદ દરેક માર્કેટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સંસ્થાઓ જેમ કે સ્ટોક એક્સચેન્જ, ક્લિયરિંગ કોર્પોરેશન તેમજ ડિપોઝિટરીએ T+1 સેટલમેન્ટ સાયકલના અમલીકરણ માટે સંયુક્તપણે એક રોડમેપ તૈયાર કર્યો હતો. આ રોડમેપને તબક્કાવાર તૈયાર કરવામાં આવ્યો હતો.




ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી